Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

માત્ર 30 મિનીટમાં, વર્ષો જૂનો પેટનો કચરો સાફ કરશે આ દેશી ઉપાય

Deshi Osadiya by Deshi Osadiya
February 25, 2022
0
કબજિયાત, ગેસ, અપચો, એસિડીટી, પાદ દૂર થશે

કબજિયાત, ગેસ, અપચો, એસિડીટી, પાદ દૂર થશે

0
SHARES
Share on FacebookShare on Twitter

કબજિયાત રોગને બધા જ રોગનું મૂળ ગણવામાં આવે છે. કબજિયાત રોગમાં પેટમાં આંતરડામાં જુનો મળ ફસાઈ રહે છે. સંડાશ લાગતી નથી. વારંવાર સંડાશની ઈચ્છા થાય છે. પરંતુ મળ બહાર નીકળી શકતું નથી. જેને આપણે સાદી ભાષામાં બાદી કહીએ છીએ.

RELATED POSTS

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

આંતરડાની સફાઈ કરવાથી આ બાદીની સમસ્યા મટાડી શકાય છે. જેમાં આંતરડાને સાફ કરવા માટે ઘરેલું ઉપચાર કરવામાં આવે તો ખુબ જ ફાયદો રહે છે. આંતરડા સાફ થઇ જાય છે, જેના લીધે જુનો કચરો પણ બહાર નીકળે છે. જેના લીધે આ અનેક રોગોને અટકાવી શકાય છે.

Join Group

એક નુસખો છે જે અઠવાડિયામાં એક વખત જ કરવાનો છે. આ બંને નુસ્ખામાંથી કોઇપણ એક નુસખો જ અપનાવવો. જે કબજિયાતને દુર કરે છે. કબજિયાત 90 ટકા વાયુના કારણે થાય છે. પિત્તનું સ્થાન આપણી હોજરીમાં અને વાયુનું સ્થાન આપણા આંતરડામાં છે.

જયારે જયારે વાયુ પોતાના સ્થાન પરથી ચલિત થઈને પિત્ત થાય છે ત્યારે મોટા આંતરડામાં રહેલા મળમાં રહેલા પાણીને આ પિત્ત સુકવી નાખે છે. આને પરિણામે આંતરડામાં રહેલો મળ પથ્થર જેવો થઇ જાય છે. ખુબ જ કઠણ થઈ જાય છે.

જેના પરિણામે આપણું પેટ રોજેરોજ સાફ થતું નથી. મોટું આંતરડું બ્લોક થાય છે. જેની નાના આંતરડાને સીધી જ અસર થાય છે. તેની પેરેસ્ટાઈલિંગ મુવમેન્ટ ડાઉન થાય છે. જેમાંથી જે ગેસ થાય તે ગેસ રીટર્ન થાય, એટલે ઉપર હોજરીમાં આવે. આવી ઘણી બધી સમસ્યાઓ ઉદ્ભવે છે.

નાના આંતરડાની આંકોચન, સંકોચન પ્રક્રિયા હોય છે, જેમાં ખોરાકને, મળને આગળ ધકેલવાનું કાર્ય કરે છે જે વાયુ કરે છે. વાયુ બરાબર ન હોય, વાયુ પિત્ત થયેલો હોય તો પેરેસ્ટાઈલિંગ મુવમેન્ટ બરાબર થતી નથી. તે ધીમી પડી જાય છે.

મોટા આંતરડામાં વાયુ કુપિત થતો હોય તો પાણી સુકાય છે. જેના લીધે મળ ઢીલો બનવો જોઈએ તે  કઠણ થઈ જાય છે. શરીરમાં 24 કલાકમાં નાના આંતરડા અને મોટા આંતરડાનો કચરો સાફ થઈ જવો જોઈએ, તો શરીરનું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે.

આજના સમયે ઘણા લોકો કબજીયાતથી પીડાતા હોય છે. વર્ષોથી ધીમે ધીમે આંતરડાની દીવાલો પર જુનો મળ જમા થાય અને જેનાથી આપણા આંતરડા નબળા પડી જાય છે. આંતરડામાં જુનો કચરો વર્ષોથી ફસાયેલો હોય, દીવાલો અને છીદ્રો બ્લોક થઈ ગયેલા હોય તેના માટે આપણે આયુર્વેદથી કચરો સાફ કરી શકીએ છીએ.

