શતાવરી એક ઔષધ તરીકે ખુબ જ ઉપયોગી ઔષધી છે, જેને આંગણામાં વાવી શકાય છે. શતાવરીને અંગ્રેજીમાં wild Asparagus કહે છે જયારે તેનું વિજ્ઞાનિક વાનસ્પતિક નામ Asparagus racemosus છે. જે ભારત અને શ્રીલંકા સાથેસાથ હિમાલયમાં ખાસ જોવા મળે છે. મુખ્યત્વે આ છોડ વેલ સ્વરૂપે હોય છે. જેના ભારતના અલગ અલગ પ્રદેશ અને ભાષાઓમાં સતાવર, સતાવરી, સતમૂલ, સતમૂલી કે સરનોઈ વગેરે નામોથી ઓળખવામાં આવેં છે. જ્યારે ગુજરાતીમાં એકલકાંતા તરીકે પણ ઓળખવામાં આવે છે.
શતાવરીના છોડ ભારતમાં બધે જ જોવા મળે છે. તેના છોડ 3 થી 4 ફૂટ ઊંચા, પાન શરુ જેવા બારીક અને ડાળીના મૂળ પાસેથી છેડા સુધી બંને બાજુએ સરખા હોય છે. શતાવરીના નાના સફેદ સુગંધી ફૂલોના ઝૂમખાં આવે છે. છોડને કાંટા હોય છે. ડાળીની એક બાજુએ કાંટો હોવાથી એને એકલકંટી પણ કહે છે. તેને ચણીબોર જેવા ફળો આવે છે. પાકયા પછી તે લાલ રંગના થઇ જાય છેં. શતાવરીના મૂળ સુતરના તાંતણા એકઠા કરીને બાંધી રાખ્યા હોય એવા ઝૂમખાં રૂપે હોય છે. તેના મૂળને ફિક્કાશ પદ્દતિ લાલ પીળા રંગની છાલ હોય છે. એ છાલ કાઢતા અંદર ધોળા રંગનો ગાભો અને વચ્ચે દોરા જેવું દેખાય છે. શતાવરીના મૂળ લીલા હોય ત્યારે સૂકવવામાં આવે છે, આ મૂળને જ શતાવરી કહેવામાં આવે છે.
શતાવરી બે જાતિની થાય છે, એક મહા શતાવરી અને બીજી નાની શતાવરી. જેમાં મહાશતાવરી ભીલાડથી મુંબઈના દરિયા કિનારે વધુ થાય છે. જેના મૂળ જાડા, રસદાર અને આઠથી દસ ફૂટ લાંબા થાય છે. દવા તરીકે તેના મૂળનો મુખ્યત્વે ઉપયોગ થાય છે. આ છોડ ખુબ જ ઔષધીય ઉપયોગો ધરાવે છે. જેના વિશે અમે અહિયાં જણાવીએ છીએ.
શતાવરી શીત, મધુર, વૃષ્ય, કડવી, રસાયણ, સ્વાદુ, ગુરુ, સ્નિગ્ધ, દુગ્ધપ્રદ, બ્લ્ય, મેધ્ય, અગ્નીદીપક, પૌષ્ટિક અને ચક્ષુષ્ય છે. એ પિત્ત, કફ,વાયુ, ક્ષય, રક્તદોષ, સોજા, ગુલ્મ અને અતીસારનો નાશ કરે છે.
તાવ: શતાવરીનો રસ ગાયના દુધમાં જીરાના ચૂર્ણ નાખીને પીવાથી તાવ મટે છે. શતાવરી અને ગળો સરખે સરખા ભાગમાં 10 મિલી રસમાં થોડોક ગોળ ભેળવીને પીવાથી તાવ મટે છે. 20 થી 40 મિલી ઉકાળામાં 2 ચમચી મધ ભેળવીને પીવાથી તાવ મટી જાય છે. શતાવરી અને જીરાનું ચૂર્ણ 50 ગ્રામ પાણીમાં ભેળવીને પીવાથી ટાઢિયો તાવ મટે છે.
શૂળ: શતાવરીના ઉકાળાને બનાવીને ઠંડો પડવા દઈને તેમાં દૂધ અને 10 ગ્રામ મધ ભેળવીને પીવાથી પિત્ત, દાહ અને શૂળ મટે છે. શતાવરીના રસમાં મધ ભેળવીને પીવાથી પડખા, હ્રદય અને બસ્તિનું શૂળ મટે છે. શતાવરી સર્વ પ્રકારના શૂળ, ખાસ કરીને પિત્ત શૂળ પર ફાયદાકારક છે.
