Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

માત્ર 2 જ દિવસમાં જૂની શરદી અને છાતીમાં જામી ગયેલા કફ ને કાઢવાનો 100% અસરકારક ઉપચાર

Deshi Osadiya by Deshi Osadiya
February 25, 2022
0
શરદી નો રામબાણ ઈલાજ

શરદી નો રામબાણ ઈલાજ

0
SHARES
Share on FacebookShare on Twitter

હાલની પરિસ્થિતિ અને મૌસમમાં બદલાવ સમયે ઘણા લોકોને શરદી અને ઉધરસની બીમારી થવા લાગે છે. આ એવી સમસ્યા છે કે તે બધા જ લોકોને થાય છે. ખાસ કરીને આ શરદી અને ઉધરસની બીમારી થોડા થોડા સમયમાં થયા કરે છે. જો કે આ બીમારી ક્યારેક લાંબા સમય સુધી પણ રહી શકે છે, માટે તેનો ઈલાજ કરવો જોઈએ, નહિતર બીજી ઘણી કોઈ સમસ્યા થવાનો ભય રહે છે. અમે અહિયાં આ શરદી ઉધરસ તેમજ કફને દુર કરવાના ઈલાજ વિશે જણાવીએ છીએ જેનાથી આ રોગ જલ્દીતી નાબુદ કરી શકાય છે.

RELATED POSTS

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

આ શરદી અને ઉધરસ તેમજ કફના વાયરસને રાઈનાઈટીસ પણ કહેવામાં આવે છે. તે લોકોમાં થતો  સામાન્ય સંક્રાત્મક રોગ છે. જે શ્વસન તંત્ર સાથે જોડાયેલો રોગ છે. આ રોગ 200 થી વધારે પ્રકારે થાય છે, માટે એક વાયરસ લાગતા શરીર તેની સામેની રોગ પ્રતિકારક શક્તિ મેળવી લે છો તે બીજા પ્રકારે થાય છે. માટે તેની માટે જલ્દી રાહત મેળવવા માટેના ઉપાયો કરવા જરૂરી બને છે.

Join Group

શરદી ઉધરસના લક્ષણો: નાકથી પાણી વહેવું, નાકમ ખંજવાળ આવવી, ગળામાં ખરાશ પડવી, નાક બંધ થવું, માથું ભારે લાગે અને માથામાં દુખાવો થાય, આંખો બળે. ખાંસી, તાવ, છીંક આવે વગેરે સમસ્યા વગેરે લક્ષણો આ શરદી અને ઉધરસમાં જોવા મળે છે.

શરદી અને ઉધરસના લક્ષણો: આ સંક્રાત્મક રોગ છે, જે કોરોના વાયરસ અને રાઈનો વાયરસના કારણે થાય છે, આ વાયરસના સંક્રમણના કારણે થાય છે, જેમાં 200 પ્રકારના આ વાયરસની અલગ અલગ પ્રજાતિ હોવાનું માનવામાં આવે છે, આ સંક્રમણ ધરાવતા વ્યક્તિના સંપર્કમાં આવવાથી આ રોગ થાય છે. જેમાં હવામાં છીંકવાથી, જે વ્યક્તિએ વસ્તુ અડી હોય તેનો સમ્પર્ક થવાથી, મૌસમમાં બદલાવ આવવાથી, રોગ પ્રતિકારક શક્તિ કમજોર હોવાથી  તેમજ ઠંડી અને સતત ભીંજાયેલા રહેવાથી વગેરે કારણે આ રોગ ફેલાય છે. આ રોગના ઈલાજો નીચે મુજબ છે.

ડુંગળીનો રસ

ડુંગળીનો રસ: ડુંગળીનું સેવન રસ કાઢીને પણ કરી શકાય છે. ડુંગળીનો રસ કાઢીને સેવન કરવાથી શરદી, ઉધરસ અને કફનો ઈલાજ થઈ શકે છે. ડુંગળીમાં રહેલી કુદરતી ગરમી કફને દુર કરે છે, અને શરીરમાં ગરમી પ્રદાન કરે છે જેથી શરદીના વાયરસનો નાશ થાય છે.

ડુંગળીની નાસ-વરાળ: શરદી અને ઉધરસનો દેશી ઈલાજ તરીકે ડુંગળીની વરાળનો ઉપયોગ કરી શકાય છે. બે ગ્લાસ પાણીમાં ડુંગળીને કાપીને તેના ટુકડા કરીને ઉકાળવા દીધા બાદ તેની વરાળ નાક અને મોઢામાંથી લેવાથી નાક ખુલે છે અને ફેફસાં અને નાકથી શ્વાસ નળી અને ફેફસા સુધીનો કફ ઓગળીને બહાર નીકળે છે અને તેમાં રહેલા વાયરસનો નાશ થાય છે જેથી શરદી અને ઉધરસ તેમજ કફ મટે છે.

