Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home આયુર્વેદ

ગમે તેવા પેટના દુખાવા માટે આ રહ્યા 10 સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

Deshi Osadiya by Deshi Osadiya
February 25, 2022
0
પેટના દુખાવા માટે આ રહ્યા 10 સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

પેટના દુખાવા માટે આ રહ્યા 10 સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

0
SHARES
Share on FacebookShare on Twitter

અમુક સમયે લોકોના ખાવામાં કોઈ વાસી ખોરાક ખાઈ જવાથી કે કોઈ રોગના જીવાણું શરીરમાં દાખલ થવાથી પેટમા દુખાવો ઉત્પનન થાય છે. શરીરના દુખાવો થતા ખુબ જ દર્દ ઉત્પન્ન થાય છે, આ દર્દને દુર કરવા માટે દેશી આયુર્વેદિક ઉપચાર કરવાથી રાહત મળે છે અને દર્દ દુર થાય છે.

RELATED POSTS

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

કાળું મીઠું: કાળું મીઠું, સુંઠ, હિંગ, યવક્ષાર, અજમા આ તમામ વસ્તુઓને ભેગી કરીને દરેકને મેળવીને ચૂર્ણ બનાવો. આ પછી 2-2 ગ્રામની માત્રામાં સવાર સાંજ જમ્યા પછી નવશેકા પાણીમાં સાથે સેવન કરવાથી પેટનું દર્દ દુર થાય છે.

Join Group

કાળું મીઠું

સુંઠ: જમ્યા પછી કેટલાક 2 થી ૩ કલાકે પેટમાં સતત દુખાવો રહે છે તે માટે સૂંઠ, તલ અને ગોળ સરખા ભાગે લઈ દુધમાં નાખી સવાર સાંજ લેવાથી પેટના દુખાવો મટે છે. આદુનો રસ એક સમચી અને લીંબુનો રસ બે ચમસી મેળવી તેમાં થોડી સાકર નાખીને પીવાથી કોઇપણ જાતનો પેટનો દુખાવો દુર થાય છે.

આદુ: આદુ અને ફુદીનાના રસમાં સિંધવ મીઠું નાખીને પીવાથી પેટનો દુખાવો મટે છે. લીંબુના રસમાં થોડો પાપડખાર મેળવી પીવાથી પેટનો દુખાવો મટે છે. તુલસીનો રસ અને આદુનો રસ સરખે ભાગે લઈ, સહેજ ગરમ કરી પીવાથી પેટનો દુખાવો મટે છે.

આદું

અજમો: અજમો ફાકી ઉપર ગરમ પાણી પીવાથી પેટનો દુખાવો, અજીર્ણ અને વાયુ મટે છે. આદુ અને લીંબુના રસમાં અડધી સમચી મરીનું ચૂર્ણ નાખી પીવાથી પેટનો દુખાવો મટે છે. અજમો અને મીઠું વાટીને તેની ફાકી લેવાથી પેટનો દુખાવો મટે છે. ગોળ અને ચૂનો ભેગો કરી ગરમ પાણીમાં સાથે લેવાથી પેટનો દુખાવો દુર થાય છે.

અજમા

જાયફળ અને લીંબુ: જાયફળ અને લીંબુનો રસ ભેગો કરી પીવાથી પેટનો દુખાવો દુર થાય છે. જાયફળને વાટીને તેમાં એક લીબુંનો રસ કાઢી મિક્ષ કરીને જ્યુસ બનાવો અને આ જ્યુસ પી જવાથી પેટનું દર્દ થોડા સમયમાં નાશ પામે છે.

ફુદીના: ફુદીનાના રસમાં મધ ભેળવી લેવાથી પેટની દુખાવામાં રાહત થાય છે. લાંબા સમયથી થતો દુખાવો પણ દુર થાય છે. સાકરના દુધમાં એકથી બે ચમસી દીવેલ નાખી દિવસમાં બે વાર પીવાથી પેટના અનેક જાતના દર્દો મટે છે.

