Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

સાંજે સુતી વખતે માત્ર બે ટીપા નાભિમાં નાંખવાના ફાયદા જાણી તમે ચકિત થઇ જશો

Deshi Osadiya by Deshi Osadiya
June 15, 2022
1
નાભીમાં તેલના બે ટીપા નાખવાના અદભુત પ્રયોગ

નાભીમાં તેલના બે ટીપા નાખવાના અદભુત પ્રયોગ

0
SHARES
Share on FacebookShare on Twitter

માના ગર્ભમાં જ્યારે બાળક હોય છે ત્યારે અ બાળકને પોષણ નાભિમાં જે નાળ આવેલી હોય છે તેના દ્વારા મળે છે. આ નાળમાંથી 3 થી 4 કિલોના બાળકને સમગ્ર પોષણ મળે છે. આપણા જીવનમાં જે નાભી છે તેનું મહત્વ અને ઉપયોગ ખુબ જ છે. જ્યારે  યોગી પુરુષો જ્યારે ધ્યાન કરે છે ત્યારે તે નાભિ ચક્ર પર ધ્યાન ધરે છે.  કહેવામાં આવે છે કે કુંડલીની સમગ્ર શક્તિ આ નાભિ પર રહેલી છે. માટે કુંડલીની શક્તિ જાગૃત કરવા માટે  યોગીઓ સાધના કરતા હોય છે.

RELATED POSTS

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

બાળકનું સમગ્ર  ગર્ભમાં પોષણ આ નાભી દ્વારા થાય છે એટલે એવું કહી શકાય છે કે આપણા શરીરમાં 72000 નાડીઓ આવેલી છે તેનું કેન્દ્ર આ નાભી છે.

Join Group

નાભી

આપણી નાભીમાંથી 72000 નાડીઓ નીકળે છે અને તેનું પોષણ પણ આ નાભીમાંથી જ થાય છે. 72000 નાડીઓ જે નાભી સાથે જોડાયેલો છે. જેનાથી નાભિમાં કોઈપણ પ્રોબ્લેમ થાય તો આપણને દુખે છે. પેસોટી ખસી જાય તો ગેસ થઈ જાય છે. જાડા થઈ જાય છે. આખા શરીર પર તેની અસર થાય છે.

આ માટે નાભિને જો વ્યવસ્થિત રાખવામાં આવે તો આપણા પૂર્વજોએ, આપણા ઋષિમુનીઓએ, આપણા આયુંર્વેદાચાર્યોએ  જે પ્રયોગ બતાવ્યો છે, તે કરવામાં આવે તો ખુબ જ ફાયદો થાય છે.  આ માટે શુદ્ધ ઘી, તેમાં પણ ગાયનું ઘી લેવામાં આવે તો અતિઉત્તમ છે.  જો ગાયનું ઘી ન મળી શકે તો પશુનું કોઇપણ ઘી વાપરી શકાય છે.

જો આ ઘીનો પ્રયોગ કરવામાં આવે તો તેનાથી અનેક ફાયદાઓ થાય છે. જેનાથી વાળ સફેદ થવાની સમસ્યા, નાની ઉમરે વાળ સફેદ થવાની સમસ્યા, અને જો આ સમસ્યા હશે તો આ સમસ્યા ધીમે ધીમે મટે છે. આ પ્રયોગથી આંખોનું તેજ વધે છે. મોટી ઉમર સુધી આપણને મોતિયો નથી આવતો. શિયાળામાં હોઠ ફાટી જવાની સમસ્યા પણ મટે છે.

ઘણા લોકોને આંખો નીચે કુંડાળા હોય છે, જેમાં મહિલાઓને ખાસ કરીને આંખો નીચે કાળા કુંડાળા હોય છે.  આ પ્રયોગથી કાળા કુંડાળાની સમસ્યા પણ મટે છે. મોઢા પર ખીલ થતા હોય એ સમસ્યા પણ દુર થાય છે. આ પ્રયોગથી ચહેરાની ચમક પણ વધે છે. આમ, આ પ્રયોગથી આખા શરીરની 72000 નાડીઓ શુદ્ધ થાય છે.

