Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

માત્ર 1 દિવસમાં વગર દવાએ ગળા, ફેફસા અને કફને સાફ કરવાનો 100% અસરકારક ઉપચાર

Deshi Osadiya by Deshi Osadiya
February 25, 2022
0
ફેફસા અને કફને સાફ કરવાનો 100% અસરકારક ઉપચાર

ફેફસા અને કફને સાફ કરવાનો 100% અસરકારક ઉપચાર

0
SHARES
Share on FacebookShare on Twitter

આપણે ત્યાં ઋતુમાં આબોહવાને કારણે ફેરબદલ થતા વાયરલ ઈન્ફેકશન લાગે છે, જેના પરિણામે કફ, શરદી, ઉધરસ, ગળાની તકલીફ, ગળામાં બળવું, ગળામાં કફ જામવો વગેરે બીમારીઓ અવારનવાર થાય છે. જેના લીધે આપણે દવાઓનો આધાર લેવો પડે છે સાથે રૂપિયા પણ ખર્ચાય છે અને આડઅસર પણ કરે છે. આવી દવાઓ લીધા બાદ થોડા સમય સુધી આપણા શરીરમાં તેનું રીએક્શન આવી જાય છે માટે શરીરમાં કમજોરી પણ આવી જાય છે.

RELATED POSTS

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

શિયાળાની શરૂઆતમાં, ઉનાળાની શરૂઆતમાં કે ચોમાંચાની શરૂઆતમાં આપણે ત્યાં નાના મોટા રોગોનું પ્રમાણ વધારે જોવા મળે છે જેમાં શ્વાસના રોગો મુખ્ય છે, જેનાથી સૌ કોઈ પરેશાન રહે છે. જો કે  આજના સમયે કોરોનાના લીધે આવી તકલીફોમાં વધારે અસર થાય છે અને કફમાં ભળીને કોરોના વધે છે. માટે આવા રોગોનો વહેલી તકે ઈલાજ એ જ શ્રેષ્ઠ ઉપાય છે. માટે અહિયાં આયુર્વેદ એ જ શ્રેષ્ઠ ઉપાય છે માટે આયુર્વેદિક ઉપચારો કરવા જોઈએ.

Join Group

શરદી અને ઉધરધ, કફ તાવ બધા લોકોમાં જોવા મળતી બીમારી છે અને તેનો આપણી રોગપ્રતિકારક શક્તિ મજબુત હોય શરીરમાંથી આ રોગ આપોઆપ જતા રહે છે. માટે આપણી રોગ પ્રતિકારક શક્તિ વધે અને રોગનો નાશ થાય તેવા રોગનાશક પ્રયાસો કરવામાં આવે તો આવા વાયરસથી થતા સંક્રમણને અટકાવી શકાય છે. અમે અહિયાં આ શરદી, ઉધરસ, ખાંસી, કફ અને તાવના રોગને મટાડવાના ઉકાળા ઉપચારો બતાવીશું.

ઉકાળો એક આયુર્વેદિક પીણું છે અને તેમાં અનેક રોગોનો નાશ કરી શકે તેમજ રોગ પ્રતિકારક શક્તિ વધારી શકે તેવી ઔષધિઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉકાળો પીવાથી ઋતુની ફેરબદલના કારણે આવતા રોગોનો નાશ કરી શકાય છે. આવો ઉકાળો પીવાથી પાચન શક્તિમાં વધારો થાય છે અને પેટના રોગો પણ મટે છે.