અનાનસ જ્યુસ: અનાનસ જ્યુસ ટીબી જેવી ગંભીર બીમારીઓના ઈલાજ તરીકે પણ ઉપયોગી છે. આ જ્યુસની ક્ષમતા વધારવા માટે તેમાં મધ, મીઠું અને કાળા મરી પણ નાખી શકાય છે. જેના લીધે કફ પણ નાશ પામે છે. કફ સીરપ કરતા આ અનાનસનું જ્યુસ 5 ગણું વધારે ક્ષમતા ધરાવે છે. અનાનસના જ્યુસમાં ભરપુર માત્રામાં એન્ટી ઓક્સીડેન્ટ મળી આવે છે, જે ફ્રી રેડિકલ્સના કારણે શરીરને થનારા નુકસાનથી બચાવે છે.

તુલસી: શરદી, ઉધરસ અને કફ થવા પર તુલસી અમૃત સમાન કાર્ય કરે છે. ઉધરસ અને કફ થવા પર તુલસીના 5 થી 7 પાંદડા વાટીને તેનો ઉકાળો બનાવી લો અને આ ઉકાળાનું સેવન કરો. નાક બંધ થવાના સમયે તેની મંજરીઓને રૂમાલમાં સુંઘવાથી નાક ખુલી જાય છે. નાના બાળકોને કફ થાય ત્યારે 6 થી 7 ટીપા આદુના અને તુલસીના રસમાં મધ ભેળવીને ચાટો. તે નાક ખોલવામાં અને વહેતા નાકને બંધ કરવામાં ખુબજ ઉપયોગી છે.

અજમા: 10 ગ્રામ હળદર અને અજમાને લઈને એક કપ પાણીમાં નાખીને પકાવી લો. આ ઉપાય ઘરેલું  ઉપચાર તરીકે ખુબ જ ઉપયોગી થાય છે. જયારે પાણી અડધું રહી જાય ત્યારે તેમાં થોડોક ગોળ ભેળવીને પીવો જોઈએ. તેનાથી ક્ફમાં જલ્દી આરામ મળશે. અને નાકથી વહેતું પાણી પણ બંધ થઇ જાય છે.

કાળા મરી: કાળા મરીના ચૂર્ણને મધ સાથે ચાટવાથી કફમાં આરામ મળે છે. અને નાકથી વહેતું પાણી બંધ થાય છે. અડધી ચમચી કાળા મરીને મધ સાથે ચાટવાથી કફમાં આરામ મળે છે તેમજ કાળા મરી ચૂર્ણ અને એક ચમચી મિશ્રી ભેળવીને એક ગ્લાસ ગરમ દુધમાં ભેળવીને દિવસમાં બે વખત પીવાથી આ રોગ જલ્દી મટે છે.

આદું: કફ યુક્ત ખાંસીમાં દુધમાં આદું ઉકાળીને પીવો. આદુના રસમાં મધ ભેળવીને ચાટવાથી કફમાં આરામ મળે છે. 1 થી 2 આદુના નાના ટુકડા અને 2 કાળા મરી, 4 લવિંગ અને 5 થી 7 તુલસીના તાજા પાંદડા વાટીને એક ગ્લાસ પાણીમાં ઉકાળો. જ્યારે તે ઉકળીને અડધા થઇ જાય ત્યારે  તેમાં એક ચમચી મધ ભેળવીને પીવો. આદુના નાના નાના ટુકડાને દેશી ઘીમાં શેકીને દિવસમાં ૩ થી 4 વખત વાટીને ખાઓ. તેનાથી નાકમાંથી પાણી નીકળતું બંધ થાય છે.

લસણ: લસણમાં એલીસીન નામનું રસાયણ હોય છે. જે એન્ટી બેક્ટેરીયલ, એન્ટી વાયરલ, એન્ટી ફંગલ હોય છે. તે શરદી ઉધરસના સંક્રમણને દુર કરે છે. તેના માટે 4 થી 5 લસણની કળી ઓને ઘીમાં તળીને ખાવાથી આરામ મળે છે.

આમળા: આમળા એક મજબુત ઈમ્યુંનોમોડ્યુલેટર હોય છે. તેમાં ઘણી બીમારીઓ દુર કરવાના અને તેમજ તેની સામે લડવાની ક્ષમતા ધરાવે છે. નિયમિત રૂપથી આમળા ખાવાથી શરીરને યોગ્ય બેનિફિટ મળે છે. તે લીવર અને અને લોહીના સંક્રમણથી પણ બચાવે છે. જેના લીધે શરદી અને ઉધરસ તેમાજ કફ દુર થાય છે.

ડુંગળી: એક ડુંગળી અને બે ચમચી મધ લઈને તેમાંથી ડુંગળીને ફોલીને તેને ટુકડામાં કાપી લો. જ્યારે ડુંગળીના ટુકડા પર તે ઢંકાઈ જાય તેટલું  નાખો. આ પછી એયર ટાઈટ ડબ્બામાં બંધ કરીને રાત્રિભર રાખી દો. આગળના સવારે આ ટુકડાને ખાઓ. દરરોજ આ ડુંગળીના ટુકડાને ખાવાથી કફ અને શરદી અને ઉધરસ વગેરેની સમસ્યા દુર રહે છે. તમે ડુંગળી અને મધ પણ ખાઈ શકાય છે.

