Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home આયુર્વેદ

30 થી વધુ રોગો માટે આ એક ઔષધી છે રામબાણ ઈલાજ, તાવ, એસીડીટી, નપુંસકતા, ડાયાબિટિસ, હૃદયરોગ, આંખના રોગ, કમજોરી જેવા

Deshi Osadiya by Deshi Osadiya
February 25, 2022
0
શતાવરી ના ફાયદા અને શતાવરીનો ઉપયોગ

શતાવરી ના ફાયદા અને શતાવરીનો ઉપયોગ

0
SHARES
Share on FacebookShare on Twitter

શતાવરી એક ઔષધ તરીકે ખુબ જ ઉપયોગી ઔષધી છે, જેને આંગણામાં વાવી શકાય છે. શતાવરીને અંગ્રેજીમાં wild Asparagus કહે છે જયારે તેનું વિજ્ઞાનિક વાનસ્પતિક નામ Asparagus racemosus છે. જે ભારત અને શ્રીલંકા સાથેસાથ હિમાલયમાં ખાસ જોવા મળે છે. મુખ્યત્વે આ છોડ વેલ સ્વરૂપે હોય છે. જેના ભારતના અલગ અલગ પ્રદેશ અને ભાષાઓમાં સતાવર, સતાવરી, સતમૂલ, સતમૂલી કે સરનોઈ વગેરે નામોથી ઓળખવામાં આવેં છે. જ્યારે ગુજરાતીમાં એકલકાંતા તરીકે પણ ઓળખવામાં આવે છે.

RELATED POSTS

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

શતાવરીના છોડ ભારતમાં બધે જ જોવા મળે છે. તેના છોડ 3 થી 4 ફૂટ ઊંચા, પાન શરુ જેવા બારીક અને ડાળીના મૂળ પાસેથી છેડા સુધી બંને બાજુએ સરખા હોય છે. શતાવરીના નાના સફેદ સુગંધી ફૂલોના ઝૂમખાં આવે છે. છોડને કાંટા હોય છે. ડાળીની એક બાજુએ કાંટો હોવાથી એને એકલકંટી પણ કહે છે. તેને ચણીબોર જેવા ફળો આવે છે. પાકયા પછી તે લાલ રંગના થઇ જાય છેં. શતાવરીના મૂળ સુતરના તાંતણા એકઠા કરીને બાંધી રાખ્યા હોય એવા ઝૂમખાં રૂપે હોય છે. તેના મૂળને ફિક્કાશ પદ્દતિ લાલ પીળા રંગની છાલ હોય છે. એ છાલ કાઢતા અંદર ધોળા રંગનો ગાભો અને વચ્ચે દોરા જેવું દેખાય છે. શતાવરીના મૂળ લીલા હોય ત્યારે સૂકવવામાં આવે છે, આ મૂળને જ શતાવરી કહેવામાં આવે છે.

Join Group

શતાવરી બે જાતિની થાય છે, એક મહા શતાવરી અને બીજી નાની શતાવરી. જેમાં મહાશતાવરી ભીલાડથી મુંબઈના દરિયા કિનારે વધુ થાય છે. જેના મૂળ જાડા, રસદાર અને આઠથી દસ ફૂટ લાંબા થાય છે. દવા તરીકે તેના મૂળનો મુખ્યત્વે ઉપયોગ થાય છે. આ છોડ ખુબ જ ઔષધીય ઉપયોગો ધરાવે છે. જેના વિશે અમે અહિયાં જણાવીએ છીએ.

શતાવરી શીત, મધુર, વૃષ્ય, કડવી, રસાયણ, સ્વાદુ, ગુરુ, સ્નિગ્ધ, દુગ્ધપ્રદ, બ્લ્ય, મેધ્ય, અગ્નીદીપક, પૌષ્ટિક અને ચક્ષુષ્ય છે. એ પિત્ત, કફ,વાયુ, ક્ષય, રક્તદોષ, સોજા, ગુલ્મ અને અતીસારનો નાશ કરે છે.