આદુ અને ગોળનો ઉકાળો: આ ઉકાળો ખુબ જ ઉપયોગી છે, આદુ અને ગોળ બંને રોગ પ્રતિકારક શક્તિ વધારનારા ગુણ ધરાવે છે. ઉકાળો બનાવવા ઉકળતા પાણીમાં વાટેલી લવિંગ, કાળા મરી, ઈલાયચી, આદુ અને ગોળ તેમાં નાખો. જયારે થોડા સમય સુધી ઉકળવા દીધા બાદ તેમાં થોડા તુલસીના પાંદડા વાટીને કે આખા નાખી દો. જ્યારે આ પાણીમાંથી અડધું પાણી બળી જાય ત્યારે તેને ગાળીને પી લેવું જોઈએ. આ પાણી થોડું હુંફાળું ગરમ રહે ત્યારે પીવાથી ખુબ જ ફાયદો કરે છે.

આદુ શરદી અને ઉધરસ, કફ અને ગળાના રોગોનું ઉત્તમ ઔષધ છે. આદુના સેવન દ્વારા આવા રોગોને ખુબ જ ટૂંકા સમયમાં મટાડી શકાય છે. જયારે ઉકાળામાં સેવન કરવાથી પાણીની ગરમ અસર અને આદુના ગુણો અને કફનો નિકાલ કરવામાં સહાયતા કરે છે સાથે વાયરસ શરીર ગરમ થતા નાશ પામે છે.

કાળા મરી અને લીંબુનો ઉકાળો: કાળા મરી અને લીંબુ એન્ટીઓક્સીડેન્ટ ધરાવતી ઔષધિઓ છે. જેના પરિણામે રોગ પ્રતિકારક શક્તિ વધારીને રોગોનો નાશ કરી શકાય છે. લીંબુમાં વિટામીન સી હોવાથી ખુબ જ ઉપયોગી અને એસીડીક સ્વભાવ અને કાળા મરીનો ગરમ સ્વભાવ આવા રોગોના વાયરસનો નાશ કરે છે.

એક ચમચી કાળા મરી લઈને તેને એક કપ પાણીમાં નાખો. આ પાણીમાં લીંબુમાંથી રસ કાઢીને આ પાણીમાં નાખીને પાણીને ગરમ કરો. આ ઉકાળો દરરોજ પીવો જોઈએ. આ ઉકાળો ગરમ થઈ ગયા બાદ ઉકાળીને એક કપ પાણીમાં નાખીને ઠંડું પડવા દીધા બાદ તેમાં મધ નાખીને પી શકાય છે. આ ઉકાળો પીવાથી શરદી અને ઉધરસમાં રાહત મળે છે. સાથે આ ઉકાળો શરીરમાં વધારાની ચરબીને પણ દૂર કરે છે. આ ઉકાળો પીવાથી શરીર ઉર્જા અનુભવે છે.

અજમા અને ગોળનો ઉકાળો: અજમા ને ગોળનો ઉકાળો પણ, શરદી, ઉધરસ, કફ માટે પ્રભાવશાળી છે. આ ઉકાળો પીવાથી છાતીમાંથી કફ ઓછો થાય છે અને શરીરમાંથી શરદી અને ઉધરસ જેવા રોગોનો નાશ થાય છે. આ માટે એક કપ પાણીને યોગ્ય રીતે ઉકાળો. જયારે પાણી બરાબર ઉકળી જાય ત્યારે તેમાં થોડોક ગોળ અને અડધી ચમચી અજમા ભેળવી દો. જયારે ઉકળતા ઉકળતા પાણી અડધું બળી જાય ત્યારે આ પાણીને ગાળીને પીવો. આ અજમા પાણી પીવાથી કફ અને શરદીના વાયરસનો નાશ થાય છે. જેથી તાવ પણ ઉતરે છે અને ખાંસીની સમસ્યા ઠીક થાય છે. અજમા પાચન ક્રિયા ઠીક કરવા માટે ખુબ જ ઉપયોગી છે. તેમજ ગેસ અને અપચોની સમસ્યાને ઠીક કરે છે.

