Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home આયુર્વેદ

શું તમે પણ નસકોરાની સમસ્યાથી પરેશાન છો?, તો આ રીતે પાંચ જ મિનિટમાં બંધ કરો નસકોરા

Deshi Osadiya by Deshi Osadiya
February 25, 2022
0
નસકોરા બંધ કરવાનો રામબાણ ઈલાજ

નસકોરા બંધ કરવાનો રામબાણ ઈલાજ

0
SHARES
Share on FacebookShare on Twitter

નાકમાંથી સુતા પછી અવાજ આવવાની સમસ્યા મોટાભાગના લોકોને થતી સામાન્ય સમસ્યા છે, પરંતુ આ અવાજના પરિણામે બાજુમાં સુતેલી વ્યક્તિઓની ઊંઘમાં પરેશાની આવે છે, જેને ઊંઘ બરાબર આવતી નથી અને તે હેરાન થાય છે. આ નાકમાંથી અવાજની સમસ્યાને લોકો ઘરાટા, નસકોરા ગાંજવા અને નસકોરા ગાંજવા વગેરે અલગ અલગ ઓળખે છે. આ સમસ્યા ઊંઘને ખરાબ કરે છે. જ્યારે આ નસકોરાનો અવાજ આવે છે ત્યારે ગળાના ઝડબા ગાંજવા લાગે છે જેથી ગળામાંથી અવાજ નીકળવાનું શરુ થાય છે. આને ઊંઘની સમસ્યા માનવામાં આવે છે.

RELATED POSTS

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

આ અવાજનું કારણ શરીરની પરેશાની હોય છે. ઊંઘ આવવાની સાથે મોઢામાંથી, નાકમાંથી અવાજ આવવાની શરુ થઇ જાય છે. આ નસકોરાથી પરેશાન વ્યક્તિને શ્વાસ અંદર લેતી અને બહાર કાઢતી વખતે અવાજ આવે છે. આ વ્યક્તિ ઊંઘમાંથી જાગી જાય તો તેને ગળામાં બળવાની સમસ્યા રહે છે. મોટા ભાગના લોકો એમ મને છે કે આ નસકોરાનો કોઈ ઈલાજ નથી, પરંતુ તેને રોકવા માટેના ઘણા ઉપાયો છે પરંતુ એ ઉપાયો કરતા પહેલા જાણવું જરૂરી છે કે આ અવાજ ક્યાંથી આવે છે.

Join Group

નસકોરાની સમસ્યા ઊંઘ દરમિયાન સ્વસન તંત્ર બરાબર નાકમાંથી શ્વાસ ના લઇ શકે ત્યારે થાય છે. શ્વાસનું વાહન ગળામાં કંપન ઉત્પન્ન કરે છે. જ્યારે પણ શ્વાસ લેતા અટકાય છે ત્યારે નાક અને ગળામાં પણ કંપન આવે છે. જયારે ક્યારેક જીભ પણ શ્વાસમાં તકલીફ ઉત્પન્ન કરે છે. જેના કારણે નસકોરાની સમસ્યા થાય છે. ઊંઘમાં નસકોરા બોલવા કે ગાંજવાએ વિશ્વના અનેક લોકોની સમસ્યા છે. નસકોરા બોલાવનાર વ્યક્તિ પોતે શાંતિથી ઊંઘે છે.

નસકોરાની સમસ્યાના કારણો: જેમને કાયમી શરદી રહેતી હોય, શરીર જાડું હોય, કફ્વાળા ઠંડાપીણાનું સેવન કરતા હોય, બેઠાડું જીવન જીવતા હોય, કસરત કે પરિશ્રમ ન કરતા હોય, વધુ ઊંઘતા લોકો ને નાકમાં સોજો કે મસો થયો હોય તેને કે ગળાના તાળવાનો કાકડો મોટો થઈ ગયો હોય ત્યારે નસકોરા બોલે છે. આ એક કફ કે શરદીનો રોગ છે. ખુલીને શ્વાસ નહી લઈ શકવાથી, એલર્જીના કારણે, સાયનસની તકલીફથી, આલ્કોહોલ અને ધુમ્રપાન કરવાથી, ખાંસી અને શરદી જેવી સમસ્યાના કારણે. માંસપેશીઓમાં કમજોરી આવવાથી, લોહીના વધારે દબાણથી, આનુવંશીક કારણે, સુવાની ખોટી રીતથી વગેરે કારણે આ સમસ્યા ઉત્પન્ન થાય છે.

