Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

લોહી પાતળું કરવાનો ૧૦૦% અસરકારક આયુર્વેદિક ઈલાજ

Deshi Osadiya by Deshi Osadiya
February 25, 2022
0
લોહી પાતળું કરવાનો ૧૦૦% અસરકારક આયુર્વેદિક ઈલાજ

લોહી પાતળું કરવાનો ૧૦૦% અસરકારક આયુર્વેદિક ઈલાજ

0
SHARES
Share on FacebookShare on Twitter

ઘણા લોકોને હાલમાં ચાલી રહેલી કોરોના બીમારીને કારણે લોહી જાડું થઈ જાય છે, અને લોહી જાડું થઈ જવાથી હ્રદય રોગ એટલે કે હાર્ટએટેકનું જોખમ રહે છે. આપણા શરીરમાં રહેલું લોહી અને હવા ફેફસામાં શુદ્ધ થાય છે. આ બાદ જ તે આખા શરીરમાં જાય છે. હવે કોરોના કે ન્યુમોનિયા રોગના કારણે આપણા ફેફસાંમાં કફનું પ્રમાણ વધે છે. સાથે જ વાયરસનું સંક્રમણ પણ વધે છે.

RELATED POSTS

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

આ વાયરસ અને કફને પરિણામે ફેફસાં ખરાબ થાય છે, ફેફસા પોતાનું કાર્ય કરવાનું ધીમું કરે છે. જેના લીધે લોહીનું ગાળણ થતું નથી. આવું દરરોજ થવાથી શરીરમાં રહેલું લોહી જાડુ થાય છે. આ લોહી જાડું થવાથી શરીરમાં હાર્ટ એટેકનો ખતરો વધે છે. સાથે બ્રેન હેમરેજ, કોલેસ્ટ્રોલ, બ્લડપ્રેસર, નળીઓ બ્લોકેજ થવી જેવી સમસ્યાઓ થાય છે.

Join Group

આ સિવાય તમને છાતીમાં દુખાવો કે ફેફસામાં દુખાવો થતો હોય, એસીડીટી જેવી તકલીફો થતી હોય તો તમારે લેબોરેટરીમાં જઈને  લોહીનો રીપોર્ટ કરાવી લેવો. જેને D-DIMER રીપોર્ટ કહેવામાં આવે છે. આ લેબોરેટરી રીપોર્ટ પ્રમાણે લોહી 00 mg/L થી 0.5 mg/L પાતળું હોવું જરૂરી છે. આનાથી વધારે જાડું હોય તો આ માટે લોહીને પાતળું કરવાના પણ ઉપચારો ચાલુ કરી દેવા જોઈએ. લોહી પાતળું કરવા માટે આયુર્વેદિક ઉપચારો પણ ઉપલબ્ધ છે. જેનાથી હ્રદય રોગના જોખમને ટાળી શકાય છે.

કોરોના કે ન્યુમોનિયા જેવા ફેફસાને લગતા સંક્રમણના રોગની ઝપેટમાં આવ્યા બાદ તમે તંદુરસ્ત હો તો પણ તમારે લોહીનો  રીપોર્ટ કરાવી લેવો જોઈએ. કારણ કે આ સારવાર લીધા બાદ તમારું લોહી જાડું થઇ ગયું હોય છે જેનાથી હાર્ટએટેકનો ખતરો રહેલો છે.

આ માટે આ ચાર વસ્તુઓ લેવી. જેમાં આદૂ, ફુદીનો, દાડમના દાણા અને લીલા મરચા લેવા. આ બધી ક ચારેય  વસ્તુઓને મિક્સરમાં નાખીને તેનો પેસ્ટ બનાવી લેવો. આમાં જરૂરીયાત મુજબ થોડું મીઠું નાખવું. આ પેસ્ટનો દરરોજ ભોજન સાથે સવારે, બપોર અને સાંજે ભોજનમાં ઉપયોગ કરવો. આ ઉપાય કરવાથી લોહી કુદરતી રીતે જ પાતળું થશે.

માછલીનું તેલ લોહીને પાતળું કરવામાં ઉપયોગી થાય છે. માછલીના તેલમાં ઓમેગા 3 ફેટી એસીડ હોય છે, જેમાં EPA અને DHA ગુણ હોય છે જે લોહીને પાતળું કરવામાં મદદગાર છે. માટે માછલીના તેલને ખાવામાં શામેલ કરો.