અજમા અનેક ઓક્સીડેંટ તત્વો ધરાવે છે જેનો આપણે ત્યાં વર્ષોથી શ્વાસની તકલીફોમાં ઉપયોગ થતો આવ્યો છે. શ્વાસની ઉધરસ, શરદી જેવી સમસ્યાઓમાં આ અજમો લેવાથી શરીરમાંથી રોગ પ્રતિકારક શક્તિ ઉત્પન્ન થાય છે આવા વાયરસનો નાશ કરવામ સક્ષમ હોય છે.

તજનો ઉકાળો: તજનો ઉકાળો ખુબ જ ઉપયોગી ઔષધી છે. તજનો ઉકાળો બનાવી શકાય છે. એક ગ્લાસ પાણીમાં અડધી ચમચી તજ નાખીને ધીમી ગતિથી આંચ પર 10 મિનીટ સુધી ગરમ કરો. પાણીને ગરમ કર્યા બાદ તેને ઉતારીને ઠંડું પડવા દો. પીવાલાયક હુંફાળું રહે ત્યારે મધ ભેળવીને પીવાથી શરદી,ખાંસી, ઉધરસ વગેરેથી લાભ મળે છે. સાથે તે હ્રદયરોગના દર્દીઓ માટે ઉપયોગી છે. તે કોલેસ્ટ્રોલના લેવલને પણ ઘટાડે છે.

તજ દરેક રસોડામાં મળતી મસાલાની સાથે ઔષધી છે. આ ઔષધી શરીરમાં રોગના નિયંત્રણમાં ઉપયોગી છે. તજનો ઉપયોગ કરવાથી એક પ્રકારે ગળાના અને છાતીમાં રહેલા કફને દુર કરવામાં સહાયતા મળે છે માટે ગળાનો રોગ અને કફની સાથે શરદી અને ઉધરસ જેવી તકલીફો પણ મટે છે. જે સમસ્યાનો દુર થતા તાવ અને બીજા ઇન્ફેકશન પણ મટે છે.

લવિંગ, તુલસી અને કાળા મીઠાનો ઉકાળો: આ ઉકાળો શરદી, ઉધરસ, ખાંસી, કફ, વગેરેના દર્દીઓ માટે ઉપયોગી છે. આ ઉકાળો પીવાથી દર્દમાં ખુબ જ આરામ મળે છે. આ ઉકાળો બનાવવા માટે ધીમી આંચ પર બે ગ્લાસ પાણીમાં 10 થી 15 તુલસી તુલસીના પાંદડા નાખીને ઉકાળો. સાથે તેમાં 4 થી 5 લવિંગ વાટીને નાખો. જ્યારે પાણી ઉકળીને રહી જાય ત્યારે તેને ઉતારીને ગાળી લો. જ્યારે આ પીવાલાયક ગરમ હુંફાળું રહે ત્યારે ગાળીને પી લો. તેનાથી રોગ પ્રતિકારક શક્તિ મજબુત બને છે.

તુળસી વર્ષોથી આયુર્વેદમાં અગત્યનું સ્થાન ધરાવે છે, તુલસીના છોડ ઘરમાં રાખવાથી ઘરમાં પુષ્કળ ઓક્સીજન છોડે છે અને  હવાને શુદ્ધ બનાવી શકે છે. તુલસીમાં ઓક્સીડેન્ટ ગુણો હોય છે જે ઘણા બધા વાયરસનો નાશ કરી શકે છે તેમજ બીમારીઓને પણ ઠીક કરે છે.

ઈલાયચી અને મધનો ઉકાળો: શરદ, ઉધરસમાં ગરમ પદાર્થોનું સેવન ખુબ જ ઉપયોગી છે. ખાસ કરીને શરદી અને ઉધરસ, કફમાં ઘણા લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે. શ્વાસની પરેશાનીમાં ઈલાયચી અને મધ મેળવીને ઉકાળો તૈયાર કરી શકાય છે, આ ઉકાળામાં થોડી માત્રામાં વાટેલી કાળા મરી પણ ભેળવી શકાય છે. આ ઉકાળો એક પ્રકારે એન્ટીઓક્સીડેન્ટ ગુણો ધરાવે છે.

