Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home આયુર્વેદ

પથરી, પેટ, કોલેસ્ટ્રોલ તેમજ 15થી વધુ રોગનો કાયમી ઈલાજ રહેલો છે આ ઔષધિમાં, જરૂર જાણો આ ઈલાજ

Deshi Osadiya by Deshi Osadiya
February 25, 2022
0
પથરીના દુઃખાવા માટે ઘરેલું ઉપચાર

પથરીના દુઃખાવા માટે ઘરેલું ઉપચાર

0
SHARES
Share on FacebookShare on Twitter

ઘણીવખત લોકો કીડનીના દર્દને પીઠનું દર્દ સમજી બેસે છે કારણ કે કીડનીની સમસ્યાના લીધે થતી પીડા શરીરના પીઠની જગ્યાએ પાછળના ભાગમાં થાય છે. પરંતુ આ બંને દર્દ વચ્ચે ઘણો તફાવત છે. કીડનીનો દુખાવો અસહ્ય અને ગંભીર હોય છે. શરીરમાં બે કીડની હોય છે અને તેનું કાર્ય શરીરના ગંદા તરલ પદાર્થોને શરીરમાંથી ગાળણ કરીને બહાર કાઢવાનું છે. સાથે હાર્મોનનું ઉત્પાદન પણ કરે છે જે બ્લડ પ્રેસર, રેડ બ્લડ સેલનું નિર્માણ, એસિડ રેગ્યુલેશનનું નિયંત્રણ કરવાનું છે.

RELATED POSTS

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

આ સિવાય કીડની કેલ્સિયમ, સોડીયમ, પોટેશિયમ અને અન્ય ઇલેક્ટ્રોલાઈટના ચયાપચયને પ્રભાવિત કરે છે.  જ્યારે કીડનીનુ દર્દ થાય ત્યારે અસહ્ય દુખાવો થાય છે જેથી કિડનીના દર્દ માટે ઉપાયો કરવા જરૂરી છે. જે ઉપાયો કરવાથી દુખાવામાં રાહત આપે છે.

Join Group

તુલસી: કિડનીમાં પથરી દરમિયાન પણ દુખાવો થાય છે આ સમયે તુલસી પણ રાહત આપી શકે છે. તુલસીનો ઉપયોગ એક મોટી સમચી તુલસીનો જ્યુસ અને મધ એક ગ્લાસ પાણીમાં ભેળવીને પી શકાય છે.

તુલસી

પાણી: કીડનીમાં પથરીની સમસ્યાથી થનારા દર્દ  સામે રાહત આપે છે.  પાણી કિડનીમાં પ્રભાવી ઉપચાર છે. આ પાણી કિડનીમાં પથરીને પાણીમાં ગળવામાં મદદ કરે છે.અને જેથી તે પાણી સાથે બહાર નીકળી જાય છે,. જેથી દિવસમાં 10 થી 12 ગ્લાસ પાણી પીવું જોઈએ.

ગ્રીન ટી: એક ચમસી ગ્રીન ટી ને એક કપ પાણીમાં ઉકાળીને ગાળી લો અને ત્યારબાદ તેનું સેવન કરો. દિવસમાં 2 કપ ગ્રીન ટીનું સેવન કરવું જોઈએ, ગ્રીન ટી માં ડયુરેટીક પ્રોપર્ટીઝ હોય છે જે પથરીના ગાલણ માં મદદ કરે છે અને જેનાથી કિડનીના દર્દમાં રાહત આપે છે.

લીંબુ પાણી: એક ગ્લાસ પાણીમાં અડધુ લીંબુ નીચવીને તેમાં થોડું મધ મેળવો. આ સેવન દિવસમાં બે વખત કરવું જોઈએ. સવારમાં ખાલી પેટે સેવન કરવાથી ફાયદા થાય છે. લીંબુમાં સીટ્ર્સ અને એન્ટી ઓક્સીડેંટ હોય છે જે કિડનીમાં હાજર પથરીને દુર કરે છે. લીંબુ પાણી શરીરને ડીટોકસીફાઈ કરે છે.

દાડમ

ગરમ શેક : જો કોઈ વ્યક્તિને કમરની નીચે ખુબ જ પીડા થાય તો તેના પ્રભાવિત વિસ્તારમાં ગરમ શેક આપી શકો છો. આ સમય દરમિયાન શરીરના અંગના દબાણમાં ધ્યાન રાખવું જરૂરી છે. જેથી લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થઇ શકે છે. આ સિવાય હોટ બાથ પણ કિડનીના દર્દ સામે રક્ષણ આપે છે.

