Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home આરોગ્ય

શું તમે જાણો છો સૌથી વધારે ઉપવાસ ચોમાચા માં જ શા માટે કરવામાં આવે છે

Deshi Osadiya by Deshi Osadiya
March 22, 2022
0
ઉપવાસ નું મહત્વ

ઉપવાસ નું મહત્વ

0
SHARES
Share on FacebookShare on Twitter

ચોમાચાની શરૂઆત થાય એટલે એટલે આપણે ત્યાં વાર તહેવારની મૌસમ ચાલુ થઈ જાય છે. જેમાં ઘણા બધા ધાર્મિક અને સામાજિક તહેવારો આવે છે. આપણે ત્યાં ઘણા બધા મેળાઓ વ્રત આવતા હોય છે. જેમાં લોક માન્યતા અને કથાઓ જોડાયેલી હોય છે. જેના લીધે તેમાં લોકો મોટાભાગે આ તહેવારો સાથે વ્રત પણ કરે છે અને તેમાં ઉત્સવ પણ ઉજવે છે.

RELATED POSTS

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

આ ઉત્સવો સાથે ઉપવાસ આપણા ઋષિમુનીઓએ જોડી દીધા છે. જેના પાચળ આપણું આયુર્વેદ રહેલું છે. આયુર્વેદમાં બતાવ્યા પ્રમાણે આ સમય દરમિયાન જો ઉપવાસ કરવામાં આવે તો શરીરમાં ખોરાક બરાબર પાચન થાય અને પાચન થાય તેવા હળવા ખોરાક લેવાથી પાચન શક્તિ જે આ સમય દરમિયાના મંદ હોય છે તે ઠીક થાય છે.

Join Group

ચોમાચા દરમિયાન આપણે ત્યાં અનેક તહેવારો આવે છે, જેમાં સ્ત્રીઓ માટે ગૌરી વ્રત, શ્રાવણ મહિનામાં અનેક તહેવારો, ગણેશ ચતુર્થી, નવરાત્રી વગેરે આવે છે. આયુર્વેદ એમ જણાવે છે કે ચોમાંચાના ચાર મહિના એકટાણા કે ઉપવાસ કરવા જોઈએ.

હિંદુ શાસ્ત્રોમાં શ્રાવણ મહિનાના ઉપવાસ વિશે જણાવ્યું છે. આયુર્વેદમાં પણ ઉપવાસનું ખુબ જ મહત્વ બતાવ્યું છે. જો તમે ઉપવાસ ન કરી શકો તો તમે હળવો ખોરાક લઈ શકો છો. આ ઉપવાસ માટે વિજ્ઞાનીક કારણ પણ રહેલું છે.

ચોમાચાની અંદર ભેજવાળું વાતાવરણ હોય છે. આ ભેજવાળા વાતાવરણની અંદર આપણો જઠરાગ્ની મંદ પડે છે. પાચન શક્તિ મંદ પડે છે. આ માટે આ સમય દરમિયાન ઘણા લોકો ચાતુર્માસ કરે છે. ઘણા લોકો આ સમયે માત્ર કરવા ખાતર ઉપવાસ કરતા હોય છે. તે લોકોને ઉપવાસ શા માટે કરવામાં આવે છે, જેનું શરીર સંબંધી આરોગ્યમાં શું મહત્વ છે તે જાણતા નથી.

આ ઉપવાસ સમય દરમિયાન આપણે એક પ્રકારે પાચન તંત્રને આરામ આપતા હોઈએ છીએ. જેના લીધે શરીરની અંદર જે ટોક્સીક હોય, કાચો આમ હોય, જે કાચો આમ બળીને પૂરો થઇ જાય છે. આપણી રોગ પ્રતિકારક શક્તિ અંદરના કચરાને બાળી નાખે છે. એટલા માટે આયુર્વેદમાં અને આપણા ધર્મ શાસ્ત્રમાં ઉપવાસનું આયોજન કરેલું છે.

