Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home આયુર્વેદ

નપુંસકતા થી કઈ રીતે બચી શકાય અને નપુંસકતા દૂર કરવાના અસરકારક ઘરેલું ઉપાય

Deshi Osadiya by Deshi Osadiya
February 25, 2022
0
નપુંસકતા દૂર કરવાના ઉપાય

નપુંસકતા દૂર કરવાના ઉપાય

0
SHARES
Share on FacebookShare on Twitter

નપુસંકતાએ પુરુષના શારરિક પ્રજનન ક્ષમતાને નાશ કરતો રોગ છે, જેના લીધે પુરુષનું પુરુષત્વ ઓછુ થઇ જાય છે. પુરુષની ઈચ્છાઓ ગાયબ થઇ જાય છે. આ સમસ્યાથી પુરુષ સુખી અને સંતોષકારક જીવન જીવી શકતો અને અને યુવાનીમાં હોય તો બાળકો ઉત્પનન કરવામાં પણ અનેક પરેશાની આવે છે. આમે આજે આ સમસ્યામાંટી બચવાના આયુર્વેદીક ઉપચાર બતાવીશું.

RELATED POSTS

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

નપુસંકતાના લક્ષણ: પુરુષ સ્ત્રી સાથે સાજ રીતે સંભોગ ના કરી શકે, સંભોગ કરતી વખતે પરસેવે રેબઝેબ થઇ જાય, પુરુષ હાંફવા લાગે, પુરુષનું લિંગ સંભોગ માટે પૂર્ણ જાગૃત કડક અને તૈયાર ન થાય, પુરુષ સરળતાથી સંભોગ ના કરી શકે, મનથી સંભોગ કરવા તૈયાર ન થાય., સંભોગ દરમીયાન ગભરામણ થાય, અચાનક લિંગમાં  કઠોરતા આવી જાય, પુરુષનું લિંગ નાનું થઇ જાય, જેના વ્યક્તિ સંભોગ કરવામાં અસમર્થ થઇ જાય, સ્ત્રીઓ સ્પર્શ કરે ત્યારે તરત જ આવેગ દુર થાય, ક્યારેય જલ્દી વીર્ય સ્ત્રાવ થઈ જાય, વગેરે નપુસંકતાના લક્ષણો છે.

Join Group

નપુંસકતાના કારણો: વીર્યની ઉણપ અને ખામી, પુરુષમાં મનમાં ભય, અણગમો કે શંકા હોય છે, હોર્મોન્સની ઉણપ, ડાયાબિટીસ, વધારે બ્લડપ્રેસર, કોલેસ્ટેરોલ અને ધમનીઓની બીમારી, બીજા રોગની સારવારમાં થયેલી સર્જરી, ડીપ્રેશન, શરાબની આદત, ધુમ્રપાન, કેન્સર જેવી બીમારી, વધારે પડતું વજન, વધારે સ્વપ્ન દોષ, હોર્મોન્સમાં બદલાવ, વધારે હસ્તમૈથુન કરવાથી, સ્ટેરોઈડ લેવાથી વગેરે કારણે નપુસંકતા થાય છે.

હરડે: શુક્રકોષ સંબંધી સમસ્યામાં હરડે ખુબ જ ફાયદાકારક છે. 5 ગ્રામ હરડે તથા 1 ગ્રામ ચણાના લોટ અને 50 મિલી એરંડાના તેલમાં 50 મિલી ગૌમૂત્રમાં ગરમ કરો. જ્યારે તેલ થોડુક વધે ત્યારે ગાળીને ગરમ પાણી સાથે સવાર- સાંજ થોડી થોડી માત્રામાં લેવાથી શુક્રકોષમાં વધારો થાય છે.

ગળો:  શારીરિક ઈચ્છાઓ અને યૌન સમસ્યા વગેરે ગળો દ્વારા જાગૃત કરી શકાય છે. જ્યારે મનુષ્યનું શરીર બીમાર રહે છે ત્યારે યૌન ઇચ્છાઓ અને હોર્મોન્સમાં ઉણપ સર્જાય છે. ગળોમાં રોગપ્રતિકારક શક્તિ વધારતા તત્વને કારણે એફ્રડીજીએક પ્રભાવ હોવાને કારણે યૌન સંબંધી ઈચ્છાઓ વધે છે.