નસકોરા બોલવાના લક્ષણો: વધુ અવાજ સાથે શ્વાસ લેવો અને છોડવો. થોડા થોડા સેકન્ડોમાં શ્વાસ રોકાઈ જવો, ધીરે ધીરે શ્વાસ રોકવાની ઝડપ અને સમય વધવો. સુતા સુતા શ્વાસ લેવો અને એક સામડું હડપ દઈને જાગી જવું, દિવસ ભર સુસ્તી અને આળસ રહેવી, ઊંઘ પૂરી થવા છતાં ઊંઘ આવે. થાક મહેસુસ કરવો.

તો ચાલો જાણીએ નાકના નસકોરા રોકવાના આયુર્વેદિક ઉપચાર, મિત્રો આમાંથી તમે કોઈપણ એક ઉપચાર અજમાવી જુવો. બધા ઉપચાર એક સાથે કરવા નહિ.

સુરજમુખી: સુરજમુખીના તેલને થોડું ગરમ કરું નાકમાં તેના 4-4 ટીપા મુકીને સુવાથી નાકમાંથી અવાજ આવવાનો બંધ થાય છે. સુરજ મુખીનું તેલ નાકમાં જમા કચરાને રાખે છે અને ગળામાં સોજાને શાંત કરે છે. સાથે શ્વાસનળીમાં જમા કફ અને કળામાં અડચણ ઉભી કરતા ચીકણા દ્રવ્યને સાફ કરે છે.

નીલગીરીનું તેલ: નીલગીરીના તેલમાં એન્ટીબેક્ટેરીયલ ગુણ મળી આવે છે. જે નાકના દબાણ અને સોજાને ઘટાડે છે. જેનાથી નસકોરાની સમસ્યામાં રાહત મળે છે. આ તેલની સુગંધ પણ મસ્ત આવે છે. આ શરીરના બેક્ટેરિયા અને જીવાણુઓને નાશ કરવાની ક્ષમતા ધરાવે છે. આ તેલના કારણે શરીરમાં આડઅસર થતી નથી. આ તેલની નાકના ટેરવા પર મસાજ કરવાથી રાહત મળે છે.

નીલગીરીનું તેલ

દીવેલ: દરરોજ સુતા પહેલા નાકના બંને નસકોરામાં ગરમ દિવેલના ૩ થી 4 ટીપા નાખીને સુવાથી નાકમાંથી અવાજ આવવાની સમસ્યા દુર થાય છે. ખોરાકમાં રોજ આદું, હળદરની મીઠું ભભરાવેલી કચુંબર ખાવાથી અને ભોજન સાથે 8 થી 9 કેરડાના અથાણા ખાવાથી આ સમસ્યામાંથી છુટકારો મળે છે. દીવેલ એરંડાનું તેલ પણ નાકની નસકોરાની સમસ્યામાં ઘટાડો ફાયદો આપે છે.

ફુદીના: ફૂદીનામાં ઘણાબધા એવા તત્વો હોય છે જે ગાળામાં અને નાકમાં આવેલા છેદમાં સોજા ઓછા કરવાનું કાર્ય કરે છે, જેનાથી શ્વાસ લેવાનું આસાન થાય છે, સુતા પહેલા પીપરમીટ ઓયલના થોડા ટીપા પાણીમાં નાખીને કોગળા કરવાથી આ સમસ્યામાં રાહત થાય છે આ ઉપાય થોડાક દિવસો સુધી કરવાથી નસકોરામાં ફાયદો થાય છે. એક કપ ઉકળતા પાણીમાં 10 ફુદીનાના પાંદડા નાખીને તેમાં ગરમ થવા દીધા બાદ આ ગરમ પાણીને થોડું પીવા લાયક થાય ત્યારે ગાળીને પીવાથી અમુક દિવસોમાં જ આ સમસ્યા દુર થાય છે.

ફુદીના

લસણ: લસણ, નાકમાં માર્ગમાં જમા કચરાને અને કફને સાફ કરે છે. આ સાથે જ લસણ સોજાને ઓછા કરવામાં પણ મદદ કરે છે. જો વ્યક્તિને પ્રાકૃતિક વાતાવરણના પરિણામે નસકોરામાંથી અવાજ આવે છે એવા સમયે લસણ રાહત આપવાનું કાર્ય કરે છે. લસણ ઘા ભરવાનું પણ કાર્ય કરે છે. લસણ બ્લોક થયેલી નળીઓને સાફ કરે છે અને સ્વસન તંત્રને ઠીક કરે છે. સારી અને શાંતિથી ઊંઘ લેવા માટે લસણનો ઉપયોગ કરવો જોઈએ. એક થી બે લસણની કળીઓ પાણી સાથે લેવાથી સુતા સમયે નસકોરામાં રાહત આપે છે અને શાંતિથી ઊંઘ લઇ શકો છો.