તાવ: શતાવરીનો રસ ગાયના દુધમાં જીરાના ચૂર્ણ નાખીને પીવાથી તાવ મટે છે. શતાવરી અને ગળો સરખે સરખા ભાગમાં 10 મિલી રસમાં થોડોક ગોળ ભેળવીને પીવાથી તાવ મટે છે. 20 થી 40 મિલી ઉકાળામાં 2 ચમચી મધ ભેળવીને પીવાથી તાવ મટી જાય છે. શતાવરી અને જીરાનું ચૂર્ણ 50 ગ્રામ પાણીમાં ભેળવીને પીવાથી ટાઢિયો તાવ મટે છે.

તાવ

 

શૂળ: શતાવરીના ઉકાળાને બનાવીને ઠંડો પડવા દઈને તેમાં દૂધ અને 10 ગ્રામ મધ ભેળવીને પીવાથી પિત્ત, દાહ અને શૂળ મટે છે. શતાવરીના રસમાં મધ ભેળવીને પીવાથી પડખા, હ્રદય અને બસ્તિનું શૂળ મટે છે. શતાવરી સર્વ પ્રકારના શૂળ, ખાસ કરીને પિત્ત શૂળ પર ફાયદાકારક છે.

એસીડીટી: પિત્ત દોષના કારણે થનારા પેટના દુખાવામાં અને પેટમાં બળતરા ઉત્પન્ન થાય ત્યારે શ્તાવારીહુબ જ ઉપયોગી છે. દરરોજ સવારે 10 મિલી શતાવરીના રસમાં 10 થી 12 ગ્રામ મધ ભેળવીને પીવાથી એસીડીટીમાં ઘટાડો થાય છે અને પછી મટે છે.  શતાવરીના મૂળનું ચૂર્ણ દુધમાં પીવાથી એસીડીટી મટે છે. સાથે મોઢામાં ચાંદા અને આંતરડાની ગરમીમાં પણ શતાવરી ખુબ જ ઉપયોગી ઔષધી છે.

અનિદ્રા: ઘણા લોકોને ઊંઘ નહિ આવવાનો રોગ હોય છે, જેને અનિદ્રા કહેવાય છે. આ સમયે આ લોકોએ 2 થી 4 ગ્રામ શતાવરીનું ચૂર્ણ દુધમાં ગરમ કરીને તેમાં ઘી નાખીને ખાવાથી ઊંઘ નહિ આવવાની સમસ્યા દુર થઇ જાય છે. જેના લીધે વ્યક્તિ શાંતિથી ઊંઘ લઈ શકે છે. શતાવરી તણાવ અને થાક ઓછો કરે છે અને મગજના ટેન્શન મુક્ત સ્નાયુઓને જાગૃત કરે છે જેથી ઊંઘ આવી જાય છે.

ગર્ભાવસ્થા: ગર્ભવતી મહિલાઓ માટે શતાવરી ખુબ જ લાભકારી ઔષધી છે. જેમાં શતાવરી, સુંઠ, અજગંધા, મુલેઠી તથા ભાંગરાનું ને સમાન માત્રામાં લઈને તેનું ચૂર્ણ બનાવી લઈને મહિલાએ દરરોજ 1 થી 2 ગ્રામની માત્રામાં બકરીના દૂધ સાથે પીવાથી ગર્ભમાં બાળક સ્વસ્થ રહે છે. તેને શરૂઆતમાં લાગનારી કોઈ બીમારી લાગતી નથી અને ગર્ભપાત સમસ્યાનો ખતરો પણ ઘટે છે.

