Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

સાંજે સુતી વખતે આ એક છોડનું દૂધ મિક્સ કરી ને લગાવી જુવો

Deshi Osadiya by Deshi Osadiya
August 7, 2022
0
આંકડો એક અદભુત ઔષધી

આંકડો એક અદભુત ઔષધી

0
SHARES
Share on FacebookShare on Twitter

ધાધરની તકલીફ એક ચામડીની તકલીફ છે. જે લોહીના બગાડ અને ચામડી પર આ રોગનું ઇન્ફેકશન લાગવાથી ધાધરની તકલીફ થાય છે. આ તકલીફ આજના સમયે ઘણા બધા લોકોમાં જોવા મળે છે. આ તકલીફ થવા માટે ઘણા બધા કારણો ભાગ ભજવે છે.

RELATED POSTS

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

ધાધર ચામડી પર થનારી પીડાદાયક સમસ્યાઓમાંથી એક છે. જેમાં ખંજવાળ આવે છે અને તે ખુબ જ જલ્દી ફેલાય છે.  ધાધર થયા પછી કોઇપણ કામમાં મન લગાવવું મુશ્કિલ થઈ જાય છે અને ધ્યાન હંમેશા ડાઘ વાળી જગ્યા પર જ રહે છે. આયુર્વેદમાં ધાધરના એવા ઉપાયો છે કે જે આ ચામડીના રોગથી રાહત આપવામાં મદદ કરી શકે છે. આ લેખમાં અમે ધાધરના ઘરેલું ઉપચાર કેવી રીતે કરવા એ વિશે વિસ્તારથી જણાવીશું.

Join Group

આયુર્વેદમાં ઘણી બધી ઔષધિઓ છે, જેમાં અમુક એવી ચમત્કારિક ઔષધિઓ પણ છે, જેનાથી ધાધરને ચમત્કારિક રીતે મટાડી શકાય છે. આ માટે આયુર્વેદમાં બતાવ્યા પ્રમાણે આકડાના છોડથી પણ ધાધરને મટાડી શકાય છે.

ઉપાય: આ ઈલાજ માટે જ્યાં આકડાનો છોડ ઉભો હોય ત્યાંથી આ છોડને લાવવો. આ છોડના પાંદડાને તોડતા જે દૂધ નીકળે છે, જે એક પ્રકારે કોઈ વાટકીમાં એકઠું કરી લેવું. આકડાની ડાળી તોડતા પણ દૂધ નીકળે છે. આ રીતે આકડાની ડાળીમાંથી નીકળતા દૂધને પણ આ વાટકીમાં એકઠું કરી લેવું. આમ, આ ઈલાજ માટે લગભગ 7 થી 8 ટીપા દૂધ એકઠું કરી લેવું. આ દૂધ એકઠું કરતા સમયે આ દૂધ આંખમાં ન પડે તેની કાળજી લેવી. આ દૂધ આંખોમાં નુકશાન પહોચાડી શકે છે.

આ પછી એક બીજી વાટકીમાં જેમાં એકથી બે ચમચી જેટલું લીમડાનું તેલ નાખવું. આ બે ચમચી લીમડાના તેલમાં લગભગ 6 થી 7 ટીપા જેટલું આંકડાનું આ તેલ ઉમેરી દેવું. આ પછી આ તેલ અને લીમડાનું તેલ સરખી રીતે ભેળવી દેવું. એવી રીતે ભેળવી દેવું કે તે સારી રીતે ભળી જાય અને એકરસ થઈ જાય.

આ બરાબર મિક્સ થઈ જશે ત્યારે દૂધ ફાટી ગયું હશે તેવું લાગશે. આ તેલ વાળા મિશ્ર દ્રાવણને જે ભાગમાં લગાવવાનું છે તે ભાગને સારી રીતે ડેટોલથી ધોઈ નાખવો. આ પછી તે સારી રીતે સુકાઈ જાય પછી આ જે તેલ બનાવ્યું છે તેને આ જગ્યા પર સરખી રીતે લગાવી દેવું.