હળદર: હળદરમાં એન્ટીસેપ્ટિક અને એન્ટી બાયોટીક ગુણ હોય છે. હળદરના ઉપયોગથી નાક સાફ થઇ જાય છે જયારે શરીરમાં શ્વાસ લેવાનું પણ સરળ બની જાય છે. હળદર એન્ટી બાયોટિક ગુણના કારણે શરીરમાં ઝેરી જીવાનુઓનું મારણ પણ કરે છે. સાથે શરીરના કચરાને સાફ કરે છે. રોજ રાત્રે નસકોરામાંથી અવાજ આવવાની તકલીફ રહેતી હોય તેવા લોકોએ દૂધ સાથે પીવાથી રાહત મળે છે.

હળદર

જૈતુનનું તેલ: જૈતુનનું તેલ એક ખુબ જ ઉપયોગી નાકના નસકોરા બંધ કરવાનો ઉપચાર છે. જૈતુંનમાં એન્ટી ઇન્ફલેમેન્ટરી ગુણ મળી આવે છે. જેનાથી શ્વસન તંત્રની પ્રક્રિયા યોગ્ય રીતે કાર્ય કરે છે. અને જૈતુન આ પ્રક્રિયા માટે ખુબજ લાભ આપવામાં ફાયદાકારક છે. આ નાકના નસકોરાને બંધ કરવા માટે એક ચમચી જૈતુનનું ટેલ સરખી માત્રામાં ગરમ કરીને તેમાં મધ ભેળવીને સુતા પહેલા નિયમિત લેવાથી નાકની સમસ્યા દુર થાય છે અને નસકોરાનો અવાજ રોકવામાં ફાયદો કરે છે.

જૈતુનનું તેલ

ઈલાયચી: ઈલાયચી એક આયુર્વેદિક જડીબુટ્ટીના રૂપમાં લઇ શકાય છે, લોકો ચામાં અને દુધમાં તથા શાકમાં નાખીને ઈલાયચીનો ઉપયોગ કરી શકે છે. ઈલાયચીનો શરદી- ઉધરસની આયુર્વેદિક દવા તરીકે ઉપયોગ કરી શકાય છે. શ્વસન તંત્રને ખોલવામાં અને શ્વાસ લેવાની પ્રક્રિયાને સરળ બનાવે છે. રાત્રે સુતા પહેલા ઈલાયચીના  થોડા દાણા હળવા ગરમ પાણીમાં મેળવીને પીવાથી નાકના નસકોરાની સમસ્યામાં રાહત મળે છે. સુતા પહેલા અડધી કલાકમાં આ ઈલાજ કરવો ફાયદો આપે છે.

ઈલાયચી

મધ: એક ગ્લાસ પાણીમાં બે ચમચી મધ ભેળવીને સુવાના અડધો કલાક પહેલા લેવાથી ફાયદો થાય છે. મધમાં એન્ટી ઇન્ફ્લેમેન્ટ્રી ગુણ મળી આવે છે. જે ગળું અને નાકમાં સોજાને રોકે છે. જેથી શ્વાસ લેવામાં રાહત મળે છે અને કોઈ પરેશાની આવતી નથી. દૂધ પણ ઘણી બીમારીઓનો ઈલાજ છે. રાત્રે સુતા પહેલા એક ગ્લાસ દૂધ પીવાથી ફાયદો થાય છે. દુધમાં કેલ્શિયમ હોય છે જે શરદી-ઉધરસ અને કફ જેવી સમસ્યા દુર કરે છે.

મધ

ઘી: વનસ્પતિ ઘીને પણ ઘી તરીકે જ ઉપયોગમાં લેવામાં આવે છે. આ ઘી ક્લેરીફાઈડ ઘી હોય છે જેમાં ઔષધીય ગુણ મળી આવે છે. જે નાકના ભરવાને ઓછો કરવામાં મદદ કરે છે. આ ઘીના ઉપયોગથી ગભરાટ દુર થાય છે અને સારી ઊંઘ લેવામાં મદદ મળે છે. ઓવનમાં આ ઘીને ગરમ કરી લો.જો ઓવન ના હોય તો તવા પર પણ ગરમ કરી શકાય છે. આ તેલને હળવું ગરમ કર્યા પછી તેના એક એક ટીપા નાકના બંને નસકોરામાં નાખવાથી સારી ઊંઘ આવે છે અને થાક દુર થાય છે. રાત્રે સુતી વખતે અને સવારમાં જાગ્યા બાદ આ પ્રક્રિયા કરી શકાય છે.

