Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

આ ઘરેલું ઉપચાર ગળું અને બેસી ગયેલા અવાજ માટે છે 100% અસરકારક

Deshi Osadiya by Deshi Osadiya
February 25, 2022
0
આ ઘરેલું ઉપચાર ગળું અને બેસી ગયેલા અવાજ માટે છે 100% અસરકારક

આ ઘરેલું ઉપચાર ગળું અને બેસી ગયેલા અવાજ માટે છે 100% અસરકારક

0
SHARES
Share on FacebookShare on Twitter

આપણી સ્વરપેટી ગળામાં હોય છે જેથી આપણે બોલીએ ત્યારે ગળામાંથી અવાજ આવે છે, પરંતુ ક્યારેક કોઈ વસ્તુ ખાઈ જવાથી કે વધારે બોલવાથી સ્વરપેટી ખરાબ થઈ જાય છે અને ત્યારે ગળામાંથી અવાજ આવતો    સ્વરતંત્રીઓના આકાર અને ખેંચાણના લીધે નિયંત્રણમાં રહે છે, જેથી આપણે વધારે અને ધીમું બોલી શકીએ છીએ તેમજ ગાઈ શકીએ છીએ. સ્વરતંત્રમાં પહોંચનારી હવામાં કોઈ પરિવર્તન આપણા અવાજ અને ધ્વનીને અસર કરે છે.

RELATED POSTS

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

ખાસ કરીને શિયાળાની ઋતુમાં મોટાભાગના લોકોને ગળું બેસી જવાની સમસ્યા ખુબ જ થાય છે. જ્યારે ગરમીની ઋતુમાં અચાનક પરિવર્તન આવવાથી ગળા પર અસર થઇ શકે છે. ક્યારેક વ્યક્તિ થાકીને આવે ત્યારે સીધું જ પાણી પી લેવાથી ગળું બેસી જાય છે.

Join Group

ગળું બેસી જવાની સમસ્યાનું કારણ: તાવ, શરદી અને ઉધરસ જેવી બીમારી, વાસી પાણી પીવાથી, વધારે ઠંડુ પાણી પીવાથી, ગરમ ખોરાક ખાઈ જવાથી, મસાલે દાર ખોરાક ખાવાથી, વ્યસન કરવાથી, દારુ પીવાથી, વધારે રાડો પાડવાથી, મુખ અને તાળવાનો સોજો, કાકડા થવાથી, કેન્સર જેવા રોગથી,ચીસોટીઓ વગાડવાથી, પેટમાં ગેસ થવાથી, ગળામાં ઝેરી પદાર્થ જવાથી, ખાટી વસ્તુઓ વધુ ખાવાથી, વધારે ઉધરસ, શરીરની કમજોરી,  જોર જોરથી ગીત અને સતત ગીત ગાવાથી વગેરે કારણોસર ગળું બેસી જાય છે.

ગળું બેસતા જોવા મળતા લક્ષણો: ગળામાંથી ધીમો અવાજ આવે, કફ અને ઉધરસ થાય, ગળામાં દર્દ થાય, શ્વસન તંત્રમાં તકલીફ થાય, સુકી ઉધરસ આવે, ગળામાં ખરોચ પડે,કફમાં લોહી નીકળે, શ્વાસમાં દુર્ગંધ આવે,  ગળામાં સોજો આવે, ખાતી વખતે દર્દ થાય, શ્વાસ લેવામાં તકલીફ પડે, નાકમાંથી પાણી નીકળે છે.

આ ગળું બેસી જવાની સમસ્યાથી પડિત વ્યક્તિઓ માટે અનેક દવાઓ મળે છે, પરંતુ આ સમસ્યામાં તે દવાઓ ફાયદા કરતા નુકશાન વધારે પહોચાડે છે. તે સિવાય તેના વધારે અસરથી ચામડીની બીજી અનેક બીમારીઓ ઉત્પન્ન થાય છે, જેથી આ સમસ્યાના ઈલાજ માટે અમે આયુર્વેદિક ઔષધિઓ વિશે જણાવી રહ્યા છીએ જે ગળાનો બેસી જવાની સમસ્યામાં ખુબ રાહત આપીને આ રોગને દુર કરશે.