પરંતુ આજે લોકો ઉપવાસમાં પણ ઘણી બધી વસ્તુઓ ખાધા કરતા હોય છે. જે દરરોજ ખાતા હોય જેનાથી પણ વધારે વસ્તુઓ ખોરાકમાં ખાઈ લે છે. જેના લીધે ફાયદો થવાની જગ્યાએ નુકશાન વધારે પ્રમાણમાં થાય છે. ઘણા લોકો તો ખારી સિંગ, કેળા, લાડવા, ફળફળાદી ખુબ જ ખાઈ લેતા હોય છે. જેના લીધે પાચન ક્રિયાને આરામ આપવાની જગ્યાએ વધારે કાર્ય કરવું પડે છે.

ચોમાચા દરમિયાન આપણા શરીરમાં પાચન શક્તિ મંદ પડેલી હોય છે. જેના લીધે ખોરાકનું બરાબર પાચન થતું નથી. જેના લીધે ખોરાક શરીરમાં કાચોને કાચો જ રહે છે. માટે કોઇપણ ઉપવાસ કરતા હોય, ચાતુર્માસ કરતા હોય તેનું ધાર્મિક કારણ કરતા વધારે આયુર્વેદિક કારણ છે. પેટને આરામ આપવા માટે ઉપવાસ હોય છે.

ચોમાચામાં ચાર મહિના દરમિયાન મંદાગ્ની થાય છે. ભેજવાળા વાતાવરણમાં ખોરાક પચે નહિ. આપણે બીમાર ન પડીએ એટલા માટે ઉપવાસ કરવો જોઈએ. એને ધર્મ સાથે એટલા  માટે જોડી દીધો છે કે છે કે પુણ્યની આશાએ લોકો ઉપવાસ કરે. જેનું કોઈ કારણ નથી.

શાસ્ત્રોની દ્રષ્ટીએ અગિયારસનું મહત્વ શરીર વિજ્ઞાન સાથે સંકળાયેલું છે. અગિયારસ એ આપણા શરીરમાં રહેલી 11 ઈન્દ્રિયો હોવા સાથે છે. જેમાં 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને 11 નું મન. માટે 15 દિવસમાં એક અગિયારસના દિવસે આ ઇન્દ્ર્રીયોને કોઇપણ પ્રકારનો આહાર આપવાનો નથી. માટે ફરાળની જગ્યાએ ફળાહાર આપવો. કોઇપણ ફ્રુટ લઈને ચોવીસ કલાક સુધી સુધી ભૂખ્યું રહેવું. આ અગીયાર ઇન્દ્રિયોને પરમાત્માના ધ્યાનમાં, આત્મ ચિંતનમાં, હરી કીર્તનમાં, ભાવ ભક્તિ અને ભજનમાં ચોવીસ કલાક કાઢવા. આ રીતે આધ્યાત્મિક વિકાસ માટે અગિયારસ કરવી. આ માટે જ આગિયારસ પસંદ કરવામાં આવી છે.

આ અગિયાર ઇન્દ્રિયોને હરી કીર્તનમાં, આત્મ ચિંતનમાં વાપરીએ તો સાચા અર્થમાં અગીયારસ કરી કહેવાય. અનેક જાતનો ખોરાક ખાઈને અગિયારસ કરવામાં આવે તો અગિયારસનો પૂરતો લાભ મળતો નથી.

ઉપવાસ કરવાથી શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ મજબુત થાય છે. જેનાથી શરીરમાં બીમારીઓથી લડવાની ક્ષમતા વધે છે. આ સિવાય ન્યુરોલ્જીયા, કોલાઈટીસ, થાક, કબજીયાત અને માથામાં દુખાવો થવાનો ખતરો ઓછો થઈ જાય છે.

આ સિવાય ઉપવાસથી પાચન તંત્ર પર સકારાત્મક પ્રભાવ પડે છે. મહિનામાં ઓછામાં ઓછા બે વખત ઉપવાસ કરવાથી આપણી પાચન ક્રિયા ઠીક રહે છે. આ ઊપવાસ દરમિયાન આપણા પેટ અને લીવરને ખુબ જ આરામ મળે છે.

