Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home આરોગ્ય

સોરાયસીસની બિમારીમાથી મુક્તિ મેળવવા માટેનો આયુર્વેદીક ઉપચાર

Deshi Osadiya by Deshi Osadiya
March 22, 2022
0
સોરાયસીસનો આયુર્વેદીક ઉપચાર

સોરાયસીસનો આયુર્વેદીક ઉપચાર

0
SHARES
Share on FacebookShare on Twitter

ચામડીનો રંગ જેનાથી બગડે છે તેને કોઢનો રોગ કહે છે.  આયુર્વેદમાં ચામડીના અઢાર પ્રકારના કોઢના રોગ દર્શાવવામાં આવ્યા છે. જેવા કે મહાકુષ્ઠ, લઘુકુષ્ઠ, ક્ષુદ્ર રોગ વગેરે. આ બધા જ રોગોમાં સૌથી પીડાદાયક આ સોરાયસીસ નામનો રોગ છે. આયુર્વેદમાં આ રોગનો મંડળ કુષ્ઠ તરીકે ઉલ્લેખ જોવા મળે છે. આ રોગ પ્રથમ અવસ્થામાં હોય તો કિટીભ, જેનાથી બીજી સ્થિતિમાં લઘુ કુષ્ઠ અને ના મટી શકે તેવી સ્થિતિમાં મંડલ કુષ્ઠ તરીકે આ સોરાયસીસ છે.

RELATED POSTS

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

સોરાયસીસ ચામડી સાથે જોડાયેલી એક ઓટો ઈમ્યુન રોગ છે. જેમાં ચામડી પર કોશિકાઓ તેજીથી જમા થવા લાગે છે. આ બીમારી વધી જતા લાલ નિશાનો જોવા મળે છે અને જેમાંથી લોહી નીકળે છે. ક્યારેક ક્યારેક તેમાં સોજા પણ થાય છે. તે એક માનસિક વિકાર પણ છે.

Join Group

આ એક પ્રકારે પિત્તનો રોગ છે. જે રોગના બગડેલા તત્વોમાં જોવા મળે છે. તે ચામડીના નીચેના સ્તરમાં કફ અને વાયુની મદદથી માંસ અને ધાતુમાં ફેલાય જાય છે અને વાયુ કફને સુકવીને તેને પોપડી સ્વરૂપે ચામડી પર લાવે છે. આ સોરાયસીસ રોગ જેટલો શરીરમાં છે એટલો જ માનસિક પણ છે તેથી તેને મટાડવાની યોગ્ય સમજણ આવે તો સાવ સહેલો થઈ જાય છે.

આ રોગમાં પિત્ત ઓછો હોય છે પરંતુ કફનો મધ્યમ અને વાયુનો મોટો પ્રભાવ હોય છે. સામાન્ય રીતે આપણા શરીરની ચામડી 30 થી 40 દિવસમાં બદલાતી રહે છે. પરંતુ જયારે સોરાયસીસ થાય છે ત્યારે આ ક્રિયા બે થી ત્રણ દિવસમાં થાય છે. આ રોગમાં ધાતુ (વાયુ, પિત્ત, કફ) દુષિત થવાના કારણે કષ્ટ સાધ્ય માનવામાં આવે છે.

જ્યાં પણ હવા સુકી હોય, વાતાવરણ વધારે ઠંડું રહેતું હોય, વાતાવરણ વધારે પ્રદુષિત હોય ત્યાં આ વધારે પ્રમાણમાં સોરાયસીસ જોવા મળે છે. ખોરાકમાં દૂધ, પનીર, ચીઝ, માખણ અને જાનવરોનું માંસ વધુ ઉપયોગમાં લેવામાં આવે, ફ્રીઝમાં મુકેલા ઠંડા પીણા, ઠંડું પાણી, ફ્રીજમાં સંગ્રહ કરીને રાખેલી ચીજવસ્તુઓનું સેવન વધુ કરવામાં આવે કે જેનાથી કફ અને વાયુનો પ્રકોપ વધે છે, જેનાથી સોરાયસીસ નામનો આ રોગ થાય છે.  ઉપવાસ, ઉજાગરા, અશાંતિ-ટેન્શન વગેરેથી વાયુની વૃદ્ધિ થાય છે. એટલે આ રોગથી બચવું જરૂરી છે.

ચણાની ચીજો, અથાણા, પાપડ તથા દ્રાક્ષ આહાર દ્રવ્યોથી વાયુની અને માવાની મીઠાઈઓ, ઠંડાપીણાં, આઈસ્ક્રીમ, કેળા જેવા આહાર દ્રવ્યોથી કફની વૃદ્ધિ થાય છે. માટે ખાવામાં આવા દ્રવ્યોનો ઉપયોગ કરવો નહિ.