આ પ્રયોગમાં દરરોજ સાંજે સૂતા પહેલા  અથવા તો સવારે સ્નાન કર્યા બાદ છતાં સુઈ જવું. સુઈ ગયા બાદ નાભીનો જે ખાડો હોય તે ખાડાની અંદર ગાયનું ઘી અથવા તો ભેસનું ઘી, બંને ઘી વાપરી શકાય છે. પરંતુ આ ઘી માટે શુદ્ધ ઘી હોવું જરૂરી છે. ગાયનું ઘી ઉત્તમ ઘી ગણાય છે. ગાયના ઘીમાં ઓજ નામનું તત્વ રહેલું છે. આપણા શરીરમાં 7 ધાતુઓ હોય છે, જેમાં 7મી ધાતુનું નામ પણ ઓજ છે.

આ ગાય કે ભેંસના શુદ્ધ ઘીને નાભિમાં ભરીને ઓછામાં ઓછું 15 મિનીટ સુધી છત્તા સુઈ રહેવું. આ ઘી નાની નાની કોશિકાઓ દ્વારા 72000 નાડીઓમાં જતું રહેશે. આ પ્રયોગ દિવસમાં એક જ વખત કરી શકાય છે. આ પ્રયોગ એકાંતરા કરી શકાય છે. એટલે કે એક દિવસ છોડી છોડીને આ પ્રયોગ કરી શકાય છે.

આ પ્રયોગ કોઇપણ વ્યક્તિ કરી શકે છે. બાળકની માંડીને વૃદ્ધ બધા જ લોકો આ પ્રયોગ કરી શકે છે. આ પ્રયોગથી અદ્ભુત ફાયદાઓ છે. માત્ર એક મહિના સુધી આ પ્રયોગ કરવાથી શરીરમાં ખુબ જ ફેરફાર જોવા મળશે.

નાભી પર ઘી લગાવવાથી અન્ય ફાયદાઓ પણ થાય છે.  જેમાં, નાભી પર તેલ લગાવવાથી નાભિમાં જે બોત્તેર હજાર નાડીઓ કે જે લોહીની નળીઓ હોય છે ,જે શરીરના વિવિધ ભાગોમાં લોહીની ધમનીઓ સાથે જોડાયેલી હોય છે, આ કારણે જ્યારે આપણે નાભિમાં ઘી લગાવીએ છીએ ત્યારે તે ધમનીઓ સક્રિય થઈ જાય છે.

જેના લીધે લોહીનું પરિભ્રમણ શરીરના અંગોમાં વ્યવસ્થિત થાય છે, જેના પરિણામે વાળ, ચામડીમાં ચમક આવવા સાથે  અન્ય ભાગોમાં પણ લાભ થાય છે. જેમાં આ ઘી લગાવવાથી પાચન ક્રિયામાં લાભ થાય છે જેનાથી કબજીયાતની સમસ્યા મટે છે.

આ ઘી લગાવવાથી ચામડી હાઈડ્રેટ રહે છે, આ ઘી લગાવવાથી ઘુટણ અન સાંધાનો દુખાવો અને તેના દર્દમાં રાહત મળે છે. શરીરમાં કંપન અને લકવાની સમસ્યા ઘણા લોકોને હોય છે, ખાસ કરીને વૃદ્ધ લોકોને શરીર કાંપવાની સમસ્યા હોય છે, જ્યારે આ ઘી નિયમિત લગાવવાથી આ કંપનની સમસ્યા દુર થાય છે.

નાભિમાં ઘી લગાવવાથી શરીરની કમજોરીની સમસ્યા દુર થાય છે.  જે તત્વો ઘી દ્વારા મળે છે તે તમામ તત્વો નાભિમાં ઘી લગાવવાથી આ તત્વો નાભીમાંથી અવશોષિત થઈને શરીરમાં પહોચે છે જેનાથી શરીરમાં તાકાત અને મજબૂતી પ્રદાન થાય છે.

નાભી પર ઘી લગાવવાથી ઘૂંટણ દુખતા હોય, ઘૂંટણમાં દર્દ થતું હોય, જેવી ઘૂંટણની સમસ્યાઓ ઠીક થાય છે. ઉમર વધતાની સાથે શરીરના હાડકાઓ કમજોર થવા લાગે છે, જેમાં ખાસ કરીને ઘૂંટણ પર અસર પહેલા થાય છે. માટે જો નાભી પર ઘી લગાવવામાં આવે તો ઘૂંટણનો દુખાવો દુર થાય છે.

ઘણા લોકોને અવારનવાર શરદી, ઉધરસ અન કફની સમસ્યાઓ રહેતી હોય છે,  આ સમયે નાભી પર જો ઘી લગાવવામાં આવે તો શરદી, ઉધરસ અને કફની સમસ્યા મટે છે. ઘીના ઔષધીય તત્વો સીધા જ નાડીઓ દ્વારા શરીરના અંગમાં પહોચે છે અને શરદી અને ઉધરસ, કફને મટાડે છે.