ફુદીના

ડીકામારી: ડીકામારી જેવી દવાનું ચૂર્ણ 1 થી 2 ગ્રામ નવશેકા પાણી સાથે લેવું.અથવા એક લીંબુના ચાર ચીરા થાય તેમ કાપી તેમાં ડીકામારીની ભૂકી ભભરાવી લીંબુ આગમાં શેકી લઇ, ઠર્યા બાદ લેવાથી પેટનું દર્દ દુર થાય છે. જીરું, સંચળ, સુંઠ, હરડે 15-15 ગ્રામ તથા હિંગ 5 ગ્રામ લઈ, ચૂર્ણ બનાવી, તેમાં લીંબુનો રસ નાખી ચણા જેવડી ગોળીઓ બનાવી, બેથી 4 ગોળી રોજ ગરમ પાણી સાથે આપવાથી દરેક જાતનો પેટનો દુખાવો મટે છે.

રસ પીપર: આ દવા બાળકોની બીમારી માટે ખુબ જ ફાયદાકારક છે. આ દવાના ચૂર્ણ અથવા 1 થી 2 ગોળીને મધ સાથે અથવા જાયફળ સાથે પીસીને અથવા ઘુંટીને ખાલી પેટે અથવા તો ભર્યા પેટે 3-3 કલાકના અંતરમાં બે અથવા ત્રણ વખત દેવાથી બાળકોના પેટ દર્દ, ઉલ્ટી, ગેસ, તાવમાં ચમત્કારિક લાભ થાય ચ. આ દવાના સેવનથી બાળકોને કોઈ આડઅસર થતી નથી. આ દવા નાના બાળકો માટે રામબાણ ઈલાજનું કાર્ય કરે છે.

હરડે: હરડેમાં પલાળેલી હરડે 2 નંગ, કાળું મીઠું 1 ગ્રામ, પીપળી 1 નંગ ,અજમા 1 ગ્રામ. આ દરેક ચીજોને પીસીને ગરમ પાણીમાં દરરોજ સવાર સાંજ લેવાથી લેવાથી પેટનો દુખાવો અને પેટની કાયમી બીમારી દુર થાય છે. આ પાવડરથી ગેસ સંબંધી સમસ્યા પણ દુર થાય છે. અને પેટ સાફ થઇ જાય છે.

હરડે

દશમૂળારિષ્ટ: દશમૂળારિષ્ટની 4 ચમસી દવા 4 ચમસી પાણીમાં સાથે મેળવીને સવાર સાંજ ભોજન બાદ ખાવાથી પેટના દુખાવામાં ફાયદો થાય છે. આ દવા દરેક આયુર્વેદિક સ્ટોર પર મળી રહે છે. આ દવા પેટના રોગો તેમજ કબજીયાતને લગતી સમસ્યામાં પણ રાહત આપે છે.

અજમા: અજમાના ચૂર્ણ માટે અજમાના 1 અથવા 2 ગ્રામ , સુંઠ 1 ગ્રામ અને આ બંનેને એક સાથે પસીને નવશેકા પાણીમાં ખાલી પેટ તેમજ જમ્યા બાદ પણ લઇ શકાય છે. અજમા પેટના દર્દમાં રાહત આપે છે  અને ભૂખ વધારે છે. આ પાવડર દિવસમાં બે વખત સવાર સાંજ લેવામાં લેવાથી ફાયદો થાય છે.

વરીયાળી: વરિયાળીમાં પોષક તત્વ અને દર્દને દુર કરનારા તત્વો હોય છે. અપચો અને તેના કારણે થનારા દુખાવામાં વરીયાળી સહાયક થાય છે. આ સિવાય વરીયાળીથી ગેસ અને સોજા બાબતની સમસ્યા પણ દુર થાય છે. એક કપ પાણીમાં એક ચમસી વરીયાળી નાખીને તેને 10 મીનીટ સુધી ઉકાળો. આ પછી ઠંડી થયા બાદ તેને ગાળીને તેમાં મધ ભેળવીને પીવાથી પેટ દુખાવા સંબંધી સમસ્યા દુર થાય છે.

