આપણા શરીરમાં અનેક તત્વો વાળા ખોરાકની જરૂર હોય છે. જેનું તમે સેવન કરો છો તો તેનાથી તમારા શરીરમાં ઘણા બધા ફાયદાઓ મળતા હોય છે. પરંતુ અમુક પ્રકારના ખોરાક એવા હોય છે કે આયુર્વેદિક ઓસડીયા જેવું કાર્ય આપે છે. જેનું તમે સેવન કરી લો તો અમુક બીમારીઓ તમને થતી જ નથી અથવા તો અમુક પ્રકારની બીમારીઓમાં તમારે દવા લેવાની જરૂરીયાત રહેતી નથી.
આવું એક તત્વ એટલે પ્રોટીન. જેનું દરેક લોકના શરીરને જરૂરીયાત હોય છે. આ તત્વના લીધે જ વ્યક્તિનો શરીરનો ઇવિકાસ શક્ય બને છે. તમે જયારે આ પ્રોટીનને ખોરાકમાં અમુક પ્રકારના ફળો કે શાકભાજીના માધ્યમ દ્વારા લો છો તો તે શરીરની અંદર દાખલ થાય છે. જે તમારા શરીરમાં અમુક પ્રકારની બીમારીઓથી પણ બચાવતા હોય છે.
પરંતુ ઘણા લોકોમાં આ પ્રોટીન વિશે અલગ અલગ માન્યતાઓ રહેલી હોય છે. જેમાં ઘણા લોકો એવું માનતા હોય છે કે માંસમાંથી જ પ્રોટીન સારી રીતે મળે છે. પરંતુ એવું નથી અને એવું માનવું પણ ભૂલ ભરેલું છે. અમુક પ્રકારના કઠોળ અને શાકભાજી હોય છે કે જે પુષ્કળ પ્રોટીનથી ભરપૂર હોય છે.
આવી જ એક ખુબ જ સારી શાકભાજી વિશે અમે જણાવી રહ્યા છીએ કે જે તમારા માટે ખુબ જ ઉપયોગી થશે. આ શાકભાજીમાં વટાણા પુષ્કળ પ્રોટીન ધરાવે છે. જે પાલક કરતા પણ ખુબ જ સારા પ્રમાણમાં પ્રોટીનથી ભરપૂર હોય છે.
આ સિવાય પણ આ વટાણાની અંદર ખુબ જ સારા પ્રમાણમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, ઝીંક, કોપર અને ફોસ્ફરસ જેવા તત્વો તેમજ ફાઈબર રહેલું હોય છે, જે તમને ખુબ જ ઉપયોગી થશે. તમે જયારે ફાઈબરથી ભરપૂર લીલા વટાણા ખાશો તો તમને પ્રોટીન ભરપૂર મળશે.
હાક સાગ પણ ખુબ જ સારા પ્રમાણમાં પ્રોટીન ધરાવે છે. જે એક પ્રકારનાં લીલા શાકભાજી છે કે જેનું તમેં સેવન કરશો તો તે ફોલેટ, વિટામીન બી અને ફાઈબર હોય છે જે તમારા શરીરમાં અમુક પ્રકારના સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે. જયારે તમે આ રીતે આ હાક સાગનું સેવન કરતા હો છો તો તેનાથી તમને મન અને શરીરને સ્વસ્થ રાખવામાં મદદ મળે છે.
પાલક પણ એક ખુબ જ પ્રોટીન અને લોહ તત્વથી ભરપૂર શાકભાજી છે, જેનું તમેં સેવન કરશો ત ઓ તેનાથી તમને પ્રોટીન સિવાય ફાઈબર, પોટેશિયમ, વિટામીન બી ૬, ફોલેટ, આયર્ન જેવા અન્ય પ્રકારનાં પોષક તત્વો મળશે કે જેનાથી તમારા શરીરનું સ્વાસ્થ્ય યોગ્ય રીતે જળવાઈ રહે.
શતાવરી એક ખુબ જ શરીરમાં ફાયદો કરનારી ઔષધી છે. જે ગુજરાતમાં પણ ઉગે છે પરતું ખાસ કરીને તેની ખેતી ઉતરી ભારતમાં હિમાચલ પ્રદેશમાં તેની ખેતી કરવામાં આવે છે. આ સતાવરી એક પ્રોટીનથી ભરપૂર આયુર્વેદિક કંદમૂળ છે, જેનો ઉપયોગ આંતરડાની સમસ્યામાં પણ થાય છે તેમાં જે આંતરડાની અંદર બેક્ટેરિયાને નાશ કરવામાં અને પોટેશિયમને મેળવવા માટે જરૂરી છે.
મકાઈ એક એવું અનાજ છે કે જે બધા જ ગામડાઓમાં થાય છે. આ મકાઈ એવી ચીજ છે કે જે કાચી હોય તો શેકીને કે બાફીને ખાવામાં આવે છે, જયારે પાકી જાય ત્યારે તેનો અનાજ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આ જ પ્રમાણે ઘણી જગ્યાએ શેકેલી કે બાફેલી મકાઈ ઘણા લોકો વેચતા હોય છે. જે ફાઈબર તેમજ પ્રોટીનથી ભરપૂર હોય છે.
આમ, આપણા શરીરને તંદુરસ્ત રાખવા માટે તમે આ રીતે આવા ખોરાકનું સેવન કરી શકો છો. તેનાથી તમારા શરીરમાં પ્રોટીન મળશે તેમજ તેનાથી તમારા શરીરને ભરપૂર માત્રામાં વિકાસ કરવામાં જરૂરી થઈ શકે છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.