Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

જાણી લો વીંછીનું ઝેર ઉતારવાની રીત, કોઈક દિવસ ચોક્કસ કામ લાગશે

Deshi Osadiya by Deshi Osadiya
March 22, 2022
0
વીંછીનું ઝેર ઉતારવાની રીત

વીંછીનું ઝેર ઉતારવાની રીત

0
SHARES
Share on FacebookShare on Twitter

અહી દરેક માહિતી એકદમ સરળ, આયુર્વેદની દ્રષ્ટિએ તાર્કિક, વૈજ્ઞાનિક રીતે યોગ્ય માની શકાય એવી રીતે આપવામાં આવી છે. રાતોરાત તમારી હેલ્થ કે આરોગ્ય બેસ્ટ થઇ જાય એવું અમે આપતા નથી. આયુર્વેદ એ સૌથી બેસ્ટ પણ ધીમી પ્રક્રિયા છે જે તમને અસાધ્ય રોગોમાં 100% અસર સારા કરશે. એટલે તમારી પાંચે ધીરજ હોય તો જ આયુર્વેદમાં વિશ્વાસ કરજો.

RELATED POSTS

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

આ પૃથ્વી પર ઘણા બધા જીવજંતુઓ હોય છે. આ જીવજંતુઓમાંથી ઘણા બધા જંતુઓ ઝેરી પણ હોય છે. આ જીવજંતુ મોટા ભાગે તો વ્યક્તિના સપર્કમાં આવતા નથી અને માણસથી દૂર રહેતા હોય છે. પરંતુ કોઇપણ એવી જગ્યાએ આપણે પહોચી જઈએ કે આ જીવજંતુનો વસવાટ હોય. આ જીવના કોઈ અંગને અડી જવાથી કે તેને નુકશાન થવાથી તે માણસને ડંખ મારતા હોય છે.

Join Group

ખાસ કરીને માનવીને વધારે પ્રમાણમાં જીવજંતુઓમાં સાપ, વિંછી, કીડી, મકોડા, મધમાખી, મચ્છર અને કાનખજૂરા કરડવાનો ભય રહે છે. જો આ જીવજંતુઓ કરડે તો જેમાંથી સાપ અને વિંછીનું ઝેર વધારે ઝેરી હોય છે. અમે આ લેખમાં આવા જ જીવજંતુ પૈકીનું એક ઝેરી જીવજંતુ વિંછીનું ઝેર ઉતારવાની રીત જણાવીશું કે જે તમને ખુબ જ ઉપયોગી થશે.

વિંછી 6 પગ અને વાંકી પૂછડી ધરાવતું જીવજંતુ છે. વિશ્વમાં લગભગ 1700 જાતના વીંછી જોવા મળે છે. તમામ પ્રકારના વીંછી ઝેરી ડંખવાળા હોય છે. તે 9 મિલીમીટરથી માંડીને 23 સેન્ટીમીટર સુધીની લંબાઈના જોવા મળે છે. વિંછીનું શરીર સખત કવચથી રક્ષિત હોય તેના કવચમાં ફ્લ્યુરોસેન્ટ હોવાથી તે ચમકતા દેખાય છે.

વીંછીના પગ અને પૂછડી પર સુક્ષ્મ વાળ હોય છે. તે શક્તિશાળી સેન્સરનું કામ કરે છે. તેના વાળને કંઈક સ્પર્શ થાય તો તે તરત જ ડંખ મારે છે. તેની પૂછડી ચારે દિશામાં ફેરવી શકે છે અને એને છેડે અણીદાર ડંખ હોય છે.

આ વીંછી કરડે ત્યારે ખુબ જ ભયંકર વેદના થતી હોય છે, જે કોઈને વિંછી કરડ્યો હોય તે લોકો જ આ વેદના જાણી શકે છે. આ વિંછીનું ઝેર ચડવાથી માણસ મરી જતો નથી, પરંતુ તેની અસહ્ય વેદના દર્દ સહન કરી શકતો નથી.