ગર્ભાવસ્થા

સ્તનમાં દૂધ વધારવા: ઘણી સ્ત્રીઓ માં બને છે પરંતુ તેના સ્તનમાં દૂધ ઓછુ આવવાની સમસ્યા રહે છે. આવી સ્થિતિમાં મહિલાએ 10 ગ્રામ શતાવરીના મૂળનું ચૂર્ણ દૂધ સેવન કરવાથી સ્તનમાં દુધમાં વધારો જોવા મળશે. આ માટે પ્રસુતિ બાદ સ્ત્રીઓએ શતાવરીનું સેવન કરવું જોઈએ. 1 થી 2 ગ્રામ શતાવરીના મૂળથી બનેલા પેસ્ટને દૂધ સાથે પીવાથી દૂધ વધી શકે છે. શતાવરીને ગાયના દુધમાં મસળીને સેવન કરવાથી દૂધ સ્વાદિષ્ટ અને પોષ્ટિક બનશે.

કમજોરી:  શતાવરીના રસમાં અને તેના પેસ્ટમાં ઘી ગરમ કરીને એ ઘી સાકર ભેળવીને પીવાથી શરીરમાં રહેલા તમામ વિકારો દુર થઈ જાય છે અને શતાવરીના શ્રેષ્ઠ રસથી શરીર પુષ્ઠ બને છે. શરીરમાં કમજોરી અને તાકાતમાં ઉણપ વર્તાય તો વ્યકિતએ શતાવરીને ઘીમાં ગરમ કરીને શરીર પર માલીશ કરવાથી કમજોરી દુર થાય છે. શતાવરીના તાજા સુકા  મૂળ લઈને તેનું ચૂર્ણ કરી એ ચૂર્ણ 5-5 ગ્રામ સવારે અને સાંજે દરરોજ ગરમ કરેલા સાકરવાળા દુધમાં નાખીને પીવાથી શરીર પુષ્ટ બને છે અને ધાતુવૃદ્ધિ થાય છે.

નપુંસકતા: ઘણા લોકોને પુરુષતવની ઉણપ અને શારીરિક આવેગોની ઉણપ જોવા મળે છે, જે પરેશાનીથી તેઓ કંટાળી જાય છે પરંતુ તેની આ સમસ્યાના ઈલાજ તરીકે શતાવરી ખુબ જ ઉપયોગી છે. જે લોકોને શરીર સુખ માણવાની ઈચ્છા ન થતી હોય તેવા લોકોએ શતાવરીને પકાવીને તેનું સેવન કરવાથી આ સમસ્યામાંથી છુટકારો મળે છે. આ સીવાય શતાવરીના ચૂર્ણની ખીર બનાવીને દૂધ સાથે ખાવાથી પણ આ સમસ્યા દુર થાય છે. વીર્ય દોષની સમસ્યામાં ઘણા પુરુષોને શુક્રકોષોની સંખ્યા ઓછી હોય છે અથવા હોતી જ નથી ત્યારે તેઓ પ્રજજન સમસ્યાથી બાળકથી વંચિત હોય છે. આ લોકોએ 15 થી 20 મિલી માત્રામાં શતાવરીના મૂળનો ઉકાળો બનાવીને પીવાથી વીર્યમાં વધારો થાય છે.

શરદી, ઉધરસ, ખાંસી: શતાવરીનું સેવન કરવું શરદી, ખાંસી અને ઉધરસ ધરાવતા લોકોએ કરવાથી આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકે છે. આ માટે શતાવરીના મૂળનો ઉકાળો બનાવીને પીવાથી શરદી અને તાવ મટે છે. સુકી ખાંસી અને ઉધરસ આવતી હોય તેવા લોકોએ 10 ગ્રામ શતાવરી, 10 ગ્રામ અરડૂસીના પાંદડા અને 10 ગ્રામ સાકરનો ભુક્કો લઈને 150 મિલી પાણીમાં ઉકાળીને દિવસમાં 3 વખત આ ઉપચાર કરવાથી આ સમસ્યા દુર થાય છે. કફ જામે ત્યારે શતાવરી અને નાગબલાનો ઉકાળો બનાવીને અને ચૂર્ણનેઘીમાં પ્કાવીને સેવન કરવાથી કફ નાબુદ થાય છે.