કોઈપણ ચામડીનો રોગ મટે નહી એટલે તે સોરાયસિસમાં પરીણમે છે. મીઠું અને ગળ્યું, ખાટું વધુ ખાવાની ટેવ, જંકફૂડ, દહી, ડુંગળીને રાત્રે ખાવાની ટેવ, દૂધની સાથે દહીં, ખટાશ કે ફળ ખાવાથી સામાન્ય રીતે આ ચામડીનો રોગ થાય છે. ઘણી વખત માસિક ચિંતા, વિચારોને કારણે પણ લોહી બગડે છે.

આ સિવાય સોરાયસીસ રોગ પ્રતિકારક શક્તિ ઓછી થવાથી, આનુવાંશિક રૂપથી, ઇન્ફેકશનથી, કોઈ ઘાવ, મધમાખીનું કરડવું, તણાવ, ધુમ્રપાન અને વધારે શરાબનું સેવન કરવાથી, શરીરમાં વિટામીન ડીની ઉણપ થવાથી કે બ્લડપ્રેસર સંબંધિત કોઈ દવાનું સેવન કરવાથી પણ આ રોગ થઇ શકે છે.

સોરાયસીસ રોગનો પ્રારંભ પગ, ઘૂંટીઓ, આંગળા, માથું, ગરદન, પીઠ અને પેટ પર થાય છે. શરૂઆતમાં ચાંદા લાલ હોય છે અને તે ધીમે ધીમે સુકાયા બાદ અબરખ જેવી ફોતરીમા ફેરવાય છે. સુકાવું અને ફોતરીઓ ઉખડવી તથા તેની રુક્ષતા અને ખંજવાળ આ બધા લક્ષણો વાયુ અને  કફનો વધારો સુચવે છે. આ રોગ તીવ્ર રૂપે ઉભરાય છે ત્યારે તિવ્ર કષ્ટ આપે છે.

ચામડીના મોટા ભાગના રોગો લોહીના વિકારને કારણે થતા હોય છે, સોરાયસીસ પણ રક્તમાં આવેલા કફ વિકૃત થવાના કારણે થાય છે. જેનાથી આ રોગથી બચવા માટે કફમાં વધારો કરે તેવો ખોરાક ખાવો ન જોઈએ.

શરીરની સાત ધાતુઓમાં રોગ જેટલી વધુ ધાતુ બગાડે તેટલો તેને મટાડવો મુશ્કેલ બને છે. સામાન્ય ખંજવાળ હોય તો રસ ધાતુ બગડે છે. ચામડીના રંગ બદલાય અને લાલાશ આવે એટલે રક્તધાતુ બગડે છે, ચામડી ઉપસી જાય, સોજો આવે, ભીંગડા વળે એટલે માંસ ધાતુ બગડે છે, ચામડી ઉખાડે છે, સફેદ ફોતરી ઉખડે, લોહી કે પરુનો સ્ત્રાવ પણ થાય. ક્યારેક ગોળ-ગોળ ચકામાં દેખાય અને ચકામાં એકબીજા સાથે ભળી જાય એટલે મેદ ધાતુ બગડે છે. આ ધાતુઓનો બગાડથી શરીરની સાથે મન ઉપર તેની એટલી જ અસર થાય છે.

કુંવાડિયાનો છોડ લીલો મળે તો તેનો રસ કાઢવો. આ રસથી ચામડી પર પડેલા ચકામા પર માલશિ કરવી. લીલા છોડનો રસ વધારે અસરકારક છે. લીલો છોડ ન મળે તો કુંવાડિયાના બીજનો પાઉડર બનાવી એલોવેરા જયૂસ કે જેલી સાથે મેળવી પેસ્ટ બનાવી સોરાયસીસના ચકામા પર લગાડી શકાય.

આયુર્વેદિક રીતે દવા બનાવીને સોરાયસીસને મટાડી શકાય છે. આ આયુર્વેદિક દવા બનાવવા માટે 2 હળદર અને અડધી ગુલાબજળનો લેપ બનાવવો. આ પછી તેમાં થોડી તેમાં ફટકડીનો પાવડર કરીને અડધી ચમચી આ પાવડર નાખવો. આ આ બધા જ મિશ્રણને યોગ્ય રીતે મિક્સ કરી દેવું. આ મિશ્રણ મિક્સ થઈ ગયા બાદ એલોવીરા એટલે કે કુવારપાઠું લાવીને તેના પાંદડાની અંદર રહેલો ગર્ભ કાઢી લેવો. આ ગર્ભને આ બનાવેલા મિશ્રણમાં એક ચમચી જેટલો નાખવો. આ બધું હલાવીને મિક્સ કરીને તેને સોરાયસીસના રોગ પર લગાવવું. આ રીતે લગાવવાથી સોરાયસીસની સમસ્યા ઠીક થઈ જશે.

