Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

સવારે વાસી મોઢે પાણી પીતા હોય તો 3 બાબતો નું ધ્યાન રાખવું

Deshi Osadiya by Deshi Osadiya
March 22, 2022
0
વાસી મોઢે પાણી પીવા

વાસી મોઢે પાણી પીવા

0
SHARES
Share on FacebookShare on Twitter

પાણી આપણા શરીરમાં ખુબ જ ઉપયોગી છે. શરીરમાં સુસ્તી જાળવી રાખવા માટે અને શરીરને રોગમુક્ત રાખવા માટે પાણીનો પણ અગત્યનો ભાગ છે. જો શરીરમાં દિવસ દરમિયાન જરૂરી પ્રમાણમાં પાણી પીવામાં આવે તો શરીર તંદુરસ્ત રહે છે. પરંતુ પાણી સ્વચ્છ અને યોગ્ય સમયે પીવું જરૂરી છે.

RELATED POSTS

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

ઘણા લોકો સવારે ઉઠીને 80 ટકા વાસી મોઢે પાણી પી લેતા હોય છે. જો તમે પણ દરરોજ સવારે ઉઠીને વાસી મોઢે પાણી પીતા હોય તો આ બે બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ. જેમાં કોઈપણ દિવસે રાત્રે બ્રશ કર્યા વગર સુઈ ન જવું. સૂતા પહેલા દાંતને સરખી રીતે સાફ કરી દેવા, દાંતને ચોખ્ખા કરી દેવા.

Join Group

જો તમે રાત્રે બ્રશ કર્યા વગર કે દાંતને સાફ કર્યા વગર સવારે વાસી મોઢે પાણી પીવામાં આવે તો તેના પૂરતા ફાયદા મળી શકશે નહિ. રાત્રે મોઢું સાફ ન કરવામાં આવે તો દાંતોની અંદર જે ખોરાકના નાના કણ હશે તેમાં આખી રાત્રી દરમિયાન સડો લાગે છે. જેમાં સુક્ષ્મ બેક્ટેરિયાનું નિર્માણ થાય છે. જયારે તમે વાસી મોઢે પાણી પીશો ત્યારે આ સુક્ષ્મ બેક્ટેરિયા તમારા પેટમાં જશે.

આ બેક્ટેરિયા શરીરમાં જવાથી ગેસ્ટ્રીક સમસ્યાઓ થશે, હોજરીનો સોજો અને ડાયેરિયા આવા ઘણા બધા પ્રોબ્લેમ ઉભા થશે. સરવાળે આ બધી સમસ્યાઓ આપણેને નુકશાન કરી શકે છે. જો બ્રશ ન કરવામાં આવે તો દાંતમાં જે બેક્ટેરિયા હશે તે ધીમે ધીમે સડો પેદા કરે છે. જેનાથી લાંબા સમયે દાંતની તકલીફો થશે.

જો તમારે વાસી મોઢે પાણી પીવાની ટેવ હોય તો રાત્રે બ્રશ કર્યા વગર સુઈ ન જવું. બ્રશ કરીને તેમજ ઉળ ઉતારીને જ સૂવું. જો તમારી કફની પ્રકૃતિ હોય તમારે ગરમ પાણી કરવું, આ ગરમ પાણીમાં થોડું  લીંબુ કાપીને તેના ટુકડામાંથી રસ કાઢીને આ ગરમ પાણીમાં નાખવો અને આ પાણીને પી જવું. આ રીતે ગરમ કરેલા પાણીને ઠંડું પડવા દીધા બાદ સાવ ઠંડું પડી ગયા બાદ તેમાં મધ અને લીંબુ નાખીને પણ વાસી મોઢે પી શકાય છે. આ પાણી પીધા બાદ એક કલાક સુધી કાઈપણ ખાવાનું નથી.

આ સિવાય ઘણા લોકોને પિત્તની પ્રકૃતિ હોય છે. માટે પિત્તની પ્રકૃતિ વાળા જો હુંફાળું પાણી અને લીંબુ નાખીને પીશે તો તેઓને મોટી સમસ્યા ઉભી થશે. એ લોકો માટે સલાહ છે કે જેઓને હાઈપર એસીડીટી છે, છાતીમાં કે પેટમાં બળતરા થાય છે. પિત્તની પ્રકૃતિ હોય એવા લોકોને વાસી મોઢે પાણી પીવું હોય તો ગોળાનું પાણી પીવું.

