Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

પેટમાં થયેલા કીડા, કૃમિ કરમિયા વગેરે નો 100% નાશ કરશે આ આયુર્વેદિક ઉપચાર

Deshi Osadiya by Deshi Osadiya
March 22, 2022
0
પેટમાં થયેલા કીડા, કૃમિ કરમિયા વગેરે નો 100% નાશ કરશે આ આયુર્વેદિક ઉપચાર

પેટમાં થયેલા કીડા, કૃમિ કરમિયા વગેરે નો 100% નાશ કરશે આ આયુર્વેદિક ઉપચાર

0
SHARES
Share on FacebookShare on Twitter

ઘણા બાળકોને કૃમિ કે કરમિયા તેમજ કીડાની સમસ્યા રહે છે. આ કૃમિ અને કીડા બાળકથી માંડીને મોટાને પણ હોય છે. કૃમિ કે કરમિયા એક એવો પરજીવી છે કે આપણા શરીરની અંદર રહીને પોષણ મેળવે છે. આમાંથી કેટલાક પરજીવી હાનીકારક હોય છે તો કેટલાક ખુબ જ ખતરનાક પણ હોય છે. જે પરજીવી શરીરને નુકશાન પહોંચાડે છે તે વર્ષો સુધી શરીરમાં રહીને શરીરમાં રહે છે અને ધીરે ધીરે આપણા શરીરને ખોખલું કરી નાખે છે.

RELATED POSTS

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

ખાસ તો વધારે પ્રમાણમાં આ કરમિયા નાના બાળકોના શરીરમાં હોય છે. કારણ કે આ કરમિયા બાળકો દૂધ વધારે પ્રમાણમાં પીતા હોય છે જેથી આ તકલીફ રહે છે. સાથે દુધમાં ખાંડ અને સાકર નાખેલું હોય છે. આ સાથે બાળકોને ગળ્યું ખાવાની પણ ટેવ વધારે હોય છે. જેથી બાળકોને કૃમિ વધારે રહે છે.

Join Group

બાળકોના શરીરમાં અનાજના અંકુર જેવા નાના નાના કૃમિ હોય છે. આવા કરમિયા થતા હોય તેને ગોળ ખાવાનું બંધ કરી દેવું. બને ત્યાં સુધી મીઠાઈ ઓછી આપવી. આ કૃમિ બાળકોમાં રહે છે તેના ઈલાજ માટે વાવડીંગ ખુબ જ ઉપયોગી છે. આ વાવડીંગ મેંદીના બી જ જેવા આવે છે. આ વાવડીંગનો એકદમ બારીક પાવડર કરી નાખવો. જેના નાના બાળકો માટે 3 ગ્રામ જેટલા વાવડીંગ લેવા અને મોટા બાળકો માટે વાવડીંગ 5 ગ્રામ જેટલા લેવા. આ વાવડીંગ બાળકોને સવારે નરણા કોઠે મધની સાથે ચટાડી દેવા. આ રીતે સાંજે પણ ચટાડી દેવા. આ ઈલાજથી કૃમિ મટી જાય છે સાથે બીજા પણ ફાયદાઓ થાય છે. આ ઈલાજથી બુદ્ધિમત્તા પણ સુધરે છે.

વાવડીંગ ઔષધીય ગુણ હોવાથી તેનું પ્રમાણ વધી જાય તો કોઈ આડઅસર કરતા નથી. જો મધ ન હોય તો ફાકડો મારીને પણ ખાઈ શકાય છે. જે બાળકોને વાવડીંગ ખવરાવવામાં આવે છે તો તેમનો પેશાબ રાતા રંગનો આવે છે.

કરમાણી અજમાના પ્રયોગથી પણ કૃમિને મટાડી શકાય છે અને તેનો નાશ કરવામાં ઉપયોગી છે. કરમાણી અજમો ખાસ તો ગોળ કૃમિને મટાડવા માટે ઉપયોગી છે. આ અજમો ઓસડીયા વાળાની દુકાનેથી મળી રહે છે. ગોળ કૃમિ મોટા ભાગે મોટી વ્યક્તિઓમાં જોવા મળતા હોય છે. આ ઈલાજ માટે 5 ગ્રામ કરમાણી અજમો બરાબર પાવડર કરી અને તેને પાણી સાથે કે મધ સાથે લેવો. આ પ્રયોગ મોટાભાગે સવારે કરવો અને સાંજે સુતી વખતે પણ આ લઈ શકાય છે. આ પ્રયોગ કરવાથી ગોળ કૃમિ ઝાડા સાથે નીકળી જાય છે.