તુલસી: તુલસીના પાનનો રસ પુરુષોમાં થતી યોન સમસ્યા પણ દુર કરે છે.  તુલસીના પાન દિવસ દરમિયાન 1 થી 21 વખત નિયમિત રિત એહાવી જવાથી શક્તિ વધે છે સાથે તુલસીના બીજ એટલે કે માંઝર પણ ખુબ જ ઉપયોગી છ. તેને પાણી સાથે ધોઈને કે દૂધ સાથે ધોઈને પીવાથી યોન સંબંધી સમસ્યાનું નિવારણ થાય છે અને પુરુષની પ્રજનન ક્ષમતામાં વધારો થાય છે.

તુલસી

તુલસીના બી અને ગોળ મેળવીને નાની બોર જેવડી ગોળી કરીને સવારે અને સાંજે લેવાથી અને ઉપર એક ગાયનું દૂધ પીવાથી ચારથી પાંચ માસમાં નપુંસકતા દુર થાય છે. વીર્ય વધે છે અને પાચનશક્તિ સુધરે છે અને નિરાશ પુરુષ સશક્ત બને છે. તુલસીના બીજ અને પાંદડાનું ચૂર્ણ સરખા પ્રમાણમાં લઈને તેમાં ગોળ ભેળવીને 1-3 ગ્રામની માત્રામાં ગાયના દૂધ સાથે સતત 1 થી 6 મહિના સુધ લેવાથી નપુસંકતા દુર થાય છે.

ગોખરું: ગોખરું એક ઉત્તેજક ઔષધી તરીકે કામ કરે છે જેના લીધે સેક્સ ઈચ્છા વધે છે. જેના લીધે વીર્યની માત્રા પણ વધે છે અને તેની ગુણવતામાં પણ સુધારો થાય છે. આ જડીબુટ્ટી તરીકે યૌન અંગમાં પણ લોહીના પ્રવાહનો સંચાલિત કરે છે. જેનાથી શરીરમાં હોર્મોન્સમાં પણ વધારો થાય છે અને હોર્મોન્સ નિર્માણ કરતા અંગોને પણ સક્રિય કરે છે. આ સ્ત્રીઓ અને પુરુષો બંનેમાં સરખી રીતે લાભ આઈ છે જેના લીધે ગર્ભ રહેવાની શક્યતાઓ ખુબ જ વધી જાય છે.

ગોખરું

મોટા ગોખરૂના ચૂર્ણ બે-બે ગ્રામ ચૂર્ણ ઘી સાકર સાથે લઈને તેને પીવાથી સ્વપ્નમાં થતો વીર્યસ્ત્રાવ થવો, પેશાબ થઇ જવો અને કામોત્તેજના ઓછી થવી વગેરે સમસ્યા દુર થાય છે. ગોખરું, શતાવરી તેમજ એખરાનું ચૂર્ણ સરખે ભાગે લઈને તેમાં સાકર તેમજ દૂધ ભેળવીને પીવાથી વીર્યસ્ત્રાવ તેમજ નપુંસકતા દુર થાય છે.  ગોખરૂના અને શતાવરીના ચૂર્ણને દુધમાં ઉકાળીને પીવાથી વૃદ્ધાવસ્થા દુર થાય છે અને શરીર સુદ્રઢ થાય છે તેમજ સુજાક પરમિયાજન્ય લોહીના વિકારો તથા ધાતુની નબળાઈ દુર થાય છે.

ચણોઠી: ચણોઠીના મૂળ દુધમાં બાફીને સાકર સાથે ખાવાથી વીર્ય વૃદ્ધિ થાય છે. વીર્ય પાતળું થઈ ગયું હોય અને જલ્દીથી સ્ખલન થઈ જતું હોય તો ચણોઠીના મૂળ દુધમા ગરમ કરીને 2 મહિના સુધી સેવન કરવાથી ખુબ જ ફાયદો થાય છે. ભેસના દુધમાં ચણોઠીને ચંદન ઘસે તેવી રીતે ઘસવાથી વીર્ય સ્ત્રાવ થતો અટકે છે.

