Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

કુદરતી રીતે લીવરને સાફ કરો 10થી વધુ ગંભીર બીમારી કોઈ દિવસ નહિ થાય

Deshi Osadiya by Deshi Osadiya
March 22, 2022
0
લીવરનો બધો કચરો બહાર નીકળી જશે

લીવરનો બધો કચરો બહાર નીકળી જશે

0
SHARES
Share on FacebookShare on Twitter

આપણા શરીરમાં યકૃત એટલે કે લીવર ખુબ જ ઉપયોગી કાર્ય કરે છે. માટે લીવરની સાર સંભાળ રાખવી ખુબ જ જરૂરી છે. જે આપણા શરીરમાં ખુબ જ જરૂરી અંગ છે. માટે યોગ્ય સમયે લીવરની સફાઈ કરવામાં આવે તો કે ખુબ જ સારી રીતે કાર્ય કરે છે.

RELATED POSTS

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

મોમાંથી ગંધારી વાસ આવતી હોય, અવારનવાર પેટ ખરાબ થઈ ગયું હોય, પેશાબનો રંગ પીળો થઈ ગયો હોય, ચહેરાની ચમક ફીકી પડી ગઈ હોય, આંખો પીળી હળદર જેવી થઇ ગઈ હોય, કોઇપણ દવાની અસર થતી ન હોય, પગમાં દુખાવા વગરના સોજા થઈ ગયા હોય, લોહી કાઢી નાખે એવી ખંજવાળ આવતી હોય, પેટની ફાંદ મોટી થતી જતી હોય તો તે લીવરમાં ખામી હોવાના લક્ષણો છે.  આવા લક્ષણો હોય તો તેના શુદ્ધ કરવાના આયુર્વેદિક ઉપચારો કરીને શુદ્ધ કરવું જોઈએ.

Join Group

આ લીવરની સફાઈ કરવા માટે અમે આ લેખમાં સરળ નુસ્ખાઓ વિશે જણાવીશું. આ નુસ્ખાઓ કરવાથી લીવરને સ્વસ્થ રાખી શકીશું અને સાથે સ્વચ્છ પણ કરી શકીશું. લીવરની સફાઈ કરવાથી લીવરના રોગો પણ થતા નથી જેનાથી શરીરના રોગોથી પણ બચી શકાય છે.

મૂળો લીવરની સફાઈમાં ઉપયોગી છે. આ માટે 125 ગ્રામ મૂળાના પાંદડા અને 1 બીટ લેવું તેમજ અડધો ઈચ જેટલું આદુ લેવું. મૂળાના પાંદડાને ધોઈ તેમજ બીટ તથા આદુને સુધારીને મિક્સરમાં નાખીને જ્યુસ તૈયાર કરી લો.

આ જ્યુસ બપોરે અને સાંજે જમ્યા પછી પાણીની જેમ ગટગટાવી ને પી જાઓ. 15 દિવસમાં જ લીવરની મોટા ભાગની તકલીફો દૂર થઇ જશે. આ જ્યુસને નિયમિત પીવો હોય તો પણ પી શકાય છે. કારણ કે તે લીવર ટોનિક ઉપરાંત એનર્જી ડ્રીંકનું કામ પણ કરે છે.

ફાઈબરથી ભરપુર મૂળાના પાંદડામાં વિટામીન A, B અને C સમાયેલા છે. આંખની કમજોરી, કમળો, પાઈલ્સ અને બરછટ થઈ જતા વાળને રોકવા માટે આ જ્યુસ ખાતરીપૂર્વકનો ઈલાજ છે.

પેટની ઉપરના ભાગમાં આવેલા આવેલા લીવરનું મુખ્ય કામ પેટમાં જમા થતો કચરો અને ઝેરીલ પ્દાર્થીને ગરણીની જેમ ગાળી, લોહીને શુદ્ધ કરીને શરીરને તંદુરસ્ત રાખવાનું છે. બીટ અને આદુ લીવર માટે સફાઈ કામદાર જેવું કામ આપે છે.

દુધી પણ લીવરની સફાઈ માટે ઉપયોગી છે. આ માટે દુધીનો જ્યુસ બનાવીને સેવન કરવાથી લીવર સાફ થાય છે. આ માટે 6 વસ્તુ એકથી કરીને દુધીનો જ્યુસ બનાવી શકાય છે. જેમાં 125 ગ્રામ દૂધી, 10 ડાળખી કોથમીર, 1 ચમચી સંચળ, 1 ચમચી લીંબુનો રસ, 1 ચમચી હળદર અને 30 મિલી ગળોના પાંદડાનો રસ લઈને જ્યુસ બનાવવામાં આવે છે.