મૂળાના બીજ:  મૂળાના બીજને પીસીને તેને ગરમ પાણીમાં નાખીને તેને ગાળી લઈને ગળું બેસી ગયું હોય તે દર્દીને ખવરાવી દેવાથી ગળું સાફ થાય છે અને અવાજ ખુલે છે. મૂળાના 12 બીજને પીસીને ગરમ પાણીમાં સthe પી લેવાથી ગળું સાફ થઇ જાય છે. અવાજ બેસી ગયેલા વ્યક્તિને 5 ગ્રામ મુળાના બીજને ગરમ પાણીમાં વાટીને પીવાથી અવાજ ખુલે છે. અડધી ચમચી મૂળાના વાટીને ગરમ પાણી સાથે પીવાથી ગળું સાફ થઈ જાય છે.

જાંબુ: જાંબુના ઠળિયાનું ચૂર્ણ મધ મધ સાથે ભેળવીને 3 થી 4 વખત સેવન કરવાથી અવાજ ઉઘડે છે. જાંબુના ઠળિયાને વાટીને મધ સાથે ભેળવીને ગોળીઓ બનાવીને રોજ 4-4 સુચવાથી બેસી ગયેલું ગળું ઉઘડે છે. અવાજનું ભારેપણું દુર થાય છે.

લાલ મરચું: થોડુક લાલ મરચુ અને તેમાં બદામ અને ખાંડ નાખીને તેની ગોળીઓ બનાવીએ ખાવાથી બંધ થયેલો અવાજ ખુલે છે. લાલ મરચું ગરમીને લીધે થયેલી ગળામાંથી કફ સાફ થાય છે અને જેથી બંધ થયેલો અવાજ ઉઘડે છે.

દાડમ: પાકેલું દાડમ સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. જજેનાથી બંધ થયેલો અવાજ થોડાક જ દિવસોમાં ઠીક થાય છે. પાકેલું દાડમ ખાવાથી દબાયેલો અવાજ ખળે છે.

હરડે: હરડેનું ચૂર્ણ બનાવીને 6 ગ્રામ ચ્રૂર્ણને ગાયના દુધમાં 7 થી 8 દિવસ સુધી સેવન કરવાથી બંધ થયેલો અવાજ ફરી ઉઘડે છે અને વ્યવસ્થિત બોલી શકાય છે. હરડે કફ, શરદી ઉધરસ હેડકી અને તાવ જેવી બીમારીઓને દુર કરે છે.

બીજોરું: બીજોરાના છાલોના ચૂર્ણને અને તેની તેની રસ ભરેલી કળીઓને એક સાથે છુંદીને તેનું જ્યુસ બનાવીને પીવાથી અવાજ થી થાય છે. અવાજની સમસ્યામાં સ્વરપેટી અને ગળામાં થયેલા નુકશાનને બીજોરાના ગુણને લીધે ઠીક થાય છે. બીજોરું રોગ પ્રતિકારક શક્તિ વધારે છે.

સાકર: સુંઠ અને સાકરના ભુક્કાને બરાબર ભેળવીને વાટીને પછી છાળીને ચૂર્ણ બનાવીને પીવાથી અને  આ ચૂર્ણમાં મધ ભેળવીને નાની નાની ગોળીઓ બનાવીને આ ગોળીઓ સુચવાથી ગળું ઉઘડે છે. 1 ચમચી સાકરનો ભુક્કો, 1 ચમચી ઘી અને 15 દાણા તીખાને ભેળવીને સવારે અને સાંજે ચાટવાથી બેસી ગયેલું ગળું ઉઘડે છે. આ મિશ્રણ ચાટ્યા બાદ થોડા દિવસો સુધી પાણી ન પીવું જોઈએ,જેથી સારો ફાયદો મળે છે.