આયુર્વેદમાં આવા વિંછીના ઝેરને ઉતારવાનો ખુબ જ અસરકારક ઈલાજ બતાવવામાં આવ્યો છે. જેનો ઉપયોગ કરીને વીંછીના ઝેરને ચમત્કારિક રીતે ઉતારી શકાય છે. આ ઈલાજ માટે ખાટી આંબલીના આંબલીયા ખુબ જ ઉપયોગી છે.

જો તમે આ ઈલાજ જાણતા હશો તો તમારા ઘરમાં, તમારા ગામમાં, તમારી સોસાયટીમાં કોઈને પણ વીંછી કરડ્યો હોય અને તમે જો હાજર હશો તો આ ઉપાય કરીને વિંછીનાં ઝેરને આસાનીથી ઉતારી શકો છો. આ ઈલાજ ખુબ જ ઝડપથી વીંછીના ઝેરને ઉતારી દે છે.

આ ઈલાજ માટે આંબલીના ફળ લાવવા. જે સ્વાદમાં ખાટા આવે છે. જેમાંથી તેના બીજ કાઢી લેવા. આ બીજને ધોઈને સાફ કરીને સુકવીને રાખી શકાય છે. જો તાત્કાલિક જરૂર પડે તો આ બીજ વાપરવા. જો વિંછી કરડે તો તાત્કાલિક આંબલીના કાતરામાંથી બીજ કાઢીને લૂછીને વાપરી શકાય છે.

આ આંબલીયાને પથ્થર ઉપર પાણી રેડીને ઘસતા રહેવા. આ બીજ ઘસતા રહેવાથી જે લેપ જેવો પેસ્ટ તૈયાર થાય છે. આ જે મલમ જેવો પેસ્ટ થાય છે તેને વિંછીએ જે જગ્યાએ ડંખ માર્યો હોય તે જગ્યા પર ચારેય બાજુ લેપ કરી દેવો.

આ લેપ કરવાથી ધીમે ધીમે વિંછીનું ઝેર સુચાવા લાગશે. આ પેસ્ટ સુકાઈને જયારે નીચે ખરી પડે, આ પેસ્ટ નીચે પડી જાય, ત્યારે વીંછીનું ઝેર ઉતરી જાય છે. ધીરે ધીરે દર્દીની વેદના પણ ઓછી થઈ જાય છે. આ ઈલાજ કરવાથી દર્દીને દવાખાને લઈ જવાની જરૂર નહિ પડે.

આ સિવાય પણ અન્ય એક ખુબ જ ઉપયોગી ઉપાય છે, જે વિંછીના ઝેરને ઉતારવાનું કામ કરે છે અને વેદનાને શાંત કરે છે. આ ઈલાજમાં વિંછીના ડંખ પર મંદ પોટેશિયમની ભૂકી નાખવી અને તેમાં ખાવાનો સોડા નાખીને પાણીના બે ટીપાં નાખવા. આ પછી પાણીથી આ ડંખને ધોઈ નાખવા અને પછી તેના પર નિર્મણીનું બીજ પથ્થર પર ઘસીને પેસ્ટ કે મલમ બનાવી લેવો. વિંછીએ મારેલા ડંખ પર આ ઘસેલુ નિર્મણીનું બીજ ચોટાડી દેવું. આ રીતે કરવાથી તરત જ વીંછીનું ઝેર શાંત થાય છે અને તરત જ ઉતરી જાય છે.

ચોમાંચાની ઋતુમાં વીંછીનો ત્રાસ વધારે હોય છે. ખાસ કરીને પથરાળી જમીન હોય તેમાં વિંછી વધારે રહેતા હોય છે. કારણ કે પથ્થરની નીચે રહેવામાં તેમને સરળતા રહે છે. માટે આવી જગ્યા પર કામ કરવાનું થાય તો કાળજી રાખવી જોઈએ.

વિછીનું ઝેર વિછીના પ્રકાર પર આધાર રાખે છે લાંબો અને લીલાશ પડતો ભૂરો રંગના વીંછીની ઝેર તીવ્ર હોય છે અને દસ વર્ષ ની ઉંમર સુધીના બાળકોને તાત્કાલિક તબીબી સારવાર આપવી અનિવાર્ય છે. બીજુ કે પિત્ત પ્રધાન વ્યક્તિને વીંછીનું ઝેર વધુ ચડે છે.

