Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

સૌથી અસરકારક શીળસ નો ઘરગથ્થુ ઉપચાર અપનાવો 100% અસરકારક

Deshi Osadiya by Deshi Osadiya
March 22, 2022
0
શીળસ નો ઘરગથ્થુ ઉપચાર

શીળસ નો ઘરગથ્થુ ઉપચાર

0
SHARES
Share on FacebookShare on Twitter

અહી તમને શીળસ નો ઘરગથ્થુ ઉપચાર તેમજ ચામડીના રોગો નો આયુર્વેદિક ઉપચાર આપવામાં આવ્યો છે. શીળસએ એક પ્રકારનો શરીર પર નીકળતો રોગ છે, જેને આયુર્વેદમાં શીતપિત તરીકે ઓળખવામાં આવે છે. શીળસ ને અંગ્રેજીમાં URTICARIA કહેવામાં આવે છે. આ રોગ પિત્તનાં કારણે થાય છે. આ રોગમાં શરીર પર ચકતા નીકળે છે. ઘણી વખત સડો થઈ ગયો હોય કે ઘણી વખત શરીર પર ચકતા ઉભરી આવે છે. ઘણા લોકોને ક્રોનિક બીમારી રહેતી હોય છે, જેના લીધે તેઓને આજીવન દવાનું સેવન કરતા રહેવું પડે છે.

RELATED POSTS

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

આ શીળસ થવાનું મુખ્ય કારણ છે હિસ્ટામીન નામનું ટોક્સીન, જયારે આ ઝેર ચામડીમાં પ્રવેશ કરી લે છે ત્યારે આ રોગ આપણા શરીરને અસર કરે છે. શીળસ એક ચામડીનો રોગ છે. શરીરની ચામડી પર જલન અને જલન વગર પણ લાલ ઊભરાયેલા, ખંજવાળ વાળા ચકતા નીકળે છે. દવાઓની આડઅસર, એલર્જી, જીવ જીવાણુંઓના ડંખ, ખાવાની ચીજોમાં રસાયણ હોવું, સૂરજનો તેજ તડકો લાગવો, સંક્રમિત પાણી, ખુબ ઠંડી હવા લાગવી વગેરે શીળસના મુખ્ય કારણો છે.

Join Group

હળદર પ્રાકૃતિક એન્ટીબાયોટીક છે, એટલા માટે તે શીળસમાં પણ ખુબ જ લાભદાયક છે. આ શીળસના ઈલાજ માટે અડધી ચમચી હળદરનો પાવડર લેવો, જેમાં અડધી ચમચી મધ સરખી રીતે ભેળવી દેવું. આ મિશ્રણનું દરરોજ એક વખત સેવન કરવું. આ ઉપાય કરવાથી શીળસ ખુબ જ જલ્દી ઠીક થઇ જાય છે.

કુવાર પાઠાનો ગર્ભ એટલે જે એલોવીરા જૈલ ચામડીના દરેક પ્રકારના રોગો માટે ખુબ જ સારી ઔષધી છે. આ માટે કુવાર પાઠાનો ગર્ભ કાઢી લેવો. કુવાર પાઠાના આ ગર્ભને શીળસથી પ્રભાવિત પૂરા ભાગ પર લગાવવો જોઈએ. જેને 30 મિનીટ સુધી લગાવી રાખવો અને સુકાઈ જાય ત્યારે ફરી વખત લગાવવો. આવું દિવસમાં ઘણી વખત કરવાથી શીળસનો રોગ બિલકુલ ઠીક થઈ જાય છે.

આ સિવાય શીળસના ઈલાજ માટે એક કપ પાણી લેવું. તેમાં ફુદીનાના 10 પાંદડા નાખવા. જેમાં 1 ચમચી ખાંડ ભેળવીને તેને ઉકાળી લેવા. આ પછી તેને ગાળીને ઠંડું કરી લેવું. ફુદીનાના આ પાણીને દરરોજ દિવસમાં 1 વખત પીવાથી શીળસનો રોગ જલ્દી મટી જાય છે.

