Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

દરરોજ સવારે નરણાં કોઠે આ પીવો ગમે તેવી ચરબી ઓગળી જશે

Deshi Osadiya by Deshi Osadiya
March 22, 2022
0
પેટની ચરબી ઘટાડવા ના ઉપાય

પેટની ચરબી ઘટાડવા ના ઉપાય

0
SHARES
Share on FacebookShare on Twitter

ઘણા લોકોને વજન વધી જવાની સમસ્યા આજના સમયમાં ખુબ જ રહે છે. ઘણા લોકોને બેઠાડું જીવન કે પરિશ્રમના અભાવે ઘણી વખત વજનમાં સતત વધારો થયા કરતો હોય છે. આ વજન વધારાને લીધે ઘણા લોકો સતત ચિંતામાં રહેતા હોય છે. વધારે વજન હોવાથી શરીરમાં ઘણા બધા રોગો થવાની શક્યતાઓ વધી જાય છે. માટે વજન ઘટાડવાના પ્રયાસો દરેક લોકો કરતા હોય છે.

RELATED POSTS

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

વધારે વજન વાળા વ્યક્તિના શરીરમાં વધારે માત્રામાં ચરબી જમા થઈ જાય છે. જે શરીરમાં ધીરે ધીરે ખોટી દિનચર્યા, પ્રદુષણ અને અપચાને કારણે થયા કરે છે, શરીરમાં વજન બે કારણોથી વધી શકે છે. જેમાં અસ્વસ્થ ખાન પાન અને શારીરિક ગતિશીલતાની કમીને કારણે વજનમાં વધારો થયા કરે છે.

Join Group

આ લેખમાં અમે વજન ઉતારવાની સ્પેશીયલ પાવડર વિશે જણાવી રહ્યા છીએ જેનો ઉપયોગ કરવાથી ઘરે બેઠા બેઠા કોઈપણ એકસરસાઈઝ કર્યા વગર જ વજન ઉતારી શકાય છે. જેમાં તમારે કોઇપણ જીમ કે એકસરસાઈઝ કરવાની પણ જરૂર રહેતી નથી. જે લોકોને સ્પેશીયલ પેટની ચરબી હોય કે વધારે પડતો ફેટ હોય તે લોકોને આ આ ફાકીથી ખુબ જ સારું પરિણામ મળે છે. જે લોકોને વજન ઉતારવો છે પણ સમય આપી શકતા નથી તેઓ માટે આ પાવડર ચમત્કાર રૂપ છે. માત્ર એક જ અઠવાડિયા સુધી રાત્રે સૂવા સમયે આ પાવડર એક ચમચી જેટલી ફાકી ગરમ પાણી સાથે લેવાથી 100 ટકા ફરક જોવા મળશે.

ઉપાય: આ માટે વજન ઉતારવાનો પાવડર બનાવવા માટે માત્ર 4 વસ્તુની જરૂર પડે છે. આ માટે પહેલા મુખ્ય સામગ્રીમાં આખું જીરું, વરીયાળી અને અજમા લેવા. બધી જ વસ્તુનું પ્રમાણ સરખું લેવું. આ ત્રણેય વસ્તુનો ઉપયોગ કરવા માટે સૌપ્રથમ કોઈ શેકવાનું વાસણ ગરમ કરવા માટે મુકવું. આ વાસણ બરાબર ગરમ થઈ જાય એટલે આ લીધેલી સામગ્રીને આ વાસણમાં નાખવી અને હળવી શેકી લેવી.

આ માટે તમારે જેટલી જરૂરિયાત હોય એટલા પ્રમાણમાં આ વસ્તુઓ લઈ શકો છો પરંતુ ત્રણેયનું માપ સરખું રાખવું. આ માટે વાસણમાં શેકવા મુક્યા બાદ તેને ધીમે ધીમે હલાવતા રહેવી જેથી બધી જ બાજુથી આ ત્રણેય વસ્તુ સારી રીતે શેકાય જાય. લગભગ 1 થી 2 મિનીટ સુધી તેને ગેસ ઉપર શેકાવા દેવી એટલે સરખી રીતે શેકાઈને તૈયાર થઈ જશે. આ વસ્તુઓ શેકાઈ જાય ત્યારે ગેસને બંધ કરી દેવો.

આ વાસણને ગેસ ઉપરથી ઉતારી લઈને આ ત્રણેય જીરું, વરીયાળી અને અજમાના ગરમ કરેલા મિશ્રણને કોઈ ડીશમાં ભરીને રૂમમાં રાખી લેવી. જયારે આ વસ્તુનું તાપમાન રૂપના તાપમાન જેટલું થઈ જાય ત્યાં સુધી રાખવી.

રૂમના તાપમાને આવી ગયા પછી તેને મિક્સર લઈને તેમાં આ ત્રણેય સામગ્રીઓના મિશ્રણને તેમાં નાખીને કરકરો ભૂકો થાય તે રીતે પીસી લેવું. આ પાવડરને સાવ બારીક ન પીસવો, માત્ર કરકરો ભૂકો કરવો જેથી સેવન કરતી વખતે મોઢામાં ચોટતો નથી. આ કરકરા ભૂકાને એક બાઉલમાં કાઢી લેવો.

આ રીતે આ પાવડર બનીને તૈયાર થાય છે, આ પાવડરમાં છેલ્લે સંચળ પાવડર ઉમેરવો. સંચળ પાવડર ઉમેરવાથી આ પાવડરનો સ્વાદ ખુબ જ સરસ લાગે છે. વજન ઉતારવામાં પણ આ ત્રણેય સામગ્રીઓની સાથે સંચળ પણ ખુબ જ સારી એવી મદદ કરે છે.