આ તેલને લગાવવા માટે રૂની મદદથી પલાળીને ધાધર પર લગાવવું. જેથી આંગળીઓ પર ચોટીને ધાધર બીજી જગ્યા પર ન ફેલાય. આ તેલને લઈને તેની ધાધર વાળા ભાગ પર 2 થી 3 મિનીટ સુધી મસાજ કરવી. આ તેલને લગાવીને આ તેલને 3 થી 4 કલાક સુધી આ જગ્યા પર જ રહેવા દેવું.

આ ઉપાય કરવાથી તમને એક જ દિવસમાં આ જગ્યા પર ફરક જોવા મળશે. આ ખુબ જ કારગર અને ઝડપથી ચામડીના ધાધર જેવા રોગને મટાડતો ઉપાય છે. આ સિવાય આ ઉપાય કરવાથી ધાધર ખુબ જ ઝડપથી મટી જાય છે.

ધાધર એક પ્રકારનું ચામડીનું ઈન્ફેકશન છે, જે જે ચામડી પરની ફૂગને કારણે થાય છે. જેને મેડીકલ ભાષામાં ડરમેટોફાઈટોસિસ અને ટીનીયા નામથી પણ ઓળખવામાં આવે છે. ખાસ કરીને ધાધર ડરમેટોફાઈટસ નામની ફૂગને કારણે થાય છે.

ધાધરના પ્રકારને પ્રભવિત ચામડીના આધાર પર અલગ અલગ વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. દાઢી પાસે ધાધર થનારી ધાધરને ટીનીયા બારબાઈ કહેવામાં આવે છે. શરીર પર થનારી ધાધરને ટીનીયા કોર્પોરીસ કહેવામાં આવે છે. પગમાં થનારી ધાધરને ટીનીયા પેડીસ કે એથલીટ ફૂટ કહેવામાં આવે છે. માથામાં થનારી ધાધરને ટીનીયા કૈપીટીસ કહેવામાં આવે છે.

પેટ અને કેડના વચ્ચે થનારી ધાધરને ટીનીયા ક્રુરીસ કહેવામાં આવે છે. હાથપગ પર થનારી ધાધરને ટીનીયા મનસ કહેવામાં આવે છે. દાઢી સિવાય ચહેરાના અન્ય હિસ્સામાં થનારી ધાધરને ટીનીયા ફેસીઈ કહેવામાં આવે છે. નખ પર થતી ધાધરને ટીનીયા અંગિયમ કહેવામાં આવે છે.

ધાધર થવાના કારણોમાં કોઈ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવાથી, ચામડી કે નખમાં હળવી ઈજા થવાથી, લાંબા સમય સુધી ચામડી ભીની રહેવાથી, પરસેવો રહેવાથી, ધાધરથી સંક્રમિત વસ્તુનો સ્પર્શ કરવાથી, જેવા કે કપડા, દાંતિયો વગેરે. વાળને સમયસર ન ધોવાથી, રોગ પ્રતિકારક શક્તિ કમજોર પડી જવાથી, ટાઈટ બુટ પહેરવાથી, જાનવરોના સંપર્કમાં આવવાથી ધાધર થઈ શકે છે.

આ રોગ એક જગ્યાએ પરસેવો થઈને એકઠો થઈ જાય, જો તમે તેને સાફ કરતા નથી. જેના કારણે પણ ધાધર થાય છે. આ ધાધર શરીરમાં કયારેય પણ અને ગમે તે જગ્યાએ થઈ શકે છે. આ એક એવું ઈન્ફેકશન છે જે સ્પર્શવાથી વધારે વધે છે. જો તમારા સંબંધીમાં કે ઘરમાં જે કોઈને ધાધરની તકલીફ હોય તો તમારે જેનાથી દૂર રહેવું જોઈએ. ધાધર વાળી જગ્યાએ ખુબ જ ખંજવાળ આવે છે જેનાથી લોકો ખુબ જ પરેશાન થાય છે.

