Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

સાંજે સુતી વખતે માત્ર અડધી ચમચી આ દેશી ઓસડીયુ પાણીમાં નાખીને પીવો

Deshi Osadiya by Deshi Osadiya
March 22, 2022
0
જૂનામાં જૂની કબજિયાતનો ઉપચાર

જૂનામાં જૂની કબજિયાતનો ઉપચાર

0
SHARES
Share on FacebookShare on Twitter

કબજિયાત એક એવી સમસ્યા છે કે બધા જ લોકોને થતી હોય છે. જે ખોરાક અને તેના પાચન તંત્ર સાથે સંકળાયેલી સમસ્યા છે. આ સમસ્યા ખોરાકમાં પાચન ન થવાથી તેમજ જૂનો મળ આંતરડાના ઘણા સમય સુધી રહેવાથી જે સમસ્યા થાય  તેને આપણે કબજીયાત કહીએ છીએ. આ કબજીયાત જોવામાં સામાન્ય લાગતી સમસ્યા છે પરંતુ તે અનેક સમસ્યાનું મૂળ છે.

RELATED POSTS

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

જો લાંબા સમય સુધી કબજીયાતની બીંમારી રહે તો તેનાથી અનેક રોગો શરીરમાં આવે છે. આ જૂનો મળ હોય છે જે આંતરડામાં સડવા લાગે છે જેના પરિણામે તે પાચન તંત્રમાં ભળે છે. પાચક રસોમાં ભળે છે. જેના લીધે શરીરનું આરોગ્ય જોખમાય છે. જેના પરિણામ સ્વરૂપ ઘણા બધા રોગો આવી શકે છે.

Join Group

એરંડીયુ

આ કબજિયાતના ઈલાજ માટે રાત્રે સૂતી વખતે એક ગ્લાસ પાણી ગરમ કરી લેવું. આ પાણીને માત્ર હુંફાળું જ ગરમ કરવું. આ એક ગ્લાસ પાણીમાં માત્ર અડધી ચમચી એરંડીયુ નાખવું. એરંડિયું પેટ સાફ કરવામાં અતિ મહત્વનો ભાગ ભજવે છે.

આ અડધી ચમચી એરંડીયુ નાખીને એક ગ્લાસ પાણીમાં બરાબર તેને હલાવી લેવું. બરાબર મિક્સ થઇ જાય એટલે આ પાણી રાત્રે સૂતી વખતે પી જવું. માત્ર આ અડધી ચમચી એરંડીયુ પેટને સાફ કરી દે છે અને કબજીયાતને પણ થવા દેતું નથી.

અઠવાડીયામાં માત્ર બેથી ત્રણ જ વાર આ ઉપાય કરવો જેનાથી પેટ એકદમ ચોખ્ખું સાફ થઇ જાય છે. આ બાબતમાં ખાસ એ ધ્યાનમાં રાખવી કે જમ્યા બાદ પાણી ન પીવું. આયુર્વેદમાં જણાવ્યા અનુસાર જો જમી લીધા બાદ 45 મિનીટ સુધી પાણી ન પીવું જોઈએ. 45 મિનીટ પછી જ પાણી પીવું જોઈએ. જેના લીધે ખાધેલો ખોરાક બરાબર પાચન થઇ જશે. જો તમે જમીને તરત પાણી પીવો તો ખોરાકને પચાવવા માટે જે અગ્નિ ઉત્પન્ન થાય છે તે અગ્નિ ઠરી જાય છે. જેથી ખોરાકનું પાચન ન થાય અને જેના લીધે પેટની સમસ્યા સમસ્યા થાય છે.

જો જમ્યા બાદ પાણી ન પીવો અને આ ઉપાય કરો એટલે 100 ટકા કબજીયાત મટી જાય છે. પેટ સાફ થઇ જાય છે. શરીરમાં રહેલો જુનો મળ હોય તે બહાર નીકળી જાય છે. શરીરમાં રહેલી ઘણી બધી સમસ્યાઓ આ રીતે ઠીક થાય છે. આ એરંડીયાનો પ્રયોગ ખુબ જ અસરકારક છે.

હાલના સમયમાં કબજીયાત એક એવી સમસ્યા છે, જે મોટાભાગના લોકોને આ સમસ્યા થતી હોય છે. કબજીયાત થવાનું કારણ જાણીએ તો ખાસ તો આપણી ખોરાક લેવાની જે શૈલી છે. એમાં ક્યાંકને ક્યાંક ખામી છે અથવા ખોરાક લેવાની જે ટેવ હોય. ખોરાકની શૈલી છે તે ખામી ભરેલી હોય તો તેના લીધે કબજીયાત થઈ શકે છે.

ખોરાકમાં કોઈ ભૂલ રહેલી હોય ત્યારે પેટની સમસ્યા થાય છે. જેમાં પણ ખાસ કરીને ગેસ, એસીડીટી અને કબજિયાત. આ ત્રણમાથી કોઇપણ સમસ્યા થાય. તમે ખાધેલો ખોરાક છે તે બરાબર ન હોય અને ખોરાકનું પાચન થવામાં ક્યાંકને ક્યાંક પેટની અંદર મુશ્કેલી પડે.  પાચન તંત્રની ક્રિયામાં ક્યાંકને ક્યાંક ખરાબી ઉત્પન્ન થાય તો ખોરાકનું બરાબર પાચન ન થાય.

