Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home આરોગ્ય

5000 થી વધુ પથરીના દર્દીનો મફતમાં ઈલાજ કરી ચુક્યા છે આ ગુજરાતી દાદા

Deshi Osadiya by Deshi Osadiya
March 22, 2022
2
ભુરાભાઈ અંબાલાલ પટેલ

ભુરાભાઈ અંબાલાલ પટેલ

0
SHARES
Share on FacebookShare on Twitter

પથરીનો દુખાવો ઘણા લોકોને રહેતો હોય છે.  જેમાં દર્દીને અસહ્ય દુખાવો થાય છે અને પેશાબ કરવામાં તકલીફ પડે છે. આ દુખાવાને લીધે દર્દી ક્યારેક ઊંઘ પણ ન લઇ શકે તેવી તકલીફ પડે છે. આ દુખાવાથી દર્દીને ઘણી બધી દવાઓ કરવી પડે છે છતાં જ્યાં સુધી દવાઓની અસર રહે ત્યાં સુધી દુખાવો શાંત રહે છે અને પછી ફરી વખત દુખાવો ચાલુ થઈ જાય છે. જેમાં છેવટે દર્દી કંટાળીને ઘણો બધો ખર્ચો કરીને ઓપરેશન કરવા તૈયાર થઇ જાય છે.

RELATED POSTS

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

પરંતુ આપણા આયુર્વેદમાં એવી ઘણી બધી જડીબુટ્ટીઓ આપવામાં આવી છે, જે પથરીના દુખાવાને કાયમી મટાડી શકે છે. પરંતુ આપણે આવી ચમત્કારીક ઔષધિઓ વિશે જાણતા  હોતા નથી. આયુર્વેદિક આવી જડીબુટ્ટીઓ જાણીતા વૈધ લોકો પાસે હોય છે, જે પોતાના અનુભવો પરથી આ રીતે ઈલાજ કરે તો થોડા જ સમયમાં પથરીનો દુખાવો કાયમી મટી જાય છે.

Join Group

કીડની કે મૂત્રાશયમાં પથરી થવાનું કારણ આયુર્વેદ અનુસાર આપણા શરીરમાં આવેલા ત્રણ દોષોમાંથી વાયુ દોષ મૂત્રાશયમાં આવેલા શુક્ર કોષો સહીત મૂત્રને અને પિત્ત સાથે કફને સુકવી દે છે. આ પથરી જયારે પેશાબના માર્ગમાં આવે છે ત્યારે પેશાબ કરવામાં તકલીફ કરે છે. પેશાબ બરાબર આવી શકતું નથી અને અસહનીય પીડા થાય છે. જેના લીધે પેટની આસપાસ બધી જ જગ્યાએ દુખાવો થાય છે.

પથરી કીડનીમાં આવેલા  જીણા જીણા બારીક સુક્ષ્મ કણોમાં કેલ્શિયમના ક્ષારો, યુરિક એસિડના ક્ષારો વગેરે ભેગા થવાથી ત્યાં પથ્થર જેવો ટુકડો થાય છે જેને પથરી કહેવામાં આવે છે. જે પથરી થવામાં ક્ષાર વાળું પાણી, ઓછા પ્રમાણમાં પાણી પીવાથી, યુરીનમાં કેમિકલની માત્રા, શરીરમાં મિનરલ્સની ઉણપ, ડીહાઈટ્રેશન, વિટામીન ડીનો વધારો અને જંકફૂડ નો વધારો વધારે કારણે પથરી થાય છે.

ગુજરાતમાં એક દાદા સાવ નિશુલ્ક રીતે પથરીનો ઈલાજ છે. જે રીતે તેઓ ચૂર્ણ આપે છે તેનું સેવન કરવાથી માત્ર 3 દિવસમાં પથરી ભુક્કો થઈને પેશાબના માર્ગેથી બહાર નીકળી જાય છે. આ દાદા જે ઈલાજ કરે છે તેને અકસીર ઈલાજ માનવામાં આવે છે.