ધાધર થઇ હય તો તેના લક્ષણો પરથી જાની શકાય છે. ચામડી પર પરતદાર અને ઉભરેલો ડાઘ, તે લાલ ચકતા જેવો થઇ શકે છે, ખંજવાળ અને જલન થવી, તે ફેલાઈને ફરફોલા જેવું બનવું, ડાઘનાં બહારના કિનારા પર લાલ થઈ જવું, વાળ ખરી પડવા. આ લક્ષણો ધાધરના રોગમાં જોવા મળે છે.

આ ધાધરના રોગને ઇંગ્લીશમાં રીંગવોર્મ પણ કહેવામાં આવે છે. ઘણા લોકો આ રોગ પાછળ ઘણી બધી દવાઓ કરે છે અને ઘણો ખર્ચો પણ કરે છે, છતાં આ રોગ મટતો નથી અને લોકો આ રોગથી છુટકારો મળેવી શકતા નથી. આ રોગ થવા માટે માનસિક કારણો પણ જવાબદાર હોય છે.

ધાધરના રોગના ઇલાજમાં આ ઉપાય ખુબ જ ઉપયોગી છે. આ ઈલાજ કરવાથી ખુબ જ ટૂંકા સમયમાં માત્ર એક જ દિવસમાં ઘણો બધો ફરક જોવા મળશે. આ આકડો ચામડી પર તીક્ષ્ણ અસર કરે છે અને ધાધરની ફૂગના જીવાણુઓનો નાશ કરે છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા ધાધરના રોગને મટાડવા માટે ખુબ જ ઉપયોગી થાય.

મિત્રો આ માહિતી વૈજ્ઞાનિક તથ્યો અને જુના આયુર્વેદના પુસ્તકોનું સંકલન તેમજ આયુર્વેદિક ડોક્ટરની સલાહ પ્રમાણે લખી છે. વાચક મિત્રો દરેક ની તાસીર અને પ્રકૃતિ અલગ અલગ હોય છે. 

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

હિંગ
ઔષધી

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

August 26, 2022
કબજિયાત માટેનો દેશી ઈલાજ
ઘરેલું ઉપચાર

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

August 21, 2022
ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય
આરોગ્ય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

August 20, 2022
ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે
ઘરેલું ઉપચાર

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

August 19, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત
આરોગ્ય

લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત

July 27, 2022
Next Post
કેળના ફૂલ

આ ફૂલ ડાયાબીટીસ, પાચન અને પીરિયડસ માટે છે ખુબ જ કામના

એલ્યુમિનિયમ ફોઈલ

શું તમે એલ્યુમિનિયમ ફોઈલમાં પેક કરેલો ખોરાક ખાવ છો, તો જાણી લો કેટલું નુકશાન કરે છે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ફટકડી ના ફાયદા

2 રૂપિયામાં મળતી આ વસ્તુ તમને 20થી વધુ રોગોથી બચાવશે,આજ થી જ શરુ કરો પ્રયોગ

March 22, 2022
હળદર વાળું દૂધ પીવાના ફાયદા

30થી વધુ રોગોનો રામબાણ ઈલાજ છે આ ગોલ્ડન મિલ્ક

February 25, 2022
આંખોના નંબર

લેસર ઓપરેશન વગર આ રીતે તમારા આંખોના નંબર ઉતારી જશે

June 15, 2022

Popular Stories

  • ધાધર નો ઘરેલુ ઉપચાર

    ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • કમળા માટે 10 ઘરેલું રામબાણ ઉપચાર, ગમે તેવો કમળો થઇ જશે સારો

    0 shares
    Share 0 Tweet 0
  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
  • વગર દવાએ પેશાબમાં થતી તીવ્ર બળતરા અને ઉનવા માટે 100% અસરકારક ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In