ગળોનો રસ તૈયાર મળી રહે છે. જે આયુર્વેદિક કે મેડીકલ સ્ટોર પર હોય છે. છતાં ગળોના વેલા અને પાંદડામાંથી પણ કાઢી શકાય છે. ગળોના રસમાં રોગ પ્રતિકારક શક્તિનું પ્રમાણ વધારે હોય છે. તે જૂની અને જીદ્દી કબજીયાતને દૂર કરે છે. પેટમાં જામી ગયેલી ચીકાશને મળમૂત્ર વાટે બહાર કાઢે છે.

જયારે દુધી અને કોથ્મીરનું કામ લીવરને ટાઢક પહોંચાડવાનું છે. હળદર તેના એન્ટીબેક્ટેરીયલ ગુણોને સક્રિય કરીને લીવરને જામી ગયેલા ઝેરી પદાર્થોથી મુક્ત કરે છે. સંચળ વાછૂટ દ્વારા પેટનો ગેસ બહાર કાઢે છે.

હવે આ જ્યુસ બનાવવા માટે દૂધીની છાલ ઉતારીને નાના નાના ટુકડા કરીને મિક્સરમાં નાખો. મુળિયા કાપેલી તાજી કોથમીરની ડાળખીઓ પણ મિક્સરમાં નાખી દો. આ માટે કોથમીરના પાંદડા તોડવાની જરૂર નથી. કોથમીરની લીલી ડાંડલીઓ ગુણકારી અર્કથી ભરેલી હોય છે. આમ મીક્ષરમાં નાખીને તેમાંથી એક ગ્લાસ જેટલું જ્યુસ તૈયાર કરો. મિક્સરમાં નાખતી વખતે પાણી ન નાખવું.

જેને મિક્સરમાંથી કાઢીને તેને એક ગ્લાસમાં ભરી લો. તેમાં હળદર, લીંબુનો રસ અને ગળોનો રસ અને સંચળ પાવડર તેની અંદર ઉમેરો. દરરોજ સવારે નરણા કોઠે નાસ્તો કર્યા પહેલા અડધી કલાકે અ જ્યુસ પીવો. 8 થી 10 દિવસ સુધી આ જ્યુસનું સેવન કરવું.

દર 6-6 મહીને 1-1 અઠવાડિયા સુધી આ જ્યુસનું સેવન કરવું. આ પ્રયોગ કરવાથી લીવર સમ્પૂર્ણ સાફ અને શુદ્ધ થઈ જાય છે. આપણે સૂતા હોઈએ કે જાગતા હોઈએ ત્યારે લીવરને અનેક કામો કરવા પડે છે. જેમાં ઈજા થતા શરીરના નાના મોટા ઘાને ભરવા. ખોરાકમાં રહેલા પોષક તત્વોને ગ્રહણ કરવા, શરીરનું વજન વધારવું કે ઘટાડવું, નવા સ્નાયુઓનું નિર્માણ કરવું, કોલેસ્ટ્રોલ અને સુગરનું સંતુલન જાળવી રાખીને વિટામીન અને ખનીજ તત્વોનો સંગ્રહ કરવો વગેરે અનેક કામો લીવર દ્વારા થાય છે.

માટે નો લીવર નુકશાન પામે તો તેની ગંભીર અસર શરીર પર પડે છે. માટે ઉપર મુજબનો દુધીનો જ્યુસ લીવરને વૃદ્ધ થતું અટકાવે છે.

ભો આમલીના લીવર ટોનિક દ્વારા પણ લીવરને શુદ્ધ કરી શકાય છે. આ લીવર ટોનિક બનાવવા માટે પાંચ વસ્તુઓની જરૂર પડે છે. જેમાં ભો આમલી, હળદર, આદુ, મીઠું અને પાણી.  જ્યારે આ બધી જ વસ્તુઓ આપણા રસોડામાં જ ઉપલબ્ધ હોય છે અને ભો આમલી પ ખેતરમાં કે જંગલ પ્રદેશમાંથી મળી રહે છે.

આ ભો આમલીમાં 80 થી 85 ટકા પોટેશિયમ હોય છે. જેનાથી તેમાં પેશાબ લાવે તેવા ગુણ હોય છે. સાથે તેમાં શરીરમાંથી ઝેરીલા પદાર્થોને જડમૂળમાંથી દુર કરવાનાં અદભૂત ગુણ ધરાવે છે. ભો આમલી પેટમાં જીવડા થવા દેતી નથી અને જીવડા હોય તો તે જીવડાનો નાશ કરે છે. તે લીવરને મજબૂતી અને નવી ઉર્જા આપે છે.

આ ટોનિક બનાવવા માટે મુળિયા સહિતના 250 ગ્રામ જેટલા  ભો આમલીના છોડવા લઈને તેને સાફ પાણીથી બે વખત ધોઈ લો. આ ધોયેલી ભોય આમલીને ટુકડા કરીને પ્રેશર કુકરમાં નાખો. પછી તેમાં અડધી ચમચી સુંઠનો પાવડર, અડધી ચમચી હળદરનો પાવડર અને સ્વાદ અનુસાર મીઠું નાખવું. આ પછી આ મિક્સરમાં દોઢ લીટર પાણી નાખીને 4 સીટી વાગે ત્યાં સુધી ગરમ થવા દો.