આવા લોકોએ માટલાનું પાણી પીવું, પરંતુ તેમાં લીંબુ નાખવું નહિ. આ પાણીમાં જીરું નાખી શકાય છે. કારણ કે લીંબુ એ પિત્તશામક છે. આ સિવાય સાદું માટલાનું પાણી પણ પી શકાય છે. આ પાણીમાં સિંધવ મીઠું અને જીરાનો પાવડર નાખીને પણ તેને પી શકાય છે. આ રીતે કરવામાં આવશે તો એસીડીટીમાં કોઈ સમસ્યા નહિ કરે અને એસીડીટી હશે તો મટી જશે.

સવારે તમે વાસી મોઢે પાણી પીતા હોય તો પાણી ખુબ જ ઝડપથી ગટગટાવીને પીવું ન જોઈએ. આંખી રાત્રિ દરમિયાન મોઢામાં જે લાળ જમા થાય છે તે લાળ આલ્કલીન છે. આખી રાત્રી દરમિયાન આપણા પેટમાં એસીડ જમાં થાય છે. એસીડનો ભરાવો થાય છે. આપણા શરીરમાં હાઈડ્રોક્લોરિક એસીડ શરીરમાંથી છૂટો પડીને તેનો ભરાવો હોજરીમાં થાય છે.

આ માટે સવારે પાણી પીતા હોઈએ ત્યારે પાણીને મોઢામાં લઈને એ ઘૂંટડાને મોઢામાં મમળાવવો. આ ઘુંટડાને મમળાવીને નીચે ઉતારી લેવો. આ પછી બીજો ઘૂંટડો લેવો તેને પણ મમળાવો અને પછી ગળે ઉતારવો. ટૂંકમાં શાંતિથી ગ્લાસમાં પાણી ભરવું, સોફામાં બેસવું અને બેઠા પછી ધીમે ધીમે સરબત પીતા હોય, દવા પીતા હોય એ રીતે એક ઘુટડો લીધો, મોઢામાં મમળાવવો અને પછી મોઢામાં ઉતારવો. આ રીતે આ પાણી પીવું. આ રીતે જો વાસી મોઢે જે પાણી પીવાના ફાયદા છે તેનો પુરેપુરો લાભ મળી શકે છે.

જો આ 3 નિયમોનું પાલન કરવામાં આવે તો ખુબ જ ફાયદો થાય છે. જો આ 3 બાબતોની કાળજી રાખ્યા વગર વાસી મોઢે પાણી પીવામાં આવે તો એકપણ ફાયદો મળશે નહિ. માટે આ નિયમો નિયમિત અપનાવવા જોઈએ અને એ પ્રમાણે પાણી પીવું જોઈએ. આ રીતે આ પ્રયોગ જો કાયમ માટે કરવામાં આવે તો તેની શરીરમાં ખુબ જ સારી અસર થાય છે.

માનવ શરીરને સ્વસ્થ અને ફીટ રાખવામાં પાણીની અહમ ભૂમિકા હોય છે. માનવ શરીરમાં પાણીની માત્રા 50 થી 60 ટકા હોય છે. ભરપુર માત્રામાં પાણી પીવાથી, શરીરમાં મૌજૂદ હાનીકારક અને ઝેરીલા તત્વો પરસેવો અને મૂત્ર દ્વારા શરીરની બહાર નીકળી જાય છે. જેનાથી વિષાણુંથી બચાવ થાય છે, બીમારીઓ થતી નથી.

સવારે વાસી મોઢે આ રીતે પાણી પીવાથી શરીરની સરખી રીતે સફાઈ થાય છ૩. પાણી શરીરના અંગો અને ઉત્તકોની રક્ષા કરે છે. તે કોશિકાઓ સુધી પોષક તત્વો અને ઓક્સીજન પહોચાડે છે. તે પોષક તત્વોને તોડવામાં મદદ કરે છે. આ સિવાય પાણી આપણા શરીરના તાપમાનને પણ નિયંત્રિત કરે છે.