શરદી, ઉધરસ, ખાંસી

ગળું બેસી જવાની સમસ્યા: વધારે જોરથી બોલવાથી, અથવા વાતાવરણ ખરાબી કે બહારની કોઈ વસ્તુ અને લાંબા પ્રવાસથી આ સમસ્યા સર્જાતી હોય છે જેમાં ક્યારેક આખો દિવસ બોલવાથી અને રાડો પાડવાથી ઘણા લોકોને આ સ્થિતિ આવે છે. આ સમસ્યામાં શતાવરી, ખીરેટી ખપાટના બીજ અને ખાંડને મધ સાથે ચાટવાથી અવાજ ખુલી જાય છે અને વ્યવસ્થિત બોલી શકે છે.

શ્વાસના રોગ: શતાવરીના પેસ્ટ બનાવીને તેનો એક ભાગ, એક ભાગ ઘી તથા ચાર ભાગ દૂધ લઈને ઘીમાં ગરમ કરો. આ મિશ્રણ 5 થી 10 ગ્રામની માત્રામાં સેવન કરવાથી શ્વાસ સંબંધી રોગ, લોહી સંબંધિત ઈમારી અને છાતીમાં બળતરા અને વાયુ તેમજ એસીડીટી અને બેહોશી જેવી સ્થિતિટી આરામ મળે છે. શતાવરીનું ચૂર્ણ 10 ગ્રામ, દૂધ અને પાણીમાં ભેળવીને સવારે અને સાંજે લેવાથી મોઢાનો મુખપાક, આંતરડાના ચાંદા, અશક્તિ, રક્તદોષ, અમ્લપિત્ત, પ્રદર, પ્રમેહ અને દાહ જેવી સમસ્યા મટે છે.

હરસ મસા: જયારે હરસ મસાની સમસ્યાથી પીડિત વ્યક્તિ માટે શતાવરી બેહતર પરિણામ આપે છે. 2 થી 4 ગ્રામ શતાવરીનું ચૂર્ણને દૂધ સાથે સેવન કરવાથી ખુબ લાભ થાય છે. મરડાની સમસ્યા હોય ત્યારે મળ સાથે લોહી નીકળે છે, તાજી શતાવરીને દૂધ સાથે વાટીને ગાળી લીધા બાદ દિવસમાં 3 થી 4 વખત દિવસમાં પીવાથી મરડો મટે છે. શતાવરીથી બનેલા ઘી પીવાથી મરડામાં આરામ મળે છે. ઝાડાની સમસ્યા વખતે 5 ગ્રામ શતાવરીના ઘીનું સેવન કરવાથી ઝાડા રોકવામાં ફાયદો થાય છે.

હરસ મસા

સ્વપ્ન દોષ: સ્વપ્ન દોષની સ્થિતિમાં રાત્રે આપમેળે વીર્ય સ્ત્રાવ થઇ જાય છે. આ સમસ્યા ઠીક કરવા માટે શતાવરીના મૂળનું ચૂર્ણ 250 ગ્રામ તથા તેમાં 250 ગ્રામ સાકરનો ભૂકો ભેળવીને સરખી રીતે ખાંડી નાખો. આ ચૂર્ણને 6 થી 11 ગ્રામ લઈને 250 મિલી દૂધ સાથે સવારે અને સાંજે પીવાથી સ્વપ્ન દોષની સમસ્યા દુર થાય છે, જેનાથી શરીર સ્વસ્થ રહે છે. આ ફાયદા માટે તેનાચૂર્ણને સરખી રીતે અને યોગ્ય માત્રામાં બનાવવાથી આ ફાયદો મળે છે.

પેટની સમસ્યા: ખાવાનું બરાબર નહિ પચવાથી અને પેટમાં સમસ્યા રહે છે, જેમાં અપચો થાય ત્યારે 5 મિલી શતાવરીના મૂળના રસમાં મધ અને દૂધ ભેળવીને પીવાથી બરાબર નહિ પચવાની અપચોની સમસ્યા દુર થાય છે.  એસીડીટી અને પિત્ત દોષના કારણે પેટમાં દુખાવો થતો હોય તો દરરોજ સવારે 10 મિલી શતાવરીના રસમાં 10 થી 14 ગ્રામ મધ ભેળવીને પીવાથી દુખાવો મટે છે.

