Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

હાલના સમયમાં ઘણા બધા લોકોમાં લોહી ઘટ્ટ થઇ જવાથી હાર્ટએટેકનું જોખમ ખુબ વધી રહ્યું છે

Deshi Osadiya by Deshi Osadiya
February 25, 2022
0
લોહી પાતળું કરવાનો પ્રયોગ

લોહી પાતળું કરવાનો પ્રયોગ

0
SHARES
Share on FacebookShare on Twitter

કોરોના કાળમાં હ્રદયને હેલ્ધી રાખવું સૌથી મહત્વની બાબત બની ગઈ છે. કારણ કે કોરોનામાં વાયરલ ઇન્ફેકશન લાગવાથી અને ફેફસામાં કફ જામી જામી જવાથી ફેફસાં નબળા પડી જાય છે. ફેફસાની કાર્ય ક્ષમતા ઘટે છે. શ્વાસ લેવામાં પણ તકલીફ રહેતી હોય છે. જેના લીધે લોહીનું શુદ્ધિકરણ બરાબર થઈ શકતું નથી અને લોહી જાડું થઈ જાય છે.

RELATED POSTS

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

જો આ લોહીને પાતળું ન કરવામાં આવે તો હાર્ટએટેકની સમસ્યા થાય છે. માટે હાલના સમયે ઘણા લોકો કોરોનામાં રીકવર થયા પછી પણ લોહી જાડું રહેવાના કારણે હાર્ટએટેક થઈને મૃત્યુ પામતા હોય છે. માટે કોરોનામાં હાર્ટએટેકનો દર કોરોનાના કારણે વધી ગયો છે. આવા સમયે આપણે આ વ્યક્તિ કોરોનાથી ડરીને મૃત્યુ પામ્યા છે તેવું માની લઈએ છીએ. પરંતુ આવું જરાપણ નથી.

Join Group

ફેફસામાં ઇન્ફેકશનના કારણે હ્રદય અને ફેફસાની નસો ઢીલી પડે છે અને નબળી પડે છે. હ્રદયમાં લોહી જામવાની પ્રક્રિયા વધી જાય. જે લોકો પહેલાથી જ કોલેસ્ટ્રોલથી પીડાઈ રહ્યા છે. જેમનું કોલેસ્ટ્રોલ વધારે છે તે લોકોને સૌથી વધારે અસર થાય છે.

હાઈ બીપી અને લો બીપી ધરાવનાર લોકોને સૌથી વધારે અસર થાય. ડાયાબીટીસ ધરાવનાર લોકોને સૌથી વધારે અસર થાય છે અને હાર્ટએટેકના કારણે મૃત્યુ થાય છે. આ તમામ પ્રકારની સમસ્યા હોય તો તેના માટેનો ઘરેલું અસરકારક ઉપાય છે. જે સચોટતાથી આ સમસ્યાને દુર કરી શકે છે.

જો તમારા શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલ વધારે હોય તો આ પ્રયોગ તમે કરી શકો છો. આ માટે ચારથી પાંચ લસણની કળી લેવી. એક ડુંગળીનો ગાંઠિયો લેવો. આ બંને વસ્તુને વ્યવસ્થિત પીસી લેવી. જો તમને ડાયાબીટીસ ન હોય તો તેમાં એક ચમચી મધ ઉમેરીને આ વસ્તુનો રસ પી જવો.

આ પ્રયોગ કરવાથી શરીરનું કોલેસ્ટ્રોલ લેવલ ઘટશે. હ્રદયની અંદર કે બ્લોકેજ છે જે ઓછી છે અને આના કારણે લોહી જામવાની પ્રક્રિયા છે તે ઓછી થઈ જશે. લોહી પાતળું થશે એટલે નસોમાં જે લોહી અવરજવર થવું જોઈએ તે સારી માત્રામાં થશે. જેના લીધે હાર્ટ એટેકના કારણે થતું મૃત્યુથી આપણે બચી શકીશું.