પિત્તપાપડો પણ કૃમિ મટાડવા માટેનું ઔષધ છે. આ પિત્ત પાપડો ત્રણ ગ્રામ જેટલો લઈ અને તેને અધકચરો ખાંડી નાખવો. આ પિત્ત પાપડાને રાત્રે સુતી વખતે પાણીમાં પલાળી દેવો. સવારે ઉઠીને અ પાણીને ગાળીને નરણા કોઠે પી જવું. આ પાણી પીધા પહેલા કે પછી અડધી કલાક સુધી કંઈજ ખાવું પીવું નહિ. આ પ્રયોગ કરવાથી પણ કૃમિ નાબુદ થઈ જાય છે.

આ કૃમિની ઉત્પતી બંધ થાય તે માટે પણ આયુર્વેદમાં ઉપચારો આપવામાં આવ્યા છે. આ માટે પણ 5 ગ્રામ જેટલા વાવડીંગ લાવવા. આ વાવડીંગનું ચૂર્ણ કરી લેવું અને તેની સાથે ગોળ બરાબર મિક્સ કરી લેવો. આ મિશ્રણ બાળકોને ચટાડી દેવું. આ પ્રયોગથી કૃમિની ઉત્પતિ બંધ થાય છે.

કપિલો નામની ઔષધી હોય છે, જે દેશી ઓસડીયા વાળાની દુકાનેથી મળી શકે છે. જેને જીવંતી કે ડોડી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કપિલો 5 ગ્રામ લઈને તેનો બરાબર પાવડર કરી નાખવો. આ 5 ગ્રામ કપિલાનો પાવડર દહીંની અંદર બરાબર મેળવી અને તેને સવારે ખાવો. આ પાવડર લીધા બાદ કછુ ખાવું કે પીવું નહિ. આ કપિલાનો પ્રયોગ કરવાનો હો તેની આગળની સાંજે રાત્રે ભાવે તેટલા પુષ્કળ પ્રમાણમાં ગોળ ખાઈ લેવો. આ પછી સવારે આ પ્રયોગ કરવો અને પછી કછુ જ ખાવું નહિ. આ પ્રયોગ કરવાથી પણ કૃમિ મટે છે. સંડાશની સાથે આ કૃમિ નીકળી જાય છે.

ઘણી વખત મોટા લોકોને પણ ખુબ જ પ્રમાણમાં કૃમિ વધી ગયા હોય છે. જે લોકો રાત્રે દાંત કચકચાવતા હોય છે તેઓને શરીરમાં કૃમિ હોય છે. કૃમિ હોવાનું લક્ષણ છે કે તેઓ દાંત કચકચાવે છે. આ ઈલાજ તરીકે અનાનસનું સરબત ખુબ જ ઉપયોગી છે. આ અનાનસનો રસ પણ પી શકાય છે. સીઝન દરમિયાન જો અનાનસ ખાવામાં આવે તો બધા જ પ્રકારના કૃમીઓ મરી જાય છે.

વડનું વૃક્ષ પણ કૃમીઓ માટેનું ઔષધ છે. વડની વડવાઈના છેડે ફૂટેલા નવા અંકુર હોય છે જે લઈ લેવા. આ અંકુરને લઈ અને તેને વવાટી નાખવા. તેમાંથી થોડો રસ કાઢી લેવો. માત્ર રૂપિયા કે બે રૂપિયાના વજન જેટલો રસ કાઢવો. આ રસ સવારે નરણા કોઠે પી જવો. આ રસને દરરોજ જ તાજો બનાવી લેવો. આ રસને લેતા પહેલા કે પછી એક કલાક સુધી કાંઈ જ ખાવું કે પીવું નહિ. આ પ્રયોગ કરવાથી પણ કૃમિ મરી જાય છે.