મુલેઠી: પાનમાં મુલેઠી નાખીને રાત્રે સુતા સમયે ખાઈને સુઈ જવાથી સવારમાં અવાજ ઉઘડી જાય છે. મોઢામાં મુલેઠી રાખીને તેનો રસ સુચવાથી આરામ મળે છે. સુતી વખતે 1 ગ્રામ મુલેઠીનું ચૂર્ણ મોઢામાં રાખીને ચાવવાથી અણ પછી તેને મોઢામાં રાખીને સુઈ જવાથી સવારે જાગતા સમયે ગળું સાફ થયેલું જોવા મળશે. 3 ગ્રામ મુલેઠીના મૂળનું ચૂર્ણ 250 ml દુધમાં દિવસમાં 2 વખત લેવાથી અને તેના મૂળને દિવસમાં વારંવાર સુચતા રહેવાથી અવાજ સાફ થાય છે અને અવાજ ખુલે છે.

આદું: આદુના ટુકડા કરીને તેમાં એક ચણા જેટલું હિંગ ભરીને કપડામાં લપેટીને  શેકીને ત્યારબાદ તેને નાના નાના આકારની ગોળીઓ બનાવીને આ ગોળીનું દિવસમાં 8 વખત સેવન કરવાથી ગળાનો અવાજ ખુલે છે. આદુનો રસ મધમાં ભેળવીને સુચવાથી ગળાનો અવાજ ઉઘડે છે. અડધી ચમચી આદુનો રસ અડધા અડધા કલાકે પીવાથી ખાટી ચીજ ખાવાથી બંધ થયેલું ગળું સાફ થઈને ઉઘડે છે.  આદુના રસમાં ગળામાં થોડીક વાર રાખીને અને પછી થોડીવારે ગળામાં ઘુમાવીને પીવાથી ગળાનો અવાજ ખુલે છે.

લસણ: ગરમ પાણીમાં લસણનો રસ નાખીને કોગળા કરવાથી ગળામાં ફાયદો થાય છે. એક કળી લસણનો રસ અને ફૂલી ગયેલી ફટકડી પાણીમાં નાખીને કોગળા કરવાથી બેસી ગયેલા ગળાના અવાજમાં રાહત મળે છે. ગરમ પાણીમાં લસણને ભેળવીને વારંવાર કોગળા કરવાથી 2 થી ૩ વખતમાં જ ગળાનો અવાજ વ્યવસ્થિત થાય છે. આ ઉપાય સતત 10 મીનીટ સુધી કરવો જોઈએ.

તીખા: તીખા અને સાકરનો ભુક્કો એક સાથે ચાવીને ખાવાથી અને બંનેને મેળવીને ચૂર્ણ બનાવીને એક ચપટી ચૂર્ણ દરરોજ 3 થી 4 વખત મોઢામાં રાખીને ચૂસવાથી ગળું જલ્દીથી ઠીક થઇ જાય છે. ગળું બેસી જવાથી તીખા અને ઘી પાણીમાં ભેળવીને પાનીમે ન્નાખીને ભોજન કરતી વખતે લેવાથી ગળામાં અવાજ ખુલે છે. તીખા 10 ગ્રામ અને 10 ગ્રામ મુલેઠી તથા 20 ગ્રામ સાકરનો ભુક્કો આ ત્રણેય મિશ્રણને સાથે ખાંડીને એક ચપટી લઈને તેમાં મધ ભેળવીને ખાવાથી અવાજ ખુલે છે અને અવાજ સુરીલો બને છે.

મધ: મધને સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદેમંદ માનવામાં આવે છે અને તેમાં અનેક ઔષધીય ગુણ છે. ઔષધીય ગુણના કારણે મધને આયુર્વેદમાં પણ મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે. તેને અન્ય સામગ્રી સાથે ભેળવીને ખાવાથી ગળાનો અવાજ ખુલે છે અને ગળું સાફ થાય છે. મધ ગળાના કોઇપણ રોગ સામે રાહત આપે છે. દરરોજ નવશેકા પાણીમાં એક મોટી ચમચી મધ નાખીને પીવાથી ગળું તેમજ કફ તેમજ શ્વસન તંત્ર સંબંધી કોઇપણ બીમારી દુર થાય છે.