ઉકાળો બનાવવા માટે તેને ધીમી આંચ પર એક વાસણમાં બે કપ પાણી ગરમ કરો અને તેમાં અડધી ચમચી એલચીનો પાવડર ભેળવીને 10 મિનીટ સુધી ઉકાળો. આ પછી તેમાં મધ ભેળવીને સેવન કરવાથી શરીરમાંથી કફ નીકળી જાય છે સાથે શરદીના વાયરસ પણ નાશ પામે છે. માટે શરીરમાંથી કફ પણ નાશ પામે છે.

આમ, ઉપરોક્ત ઉકાળાઓ શરીરમાં ખુબ જ ઉપયોગી છે. આ ઉપરોક્ત રીતો પ્રમાણે ઉકાળો બનાવીને સેવન કરવાથી શરદી, ઉધરસ, કફ અને સાથે તાવ, નાકમાં અને ગળામાં બળવું, ગળામાંથી કફ, નાકમાંથી પાણી નીકળવું, શરદી, ઉધરસને લીધે માથાનો દુખાવો જેવી બધી જ સમસ્યાઓમાં ખુબ જ લાભ મળે છે અને ઉપરોક્ત રોગો મટે છે. અમે આશા રાખીએ કે આ ઉકાળા બનાવવાની રીત અને ઉકાળા વિશેની માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમે રોગ મુક્ત બની શકો.

આ આયુર્વેદિક ઉપચાર અને માહિતી સારી લાગી હોય તો નીચે આપેલા બ્લુ કલરના લાઈક બટન પર ક્લિક કરો જેથી તમને માહિતી ઝડપથી મળતી રહે. 

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

હિંગ
ઔષધી

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

August 26, 2022
કબજિયાત માટેનો દેશી ઈલાજ
ઘરેલું ઉપચાર

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

August 21, 2022
ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે
ઘરેલું ઉપચાર

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

August 19, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
અષ્ટાંગ આયુર્વેદ દ્વારા ચોમાસાની ઋતુમાં રોગો થી બચવા માટે સ્પેશ્યલ આયુર્વેદ ઉકાળો
ઘરેલું ઉપચાર

અષ્ટાંગ આયુર્વેદ દ્વારા ચોમાસાની ઋતુમાં રોગો થી બચવા માટે સ્પેશ્યલ આયુર્વેદ ઉકાળો

July 24, 2022
મમરા ખાવાના ફાયદા
ઘરેલું ઉપચાર

વજન ઓછું કરવાથી લઇ ને રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરવા માટે ઉપયોગી છે મમરા

June 27, 2022
Next Post
દાંત સાફ કરવાની રીત બતાવો

માત્ર 5 જ મિનિટમાં દાંતની ગમે તેટલી પીળાશ દૂર કરશે આ ઘરેલું ઉપાય

કફનો 100% અસરકારક આયુર્વેદિક ઉપચાર

વગર દવાએ શરદી અને છાતીમાં જામેલા કફનો 100% અસરકારક આયુર્વેદિક ઉપચાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

saragva no soup recipe

જાણો સરગવાનો પાવડર, સરગવાનું સૂપ અને શાક બનાવાની સૌથી સરળ પધ્ધથી

February 25, 2022
આ 5 ને આયુર્વેદમાં પણ દુશ્મન કહ્યા છે

આ 5 વસ્તુઓ આપણા શરીરને અંદરથી ખોખલું કરી નાખે છે

March 22, 2022
પાયોરિયા નો ઈલાજ

પાયોરિયા, દાંતો ની સડન, પેઢામાં સોજા માટેનો સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

February 25, 2022

Popular Stories

  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
  • ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

    0 shares
    Share 0 Tweet 0
  • વગર દવાએ પેશાબમાં થતી તીવ્ર બળતરા અને ઉનવા માટે 100% અસરકારક ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In