દાડમ: દાડમનું જ્યુસ અને તેના બીજ બંનેમાં એસટ્રીજેન્ટના ગુણ હોય છે જે કિડનીના સ્ટોનના ઈલાજમાં મદદ કરે છે. કિડનીમાં પથરી હોય તો પ્રતિદિન એક દાડમ અથવા તેનો જ્યુસ ફાયદો કરે છે. દાડમને ફ્રુટ સલાડ સાથે મિક્સ કરીને પણ ખાઈ શકાય.

દાડમ

દ્રાક્ષ: કીડનીમાં રહેલી પથરીને દુર કરવા માટે દ્રાક્ષ ખુબ જ ફાયદાકારક છે. કિડનીમાં પથરીના કારણે થતા દુખાવામાં  દ્રાક્ષમાં રહેલા પોટેશિયમ, મીઠું અને પાણીનું પ્રમાણ પુષ્કળ માત્રામાં હોય છે. તેમજ અલ્બુમીન અને સોડીયમ ક્લોરાઈડ ખુબ ઓછી માત્રામાં હોય છે. આ કારણે પથરીના ઇલાજમાં દ્રાક્ષ ખુબ જ ફાયદો કરે છે.

તરબૂચ: મેગ્નેશિયમ, ફોસ્ફેટ, કાર્બોનેટ અને કેલ્શિયમથી બનેલી પથરીના ઈલાજ માટે તરબૂચ ફાયદાકારક છે. તરબુચમાં આવશ્યક માત્રામાં પોટેશિયમ હોય છે. જે કિડનીના સ્વસ્થ થવા માટેનું મુખ્ય તત્વ છે. પોટેશિયમ યુરીનમાં એસિડ લેવલને મેન્ટેન રાખવામાં મદદ કરે છે. પોટેશિયમ સાથે પાણીમાં ભરપુર માત્રામાં હોય છે જે પથરીને શરીરની બહાર કાઢે છે.

તરબૂચ

રાજમા: રાજમામાં ભરપુર ફાયબર હોય છે. જેને કીડની બીન્સ કહેવામાં આવે છે. કીડની બીન્સ કીડની અને બ્લેડર સાથે જોડાયેલી દરેક દરેક સમસ્યામાં રાહત આપે છે. રાજમાને પાણીમાં પલાળીને પીવામાં આવે છે.

બીલીપત્ર: 2 થી 3 બીલી પત્ર પાણી સાથે પીસીને તેમાં એક ગ્લાસ કાળા મરી મેળવીને ખાઓ. બે અઠવાડિયા સુધી આ મિશ્રણ સુધી સેવન કરવાથી કિડનીનું દર્દ દુર થાય છે.

ડુંગળી: 2 ડુંગળીને એક ગ્લાસ પાણીમાં નાખીને ધીમા તાપે ગરમ કરો.  ગરમ કર્યા બાદ તેને ઠંડી પડવા દો. જ્યારે ડુંગળી ઠંડી પડ્યા બાદ તેનો છુંદો કરો અને તેને ગાળીને 1 થી 2 દિવસ પીવો. આમ સેવન કરવાથી કિડનીમાં દુખાવામાં રાહત મળશે.

ડુંગળી

ખજુર: ખજૂરને આખીરાત પાણીમાં પલળવા મૂકી દો. સવારે ઉઠીને આ ખજૂરનું સેવન કરો. ખજુરમાં પુષ્કળ માત્રામાં ફાઈબર  હોય છે. જે કિડનીના દુખાવામાં રાહત આપે છે.

મકાઈ: મકાઈમાં કિડનીમાં રહેલી પથરીને બહાર કાઢવાના ગુણધર્મો હોય છે. મકાઈના સેવનથી યુરીન વધારે પ્રમાણમાં આવે છે. અને સાથોસાથ પથરીના નાના નાના કણો બનાવીને બહાર કાઢે છે.

આમળા: મૂળીની સાથે આમળાના ચૂર્ણનું સેવન કરવાથી પથરી દુર થાય છે. જેમાં અલબુમીન અને સોડીયમ ક્લોરાઈડ ખુબ ઓછી માત્રામાં હોય છે. જેના લીધે પથરીના ઈલાજ માટે અને કિડનીના દર્દમાં રાહત મળે છે.

આમળા

જીરું: જીરું અને ખાંડ સમાન માત્રામાં લઈને પીસી લો. અને એના ચૂર્ણને એક એક ચમસી ઠંડા પાણીની સાથે રોજ ૩ ટાઈમ સેવન કરવું. જેનાથી પથરીમાં રાહત મળે છે.