હળદર: હળદરના કટકા કરીને તવા પર શેકીને તેમાં મધ ભેળવીને ખાવાથી ગળું ઉઘડે છે. ગળું બેસી જાય ત્યારે 10 ગ્રામ હળદર, તીખા ૩ ગ્રામ, સુંઠ 5 ગ્રામ, આ બધાને મિક્ષ કરીને ચૂર્ણ બનાવી લીધા બાદ આ ચૂર્ણનું 2 – 2 ગ્રામ દિવસમાં ત્રણ વખત ગરમ પાણી સાથે સેવન કરવાથી અવાજ ખુલે છે. હળદરના બારીક ટુકડાને પાણીમાં ઉકાળીને ગાળ્યા બાદ બાદ તેના કોગળા કરવાથી ગળાની અવાજ બંધ થવાની સમસ્યા દુર થાય છે.

ફુદીનો: ફુદીનાનો રસ આપણા શરીરમાંથી અનેક જીવાણુંનો નાશ કરે છે અને રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. ફુદીનો સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. દરરોજ ફૂદીનાનો રસ ગળામાં દુખાવો અને સોજો મટાડે છે. દરરોજ ફુદીનાના પાંદડા લઈને તેને પાણીમાં ગરમ કરીને કોગળા કરવાથી ગળામાંથી અવાજ ખુલે છે. ફુદીનો શ્વાસને લેવામાં આવતી તકલીફો દુર કરે છે. ફુદીનાના તેલના સ્પ્રેનો ઉપયોગ કરવાથી ગળામાંથી અવાજ બેસી જવાની સમસ્યા દુર થાય છે.

આમ, ગળાની બેસી જવાની સમસ્યામાં આ તમામ જડીબુટ્ટીઓનો ઉપયોગ કરવાથી ગળું ઉઘડે છે, શ્વાસ લેવામાં પડતી તકલીફો દુર થાય છે અને શ્વસન તંત્ર યોગ્ય રીતે કાર્ય કરે છે. આ ઔષધીઓમાંથી તમને જે ઔષધિઓ અનુકુળ આવે અને મળી રહે તેનો ઉપયોગ કરીને ગળામાંથીઅવાજ બેસી જવાની સમસ્યા માંથી છુટકારો મેળવી શકો છો. આ માહિતી વારંવાર ગળું બેસી જાય, ગળામાંથી અવાજ નીકળતો ના હોય ત્યારે આ ઉપાય કરવાથી જરૂરથી અવાજ ઉઘડે છે.

આ આયુર્વેદિક ઉપચાર અને માહિતી સારી લાગી હોય તો નીચે આપેલા બ્લુ કલરના લાઈક બટન પર ક્લિક કરો જેથી તમને માહિતી ઝડપથી મળતી રહે. 

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

હિંગ
ઔષધી

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

August 26, 2022
કબજિયાત માટેનો દેશી ઈલાજ
ઘરેલું ઉપચાર

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

August 21, 2022
ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય
આરોગ્ય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

August 20, 2022
ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે
ઘરેલું ઉપચાર

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

August 19, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત
આરોગ્ય

લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત

July 27, 2022
Next Post
શરદી નો રામબાણ ઈલાજ

માત્ર 2 જ દિવસમાં જૂની શરદી અને છાતીમાં જામી ગયેલા કફ ને કાઢવાનો 100% અસરકારક ઉપચાર

કુદરતી રીતે લીવરને સાફ કરવાનો ઈલાજ

અઠવાડિયામાં માત્ર એકવાર આ જ્યુસનું સેવન કરવાથી કુદરતી રીતે લીવરની ગંદકી સાફ કરે છે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

માત્ર ચાર દાણા દૂધ માં ઉકાળીને પીવો આખી જિંદગી નહીં થાય કોઈ રોગ

માત્ર ચાર દાણા દૂધ માં ઉકાળીને પીવો આખી જિંદગી નહીં થાય કોઈ રોગ

February 25, 2022
ભીંડાના ફાયદા

ડાયબિટીઝના દર્દી માટે ભીંડાના ફાયદા જાણી ને તમે ચોકી જશો

March 22, 2022
હિમેજના ફાયદાઓ

આ ઓસડીયુ કબજીયાત, ગેસ, એસીડીટી વગેરેને કાયમ માટે મટાડે છે

March 22, 2022

Popular Stories

  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
  • ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

    0 shares
    Share 0 Tweet 0
  • વગર દવાએ પેશાબમાં થતી તીવ્ર બળતરા અને ઉનવા માટે 100% અસરકારક ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In