લસણમાં લોહીને પાતળું કરવાના ગુણ હોય છે. આ જેનાથી લોહીને પાતળું કરવામાં લસણ મદદ કરે છે. માટે દરરોજ લસણનો પેસ્ટ બનાવીને તેનું સેવન કરવું જોઈએ. આ સિવાય લસણની એક કળી સવારે ખાલી પેટ ખાઈ જવી જોઈએ. આ કળીને મધ સાથે પણ ખાઈ શકાય છે. જેના લીધે લોહી પાતળું કરવામાં મદદ મળે છે.

ડુંગળી લોહીને પાતળું કરવાનો ગુણ ધરાવે છે. માટે ડુંગળી લાવીને તેના ટુકડા કરીને મીક્સરમાં નાખીને તેનો રસ કાઢી લેવો. આ રસમાં એક ચમચી લીંબુનો રસ અને એક ચમચી મધ ભેળવીને તેનું સેવન કરવું. જેના લીધે લોહી પાતળું થવા લાગશે. ડુંગળી અને લસણનો રસ કાઢીને તેમાં મધ અને આદું ભેળવીને પીવાથી પણ લોહી પાતળું થાય છે.

કેયન મરચામાં લોહીને પાતળું કરવાના ગુણ હોય છે. જેમાં કુદરતી રીતે જ એસ્પીરીન આવેલું હોય છે. આ એસ્પીરીન તત્વ લોહીને પાતળું કરવાનું કાર્ય કરે છે. માટે લોહીને પાતળું કરવા માટે મરચાને લાવીને આ કેયન મરચાની ચટણી કે મરચાને અથાણામાં સેવન કરવાથી લોહી પાતળું કરવામાં મદદ મળે છે.

લોહીને સાફ કરવા માટે બીટ ખુબ જ ફાયદાકારક હોય છે. આ બીટ લોહીને સાફ કરે છે અને લોહીની ઉણપને પણ દુર કરે છે. આ માટે બે બીટ લઈને તેને સાફ કરીને તેના ટુકડા કરીને તેને કોઈ એક વાસણ બે ગ્લાસ પાણી ઉકાળીને તેમાં આ કાપેલા બીટના ટુકડાને નાખો.

હવે આ ટુકડા વાળા પાણીને 10 મિનીટ સુધી ઉકળવા દો. આ પછી તેમાં જીરું અને કાળામરીનો પાવડર બરાબર માત્રામાં એક ચમચી ભેળવો. 10 મીનીટ પછી આ ઉકળતા પાણીને ગાળી લો. આ પછી આ હુંફાળા પાણીને પી લેવું. આં મિશ્રણને તમે 21 દિવસ સુધી દરરોજ કરીને પીવું. આ પ્રયોગથી લોહી પાતળું અને શુદ્ધ થાય છે.

શરીરમાં કસરતો કરવાથી પરસેવો થાય છે. જેનાથી શરીરની અશુદ્ધિઓ બહાર નીકળે છે. આ સમયે યોગથી પણ ફાયદો થાય છે. યોગથી તન અને મન સ્વસ્થ રહેશે. યોગ કરતી વખતે વધારે પરસેવો આવે છે અને આપણે વધારે ઓક્સીજન લઈ શકીએ છીએ. જેનાથી લોહીનું પરિભ્રમણ સારું થાય છે અને જેથી લોહી પાતળું થાય છે.

દુધીમાં લોહીને પાતળું કરવાના ગુણ હોય છે. માટે દુધીને કાપીને તેના ટુકડા કરી લેવા. આ ટુકડાને મિક્સરમાં નાખીને તેમાંથી રસ કાઢી લેવો. આ રસમાં આદુ, હળદર, મીઠું, લસણ, મધ વગેરે નાખીને તેનું જ્યુસ બનાવી લેવું. આ જ્યુસનું નિયમિત સવારે અને સાંજે સેવન કરવાથી લોહી પાતળું થાય છે. આ બધી જ વસ્તુઓ લોહીને પાતળું કરવાનો ગુણ ધરાવે છે.