ભોજનમાં કાળા મરીનું સેવન કરવું જોઈએ. ચમચીના ચોથા ભાગનું દરરોજ ખાલી પેટ કે ઘીમાં ભેળવીને કાળા મરીને લઈ શકાય છે. મિશ્રી સાથે ભેળવીને પણ કાળા મરી ખાઈ શકાય છે. દરરોજ શરીરમાં નારીયેળના તેલમાં કપૂર ભેળવીને માલીશ કરવું જોઈએ. આ માટે કપૂરનો પાવડર બનાવી લેવો. ચમચીના ચોથા ભાગના પાવડરને મોટા ચમચા જેટલા તેલમાં ભેળવીને પૂરા શરીર પર માલીશ કરવી જોઈએ.

દરરોજ સવારે અને સાંજે માલીશ કરવી. જો તમે દરરોજ આમ કરશો તો શીળસ નીકળતા હય તો બળતરા અને ખંજવાળ નહિ આવે. જેના લીધે જે ચકતાં બને છે તે ચકતા નહિ બને. આ માટે આ રીતે દરરોજ શરીર પર માલીશ કરવી.

આયુર્વેદમાં શીળસના ઉપચાર માટે ગળો એક ખુબ જ ઉપયોગી ઔષધિ આપવામાં આવી છે. જેને આપણે ખુબ જ સારી રીતે જાણીએ છીએ. આ માટે ગળોનો પાવડર કરીને દરરોજ એક ચમચી પાવડર પાણી સાથે ખાલી પેટ લેવો જોઈએ.

આ સિવાય શીળસ ગરમી અને ઠંડીના કારણે પણ શીળસ થઈ શકે છે, જો તમે ગરમીના દિવસોમાં ક્યાય બહારથી આવી રહ્યા હોય અને તમારું શરીર ખુબ જ ગરમ થઈ ચુક્યું હોય, જ્યાંથી તમને પરસેવો આવી રહ્યો હોય, આ સમયે કોલ્ડ્રીંક, ઠંડા પાણી કે આઈસ્ક્રીમ ખાવાથી તમને આ રોગ થઇ શકે છે.

અસ્વસ્થ ખોરાકથી પણ શીળસ થાય છે. બજારમાં મળતા તળેલા કે શેકેલા અને વધારે મસાલા વાળા ખાટા રસોથી બનાવવામાં આવેલા ભોજન કે જેને ફાસ્ટફૂડ તરીકે ઓળખવામાં આવે છે, અને ચાયનીઝ ભોજન તરીકે ખાવામાં આવે છે. આ બધો જ ખોરાક શરીર માટે હાનીકારક હોય છે અને જાતજાતના રોગોને ઉત્પન્ન કરે છે. જેના લીધે શીળસ પણ નીકળે છે.

જ્યારે શરીરમાં પિત્ત મંદ પડી જાય છે ત્યારે તમને આ બીમારી થઈ શકે છે, પિત્ત આપણા શરીરની અગ્નિ છે. પિત્ત શરીરમાં પાચન કરવાનું કાર્ય કરે છે. જયારે આપણે ભોજન કરીએ છીએ ત્યારે જે પાચન થતું નથી અને અગ્નિઓ મંદ પડી જાય છે, ત્યારે તે ટોક્સીન બને છે.

તમને કોઈ પદાર્થની એલેર્જી હોય, ઘણા લોકોને કાજુ અને બદામની એલેર્જી હોય, ઘણા લોકોને શીંગદાણાની એલેર્જી હોય, ઘણા લોકોને દરિયાઈ ખોરાકથી એલેરજી જેવા કે જિંગા અને માછલીથી એલેર્જી હોય, ઘણા લોકોને ગ્લુટોનની એલેરજી હોય, ઘણા લોકોને દુધની એલેરજી હોય, આ પ્રકારની તમને એલેર્જી હોય અને આ વસ્તુ ખાઈ લીધી હોય તો શીળસ થઈ શકે છે.