આ રીતે આ ચારેય વસ્તુઓને સરખી રીતે મિક્સ કરી દેવી અને તેને મિક્સરમાં નાખીને સરખી રીતે આ પાવડરને એક વખત મિક્સ કરી દેવો. જેથી કરીને આ વેટલોસ પાવડર સરસ રીતે મિક્સ થઈ જાય છે.

આ પછી આ પાવડરને કોઈ પ્લાસ્ટિક કે કાચના ડબ્બામાં રાખીને આરામથી સંગ્રહ કરી શકાય છે. આ પાવડર ઘણા લાંબા સમય સુધી રાખી શકાય છે. આ પાવડરનું સવારે ઉઠીને સીધું જ સેવન કરી શકાય છે. જેમાં નરણા કોઠે સવારમાં લેવામાં આવે તો વજન ઘટાડવામાં ખુબ જ ફાયદો મળે છે માટે સવારે ઉઠીને કઈપણ ખાધા પીધા વગર આ પાવડરનું સેવન કરવું.

આ પાવડરને સવારે માત્ર અડધી ચમચી જેટલું સેવન કરવું, અને સવારે લઈ શકાય તેમ ન હોય તો રાત્રે સૂતા પહેલા અડધી ચમચી આ પાવડરનું સેવન કરવું. જો વજન ઉતારવામાં ખુબ જ સારું પરિણામ મેળવવું હોય તો આ પાવડર એક ગ્લાસ ગરમ પાણી લેવો. જેથી તેના ખુબ જ સારા પરિણામ જોવા મળશે.

જો તમે ઝડપથી વજન ઉતારવા માંગતા હોય તો બહારનું વધારે વજન વધારતા હોય તેવા ખોરાકનું સેવન કરવામાં કાળજી રાખવી. જેમાં ચરબી વાળા, ચીજ, પનીર, મીઠાઈ, કોલ્ડ્રિંક વગેરેને બંધ કરી દેવું. સાથે તમારે દરરોજ સવારમાં ચાલવું. આ પાવડરની સાથે આ રીતે થોડું ધ્યાન રાખવામાં આવે તો વજન ઉતારવામાં ખુબ જ સારું પરિણામ મળે છે. માટે આ પાવડરનું સેવન ચોક્કસ કરવું. આ વસ્તુમાંથી બનતો પાવડર વજન ઉતારવાની સાથે જઠર સંબંધી કોઈ સમસ્યા હોય તેમાં પણ આ પાવડર ઉપયોગી સાબિત થાય છે.

આમ, આજકાલના સમસ્યામાં વધારે વજનની સમસ્યાથી પરેશાન લોકો માટે આ પાવડર ખુબ જ સારું પરિણામ આપે છે, અને ઝડપથી વજન ઉતારવામાં ઉપયોગી થાય છે. આ બધી જ વસ્તુઓ પાચન ક્રિયાને શ્રેષ્ઠ બનાવવામાં ઉપયોગી છે. જેના લીધે તે પાચનની ક્રિયાને ઠીક કરે છે. જે શરીરમાં જમા થતી ચરબીને યોગ્ય રીતે શરીરમાં ઉપયોગી હોય તેવા ઘટકોમાં રૂપાંતર કરીને વજન ઘટાડવામાં મદદ કરે છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

હિંગ
ઔષધી

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

August 26, 2022
કબજિયાત માટેનો દેશી ઈલાજ
ઘરેલું ઉપચાર

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

August 21, 2022
ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે
ઘરેલું ઉપચાર

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

August 19, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
અષ્ટાંગ આયુર્વેદ દ્વારા ચોમાસાની ઋતુમાં રોગો થી બચવા માટે સ્પેશ્યલ આયુર્વેદ ઉકાળો
ઘરેલું ઉપચાર

અષ્ટાંગ આયુર્વેદ દ્વારા ચોમાસાની ઋતુમાં રોગો થી બચવા માટે સ્પેશ્યલ આયુર્વેદ ઉકાળો

July 24, 2022
મમરા ખાવાના ફાયદા
ઘરેલું ઉપચાર

વજન ઓછું કરવાથી લઇ ને રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરવા માટે ઉપયોગી છે મમરા

June 27, 2022
Next Post
કાળા ચોખાના ફાયદા

સ્વાસ્થ્ય માટે કાળા ચોખા છે શ્રેષ્ઠ, કાળા ચોખા ના ફાયદા જાણીને તમે પણ ચોકી જશો

વીંછીનું ઝેર ઉતારવાની રીત

જાણી લો વીંછીનું ઝેર ઉતારવાની રીત, કોઈક દિવસ ચોક્કસ કામ લાગશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

58 થી વધુ રોગોના ઈલાજ માટે ઉપયોગી છે આ ફળ, જાણો જાયફળને ઉપયોગ કરવાની રીત

58 થી વધુ રોગોના ઈલાજ માટે ઉપયોગી છે આ ફળ, જાણો જાયફળને ઉપયોગ કરવાની રીત

February 25, 2022
લોહી પાતળું કરવાનો પ્રયોગ

હાલના સમયમાં ઘણા બધા લોકોમાં લોહી ઘટ્ટ થઇ જવાથી હાર્ટએટેકનું જોખમ ખુબ વધી રહ્યું છે

February 25, 2022
ગોખરું ઔષધીના ફાયદા

રોજ સાંજે માત્ર 2 દાણા દૂધ સાથે ખાવાથી અનેક બીમારીઓ જીવનભર રહેશે દુર

February 25, 2022

Popular Stories

  • ધાધર નો ઘરેલુ ઉપચાર

    ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • કમળા માટે 10 ઘરેલું રામબાણ ઉપચાર, ગમે તેવો કમળો થઇ જશે સારો

    0 shares
    Share 0 Tweet 0
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

    0 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In