આવી રીતે ખોરાકનું પૂરતું પાચન ન થાય એટલે પેટમાં ગેસ થાય, ગેસ થાય એટલે એસીડીટી થાય અને ખોરાકનું પાચન ન થાય એટલે કબજિયાત પણ થાય છે. જ્યારે કબજીયાત થાય એટલે સવારના સમયે સંડાશ જતી વખતે ઘણી બધી મુશ્કેલીઓ આવે. જેમાં મળ પેટમાંથી જે મળ નીકળી જવો જોઈએ તે બહાર નીકળી શકતો નથી.

આ સમસ્યામાં અમે જે ઉપાય બતાવી રહ્યા છીએ તે ઉપાય કરવાથી શરીરમાં કબજિયાતની સમસ્યા ઠીક થઈ જાય છે. આ ઉપાય એકદમ સરળ અને દેશી ઉપાય છે. આ ઉપાય આપણા પૂર્વજો ઘણા વર્ષોથી અપનાવતા હતા. જયારે પેટની સમસ્યા થતી હોય, પેટમાં જે મળ છે તે કઠણ થઇ જાય અને મળ બહાર ન નીકળતો હોય તો કે કબજિયાત જેવું રહેતું હોય ત્યારે આપણા વડીલો છે તે પણ આ ઉપાય અપનાવતા હતા. આ ખુબ જ સરળ અને દેશી ઉપચાર છે.

પરંતુ આ ઉપાય કરવા સાથે એવો કોઈ ખોરાક ન લેવો જેનાથી કબજિયાત થઈ શકે. આ સમસ્યામાં ખાસ એ બાબતનું ધ્યાન રાખવું કે ખોરાકને પાચન થવાની પણ શરીરની અંદર જગ્યા ન રહેવા દેવામાં આવે તો પેટની સમસ્યાઓ ઉત્પન્ન થાય છે જેના લીધે કબજિયાત થાય છે.

આ વસ્તુમાં પણ ખાસ તો મેંદા વાળી વસ્તુઓ હોય તે પાચન થવામાં ઘણી બધી તકલીફો ઉત્પન્ન કરે છે. તમે જયારે મેંદો ખાવ છો ત્યારે આપણી પાચન સીસ્ટમ જે હોય છે તે ખોરવાય જતી હોય છે. જેના લીધે પાચન બરાબર થઇ શકતું નથી. જેના લીધે કબજિયાત થઇ શકે છે. આ વસ્તુઓમાં સેન્ડવીચ, પાવભાજી, સમોસા વગેરે જેવી બ્રેડ મેંદા વાળી વસ્તુઓ હોય શકે છે. માટે આવી વસ્તુઓ બંધ કરીને પછી કબજિયાત મટાડવાના ઉપાયો કરવા જોઈએ. જો આટલી કાળજી રાખીને ઉપાય કરવામાં આવે તો માત્ર ત્રણ જ દિવસમાં કબજીયાત મટી જાય છે અને તમારું પેટ સંડાશ જાવ એટલે માત્ર પાંચ જ મીનીટમાં તમારું આખું પેટ સાફ થઇ જાય છે.

આમ, એરંડીયુ તેલ કે જેના આપણે દીવેલ તરીકે ઓળખીએ છીએ. આ દીવેલને આવી રીતે અમે બતાવેલા ઉપચાર પ્રમાણે સેવન કરવામાં આવે તો શરીરમાં જે મળ કે સંડાશ ફસાયેલો હોય તે શરીરની બહાર નીકળી જાય છે. જેના લીધે માત્ર થોડા જ સમયમાં કબજિયાત મટે છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

હિંગ
ઔષધી

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

August 26, 2022
કબજિયાત માટેનો દેશી ઈલાજ
ઘરેલું ઉપચાર

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

August 21, 2022
ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય
આરોગ્ય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

August 20, 2022
ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે
ઘરેલું ઉપચાર

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

August 19, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત
આરોગ્ય

લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત

July 27, 2022
Next Post
મીઠો લીમડા ના ફાયદા

રોજ આ પાંચ પાન ખાઈ લ્યો એટલે આ 10 રોગો દુર થઇ જશે

ગમે તેવા કમરના દુખાવાથી છુટકારો આપશે આ 5 મિનીટની કસરત

ગમે તેવા કમરના દુખાવાથી છુટકારો આપશે આ 5 મિનીટની કસરત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

જાયફળ

50 વધારે બીમારીનો ઈલાજ છે જાયફળ, જાણો ઉપયોગ કરવાની રીત

March 22, 2022
સરગવાનું સૂપ બનાવાની રીત

રોજ સવારે પીવો આ હેલ્થી સરગવાનું સૂપ, જાણો તેના ફાયદા અને શીખો સરગવાનું સૂપ બનાવતા.

February 25, 2022
દૂધ સાથે કેળા

જો તમે પણ દૂધ સાથે કેળા ખાતા હોવ? તો પહેલા જ આ વાંચી લો, નહી તો થશે ગંભીર સમસ્યા

March 22, 2022

Popular Stories

  • ધાધર નો ઘરેલુ ઉપચાર

    ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • કમળા માટે 10 ઘરેલું રામબાણ ઉપચાર, ગમે તેવો કમળો થઇ જશે સારો

    0 shares
    Share 0 Tweet 0
  • દરેક રોગોનો રામબાણ ઈલાજ છે આ રસાયણ ચૂર્ણ, જાણો ઘરે રસાયણ ચૂર્ણ બનાવાની રીત

    0 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In