એસીડીટી: પિત્ત દોષના કારણે થનારા પેટના દુખાવામાં અને પેટમાં બળતરા ઉત્પન્ન થાય ત્યારે શ્તાવારીહુબ જ ઉપયોગી છે. દરરોજ સવારે 10 મિલી શતાવરીના રસમાં 10 થી 12 ગ્રામ મધ ભેળવીને પીવાથી એસીડીટીમાં ઘટાડો થાય છે અને પછી મટે છે. શતાવરીના મૂળનું ચૂર્ણ દુધમાં પીવાથી એસીડીટી મટે છે. સાથે મોઢામાં ચાંદા અને આંતરડાની ગરમીમાં પણ શતાવરી ખુબ જ ઉપયોગી ઔષધી છે.
અનિદ્રા: ઘણા લોકોને ઊંઘ નહિ આવવાનો રોગ હોય છે, જેને અનિદ્રા કહેવાય છે. આ સમયે આ લોકોએ 2 થી 4 ગ્રામ શતાવરીનું ચૂર્ણ દુધમાં ગરમ કરીને તેમાં ઘી નાખીને ખાવાથી ઊંઘ નહિ આવવાની સમસ્યા દુર થઇ જાય છે. જેના લીધે વ્યક્તિ શાંતિથી ઊંઘ લઈ શકે છે. શતાવરી તણાવ અને થાક ઓછો કરે છે અને મગજના ટેન્શન મુક્ત સ્નાયુઓને જાગૃત કરે છે જેથી ઊંઘ આવી જાય છે.
ગર્ભાવસ્થા: ગર્ભવતી મહિલાઓ માટે શતાવરી ખુબ જ લાભકારી ઔષધી છે. જેમાં શતાવરી, સુંઠ, અજગંધા, મુલેઠી તથા ભાંગરાનું ને સમાન માત્રામાં લઈને તેનું ચૂર્ણ બનાવી લઈને મહિલાએ દરરોજ 1 થી 2 ગ્રામની માત્રામાં બકરીના દૂધ સાથે પીવાથી ગર્ભમાં બાળક સ્વસ્થ રહે છે. તેને શરૂઆતમાં લાગનારી કોઈ બીમારી લાગતી નથી અને ગર્ભપાત સમસ્યાનો ખતરો પણ ઘટે છે.
સ્તનમાં દૂધ વધારવા: ઘણી સ્ત્રીઓ માં બને છે પરંતુ તેના સ્તનમાં દૂધ ઓછુ આવવાની સમસ્યા રહે છે. આવી સ્થિતિમાં મહિલાએ 10 ગ્રામ શતાવરીના મૂળનું ચૂર્ણ દૂધ સેવન કરવાથી સ્તનમાં દુધમાં વધારો જોવા મળશે. આ માટે પ્રસુતિ બાદ સ્ત્રીઓએ શતાવરીનું સેવન કરવું જોઈએ. 1 થી 2 ગ્રામ શતાવરીના મૂળથી બનેલા પેસ્ટને દૂધ સાથે પીવાથી દૂધ વધી શકે છે. શતાવરીને ગાયના દુધમાં મસળીને સેવન કરવાથી દૂધ સ્વાદિષ્ટ અને પોષ્ટિક બનશે.
કમજોરી: શતાવરીના રસમાં અને તેના પેસ્ટમાં ઘી ગરમ કરીને એ ઘી સાકર ભેળવીને પીવાથી શરીરમાં રહેલા તમામ વિકારો દુર થઈ જાય છે અને શતાવરીના શ્રેષ્ઠ રસથી શરીર પુષ્ઠ બને છે. શરીરમાં કમજોરી અને તાકાતમાં ઉણપ વર્તાય તો વ્યકિતએ શતાવરીને ઘીમાં ગરમ કરીને શરીર પર માલીશ કરવાથી કમજોરી દુર થાય છે. શતાવરીના તાજા સુકા મૂળ લઈને તેનું ચૂર્ણ કરી એ ચૂર્ણ 5-5 ગ્રામ સવારે અને સાંજે દરરોજ ગરમ કરેલા સાકરવાળા દુધમાં નાખીને પીવાથી શરીર પુષ્ટ બને છે અને ધાતુવૃદ્ધિ થાય છે.