અર્જુન વૃક્ષ લોહીને પાતળું કરવાનો ગુણ ધરાવે છે, જ્યારે તજનું વૃક્ષ પણ લોહીને પાતળું કરવાનો ગુણ ધરાવે છે. અર્જુનની છાલ અને તજની છાલ બંનેને લઈને તેનો ઉકાળો બનાવવો. દેશી ઓસડીયા વાળાની દુકાને કે ગાંધીની તેમજ કરીયાણા વાળાની દુકાને આ વસ્તુઓ મળી રહે છે. આ બંનેને કોઈ પાણી ઉકાળી શકાય તેવા વાસણમાં લઈને તેમાં 400 ગ્રામ પાણી નાખવું. જ્યારે આ પાણીમાંથી ઉકળતા માત્ર 100 ગ્રામ પાણી વધે ત્યારે ઉતારીને તેનું હુંફાળું ગરમ રહે ત્યારે સેવન કરવું. આ ઉકાળો નિયમિત પીવાથી લોહી પાતળું થાય છે.

લોહીને પાતળું કરવા માટે વધારે પ્રમાણમાં પાણી પીવું. પાણી શરીરને શુદ્ધ રાખવાનું અને ડીટોક્સ કરવાનું કાર્ય કરે છે. લોહીને પાતળું કરવા માટે સતત પાણી પીતા રહેવાથી શરીરમાં પાણીનું પ્રમાણ વધે છે. જેના લીધે લોહી પાતળું રહે છે.

સુકી દ્રાક્ષ એ લોહીને શુદ્ધ કરવામાં ઉપયોગી છે. આ માટે 25 ગ્રામ સુકી દ્રાક્ષને રાત્રે પાણીમાં પલાળી દેવું. સવારે આ દ્રાક્ષને પાણીમાં જ પીસી નાખવી અને પછી આ દ્રવ્યને પી જવું. આ દરરોજ પીતું રહેવાથી લોહી સાફ થાય છે.

કારેલાનું જ્યુસ પણ લોહીને શુદ્ધ કરવામાં અગત્યનો ભાગ ભજવે છે. આ માટે કારેલાને લાવીને તેના ટુકડા કરવા અને તેને મિક્સરમાં નાખીને તેનો રસ કે જ્યુસ બનાવી લેવો. આ રસનું દરરોજ સેવન કરવું જેનાથી લોહી શુદ્ધ થાય છે.

લોહીને શુદ્ધ કરવા માટે પાલખ ખુબ જ ઉપયોગી છે. આ માટે એક ગ્લાસ પાણી લેવું અને તેમાં થોડાક ફુદીનાના પાંદડા ને કોથમીરના પાન્દ્ડળ સારી રીતે ધોઈને નાખી દેવા. આ પછી 10 મિનીટ સુધી આ પાણીને  ઉકાળવું. બાદમાં આ પાણીને ફાલીને હુંફાળું પીવું. આ પ્રયોગ સવારે કરવાથી લોહીને શુદ્ધ કેવા ખુબ જ ઉપયોગી થાય છે.

તુલસીના પાંદડા શરીરને કુદરતી રીતે શુદ્ધ કરવામાં ઉપયોગી છે. તુલસી એન્ટી બેક્ટેરીયલ અને એન્ટી વાયરલ ગુણ ધરાવે છે. માટે દરરોજ તુલસીના 10 થી 12 પાંદડા ચાવીને ખાવામાં આવે તો લોહી શુદ્ધ થાય છે. આ સિવાય ચામાં તુલસીના પાંદડા નાખીને પણ પીવાથી લોહી સાફ રહે છે. તુલસીના પાંદડાનું ચૂર્ણ કરીને પીવાથી લોહીને સાફ કરવામાં ઉપયોગી થાય છે.

લીંબુ એન્ટી એન્ટી ઓક્સીડેન્ટ ગુણ ધરાવે છે. તે વિટામીન સી થી ભરપુર હોય છે. લીંબુના એસીડીક ગુંથી લોહીની ગંદકી સાફ થાય છે. આ માટે દરરોજ એક ગ્લાસ પાણીમાં લીંબુ નાખીને પીવાથી લોહી સાફ થાય છે. લોહીમાં ખરાબ ટોક્સીન્સ હોય છે તે સંડાસ સાથે નીકળી જાય છે.