આ સિવાય શતાવરીના સેવન દ્વારા નાકના રોગ, માથાનો દુખાવો, વાગેલી જગ્યાએ રૂઝ લાવવા, આંખના રોગ માટે, રતાંધળાપણું દુર કરવા, મૂત્ર સંબંધી બીમારીઓ, કીડની, પથરી, ગોનોરિયા રોગ, ડાયાબીટીસ, કેન્સર, હાડકાની મજબૂતાઈ, રોગ પ્રતિકાર શક્તિ, વજન ઘટાડવા,ચામડી ચમકતી બનાવવા,યોન સમસ્યા માટે, સોજા મટાડવા, ટીબી રોગમાં, નશો ઉતારવા, વાળ સમસ્યા, ગુમડા, મૂર્છા,તરસ, રક્તપિત્ત, શીતળા, હાર્ટ એટેક વગેરે સમસ્યામાં ઈલાજ તરીકે શતાવરી ખુબ જ ઉપયોગી છે.

આમ, શતાવરી એક ઉત્તમ ઔષધ છે અને જેના રોગના ઈલાજ વિશે અમે અહિયાં બતાવ્યું એવીરીતે ઈલાજ કરવાથી તમને ખુબ જ ફાયદો થશે. આશા રાખીએ કે શતાવરીના આટલા ફાયદાથી તમે વાકેફ થશો તેથી તમે તેનું નિયમિત સેવન કરશો અને રોગને ભગાવી શકશો. આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થઈ શકે અને તમે સ્વસ્થ અને પરેશાની મુક્ત રહી શકો એજ અમારૂ ધ્યેય માનીને શતાવરી વિશેની માહિતી તમારા માટે રજૂ કરી છે.

દોસ્તો તમે આયુર્વેદિક ટીપ્સ અને માહિતી મેળવવા માંગતા હોવ તો નીચે આપેલા બ્લુ કલરના લાઈક બટન ઉપર ક્લિક કરો.

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

હિંગ
ઔષધી

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

August 26, 2022
કબજિયાત માટેનો દેશી ઈલાજ
ઘરેલું ઉપચાર

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

August 21, 2022
ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય
આરોગ્ય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

August 20, 2022
ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે
ઘરેલું ઉપચાર

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

August 19, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત
આરોગ્ય

લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત

July 27, 2022
Next Post
ભોરીંગણી નો આયુર્દિક ઉપયોગ

તાવ, ઉધરસ, કફ, હેડકી, ઉલ્ટી, દમ અસ્થમા અને બીજા ઘણા રોગો માટે ખુબ જ ઉપયોગી છે આ વનસ્પતિ

અસ્થમા ના ઘરેલુ ઉપચાર

અસ્થમા કે દમ રોગમાં રાહત મેળવવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

કાળા મરી ના ફાયદા

રોજ સવારે માત્ર 2 બે દાણા ખાવ જે તમને હજારો રૂપિયા ખર્ચ કરવાથી બચાવી દેશે આ ઉપચાર

February 25, 2022
અંકોલ ઔષધી વિષે માહિતી

70 થી વધુ રોગોના ઈલાજ માટે રામબાણ ઈલાજ છે આ ફળ, જાણો આ અમુલ્ય ઔષધીના ફાયદા

February 25, 2022
ખાલી 5 જ મિનીટમાં પેટમાંથી બધો જ મળ અને જુનો કચરો નીકળી જશે

ખાલી 5 જ મિનીટમાં પેટમાંથી બધો જ મળ અને જુનો કચરો નીકળી જશે

June 15, 2022

Popular Stories

  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
  • ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

    0 shares
    Share 0 Tweet 0
  • વગર દવાએ પેશાબમાં થતી તીવ્ર બળતરા અને ઉનવા માટે 100% અસરકારક ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In