અળસી: સામાન્ય શરદી અને ખાંસીને ઠીક કરવામાં અળસીમાં બીજ એક પ્રભાવી ઉપાય છે. એટલા માટે તમે થોડા અળસીના બીજમાં પાણીમાં ઉકાળો અને મિશ્રણને ઘટ્ટ થવા દો. જ્યારે સારી રીતે અળસીના બીજ પૂર્ણ રીતે ઉકળી જાય ત્યારે તેને ઠંડું કરીને તેમાં લીંબુનો રસ અને મધના થોડા ટીપા ભેળવો. આ મિશ્રણને સારી રીતે મેળવીને સેવન કરી શકો છો. શરદી અને ઉધરસથી રાહત મેળવવા માટે તે સારો ઉપાય છે.

દહી: એક કપ દહી લઈને તેને ભોજન પહેલા કે ભોજન બાદ દહી ખાઈ શકાય છે. દિવસમાં એકથી બે કપ દહી ખાવાથી શરદી અને ઉધરસથી  તેમજ કફથી રાહત મેળવી શકાય છે. દહીંમાં પ્રોબાયોટીક્સ નામના માઈક્રો ઓર્ગેનીજ્મ હોય છે. જે શરદી તેમજ ફ્લુના સંક્રમણની અસરને ઘટાડે છે. માટે આપણને ઘણા લોકો શરદી કે ઉધરસમાં ખાટી વસ્તુ ખાવાની મનાઈ કરતા હોય છે, પરંતુ તે ખાટા ગુણ જ આ બીમારીને મટાડે છે. પરતું આ ઈલાજ મેડીકલ દવા લેતી વખતે ન કરવો જોઈએ.

આમ, આ ઉપાયો કરવાથી શરદી, ઉધરસ અને કફની બીમારીને દુર કરી શકાય છે. આ તમામ ઉપચારો કુદરતી જડીબુટ્ટીઓ પર આધારિત હોવાથી શરીરમાં કોઈ આડ અસર વગર આ શરદી અને ઉધરસની બીમારીને ઠીક કરે છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારી આ સમસ્યાને ઠીક કરે.

આ આયુર્વેદિક ઉપચાર અને માહિતી સારી લાગી હોય તો નીચે આપેલા બ્લુ કલરના લાઈક બટન પર ક્લિક કરો જેથી તમને માહિતી ઝડપથી મળતી રહે. 

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

હિંગ
ઔષધી

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

August 26, 2022
કબજિયાત માટેનો દેશી ઈલાજ
ઘરેલું ઉપચાર

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

August 21, 2022
ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે
ઘરેલું ઉપચાર

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

August 19, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
અષ્ટાંગ આયુર્વેદ દ્વારા ચોમાસાની ઋતુમાં રોગો થી બચવા માટે સ્પેશ્યલ આયુર્વેદ ઉકાળો
ઘરેલું ઉપચાર

અષ્ટાંગ આયુર્વેદ દ્વારા ચોમાસાની ઋતુમાં રોગો થી બચવા માટે સ્પેશ્યલ આયુર્વેદ ઉકાળો

July 24, 2022
મમરા ખાવાના ફાયદા
ઘરેલું ઉપચાર

વજન ઓછું કરવાથી લઇ ને રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરવા માટે ઉપયોગી છે મમરા

June 27, 2022
Next Post
કુદરતી રીતે લીવરને સાફ કરવાનો ઈલાજ

અઠવાડિયામાં માત્ર એકવાર આ જ્યુસનું સેવન કરવાથી કુદરતી રીતે લીવરની ગંદકી સાફ કરે છે

પેશાબમાં થતી તીવ્ર બળતરા

વગર દવાએ પેશાબમાં થતી તીવ્ર બળતરા અને ઉનવા માટે 100% અસરકારક ઉપચાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

કઈ ઉંમરે કેટલું બીપી હોવું જોઈએ

કઈ ઉંમરે કેટલું બીપી હોવું જોઈએ આ દરેક વ્યક્તિએ અવશ્ય જાણવું જોઈએ

June 15, 2022
યુર્વેદિક ઉપચારથી ફંગસને અટકાવી મટાડી શકાય છે

આ ઘરેલુ આયુર્વેદિક ઉપચારથી ફંગસને અટકાવી મટાડી શકાય છે ગભરાવાની જરૂર નથી

February 25, 2022
મખાના ખાવાના ફાયદાઓ

દરરોજ સવારે ખાલી પેટ ખાવ માત્ર બે ત્રણ દાણા આ વસ્તુના, થશે અદભુત ફાયદા

June 15, 2022

Popular Stories

  • ધાધર નો ઘરેલુ ઉપચાર

    ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • વગર દવાએ પેશાબમાં થતી તીવ્ર બળતરા અને ઉનવા માટે 100% અસરકારક ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • હરસ, સંતાન પ્રાપ્તિ, માસિક સમસ્યા, અલ્સર જેવા અનેક રોગોનો અચૂક ઉપાય છે નિરંજન ફળ

    0 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In