ગોળ અને આદુના ઘણા ફાયદા છે. ગોળ પેટને સાફ કરવા સિવાય લોહીને પણ સાફ કરે છે. ગોળ અને પાણી પીવાથી અનેક ફાયદાઓ થાય છે. આ સિવાય ભોજન બાદ ગોળ ખાવાથી ભોજન પચે છે અને શરીરમાંથી ટોક્સીન્સ બહાર આવે છે. શરીરમાં રહેલા લોહીને સાફ કરવા માટે ગોળ અને આદુની ચા પીવી જોઈએ. આ માટે 1 મોટા કપ પાણીમાં થોડીક હળદર અને ઘસીને કે કુચળીને નાખવી અને તેમાં એક ગોળનો ટુકડો નાખીને ગરમ કરવું. લગભગ  5 થી 7 મિનીટ ગરમ કરીને પછી તેને ગાળીને પી જવું.

આ સિવાય કોથમીરની એક જુડી લઈને તેને બે ગ્લાસ જેટલા પાણીમાં લગભગ 10 મિનીટ સુધી ઉકાળવી. ઉકળ્યા બાદ વધેલા પાણીને ગાળીને રાખી લો. આ પાણીને એક મહિના સુધી ફ્રીજમાં રાખીને ઉપયોગ કરી શકાય છે. સવારે ખાલી પેટ આ સેવન કરવાથી લોહી શુદ્ધ થાય છે.

આ રીતે કુદરતી રીતે લોહીને પાતળું કરી શકાય છે, જેનાથી શરીરને ગંભીર સ્થિતિમાં આવતું બચાવી શકાય છે. આ ઉપાય કરવાથી લોહી પાતળું રહે છે અને શુદ્ધ રહે છે. અમે આશા રાખીએ કે લોહીને પાતળું કરવાના આ ઉપચારો તમારા માટે ખુબ જ ઉપયોગી થશે અને લોહીને કુદરતી રીતે તમે પાતળું કરી શકશો.

આ આયુર્વેદિક ઉપચાર અને માહિતી સારી લાગી હોય તો નીચે આપેલા બ્લુ કલરના લાઈક બટન પર ક્લિક કરો જેથી તમને માહિતી ઝડપથી મળતી રહે. 

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

હિંગ
ઔષધી

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

August 26, 2022
કબજિયાત માટેનો દેશી ઈલાજ
ઘરેલું ઉપચાર

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

August 21, 2022
ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય
આરોગ્ય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

August 20, 2022
ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે
ઘરેલું ઉપચાર

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

August 19, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત
આરોગ્ય

લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત

July 27, 2022
Next Post
હળદર વાળું દૂધ પીવાના ફાયદા

30થી વધુ રોગોનો રામબાણ ઈલાજ છે આ ગોલ્ડન મિલ્ક

છાતી અને ગળામાં જમા થયેલો કફ એક જ દિવસ માં નીકળી જશે બહાર

છાતી અને ગળામાં જમા થયેલો કફ એક જ દિવસમાં નીકળી જશે બહાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ધાધર નો ઘરેલું ઉપચાર

જૂનામાં જૂની ધાધર ને 100% જડમૂળથી મટાડી દેશે આ ઘરેલું ઉપચાર

August 7, 2022
હાર્ટએટેકથી બચવાનો સૌથી અસરકારક ઉપાય

હાર્ટએટેકથી બચવાનો સૌથી અસરકારક ઉપાય છે આ ઔષધી

March 22, 2022
સંચળ ખાવાના અમુલ્ય ફાયદા

સવારે ઊઠીને ગરમ પાણી સાથે માત્ર એક ચપટીનુ સેવન કરો, પેટના રોગો કાયમ રહેશે દુર

February 25, 2022

Popular Stories

  • ધાધર નો ઘરેલુ ઉપચાર

    ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • કમળા માટે 10 ઘરેલું રામબાણ ઉપચાર, ગમે તેવો કમળો થઇ જશે સારો

    0 shares
    Share 0 Tweet 0
  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
  • વગર દવાએ પેશાબમાં થતી તીવ્ર બળતરા અને ઉનવા માટે 100% અસરકારક ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In