આદું: દરરોજ સુતા પહેલા અડધી ચમચી આદુંનો પેસ્ટ બનાવીને તેમાં અડધી ચમચી મધ ભેળવીને ખાવાથી શરીરમાંથી ગરમી આવે છે. આ ઉપાયથી લોહીનું પરિભ્રમણ પણ વધે છે. જેના લોહીના પરિભ્રમણ ઠીક થતા શરીરના ગુપ્ત અંગોં સુધી પણ તે યોગ્ય માત્રામાં કાર્ય કરે છે.

આદું

ભીંડી: ભીંડી દ્વારા પણ નપુસંકતાની સમસ્યા દુર કરી શકાય છે. દરરોજ સુતા પહેલા એક કલાક અગાઉ એક ચમચી ભીંડીના પાવડરને દૂધ સાથે ભેળવીને સેવન કરવાથી વીર્ય સ્ત્રાવ રોકવાની અને આવેગ સક્રિય થવાની સમસ્યા દુર થાય છે.

નગોડ: 40 ગ્રામ નગોડ અને 20 ગ્રામ સુંઠ એકસાથે વાટીને ગોળીઓ બનાવી લીધા બાદ દરરોજ દૂધ સાથે આ ગોળીઓનું સેવન કરવાથી મનુષ્યની કામ ઈચ્છા વધે છે. નગોડના મૂળને ઘસીને શિશ્ન પર લેપ કરવાથી લિંગનું ઢીલાપણું દુર થાય છે

શતાવરી: ઘણા લોકોને પુરુષતવની ઉણપ અને શારીરિક આવેગોની ઉણપ જોવા મળે છે, જે પરેશાનીથી તેઓ કંટાળી જાય છે પરંતુ તેની આ સમસ્યાના ઈલાજ તરીકે શતાવરી ખુબ જ ઉપયોગી છે. જે લોકોને શરીર સુખ માણવાની ઈચ્છા ન થતી હોય તેવા લોકોએ શતાવરીને પકાવીને તેનું સેવન કરવાથી આ સમસ્યામાંથી છુટકારો મળે છે. આ સીવાય શતાવરીના ચૂર્ણની ખીર બનાવીને દૂધ સાથે ખાવાથી પણ આ સમસ્યા દુર થાય છે. વીર્ય દોષની સમસ્યામાં ઘણા પુરુષોને શુક્રકોષોની સંખ્યા ઓછી હોય છે અથવા હોતી જ નથી ત્યારે તેઓ પ્રજજન સમસ્યાથી બાળકથી વંચિત હોય છે. આ લોકોએ 15 થી 20 મિલી માત્રામાં શતાવરીના મૂળનો ઉકાળો બનાવીને પીવાથી વીર્યમાં વધારો થાય છે.

શતાવરી

લસણ: નપુસંકતાની સમસ્યાથી છુટકારો મેળવવા લસણ અનેં મધનો પ્રયોગ પણ ખુબ જ ઉપયોગી છે. 400 ગ્રામ લસણ અને 800 ગ્રામ મધ લઈને, લસણ વાટીને મધમાં ભેળવી નાખો. આ મિશ્રણ એક વાસણમાં ભરીને ઘઉંના કોથળામાં એક મહિના સુધી રહેવા દેવું, 30 દિવસ પછી તેને ઘઉંના કોથળામાંથી કાઢીને 40 થી 50 દિવસ સુધી સતત સેવન કરવાથી નપુસંકતા દુર થાય છે.

બીલીપત્ર : નપુંસકતા દુર કરવા માટે બીલીના પાન બીલીપત્ર ખુબ જ ઉપયોગી છે. બીલીના પાંદડા અને બદામનો ગર્ભ લઈને આ પ્રયોગ કરવામાં આવે છે. જેમાં 20 થી 25 બીલીના પાન લો અને 4 બદામનો ગર્ભ લીધા પછી તેમાં 200 ગ્રામ સાકર નાખીને બરાબર ખાંડી નાખો. આ પછી એક વાસણમાં પાણી લઈને તેમાં આ ચૂર્ણ નાખીને ધીમા હળવા અગ્નિ પર આ દ્રાવણ ગરમ કરીને તેનું સેવન કરવાથી નપુસંકતા દુર થાય છે.