ગાયનું દૂધ: ગાયના દુધની છાશમાં સિંધવ- મીઠું નાખીને ઉભા ઉભા રોજ 21 દિવસ સુધી પીવાથી પથરી પેશાબ વાટે બહાર નીકળી જાય છે અને આરામ થાય છે.

ગોખરું: ગોખરુનું ચૂર્ણ મધમાં ચાટવાથી પથરી ઓગળી જાય છે અને કિડનીના દુખાવામાં રાહત મળે છે. કળથી: કળથીનો સૂપ બનાવીને તેમાં ચપટી સૂરોખાર મેળવીને પીવાથી પથરી ઓગળી જાય છે.અને પથરીને લીધે થતી ભયંકર પીડા મટી જાય છે. કળથી 50 ગ્રામ પલાળી રાખી સવારે મસળી અને આમ રોજ પીવાથી પથરી દૂર થાય છે.

ગોખરું

નારીયેળ પાણી: નારિયેળના પાણીમાં લીંબુનો રસ મેળવીને રોજ સવારે પીવાથી પથરી દુર થાય છે.

મૂળો: મૂળાના બીજ 40થી 50 ગ્રામ 500 ml પાણીમાં ઉકાળવા. અર્ધું પાણી બાકી રહે ત્યારે તે ઉતારી તે પાણી પીવાથી પથરી ઓગળી જાય છે. મમૂળાના પાનનો રસ કાઢી, તેમાં સૂરોખાર રોજ પીવાથી પથરી મટે છે.

દુધેલી: દુધેલીના પાન પાંચ તોલા થતા મહેંદીના પણ પાંચ તોલા લઈને બંનેને અલગ અલગ વાટી રસ કાઢો, અને બંને રસ એક કાંસાના વાસણમાં નાખી દોઢ તોલા ગોળ ઉમેરો. રસ ઠંડો થયા પછી બે ભાગ કરીને એક સવારે અને બીજો સાંજે આમ ત્રણ દિવસ સુધી પીવો. ત્રીજા દિવસે પથરી શરીરમાંથી બહાર નીકળી જશે.

મહેંદી: મહેંદીના પાનનો ઉકાળો પીવાથી પથરી મટી જાય છે.

ઘઉં: ઘઉંના કાચા છોડને પાણીમાં ઉકાળીને ગરમ કરો. તેમાં લીંબુનો રસ નાખીને તેનું સેવન કરો. જેનાથી પથરી મૂત્ર માર્ગ વાટે બહાર નીકળી જાય છે.

ઘઉં

કારેલા: કારેલાનો રસ છાશ સાથે પીવાથી કિડનીમાં રહેલી પથરી દુર થાય છે, અને કિડનીના દર્દ પીડામાં રાહત મળે છે.

🙏 વિનંતી: મિત્રો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો બીજા માટે શેર કરવા વિનંતી છે.

 

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

હિંગ
ઔષધી

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

August 26, 2022
કબજિયાત માટેનો દેશી ઈલાજ
ઘરેલું ઉપચાર

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

August 21, 2022
ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય
આરોગ્ય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

August 20, 2022
ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે
ઘરેલું ઉપચાર

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

August 19, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત
આરોગ્ય

લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત

July 27, 2022
Next Post
પેટના દુખાવા માટે આ રહ્યા 10 સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

ગમે તેવા પેટના દુખાવા માટે આ રહ્યા 10 સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

બીજોરા ના ફાયદા

તાવ, ધાધર, પથરી, શરદી, કફ, મસા, એસીડીટી ઉપરાંત 50 થી વધુ રોગોના ઈલાજ માટે આ એક ઔષધી છે ઉપયોગી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

Avocado ના ફાયદા

આ છે દુનિયાનું સૌથી શક્તિશાળી ફળ જેમાં રહેલો છે અનેક બીમારીનો રામબાણ ઈલાજ

February 25, 2022
મસ્સા અને તલ

શરીર પરના અણગમતા મસ્સા અને તલને દુર કરશે આ એક ઔષધી તેલનું ટીપું

February 25, 2022
ઉનાળામાં દૂધ સાથે ગુલકંદ ખાવાથી થાય છે આ ફાયદા

ઉનાળામાં દૂધ સાથે આ એક વસ્તુ મિક્સ કરીને ખાવાથી થાય છે આટલા ફાયદા

June 15, 2022

Popular Stories

  • ધાધર નો ઘરેલુ ઉપચાર

    ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • કમળા માટે 10 ઘરેલું રામબાણ ઉપચાર, ગમે તેવો કમળો થઇ જશે સારો

    0 shares
    Share 0 Tweet 0
  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
  • વગર દવાએ પેશાબમાં થતી તીવ્ર બળતરા અને ઉનવા માટે 100% અસરકારક ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In