આ સીવાય બાવચીના બીજ આ પ્રકારના રોગમાં ઉપયોગી છે, આ બીજને દુધમાં વાટી લેવા. જેમાંથી 3 ચમચી જેટલો  આ વાટેલો પેસ્ટ લેવો. આ પછી લીમડાના તાજા પાંદડા લેવા. આ તાજા પાંદડાને પીસીને તેનો 2 ચમચી જેટલો પેસ્ટ બનાવી લેવો અને સફેદ માખણ ભેળવીને બરાબર મિક્સ કરી લેવું. આ પછી તેમાં પીપળાનની છાલ લાવીને તેને ખાંડીને તેનો પેસ્ટ બનાવી લેવો આ પેસ્ટમાંથી 1 ચમચી જેટલો પેસ્ટ મિશ્રણમાં ભેળવી દેવો. આ પેસ્ટમાં અડધી ચમચી જેટલું નારિયેળનું તેલ નાખવું. આ તેલ નાખીને તેલ એકરસ થઈ જાય પછી આ પેસ્ટ સોરાયસીસના પ્રભાવિત સ્થાન પર દિવસમાં 2-3 વખત લગાવવું. આ રીતે પ્રયોગ કરવાથી ચામડીના આ સોરાયસીસ રોગની સમસ્યા ઠીક થઈ જાય છે.

આમ, આ ઉપરોક્ત બંને ઉપચારો કરવાથી સોરાયસિસની ચામડીની સમસ્યા ઠીક થઈ જશે. સાથે માનસિક રીતે પણ સ્વસ્થ રહેવું. આ ઈલાજ કુદરતી રીતે જડીબુટ્ટીઓ પર આધારિત છે. આ પેસ્ટને જડીબુટ્ટીઓ ઉપર આધારિત હોવાથી તે વધારાની કોઈ આડઅસર કરતું નથી. અમે આશા રાખીએ કે આ માહિતી સોરાયસીસના ઈલાજ માટે ખુબ જ ઉપયોગી થાય.

નોંધ: મિત્રો આ બધી માહિતી આયુર્વેદિક પુસ્તકો અને આયુર્વેદિક ડોકરો ની સલાહ અને જાણકારી મુજબ લખેલા છે. દરેક વ્યક્તિની પ્રકૃતિ અલગ અલગ હોય છે એટલે ડોક્ટરની સલાહ પ્રમાણે પ્રયોગ કરવો

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

હિંગ
ઔષધી

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

August 26, 2022
ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય
આરોગ્ય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

August 20, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત
આરોગ્ય

લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત

July 27, 2022
અષ્ટાંગ આયુર્વેદ દ્વારા ચોમાસાની ઋતુમાં રોગો થી બચવા માટે સ્પેશ્યલ આયુર્વેદ ઉકાળો
ઘરેલું ઉપચાર

અષ્ટાંગ આયુર્વેદ દ્વારા ચોમાસાની ઋતુમાં રોગો થી બચવા માટે સ્પેશ્યલ આયુર્વેદ ઉકાળો

July 24, 2022
ચોમાસાની ઋતુમાં આ 6 વસ્તુઓનું ભૂલથી પણ સેવન કરવું નહિ
આરોગ્ય

ચોમાસાની ઋતુમાં આ 6 વસ્તુઓનું ભૂલથી પણ સેવન કરવું નહિ

July 6, 2022
Next Post
ઉધરસ કફવાળી હોય કે સૂકી આ છે અકસીર દેશી ઉપચાર

ઉધરસ કફવાળી હોય કે સૂકી આ છે અકસીર દેશી ઉપચાર

શરીરમાં દુઃખાવા નો ઈલાજ

શરીરના કોઈપણ ભાગમાં થતા દુઃખાવા માટે આ ચૂર્ણ જાતેજ ઘરે બનાવો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ન્યુમોનિયા ની આયુર્વેદિક સારવાર

ન્યુમોનિયા અને ફેફસામાં કફના સંક્રમણ માટે 100% અસરકારક આયુર્વેદિક ઉપચાર

February 25, 2022
એસીડીટી, ગેસ, પેટમાં અને છાતીમાં બળતરા માટે સૌથી અસરકાર ઘરેલુ ઉપાય

એસીડીટી, ગેસ, પેટમાં અને છાતીમાં બળતરા માટે સૌથી અસરકાર ઘરેલુ ઉપાય

February 25, 2022
શરીરમાં દુઃખાવા નો ઈલાજ

શરીરના કોઈપણ ભાગમાં થતા દુઃખાવા માટે આ ચૂર્ણ જાતેજ ઘરે બનાવો

March 22, 2022

Popular Stories

  • ધાધર નો ઘરેલુ ઉપચાર

    ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • કમળા માટે 10 ઘરેલું રામબાણ ઉપચાર, ગમે તેવો કમળો થઇ જશે સારો

    0 shares
    Share 0 Tweet 0
  • દરેક રોગોનો રામબાણ ઈલાજ છે આ રસાયણ ચૂર્ણ, જાણો ઘરે રસાયણ ચૂર્ણ બનાવાની રીત

    0 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In