નપુંસકતા: ઘણા લોકોને પુરુષતવની ઉણપ અને શારીરિક આવેગોની ઉણપ જોવા મળે છે, જે પરેશાનીથી તેઓ કંટાળી જાય છે પરંતુ તેની આ સમસ્યાના ઈલાજ તરીકે શતાવરી ખુબ જ ઉપયોગી છે. જે લોકોને શરીર સુખ માણવાની ઈચ્છા ન થતી હોય તેવા લોકોએ શતાવરીને પકાવીને તેનું સેવન કરવાથી આ સમસ્યામાંથી છુટકારો મળે છે. આ સીવાય શતાવરીના ચૂર્ણની ખીર બનાવીને દૂધ સાથે ખાવાથી પણ આ સમસ્યા દુર થાય છે. વીર્ય દોષની સમસ્યામાં ઘણા પુરુષોને શુક્રકોષોની સંખ્યા ઓછી હોય છે અથવા હોતી જ નથી ત્યારે તેઓ પ્રજજન સમસ્યાથી બાળકથી વંચિત હોય છે. આ લોકોએ 15 થી 20 મિલી માત્રામાં શતાવરીના મૂળનો ઉકાળો બનાવીને પીવાથી વીર્યમાં વધારો થાય છે.
શરદી, ઉધરસ, ખાંસી: શતાવરીનું સેવન કરવું શરદી, ખાંસી અને ઉધરસ ધરાવતા લોકોએ કરવાથી આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકે છે. આ માટે શતાવરીના મૂળનો ઉકાળો બનાવીને પીવાથી શરદી અને તાવ મટે છે. સુકી ખાંસી અને ઉધરસ આવતી હોય તેવા લોકોએ 10 ગ્રામ શતાવરી, 10 ગ્રામ અરડૂસીના પાંદડા અને 10 ગ્રામ સાકરનો ભુક્કો લઈને 150 મિલી પાણીમાં ઉકાળીને દિવસમાં 3 વખત આ ઉપચાર કરવાથી આ સમસ્યા દુર થાય છે. કફ જામે ત્યારે શતાવરી અને નાગબલાનો ઉકાળો બનાવીને અને ચૂર્ણનેઘીમાં પ્કાવીને સેવન કરવાથી કફ નાબુદ થાય છે.
ગળું બેસી જવાની સમસ્યા: વધારે જોરથી બોલવાથી, અથવા વાતાવરણ ખરાબી કે બહારની કોઈ વસ્તુ અને લાંબા પ્રવાસથી આ સમસ્યા સર્જાતી હોય છે જેમાં ક્યારેક આખો દિવસ બોલવાથી અને રાડો પાડવાથી ઘણા લોકોને આ સ્થિતિ આવે છે. આ સમસ્યામાં શતાવરી, ખીરેટી ખપાટના બીજ અને ખાંડને મધ સાથે ચાટવાથી અવાજ ખુલી જાય છે અને વ્યવસ્થિત બોલી શકે છે.
શ્વાસના રોગ: શતાવરીના પેસ્ટ બનાવીને તેનો એક ભાગ, એક ભાગ ઘી તથા ચાર ભાગ દૂધ લઈને ઘીમાં ગરમ કરો. આ મિશ્રણ 5 થી 10 ગ્રામની માત્રામાં સેવન કરવાથી શ્વાસ સંબંધી રોગ, લોહી સંબંધિત ઈમારી અને છાતીમાં બળતરા અને વાયુ તેમજ એસીડીટી અને બેહોશી જેવી સ્થિતિટી આરામ મળે છે. શતાવરીનું ચૂર્ણ 10 ગ્રામ, દૂધ અને પાણીમાં ભેળવીને સવારે અને સાંજે લેવાથી મોઢાનો મુખપાક, આંતરડાના ચાંદા, અશક્તિ, રક્તદોષ, અમ્લપિત્ત, પ્રદર, પ્રમેહ અને દાહ જેવી સમસ્યા મટે છે.