મગજની યાદ શક્તિ વધારવા માટે ઉપવાસ એક કારગર  ઉપાય છે. જો તમારું ખાન પાન સારું છે અને તમે અઠવાડિયામાં એક વખત ઉપવાસ કરો છો તો તમારી વિચારવાની ક્ષમતા અને યાદ શક્તિમાં વધારો થાય છે. આ સિવાય આપણા મગજમાં બ્રેન ડેરાઈવ્ડ ન્યુરોટ્રોફીક ફૈકટર નામનું પ્રોટીન ખુબ જ માત્રામાં વધે છે. તે પ્રોટીન આપણા મગજની કાર્ય શૈલીને નિયંત્રિત કરે છે. તેનાથી મગજ શાંત અને સ્વસ્થ રહે છે.

વજન ઓછું કરનારા લોકો માટે પણ ઉપવાસ એકસારો વિકલ્પ છે. ઉપવાસથી આપણા શરીરમાં ફેટ ઓછુ કરવામાં મદદ મળે છે. જે લોકોને વધારે ખાવાની આદત છે તેને માટે ઉપવાસ ખુબ જ જરૂરી છે. ઉપવાસ ભૂખને પણ નિયંત્રિત રાખે છે. જેનાથી વજન વધવાની સંભાવના પર પણ વિરામ લાગી જાય છે.

ઉપવાસ માનસિક શાંતિનો સારો વિકલ્પ છે. જેનાથી તણાવ, ચિંતા અને અરુચિ બચી શકે છે. વ્રત રાખવાથી મન શાંત રહે છે અને આપણી ઈચ્છા શક્તિ પણ  મજબુત થાય છે. આ રીતે ઉપવાસ કરવાથી બીજા ઘણા ફાયદાઓ પણ શરીરને મળે છે.

આમ, આ રીતે તમે આ રીતે ધાર્મિક માન્યતાઓ સાથે થઇ રહેલા ઉપવાસનું આયુર્વેદિક કારણ જાણી શકશો. જેનાથી તમે સમજી શકશો કે ચોમાચા દરમિયાન ઉપવાસ શા માટે કરવામાં આવે છે, ચોમાંચામાં ઉપવાસ કરવા જોઈએ. જેથી આપણું આરોગ્ય સારું રહે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોઈ થાય.

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

હિંગ
ઔષધી

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

August 26, 2022
કબજિયાત માટેનો દેશી ઈલાજ
ઘરેલું ઉપચાર

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

August 21, 2022
ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય
આરોગ્ય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

August 20, 2022
ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે
ઘરેલું ઉપચાર

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

August 19, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત
આરોગ્ય

લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત

July 27, 2022
Next Post
હાર્ટએટેકથી બચવાનો સૌથી અસરકારક ઉપાય

હાર્ટએટેકથી બચવાનો સૌથી અસરકારક ઉપાય છે આ ઔષધી

આ પાંચ પાનનું નરણા કોઠે સેવન કરવાથી આ 15 પ્રકારના રોગ મટી જશે

આ પાંચ પાનનું નરણા કોઠે સેવન કરવાથી આ 15 પ્રકારના રોગ મટી જશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

August 7, 2022
સંતરાની છાલ ના ફાયદા

સંતરા કરતા પણ અમુલ્ય છે સંતરા ની છાલ, જાણો ઉપયોગ કરવાની સાચી પધ્ધતિ

February 25, 2022
ચામડીના રોગો નો આયુર્વેદિક ઉપચાર

આ એક ઉપાયથી ધાધરને એક જ વખતમાં જડમૂળથી મટાડી શકાય છે

August 7, 2022

Popular Stories

  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
  • ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

    0 shares
    Share 0 Tweet 0
  • વગર દવાએ પેશાબમાં થતી તીવ્ર બળતરા અને ઉનવા માટે 100% અસરકારક ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In