ડાયાબીટીસના દર્દીઓ પણ દૂધીનું જ્યુસ પીવાનું ચાલુ કરશે તો તે લોકો પણ હાર્ટએટેકથી બચી શકશે. આ ઉપરાંત જે લોકોનો વજન વધારે છે, જે હાર્ટની સમસ્યાના પહેલાથી જ દર્દી છે. હ્રદયના રોગોની સમસ્યાથી  પરેશાન છે તેવા લોકો સવારે ઉઠીને ખાલી પેટ એક લસણની કળી ખાવી જોઈએ. આનાથી કોલેસ્ટ્રોલ લેવલ કન્ટ્રોલ થાય છે.

આ પ્રયોગથી હ્રદયને લગતી કોઇપણ બીમારી છે તો તે ઠીક થાય છે. આ ઉપરાંત વધારે વજન હોય તો જીરું વાળું પાણી પી શકો છો. અજમા ખાઈ શકો છો. દુધી અને ફુદીનાનો જ્યુસ પણ પી શકો છો. આ બધી જ વસ્તુઓ લોહીને પાતળું કરવા માટે ઉપયોગી છે.

આ ઉપરાંત શરીરમાં લોહીની માત્રા વધારવા માટે, હિમોગ્લોબીનને વધારવા માટે એક ગાજર અને એક બીટ લઈને આ બંને વસ્તુઓનો જ્યુસ બનાવીને પી શકાય છે. આ પ્રયોગથી શરીરમાં લોહીની માત્રા વધે છે. અને આ સમયે હાર્ટ એટેકના કારણે મૃત્યુથી તમે બચી શકો છો.

આ ઉપાય ઘરે રહીને કોલેસ્ટ્રોલ લેવલ ઘટાડીને હાર્ટએટેકની સમસ્યાથી બચી શકાય. જો તમને કોરોનાનું સંક્રમણ લાગ્યું હોય તો જ્યાં સુધી લોહી પાતળું ન થાય ત્યાં સુધી સારવાર લેવી જોઈએ. જે મેડીકલ સારવારથી પણ લોહીને પાતળું કરી શકાય છે. જેમાં નાભિ ફરતે સવાર અને સાંજ એક એક એમ પાંચ ENOXAROM-60 નામના પાંચ ઈન્જેકશન લઈને ત્રણ દિવસમાં લોહીને પાતળું કરી શકો છો. જેનાથી હાર્ટએટેકનું જોખમ ઘટી જાય છે.

આ સિવાય ફેફસા માટેના યોગ અને પ્રાણાયામ કરીને ફેફસાને શુદ્ધ કરીને ફેફસાને બચાવી શકો છો. તમે આ ઉપાય કરીને હાઈ બીપી અને લો બીપીની સમસ્યાને ઠીક કરી શકો છો. જેનાથી ફેફસા વ્યવસ્થિત કાર્યરત રહી શકે છે અને લોહી વ્યવસ્થિત શુદ્ધ થઈને પાતળું થઈ શકે છે.

આ સિવાયને લોહીને પાતળું કરવા માટે અર્જુનની છાલ અને તજની છાલનો ઉકાળો પીવો. આ ઉકાળાને 400 ગ્રામ પાણીમાં ઉકાળો અને ઉકાળતા ઉકળતા જ્યારે તેંમાંથી 100 ગ્રામ વધે ત્યારે તેને હુંફાળું કરીને પીવો.

આદુ લોહીને પાતળું કરવા માટે ઉપયોગી છે. આદુમાં એસીટાઈલ સેલીસીટેડ એસીડ હોય છે. જે સેલીસીટેડથી ઉત્પન્ન થાય છે. જેને એસ્પીરીન પણ કહેવામાં આવે છે. આ સ્ટ્રોકને રોકવા માટે ઉપયોગી છે. આ સેલીસીટેડ લોહીને પાતળું કરવા માટે ઉપયોગી છે. આ સિવાય આદુમાં સોજો ઓછો કરીને માંસપેશીઓને આરામ આપવાના પણ ગુણ હોય છે.

લસણમાં એવા ગુણ હોય છે જે ફ્રી રેડીક્લને નાશ કરવા માટે ઉપયોગી હોય છે. લસણ બ્લડપ્રેસરને પાતળું કરીને લોહીને પાતળું કરવા માટે પણ ઉપયોગી છે. જેનાથી લોહીના પ્રભાવમાં સુધારો થાય છે.