આવા દાદા આખા ગુજરાતમાં કચ્છથી લઈને ડાંગ સુધી પથરીના અકસીર ઈલાજ માટે એટલા બધા પ્રખ્યાત છે કે ડોકટરો પણ પોતાની દવાથી નહિ મટતી પથરી માટે આ દાદાનું સરનામું અને નંબર આપી છે. આ દાદા દર્દીને એક ચૂર્ણ આપે છે જે ચૂર્ણ સેવન કરવાથી પથરી ગાયબ થઇ જાય છે. અત્યાર સુધીમાં તેમણે હજારો લોકોને આ રીતે પથરીના દર્દમાંથી ઉગાર્યા છે.

આ વ્યક્તિનું નામ છે ભૂરાભાઈ અંબાલાલ પટેલ ગોઠી.  તેઓ ગુજરાતના કચ્છ જીલ્લામાં આવેલા  અંજાર તાલુકામાં આવેલા જૂની દુધઈ ગામમાં રહે છે. તેમણે છેલ્લા થોડા વર્ષોમાં  5 હજાર કરતા વધારે લોકોની પથરી તેમણે બનાવેલા આ પાવડરથી મટાડી ચુક્યા છે.

ઘણા સમયથી તેઓ કોઈપણ પ્રકારના રૂપિયા લીધા વગર પથરીનો ઈલાજ કરી રહ્યા છે. જેમને પોતાનો મોબાઈલ નંબર સોશિયલ મીડિયામાં મુકેલો છે. જેનો સંપર્ક કરીને લોકો આ પથરીના ઈલાજ માટે આ છેવાડાના ગામડા સુધીના લોકો આવે છે. જેમને આપેલા નંબર 9979324971 પર તમે સવારે 8 થી 12 અને સાંજે 4 થી 8 સુધીમાં સંપર્ક કરી શકો છો.

તેમણે આપેલી દવાનું એટલે કે પાવડરનું તમારે ત્રણ દિવસ સુધી દિવસના સવાર, બપોર અને સાંજ એમ ત્રણેય ટાઈમ લેવાનો છે. તેમણે બતાવેલી દવા ખાવાની રીત પ્રમાણે આપેલી દવાના 9 સરખા ભાગ કરી લેવા. આ રીતે 9 પડીકી બનાવી લેવી અને એક દિવસમાં ત્રણ પડીકી સવાર, બપોર, સાંજ પાણી સાથે ફાકી જવી. જો ફાકતા ન ફાવે તો પાણી સાથે મિક્સ કરીને હલાવીને પણ પી શકાય છે. આ દવાના સેવન માટે સાદા માટલાના પાણીનો ઉપયોગ કરવો. સવારે દવા ખાધા પછી અડધો કલાક રહીને ભોજન કરી શકાય. આ રીતે જમ્યા પહેલા આ દવાનું સેવન કરવું. જેથી પથરી ભુક્કો થઈને નીકળી જાય પછી આ દવા ન લેવી.

આ રીતે ત્રણ દિવસ સુધી આ પાવડર લેવાથી મોટામાં મોટી પથરી પણ ભુક્કો થઈને શરીરની બહાર નીકળી જાય છે.  જો કે વધુ મોટા પ્રમાણમાં પથરી હોય તો 6 દિવસની અંદર ચોક્કસ નીકળી જાય છે.

તેઓની આ દવા આપવાની સેવા સાવ નિશુલ્ક છે. પરંતુ તેની તેઓ આ દવા બનાવવાની માહિતી કે રીત કોઈને જણાવતા નથી. આ બાબતે તેઓ જણાવે છે કે ઘણા વર્ષો પહેલા તેમને આ દવા બનાવવાની રીત આણંદમાં આવેલા એક મહાત્મા પાસેથી શીખી હતી. આ દવા બનાવતા શીખવાડવા  મહાત્માએ આ ભુરાભાઈ પટેલ પાસે બે શરતો મૂકી હતી. જેમાં પ્રથમ શરત એ મૂકી હતી કે આ દવા બધા લોકોને મફતમાં આપવી અને બીજી શરત એ હતી કે કોઈને પણ આ દવા બનાવવાની રીત ન જણાવવી.  જેનું તેઓ કડકપણે પાલન કરી રહ્યા છે.