ઈન્દ્રજવ અને હિંગથી પણ કૃમિને મટાડી શકાય છે. આમાંથી હિંગ અને ઇન્દ્રજવનો પાવડર કરી નાખવો. આ પાવડર માંથી 5 ગ્રામ ઇન્દ્રજવ પાવડર અને 1 ગ્રામ જેટલો હિંગનો પાવડર લેવો. હિંગનો ઉપયોગ કરતા પહેલા થોડા અમથા ઘીમાં તળી નાખવી. હિંગને શેકી નાખ્યા બાદ કે તળી લીધા બાદ આ ઇન્દ્રજવના પાવડર ભેગી મિશ્ર કરી દેવી. આ પાવડર સવારે નરણા કોઠે પાણી સાથે ફાકી જવો. આ પાવડરથી પણ કૃમિ મરી જાય છે.

કપૂર અને કેસર પણ કૃમિના ઇલાજમાં ઉપયોગી થાય છે. આ માટે કપૂર એક ગ્રામ અને તેમાં થોડું કેસર ભેળવી દેવું. આને સાંજે સૂતી વખતે બરાબર પાણી સાથે લેવું. આ પ્રયોગથી સવારે સંડાશ સાથે કૃમી નીકળી જાય છે.

આમ, આ રીતે ઉપરોક્ત ઉપચારો કરવાથી નાના બાળકોથી મોટા લોકો સુધીના કૃમિ, કરમિયા અને પેટના કીડા મટાડવા માટે ઉપયોગી થાય છે. આ ઈલાજથી શરીરના આંતરડામાં પણ ફાયદો થાય છે અને આંતરડામાં રહેલા કૃમિ અને મળદ્વાર અને મળાશયમાં રહેલા કૃમિનો નાશ કરી શકીએ છીએ. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

નોંધ: આયુર્વેદ અને આરોગ્યને લગતી સચોટ માહિતી મેળવવા માટે નીચે આપેલું બ્લુ કલરનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી લેજો. જેથી દરરોજ તમને આરોગ્યને લગતી માહિતી મળતી રહે.

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

હિંગ
ઔષધી

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

August 26, 2022
કબજિયાત માટેનો દેશી ઈલાજ
ઘરેલું ઉપચાર

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

August 21, 2022
ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય
આરોગ્ય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

August 20, 2022
ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે
ઘરેલું ઉપચાર

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

August 19, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત
આરોગ્ય

લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત

July 27, 2022
Next Post
આધાશીશી કે માઈગ્રેન નો કાયમી ઈલાજ

માત્ર બે ટીપા નાકમાં નાખો આધાશીશી કે માઈગ્રેન નો કાયમી ઈલાજ થઇ જશે

વર્ષો જુના સાંધાના દુઃખાવા ૧૦૦% મટાડી દેશે આ એક આયુર્વેદિક ઉપચાર

વર્ષો જુના સાંધાના દુઃખાવા ૧૦૦% મટાડી દેશે આ એક આયુર્વેદિક ઉપચાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ ઉપાય દ્વારા સરળતાથી શિયાળામાં વજન ઘટાડો કરી શકાશે

આ ઉપાય દ્વારા સરળતાથી શિયાળામાં વજન ઘટાડો કરી શકાશે

June 15, 2022
માત્ર ચાર દાણા દૂધ માં ઉકાળીને પીવો આખી જિંદગી નહીં થાય કોઈ રોગ

માત્ર ચાર દાણા દૂધ માં ઉકાળીને પીવો આખી જિંદગી નહીં થાય કોઈ રોગ

February 25, 2022
કોરોના કાળમાં આ આયુર્વેદિક ઉકાળાઓનું સેવન કરી ઈમ્યૂનિટી કરો બુસ્ટ

કોરોના કાળમાં આ આયુર્વેદિક ઉકાળાઓનું સેવન કરી ઈમ્યૂનિટી બુસ્ટર બનાવો ઘર બેઠા

February 25, 2022

Popular Stories

  • ધાધર નો ઘરેલુ ઉપચાર

    ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો બીજોરું ના ફાયદા અને બીજોરા નો ઉપયોગ કરવાની સાચી રીત

    0 shares
    Share 0 Tweet 0
  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

    0 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In