આટલો ગરમ થયા બાદ આ ઉકાળાને ગરણીથી ગાળી લો. આ માપમાં લીધેલું ભો આમલીનું ટોનિક લગભગ 12 દિવસ સુધી ચાલે છે. તેને એક કાચની બરણીમાં ભરી લો. આ ટોનિકને તડકો ન આવે તેવી જગ્યાએ રાખી દો.

આ ટોનિકને દિવસમાં 3 થી 4 કલાકનો ગાળો રાખીને દિવસમાં 2 થી 3 વખત અડધો કપ પાણી અને અડધો કપ  આ ટોનિક મિક્સ કરીને પીઓ. આ ટોનિક જમ્યા પહેલા અને જમ્યા બાદ ગમે ત્યારે પી શકાય છે.

આ ટોનિક સતત એક મહિના સુધી લેવું. આ ટોનિકના સેવનથી એક વરસ સુધી તમારું લીવર સ્વસ્થ, નિર્મળ અને તાજુમાજુ રહેશે. આ ટોનિક વર્ષમાં કોઇપણ મહીનામાં લઈ શકાય છે. જયારે એપ્રિલ કે જુન મહિનામાં લેવામાં આવે તો ડીહાઈડ્રેશનથી પણ બચી શકાય છે. તે હાઈ બીપીની સમસ્યામાં પણ ફાયદો કરે છે.

કમળો, પાંડુરોગ, દમ, પેટની ગાંઠ, ઉધરસ, શ્વાસનળીના સોજા માટે આ ટોનિક અક્ષીર ઈલાજ છે. આ ઉપરોક્ત નુસ્ખામાંથી તમારી અનુકુળતા પ્રમાણે કોઇપણ એક કે બે ઈલાજ અજમાવીને ફાયદો મેળવી શકાય છે. જેનાથી લીવરમાં ચોક્કસ ફાયદો થશે.

આમ, આ ઉપરોક્ત ઉપચારો કરીને લીવરની સફાઈ કરી શકાય છે. લીવરને રીપેર કરી શકાય છે. આ ઈલાજ અપનાવવાથી શરીરના ગંભીર રોગોમાંથી બચી શકાય છે. આ ઉપચાર કરવાથી કોઈ આડ અસર થતી નથી. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમે લીવરની સફાઈ કરવામાં મદદરૂપ થાય.

આ આયુર્વેદિક ઉપચાર અને માહિતી સારી લાગી હોય તો નીચે આપેલા બ્લુ કલરના લાઈક બટન પર ક્લિક કરો જેથી તમને માહિતી ઝડપથી મળતી રહે. 

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

હિંગ
ઔષધી

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

August 26, 2022
કબજિયાત માટેનો દેશી ઈલાજ
ઘરેલું ઉપચાર

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

August 21, 2022
ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય
આરોગ્ય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

August 20, 2022
ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે
ઘરેલું ઉપચાર

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

August 19, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત
આરોગ્ય

લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત

July 27, 2022
Next Post
ઓપરેશન વગર હરસ-મસા કે પાઈલ્સને કાયમી દુર કરવાનો સરળ ઉપચાર

ઓપરેશન વગર હરસ-મસા કે પાઈલ્સને કાયમી દુર કરવાનો સરળ ઉપચાર

બાજરો ખાવાના ફાયદા

બાજરો ખાવાથી શરીરમાં જે થાય છે જે અત્યાર ના 90% લોકોને ખબર જ નથી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

સંચળ ખાવાના અમુલ્ય ફાયદા

સવારે ઊઠીને ગરમ પાણી સાથે માત્ર એક ચપટીનુ સેવન કરો, પેટના રોગો કાયમ રહેશે દુર

February 25, 2022
કેન્સરથી લઇ ને 100 થી વધુ રોગોના ઈલાજ માટે ઉપયોગી છે સરગવાનો પાવડર

કેન્સરથી લઇ ને 100 થી વધુ રોગોના ઈલાજ માટે ઉપયોગી છે સરગવાનો પાવડર

February 25, 2022
આ એક ઉપચારની મદદથી ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ અને શ્વાસની ગંભીર બીમારીઓ માં મળે છે રાહત

આ એક ઉપચારની મદદથી ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ અને શ્વાસની ગંભીર બીમારીઓ માં મળે છે રાહત

February 25, 2022

Popular Stories

  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
  • ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

    0 shares
    Share 0 Tweet 0
  • વગર દવાએ પેશાબમાં થતી તીવ્ર બળતરા અને ઉનવા માટે 100% અસરકારક ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In