આ ભૂરાભાઈ ની દવા લીધા બાદ જે લોકોની પથરી નીકળી ગઈ હોય તેવા લોકો ભૂરાભાઈનો ઘરે આવીને કે ફોન કરીને આભાર માની રહ્યા છે. અત્યાર સુધીમાં ભૂરાભાઈએ 350 થી વધારે કુરીયર દ્વારા અલ્હાબાદ, જયપુર, દિલ્હી, ફરીદાબાદ, મુઝ્ઝફર નગર જેવા શહેરો સુધી આ દવા મોકલી છે. જોકે કોઈ કારણસર લોકો કુરિયર મંગાવીને વેચવા લાગ્યા હોવાથી અત્યારે કુરિયર સેવા બંધ કરેલ છે અને તમારે ફરજીયાત પથરીનો રીપોર્ટ કરાવીને ભૂરાભાઈ પટેલ પાસે પોતાના ગામ દુધઈ જવું પડે છે. જ્યાં તમારો રીપોર્ટ જોઈને એ પ્રમાણમાં દવા આપે છે. જેનાથી પથરી ઓગળીને નીકળી જાય છે અને કોઈ આડઅસર પણ થતી નથી.

આમ, સેવાકીય પ્રવૃતિના ભાગ રૂપે ભૂરાભાઈ તેમના વતનમાંથી દવા આપી રહ્યા છે. જો તમને પથરીની તકલીફ હોય તો તમે જરૂર ભૂરાભાઈની મુલાકાત લેજો. તમારી પથરી જરૂર નીકળી જશે. અમે આશા રાખીએ કે આ માહિતી તમને ઉપયોગી થાય તેમજ બીજા લોકોને ફાયદો થાય તે માટે વધુમાં વધુ લોકો સુધી પહોચાડજો. જેથી કરીને પથરીની પરેશાન લોકો આ સેવાનો લાભ લઈ શકે.

આ આયુર્વેદિક ઉપચાર અને માહિતી સારી લાગી હોય તો નીચે આપેલા બ્લુ કલરના લાઈક બટન પર ક્લિક કરો જેથી તમને માહિતી ઝડપથી મળતી રહે. 

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

હિંગ
ઔષધી

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

August 26, 2022
કબજિયાત માટેનો દેશી ઈલાજ
ઘરેલું ઉપચાર

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

August 21, 2022
ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય
આરોગ્ય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

August 20, 2022
ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે
ઘરેલું ઉપચાર

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

August 19, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત
આરોગ્ય

લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત

July 27, 2022
Next Post
ગોઠણ અને સાંધાના દુઃખાવાનો ઉપાય

સાંધા અને ગોઠણના દુઃખાવાનો જાદુઈ ઉપચાર છે આ દેશી લાડુ

ચામડી પર સફેદ ડાઘ નો ઈલાજ

સફેદ કરોળિયા અને સાંધાના દુખાવા માટે અદભુત ઉપાય છે આ ઔષધી

Comments 2

  1. Gulqb vekariya says:
    1 year ago

    Mere ko charbi kam karni hai

    Reply
  2. Surendrasinh PravinsinhSindha says:
    1 year ago

    Good job dada

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

હિંગ

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

August 26, 2022
છાતી અને ગળામાં જમા થયેલો કફ એક જ દિવસ માં નીકળી જશે બહાર

છાતી અને ગળામાં જમા થયેલો કફ એક જ દિવસમાં નીકળી જશે બહાર

March 22, 2022
મસ્સા અને તલ

શરીર પરના અણગમતા મસ્સા અને તલને દુર કરશે આ એક ઔષધી તેલનું ટીપું

February 25, 2022

Popular Stories

  • ધાધર નો ઘરેલુ ઉપચાર

    ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • સૌથી અસરકારક શીળસ નો ઘરગથ્થુ ઉપચાર અપનાવો 100% અસરકારક

    0 shares
    Share 0 Tweet 0
  • કમળા માટે 10 ઘરેલું રામબાણ ઉપચાર, ગમે તેવો કમળો થઇ જશે સારો

    0 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In