ઘણા લોકોને સ્ટ્રેસ વધી ગયો હોય, વધારે પ્રમાણમાં કામ કરી લીધું હોય, તો એટ્રીનાલીન નામની એક ગ્રંથી હોય છે, તે તરત ઉતિજીક થઈ જાય છે. જેના લીધે શીળસના લક્ષણો દેખાય છે. આ શીળસના કારણો ઘણા હોય શકે છે. ઘણા લોકોને થોડા સમય માટે આ રોગ થાય છે અને પોતાની મેળે જ ઠીક થઈ જાય છે.

ઘણા લોકો ન્હાઈને નીકળે ત્યારે તરત તેના શરીર પર આવા ચકતાં પડેલા જોવા મળે છે. ઘણા લોકોને તો આ સમસ્યા કાયમ રહેતી હોય છે. આ રોગમાં ખંજવાળ ખુબ નીકળે છે. આ સમસ્યાને આપણે  જડમૂળમાંથી દૂર કરી શકીએ છીએ.

આ રોગને અટકાવવા માટે આપણને ખબર હોય કે આ ખોરાકથી શીળસ નીકળે છે તો તેનાથી દૂર રહેવું જોઈએ. તેનું સેવન ન કરવું જોઈએ. ભારે ખોરક ખાવો ન જોઈએ. દૂધ અને દૂધથી બનેલી ચીજો ન ખાવી જોઈએ. મીટ ખાતા હોય તો મીટ બંધ કરી દેવું જોઈએ. હલકું ભોજન કરવું જોઈએ. પાણી વધારે પ્રમાણમાં પીવું જોઈએ. ઉષ્ણ જળનું સેવન કરવું જોઈએ.

આમ, આ રીતે ઉપચાર કરી લેવાથી શીળસ મટી જાય છે. આ ઉપાય કરતા સાથે થોડી કાળજી રાખી લેવી. આ કાળજી રાખવાને લીધે શીળસ મટાડવામાં ખુબ જ સરળતા રહે છે. આ ઉપચાર શીળસને ખુબ જ જલ્દી મટાડી શકે છે. અમે આશા રાખી કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

આ આયુર્વેદિક ઉપચાર અને માહિતી સારી લાગી હોય તો નીચે આપેલા બ્લુ કલરના લાઈક બટન પર ક્લિક કરો જેથી તમને માહિતી ઝડપથી મળતી રહે. 

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

હિંગ
ઔષધી

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

August 26, 2022
કબજિયાત માટેનો દેશી ઈલાજ
ઘરેલું ઉપચાર

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

August 21, 2022
ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય
આરોગ્ય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

August 20, 2022
ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે
ઘરેલું ઉપચાર

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

August 19, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત
આરોગ્ય

લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત

July 27, 2022
Next Post
મીઠા લીમડાના પાન

સવારે નરણાં કોઠે ૧૦ થી ૧૫ પાન ભૂખ્યા પેટે ચાવી જાવ જુવો અદભુત ફાયદા

વાસી મોઢે પાણી પીવા

સવારે વાસી મોઢે પાણી પીતા હોય તો 3 બાબતો નું ધ્યાન રાખવું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

મધ અને ઘી સાથે ખાવાના ફાયદા જાણી ને તમે ચોકી જશો

મધ અને ઘી સાથે ખાવાના ફાયદા જાણી ને તમે ચોકી જશો

March 22, 2022
ગળાના ઇન્ફેકશન, શરદી, તાવ, કફ થી બચવા નો ઘરેલું ઉપચાર

ગળાના ઇન્ફેકશન, શરદી, તાવ, કફ થી બચવા 100% અસરકારક ઘરગથ્થું ઉપચાર

February 25, 2022
કુવાડીયાનો ઉપયોગ કઈ રીતે કરી શકાય

ચામડીના રોગો માટે અમૃત સમાન છે ઔષધી, જાણો કુવાડીયાનો ઉપયોગ કઈ રીતે કરી શકાય

February 25, 2022

Popular Stories

  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
  • ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

    0 shares
    Share 0 Tweet 0
  • વગર દવાએ પેશાબમાં થતી તીવ્ર બળતરા અને ઉનવા માટે 100% અસરકારક ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In