દરેક પ્રકારની વીંછીના દંશ માં જો હાથે કે પગે દંશ હોય તો તે ભાગ ગરમ પાણીમાં બોળી રાખવાથી પીડા ઓછી થઈ જશે અને તે સિવાયના ભાગ પર દંશ હોય તો ગરમ પાણીની ધાર કરવી. આમલીના કચૂકા ની જેમ તુલસીના પાંદડા, કપાસનું મૂળ, ગાયનું છાણ, અધેડાનું મૂળ, નીરમલીનું બીજ, ખરસાણી ધતુરો આ સર્વ રાહત આપે છે. દંશ વાળા ભાગ ને સહેજ ખોતરી તેની પર આકડાનું દૂધ લગાડવાથી તરજ રાહત થઈ જશે.

દરેક ની પ્રકૃતિ મુજબ દરેક ઔષધ ધીમું કે શીઘ્ર અસર કરે છે. પણ એકદમ જ રાહત થઈ જાય તેવી શક્યતા ઓછી હોય છે. જે સ્ત્રી ગર્ભવતી હોય અને તેને વીંછી કરડ્યો હોય તો જન્મનાર બાળકને વીંછીના ઝેર ની અસર બિલકુલ થતી નથી.

આમ, વિંછીનું ઝેર ઉતારવા માટે આ પ્રયોગ ખુબ જ ઉપયોગી છે. આ પ્રયોગ કરવાથી દર્દીને તરત જ રાહત અનુભવાવા લાગશે અને અને વેદના ઓછી થવા લાગશે. આ એક એકદમ ઘરેલું અને ઘરે જ બની શકતો ઈલાજ છે. આ ઈલાજ ખુબ જ ચમત્કારિક રીતે કાર્ય કરે છે. અમે આશા રાખી કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

હિંગ
ઔષધી

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

August 26, 2022
કબજિયાત માટેનો દેશી ઈલાજ
ઘરેલું ઉપચાર

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

August 21, 2022
ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે
ઘરેલું ઉપચાર

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

August 19, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
અષ્ટાંગ આયુર્વેદ દ્વારા ચોમાસાની ઋતુમાં રોગો થી બચવા માટે સ્પેશ્યલ આયુર્વેદ ઉકાળો
ઘરેલું ઉપચાર

અષ્ટાંગ આયુર્વેદ દ્વારા ચોમાસાની ઋતુમાં રોગો થી બચવા માટે સ્પેશ્યલ આયુર્વેદ ઉકાળો

July 24, 2022
મમરા ખાવાના ફાયદા
ઘરેલું ઉપચાર

વજન ઓછું કરવાથી લઇ ને રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરવા માટે ઉપયોગી છે મમરા

June 27, 2022
Next Post
ઊધઈને કાયમી દૂર કરવાનો ઉપાય

ઘર માંથી ઊધઈને કાયમી દૂર કરવાનો 100% અસરકારક ઉપાય

ત્રીજી લહેર થી બચવાના ઉપાય

કોરોનાની ત્રીજી લહેરથી બચવા આજથી જ ચાલુ કરી દેજો આ ઉપાય

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આયુર્વેદિક ધંધામાં લગાવો માત્ર 50 હજાર રૂપિયા

આ આયુર્વેદિક ધંધામાં લગાવો માત્ર 50 હજાર રૂપિયા, 10 વર્ષ સુધી થશે ઉત્તમ કમાણી

March 22, 2022
સુકી ખાસી, શરદી, જામેલા કફને દુર કરવા 100% અસરકારક ઈલાજ

એકપણ દવા લીધા વગર સુકી ખાસી, શરદી, જામેલા કફને દુર કરવા 100% અસરકારક ઈલાજ

February 25, 2022
ચોમાસાની ઋતુમાં આ 6 વસ્તુઓનું ભૂલથી પણ સેવન કરવું નહિ

ચોમાસાની ઋતુમાં આ 6 વસ્તુઓનું ભૂલથી પણ સેવન કરવું નહિ

July 6, 2022

Popular Stories

  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
  • ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

    0 shares
    Share 0 Tweet 0
  • વગર દવાએ પેશાબમાં થતી તીવ્ર બળતરા અને ઉનવા માટે 100% અસરકારક ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In