આમ, પણ આપણે સવારમાં ઉઠીએ છીએ ત્યારે આપણા શરીરને પાણીની ખુબ જ જરૂર હોય છે. સવારે ઉઠીને આ રીતે પાણીનું સેવન કરવામાં આવે તો શરીરનું તાપમાન નિયંત્રિત રાખવામાં તે મદદ કરે છે. ગરમ પાણીમાં લીંબુ નાખીને વાસી મોઢે પીવામાં આવે તો શરીરનું આંતરિક તાપમાન ઓછું થઈ જાય છે. જેના લીધે આપણા શરીરમાં ચયાપચયની પ્રક્રિયા શરૂ થઈ જાય છે. જેનાથી શરીરનો વજન અને શરીર પણ વધતું અટકે છે.

વાસી મોઢે પાણી પીવાથી તમાન અને માનસિક સમસ્યાઓ ઠીક થાય છે. મગજ શાંત રહે છે. આ રીતે પાણી પીવાથી મગજને ઓક્સીજન મળે છે અને તે મગજને તાજગીભર્યું બનાવે છે. જેનાથી મગજ સક્રિય રહે છે.

ઘણા લોકોને પેટમાં કબજીયાતની સમસ્યા પણ વાસી મોઢે પાણી પીવાથી થાય છે. વાસી મોઢે પીધેલું પાણી રાત્રે શરીરમ બનેલા હાનીકારક તત્વોને પેશાબ વાટે બહાર કાઢવાનું કાર્ય કરે છે, જેનાથી પેશાબમાં જલન, યુરીન ઈન્ફેકશન અને અન્ય સમસ્યાઓ મટી જાય છે.

આ રીતે વાસી મોઢે પીધેલું પાણી શરીરને ડીટોકસીફાઈ કરવામાં સહાયક હોય છે, શરીરને તાત્કાલિક ઉર્જા આપે છે, મગજ તેજીથી કામ કરે છે, સંક્રમણથી બચાવ કરે છે, વજન ઘટાડે છે, ચામડી પર ચમક આવે છે, નવી કોશીકાનું નિર્માણ થાય છે, પેશાબ સંબંધી સમસ્યાઓમાં આરામ મળે છે.

આમ, આ રીતે ઉપરોક્ત બતાવ્યા પ્રમાણે કાળજી રાખીને વાસી મોઢે પાણી પીવામાં આવે તો શરીરમાં ખુબ જ ફાયદો થાય છે. શરીર આ રીતે પાણી પીવાથી ઉપરોક્ત ફાયદાઓ મળી શકે છે. આ સિવાય પણ ઘણા બધા ફાયદાઓ મળે છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

હિંગ
ઔષધી

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

August 26, 2022
કબજિયાત માટેનો દેશી ઈલાજ
ઘરેલું ઉપચાર

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

August 21, 2022
ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય
આરોગ્ય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

August 20, 2022
ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે
ઘરેલું ઉપચાર

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

August 19, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત
આરોગ્ય

લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત

July 27, 2022
Next Post
ચામડીના રોગો નો આયુર્વેદિક ઉપચાર

આ એક ઉપાયથી ધાધરને એક જ વખતમાં જડમૂળથી મટાડી શકાય છે

માઈગ્રેન નો ઉપચાર

આધાશીશી કે માઈગ્રેન નો કાયમી ઈલાજ કરવા માટે આ એક ઉપચાર કાફી છે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

તમારું વજન વધવા ન દેવું હોય તો ભૂલથી પણ આ 8 વસ્તુઓ ન ખાતા

તમારું વજન વધવા ન દેવું હોય તો ભૂલથી પણ આ 8 વસ્તુઓ ન ખાતા

June 15, 2022
નાગરવેલ પાનના ફાયદા

30 થી વધુ રોગોના ઈલાજ માટે વપરાય છે આ ગ્રીન ગોલ્ડ પાનનો રસ

February 25, 2022
કફનો 100% અસરકારક આયુર્વેદિક ઉપચાર

વગર દવાએ શરદી અને છાતીમાં જામેલા કફનો 100% અસરકારક આયુર્વેદિક ઉપચાર

February 25, 2022

Popular Stories

  • ધાધર નો ઘરેલુ ઉપચાર

    ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
  • વગર દવાએ પેશાબમાં થતી તીવ્ર બળતરા અને ઉનવા માટે 100% અસરકારક ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • હરસ, સંતાન પ્રાપ્તિ, માસિક સમસ્યા, અલ્સર જેવા અનેક રોગોનો અચૂક ઉપાય છે નિરંજન ફળ

    0 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In