ઘણી વખત સ્ત્રીઓને માસિક ધર્મ સંબંધી સમસ્યાઓ થાય છે, જેમાં વધારે પડતું માસિક આવવું, માસિક દરમિયાન લોહી વહી જવું, અનિયમિત માસિક આવવું જેવી સમસ્યાઓ યુવાવસ્થા દરમિયાન જોવા મળતી હોય છે. આ દરમિયાન જો નાભી પર ઘી લગાવી દેવામાં આવે તો આ સમસ્યાઓ દુર થાય છે.

નાભિ પર તેલ લગાવવાથી જે લોકોને ફૂડ પોઈઝનીંગની સમસ્યા હોય છે તે દુર થાય છે, નાભિ પર તેલ લગાવવાથી ઘી નો લાભ આખા શરીરમાં પહોંચે છે જેના પરિણામે ફૂડ પોઈઝીંગની સમસ્યા થઇ હોય તે જાલ્દીથી દુર થાય છે.

નાભિમાં ઘી લગાવવાથી યાદશક્તિ તેજ બને છે, જે લોકોને બરાબર યાદ નથી રહેતું, કોઈપણ વસ્તુ વારંવાર ભુલાઈ જાય છે, તો તેવા સમયે જો નાભી પર ઘી લગાવવામાં આવે તો ખુબ જ ફાયદો થાય છે, જેનાથી યાદ શક્તિમાં વધારો થાય છે.

આમ, નાભિમાં 72000થી વધારે નાડીઓ જોડાયેલી હોવાથી ખુબ જ ફાયદો થાય છે. જે આ બધી જ નાડિઓ નાભિમાં ઘી લગાવતાં સક્રિય થાય છે. જેનાથી શરીરને અનેક ફાયદાઓ મળે છે. જે શરીરને અનેક લાભ પહોંચાડે છે. અમે આશા રાખીએ કે આ નાભી પર ઘી લગાવવાનો પ્રયોગ તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમને તેનો ભરપુર લાભ મળે.

આ આયુર્વેદિક ઉપચાર અને માહિતી સારી લાગી હોય તો નીચે આપેલા બ્લુ કલરના લાઈક બટન પર ક્લિક કરો જેથી તમને માહિતી ઝડપથી મળતી રહે.

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

હિંગ
ઔષધી

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

August 26, 2022
કબજિયાત માટેનો દેશી ઈલાજ
ઘરેલું ઉપચાર

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

August 21, 2022
ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય
આરોગ્ય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

August 20, 2022
ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે
ઘરેલું ઉપચાર

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

August 19, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત
આરોગ્ય

લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત

July 27, 2022
Next Post
લીલા વટાણાના ફાયદા

સામાન્ય લાગતા લીલા વટાણા આટલી બિમારીઓમાં કરશે દવાનું કામ

જમતા પહેલા એક ગ્લાસ પીવો, જીવો ત્યાં સુધી પેટમાં ગેસ કે અવળો ગેસ નહિ થાય

જમતા પહેલા એક ગ્લાસ પીવો, જીવો ત્યાં સુધી પેટમાં ગેસ કે અવળો ગેસ નહિ થાય

Comments 1

  1. Kk says:
    1 year ago

    👍aabhar.

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ચહેરાને ચમકતો અને સુંદર બનાવવા

ચહેરાને ચમકતો અને સુંદર બનાવવા ઘરે જ બનાવો આ ચમત્કારિક સાબુ

March 22, 2022
ફેફસામાં કફ અને ધુમાડો જેવી ગંદકીને સાફ કરે છે આ ઘરેલું ઈલાજ

ફેફસામાં કફ અને ધુમાડો જેવી ગંદકીને સાફ કરે છે આ ઘરેલું ઉપચાર

February 25, 2022
સફેદ પેઠાના ફાયદા

વર્ષો જૂની આંતરડામાં જામેલી ગંદકી સાફ કરી રોગ મુક્ત કરશે આ ડીટોક્સ જ્યુસ

March 22, 2022

Popular Stories

  • ધાધર નો ઘરેલુ ઉપચાર

    ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • કમળા માટે 10 ઘરેલું રામબાણ ઉપચાર, ગમે તેવો કમળો થઇ જશે સારો

    0 shares
    Share 0 Tweet 0
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

    0 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In