હરસ મસા: જયારે હરસ મસાની સમસ્યાથી પીડિત વ્યક્તિ માટે શતાવરી બેહતર પરિણામ આપે છે. 2 થી 4 ગ્રામ શતાવરીનું ચૂર્ણને દૂધ સાથે સેવન કરવાથી ખુબ લાભ થાય છે. મરડાની સમસ્યા હોય ત્યારે મળ સાથે લોહી નીકળે છે, તાજી શતાવરીને દૂધ સાથે વાટીને ગાળી લીધા બાદ દિવસમાં 3 થી 4 વખત દિવસમાં પીવાથી મરડો મટે છે. શતાવરીથી બનેલા ઘી પીવાથી મરડામાં આરામ મળે છે. ઝાડાની સમસ્યા વખતે 5 ગ્રામ શતાવરીના ઘીનું સેવન કરવાથી ઝાડા રોકવામાં ફાયદો થાય છે.
સ્વપ્ન દોષ: સ્વપ્ન દોષની સ્થિતિમાં રાત્રે આપમેળે વીર્ય સ્ત્રાવ થઇ જાય છે. આ સમસ્યા ઠીક કરવા માટે શતાવરીના મૂળનું ચૂર્ણ 250 ગ્રામ તથા તેમાં 250 ગ્રામ સાકરનો ભૂકો ભેળવીને સરખી રીતે ખાંડી નાખો. આ ચૂર્ણને 6 થી 11 ગ્રામ લઈને 250 મિલી દૂધ સાથે સવારે અને સાંજે પીવાથી સ્વપ્ન દોષની સમસ્યા દુર થાય છે, જેનાથી શરીર સ્વસ્થ રહે છે. આ ફાયદા માટે તેનાચૂર્ણને સરખી રીતે અને યોગ્ય માત્રામાં બનાવવાથી આ ફાયદો મળે છે.
પેટની સમસ્યા: ખાવાનું બરાબર નહિ પચવાથી અને પેટમાં સમસ્યા રહે છે, જેમાં અપચો થાય ત્યારે 5 મિલી શતાવરીના મૂળના રસમાં મધ અને દૂધ ભેળવીને પીવાથી બરાબર નહિ પચવાની અપચોની સમસ્યા દુર થાય છે. એસીડીટી અને પિત્ત દોષના કારણે પેટમાં દુખાવો થતો હોય તો દરરોજ સવારે 10 મિલી શતાવરીના રસમાં 10 થી 14 ગ્રામ મધ ભેળવીને પીવાથી દુખાવો મટે છે.
આ સિવાય શતાવરીના સેવન દ્વારા નાકના રોગ, માથાનો દુખાવો, વાગેલી જગ્યાએ રૂઝ લાવવા, આંખના રોગ માટે, રતાંધળાપણું દુર કરવા, મૂત્ર સંબંધી બીમારીઓ, કીડની, પથરી, ગોનોરિયા રોગ, ડાયાબીટીસ, કેન્સર, હાડકાની મજબૂતાઈ, રોગ પ્રતિકાર શક્તિ, વજન ઘટાડવા,ચામડી ચમકતી બનાવવા,યોન સમસ્યા માટે, સોજા મટાડવા, ટીબી રોગમાં, નશો ઉતારવા, વાળ સમસ્યા, ગુમડા, મૂર્છા,તરસ, રક્તપિત્ત, શીતળા, હાર્ટ એટેક વગેરે સમસ્યામાં ઈલાજ તરીકે શતાવરી ખુબ જ ઉપયોગી છે.
આમ, શતાવરી એક ઉત્તમ ઔષધ છે અને જેના રોગના ઈલાજ વિશે અમે અહિયાં બતાવ્યું એવીરીતે ઈલાજ કરવાથી તમને ખુબ જ ફાયદો થશે. આશા રાખીએ કે શતાવરીના આટલા ફાયદાથી તમે વાકેફ થશો તેથી તમે તેનું નિયમિત સેવન કરશો અને રોગને ભગાવી શકશો. આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થઈ શકે અને તમે સ્વસ્થ અને પરેશાની મુક્ત રહી શકો એજ અમારૂ ધ્યેય માનીને શતાવરી વિશેની માહિતી તમારા માટે રજૂ કરી છે.
દોસ્તો તમે આયુર્વેદિક ટીપ્સ અને માહિતી મેળવવા માંગતા હોવ તો નીચે આપેલા બ્લુ કલરના લાઈક બટન ઉપર ક્લિક કરો.