મેથી પાવડર: મેથીમાં એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટીવાયરલ ગુણ હોય છે. જે નાકમાંથી આવતા અવાજને રોકવામાં મદદ કરે છે. ઘણા લોકોને પાચનતંત્ર બરાબર કામ નહિ કરવાના લીધે નસકોરામાંથી અવાજ આવે છે. આવા લોકોએ મેથીનો પાવડર હલકા ગરમ કરેલા પાણી સાથે રાત્રે સુતા પહેલા લેવાથી નાકની સમસ્યામાં રાહત મળે છે. મેથીનો પાવડર દૂધ સાથે અને મધ સાથે પણ લઇ શકાય છે જેના કારણે ટેસ્ટી બનવાથી ખાવામાં સરળતા રહે છે.

મેથી પાવડર

નાકમાંથી આવતા અવાજ નસકોરા દુર કરવા માટે આપવામાં આવેલા આ આયુર્વેદિક ઘરેલું ઉપચાર ખુબ જ લાભદાયી સાબિત થશે. જ્યારે નાકમાં અવાજ નીકળવાની સમસ્યા સર્જાય ત્યારે અહીં બતાવેલા કોઇપણ અનુકૂળ ઉપચાર અપનાવવાથી આ સમસ્યાનું નિવારણ આવશે અને સાથે આજુબાજુ સુતેલી વ્યક્તિની ઊંઘ પણ ખરાબ નહિ થાય. આ ઉપચાર સંપૂર્ણ આયુર્વેદિક જડીબુટ્ટીઓ પર આધારિત હોવાથી શરીરના બીજા રોગોમાં પણ લાભદાયી સાબિત થશે.

આવી બીજી 🥑 આયુર્વેદિક માહિતી અને ટીપ્સ 👌 માટે 🍎 “દેશી ઓસડીયા” ફેસબુક પેજ ને લાઈક કરો. દરરોજ ઘરેલું ઉપચાર તમારા ફોનમાં મેળવવા 👉 અહી ક્લિક કરી પેજ લાઈક કરો.

🙏 Request: મિત્રો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વધુમાં વધુ શેર કરવા વિનંતી.

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

હિંગ
ઔષધી

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

August 26, 2022
કબજિયાત માટેનો દેશી ઈલાજ
ઘરેલું ઉપચાર

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

August 21, 2022
ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય
આરોગ્ય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

August 20, 2022
ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે
ઘરેલું ઉપચાર

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

August 19, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત
આરોગ્ય

લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત

July 27, 2022
Next Post
હરડેના આયુર્વેદિક ગુણ અને ફાયદા

હરસ, કીડની, ડાયાબીટીસ, તાવ, ચામડી જેવા 70 થી વધુ રોગોના ઉપચાર માટે આ એક ઔષધી છે ઉપયોગી

કમળા માટે 10 ઘરેલું રામબાણ ઉપચાર, ગમે તેવો કમળો થઇ જશે સારો

કમળા માટે 10 ઘરેલું રામબાણ ઉપચાર, ગમે તેવો કમળો થઇ જશે સારો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

બીટનો જ્યુસ બનાવવાની રીત

જાણો બીટનું જ્યુસ બનાવાની સાચી રીત અને તેના અમુલ્ય ફાયદાઓ

February 25, 2022
સવારે વહેલા ઉઠવામાં કોઈ તકલીફ નહિ પડે

તમારાથી સવારમાં વહેલા ઉઠી શકાતું ન હોય તો આ અવશ્ય એકવાર કરજો

June 15, 2022
જમ્યા બાદ માત્ર એક ચમચી આ વસ્તુના સેવન

જમ્યા બાદ માત્ર એક ચમચી આ વસ્તુના સેવનથી શરીરની અનેક બીમારી થશે ગાયબ

June 15, 2022

Popular Stories

  • ધાધર નો ઘરેલુ ઉપચાર

    ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • કમળા માટે 10 ઘરેલું રામબાણ ઉપચાર, ગમે તેવો કમળો થઇ જશે સારો

    0 shares
    Share 0 Tweet 0
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

    0 shares
    Share 0 Tweet 0
  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In