જયારે માછલીમાં ઓમેગા-3 ફેટીએસીડ, EPA તથા EHA હોય છે. જેમાંથી લોહીને પાતળું કરવાના ગુણ મળી આવે છે. EPA તથા EHA લોહીને પાતળું કરવામાં મદદ કરે છે. માછલીના તેલનું સેવન કેપ્સુલની જેમ કરી શકાય છે. એટલા માટે માછલીનું તેલ લોહીને પાતળું કરવા માટે ઉપયોગી છે.

કેયન લાલ મરચામાં લોહીને પાતળું કરવામાં ઉપયોગી છે. કેયન લાલ મરચામાં લોહીને પાતળું કરવા માટે ઉચ્ચ માત્રામાં સેલીસીટેડ હોય છે. આ મરચું લોહીને પાતળું કરવા માટેના ગુણ હોય છે માટે આ મરચાને ખાવામાં પણ ઉપયોગમાં લઈ શકાય છે. તે લોહીને પાતળું કરવાની સાથે બ્લડ પ્રેસરને ઘટાડવા માટે પણ ઉપયોગી છે. સાથે બ્લડ પ્રેસરને પણ સામાન્ય રાખે છે.

આમ, આ ઉપરોક્ત ઉપચાર કરીને તમે લોહીને પાતળું રાખી શકો છો. આ ઉપચાર કરવાથી લોહી કુદરતી રીતે પાતળું થાય છે. આ ઉપાય સાવ ઘરેલું વસ્તુઓ દ્વારા કરી શકાય છે. માટે કોઈ વધારે પડતા ખર્ચ કરવાની પણ જરૂરીયાત રહેતી નથી. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે માટે ખુબ જ ઉપયોગી થાય અને લોહીને પાતળું પાતળું કરી શકો.

મિત્રો માહિતી સારી અને ઉપયોગી લાગી હોય તો દરેક લોકો સૂધી આ માહિતી શેર કરીને પહોચાડવા વિનતી છે.

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

હિંગ
ઔષધી

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

August 26, 2022
કબજિયાત માટેનો દેશી ઈલાજ
ઘરેલું ઉપચાર

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

August 21, 2022
ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય
આરોગ્ય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

August 20, 2022
ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે
ઘરેલું ઉપચાર

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

August 19, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત
આરોગ્ય

લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત

July 27, 2022
Next Post
વાળ કાળા કરવા નો આયુર્વેદિક ઉપચાર

બસ 1 ચમચી માથા માં લગાવી દો 50 વર્ષ સુધી તમારા વાળ સફેદ નહીં થાય

કફના ઈલાજ માટે ભોય રીંગણી

ગમે તેવી શરદી ઉધરસ અને કફ માટે આ એક વનસ્પતિ જ કાફી છે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

વાસી મોઢે પાણી પીવા

સવારે વાસી મોઢે પાણી પીતા હોય તો 3 બાબતો નું ધ્યાન રાખવું

March 22, 2022
તકમરીયાના ફાયદા અને ઘરેલું ઉપચાર

કેન્સર થી લઈને લોહીની ઉણપ જેવા 30 થી વધુ રોગોના ઈલાજ માટે ઉપયોગી છે આ સુપર બીજ

February 25, 2022
saragva no soup recipe

જાણો સરગવાનો પાવડર, સરગવાનું સૂપ અને શાક બનાવાની સૌથી સરળ પધ્ધથી

February 25, 2022

Popular Stories

  • ધાધર નો ઘરેલુ ઉપચાર

    ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • કમળા માટે 10 ઘરેલું રામબાણ ઉપચાર, ગમે તેવો કમળો થઇ જશે સારો

    0 shares
    Share 0 Tweet 0
  • દરેક રોગોનો રામબાણ ઈલાજ છે આ રસાયણ ચૂર્ણ, જાણો ઘરે રસાયણ ચૂર્ણ બનાવાની રીત

    0 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In