બીલીપત્રનું ફળ

ડુંગળીનો રસ: નપુસંકતા દુર કરવામાં ડુંગળી જેટલું શ્રેષ્ઠ બીજું ઔષધ નથી, ડુંગળીનો રસ અને મધ તથા ઘી વગેરે લઈને આ ઉપચાર કરવાથી નપુસંકતા દુર થાય છે.આ ચારેય ભેગા કરીને તેનું સેવન કરવાથી અને આ ઉપચાર 30 થી 35 દિવસ સુધી કરવાથી પુરુષ નપુસંકતાની સમસ્યામાંથી છુટકારો મેળવી શકે છે.

વડનું દૂધ થેર: નપુસંકતાની સમસ્યામથી છુટકારો મેળવવા માટે વડનું દૂધ, નારિયેળના કોપરા એન મધ તથા ખાંડ વગેરેનો પ્રયોગ ખુબ અસરકારક છે. આ માટે નારિયેળના કોપરા લઈને તેમાં 6 થી 7 ટીપા વડના ઝાડના પાન વગેરે અંગમાંથી થેર નાખો. આ મિશ્રણમાં ૩ થી 4 ચમચી મધ નાખીને સારી રીતે મેળવીને આ મિશ્રણનું સેવન કરવાથી પુરુષની નપુંસકતા દુર થાય છે.  આ સિવાય નપુસંકતા દુર કરવા માટે 200 ગ્રામ પાલકના બીજનો ઉપયોગ કરીને ચૂર્ણ બનાવીને દૂધ સાથે પીવાથી ફાયદો થાય છે.

આમ, અમે બતાવેલી વસ્તુઓને ઔષધી તરીકે ઉપયોગ કરીને નપુંસકતાની પરેશાની દુર કરી શકો છે, આજના સમયે ઘણા લોકોને આવી સમસ્યા ખુબ જ રહેતી હોય છે, તેમના શારીરક સુખનો સંતોષ માણવા માટે તેને સક્રિય બનાવવા માટે અને અહિયા માહિતી આપી છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમે સંતોષકારક જીવન જીવી શકો.

🙏 દોસ્તો તમે આયુર્વેદિક ટીપ્સ અને માહિતી મેળવવા માંગતા હોવ તો નીચે આપેલા બ્લુ કલરના લાઈક બટન ઉપર ક્લિક કરો.

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

હિંગ
ઔષધી

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

August 26, 2022
કબજિયાત માટેનો દેશી ઈલાજ
ઘરેલું ઉપચાર

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

August 21, 2022
ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય
આરોગ્ય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

August 20, 2022
ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે
ઘરેલું ઉપચાર

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

August 19, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત
આરોગ્ય

લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત

July 27, 2022
Next Post
દૂધ અને દહીં સાથે ભૂલથી પણ ન ખાઓ આ વસ્તુ, નહીતર બનશો ગંભીર બીમારીનો ભોગ

દૂધ અને દહીં સાથે ભૂલથી પણ ન ખાઓ આ વસ્તુ, નહીતર બનશો ગંભીર બીમારીનો ભોગ

બીટનો જ્યુસ બનાવવાની રીત

જાણો બીટનું જ્યુસ બનાવાની સાચી રીત અને તેના અમુલ્ય ફાયદાઓ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ર બેઠા આ 10 ટ્રીક્સની મદદથી જાણો મધ અસલી છે કે નકલી

ઘર બેઠા આ 10 ટ્રીક્સની મદદથી જાણો મધ અસલી છે કે નકલી?

February 25, 2022
આ 5 ને આયુર્વેદમાં પણ દુશ્મન કહ્યા છે

આ 5 વસ્તુઓ આપણા શરીરને અંદરથી ખોખલું કરી નાખે છે

March 22, 2022
શતાવરી ના ફાયદા અને શતાવરીનો ઉપયોગ

30 થી વધુ રોગો માટે આ એક ઔષધી છે રામબાણ ઈલાજ, તાવ, એસીડીટી, નપુંસકતા, ડાયાબિટિસ, હૃદયરોગ, આંખના રોગ, કમજોરી જેવા

February 25, 2022

Popular Stories

  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
  • ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

    0 shares
    Share 0 Tweet 0
  • વગર દવાએ પેશાબમાં થતી તીવ્ર બળતરા અને ઉનવા માટે 100% અસરકારક ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In