વરીયાળી

દહીં: દહીં પેટના સમગ્ર સ્વાસ્થ્ય માટે શ્રેષ્ટ છે. દહીંમાં સારી ગુણવત્તા વાળા બેક્ટેરિયા હોય છે જેનાથી પાચન સંબંધી સમસ્યામાં સુધારો થાય છે,. એક કપ કપ પાણીમાં દહીં અને તેમાં મીઠું નાખ્યા બાદ તેમાં ત્રણ ચમચી કોથમીર નાખો. સાથે તેમાં એલચીનો પાવડર અડધી ચમસી નાખવો. જમતા પહેલા 1 કલાકમાં આ મિશ્રણને પીવાથી પેટનો દુખાવો અને બીમારી દુર થાય છે.

દહીં

કેળા: પેટના લુઝ મોશન સંબધી દર્દ થતું હોય તો કેળા ફાયદાકારક છે. કેળામાં પોટેશિયમની માત્રા ખુબ જ પુષ્કળ પ્રમાણમાં હોય છે અને આ સિવાય તેમાં પેક્ટીન નામનું પણ એક તત્વ હોય છે છે પેટના બાંધા માટે કામ કરે છે. આથી ૩ થી 4 કેળા દિવસમાં ખાવાથી પેટની સમસ્યા દુર કરે છે.

કેળા

હિંગ: અડધી ચમસી હિંગને પાણી સાથે મેળવીને તેનો પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને બાળકોની નાભી ઉપર કિનારે કિનારે લગાવી દેવાથી બાળકોના પેટનો દુખાવો દુર થાય છે.

તુલસી: તુલસીના પાન અનેક રોગોમાં ફાયદો આપે છે, જેમાં પેટ ના દર્દનો પણ સમાવેશ થાય છે.  સાત થી આઠ તુલસીના પાન એક કપ પાણીમાં ગરમ પાણીમાં નાખીને પીવાથી ફાયદો કરે છે. તુલસીમાં એન્ટી અલ્સર અને અલ્સરને ભરનારા ગુણ હોય છે. આ કારણે અલ્સર પર સકારાત્મક પ્રભાવ રાખીને પેટના દર્દમાં તુલસી મદદ કરે છે.

તુલસી

🙏 વિનંતી: મિત્રો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો બીજા માટે શેર કરવા વિનંતી છે.

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

હિંગ
ઔષધી

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

August 26, 2022
કબજિયાત માટેનો દેશી ઈલાજ
ઘરેલું ઉપચાર

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

August 21, 2022
ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય
આરોગ્ય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

August 20, 2022
ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે
ઘરેલું ઉપચાર

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

August 19, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત
આરોગ્ય

લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત

July 27, 2022
Next Post
બીજોરા ના ફાયદા

તાવ, ધાધર, પથરી, શરદી, કફ, મસા, એસીડીટી ઉપરાંત 50 થી વધુ રોગોના ઈલાજ માટે આ એક ઔષધી છે ઉપયોગી

બ્લડપ્રેશરની સમસ્યા ને જડમુળથી ખતમ કરવાનો અત્યાર સુધીનો બેસ્ટ આયુર્વેદિક ઉપચાર

બ્લડપ્રેશરની સમસ્યા ને જડમુળથી ખતમ કરવાનો અત્યાર સુધીનો બેસ્ટ આયુર્વેદિક ઉપચાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

Teeth Pain Solution

શું તમે પણ દાંતના દુઃખાવા થી પરેશાન છો તો આ રહ્યો ઉત્તમ રસ્તો

June 15, 2022
આ એક કામ કરો માત્ર 5 જ મિનીટમાં પેટમાંથી બધો જ મળ અને કચરો નીકળી જશે

આ એક કામ કરો માત્ર 5 જ મિનીટમાં પેટમાંથી બધો જ મળ અને કચરો નીકળી જશે

March 22, 2022
બાજરો ખાવાના ફાયદા

બાજરો ખાવાથી શરીરમાં જે થાય છે જે અત્યાર ના 90% લોકોને ખબર જ નથી

March 22, 2022

Popular Stories

  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
  • ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

    0 shares
    Share 0 Tweet 0
  • વગર દવાએ પેશાબમાં થતી તીવ્ર બળતરા અને ઉનવા માટે 100% અસરકારક ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In