આ માટે ગરમ દૂધ લેવાનું છે, બની શકે તો દૂધમાંથી મલાઈ કાઢી લેવી. ફ્રીજમાં મુકવાનું અને મલાઈ કાઢી લેવાની છે. મલાઈ વગરનું ગરમ કરેલું એક કફ દૂધ એટલે કે અડધા ગ્લાસ જેટલું દૂધ લેવાનું અને આ દુધમાં શુદ્ધ એરંડિયું લઈને તેની એક ચમચી ગરમ કરેલા દુધમાં નાખવી.

સવારે એરંડિયું નાખેલા ગરમ કરેલા દુધને સવારે ખાલી પેટ પેટ પી જવું. 30 મીનીટની અંદર તેનો જુલાબ આવશે. આવા ચારથી પાંચ જુલાબ થશે તેના લીધે કચરો ધીમે ધીમે બહાર નીકળી જશે. જેમાં દીવાલો પર ચોટેલો કચરો પણ ખેંચાય ખેંચાઈને બહાર નીકળશે. આ પ્રયોગ અઠવાડિયામાં માત્ર એક જ વખત કરવો.

આ પ્રયોગમાં ઝાડા ખુબ જ લાગે છે માટે અઠવાડિયામાં રજાના દિવસે જ કરવો. જે લોકો દૂધ નથી ખાતા જેમના માટે પણ એક અગત્યનો પ્રયોગ છે, જેમાં બજારમાંથી ત્રિફળાચૂર્ણ લાવીને તેને એક ગ્લાસ પાણી ગરમ કરીને તેમાં એક ચમચી ત્રિફળાનું ચૂર્ણ નાખવું.

આ પાણીને ગરમ કરતા તેમાંથી અડધું પાણી બચે ત્યારે તેને ગરણીથી ગાળી લેવું. આ પાણીમાં એક ચમચી એરંડિયું નાખી દેવું. આ પાણીમાં હલાવીને સવારે નરણા કોઠે આ મિશ્રણ પી જવું. આ પ્રયોગથી અડધા જ કલાકમાં અસર થશે અને બધા જ આંતરડા સાફ થઈ જશે. આ પ્રયોગમાં આ પ્રયોગ કાળજી એ રાખવી કે જે દિવસે આ પ્રયોગ કરવાના હો તેના આગળના દિવસે હળવો ખોરાક લેવો. જે દિવસે પ્રયોગ કરવાનો હોય ત્યારે આખો દિવસ ફ્રુટ લેવું. અને માત્ર સાંજે જ જમવું.

આ પ્રયોગ દર અઠવાડિયે કરવાથી માત્ર 6 મહિનામાં જન્મ સમયે જેવા આંતરડા કાચ જેવા હતા તેવા થઈ જાય છે. આ પ્રયોગના દિવસે માત્ર ગરમ પાણી પીને સવારથી સાંજ સુધી 12 કલાક માત્ર ગરમ પાણી પી ને રહી શકાય તો અતિ ઉત્તમ છે, જે લોકો ભૂખ્યા ન રહી શકે તેઓ ફ્રુટ લઈ શકે છે. માત્ર થોડી ભૂખ મટે એટલું જ ખાવું.

આ પ્રયોગ કરવાથી અલ્સર, મોલાઈટીસ, આંતરડાનું કેન્સર જેવા રોગોથી બચી  શકાય છે. આ સિવાય પણ ઘણા ઘરેલું નુસખાઓ છે જેનાથી કબજિયાત મટાડી શકાય છે. લગભગ 8 થી 10 ગ્રામ સુકી દ્રાક્ષ લઈને તેમાંથી બીજ અધીને તેને દુધમાં ઉકાળીને ખાઓ. અને દુધને પી જવું જેનાથી કબજિયાત મટે છે.

મૂળા પર મીઠું, કાળા મરી નાખીને ભોજન કરતા સમયે દરરોજ બે મહિના સુધી ખાવામાં આવે તો કબજીયાત દુર થાય છે. તાજા મૂળાના પાંદડા કે મૂળાનું અથાણું ખાવામાં આવે તો કબજીયાત મટે છે. અંજીર પણ કબજીયાત માટે ઉપયોગી માનવામાં આવે છે. અંજીરના 5 થી 6 પીસને 250 મિલીલીટર પાણીમાં ઉકાળી લેવા, આ પાણીને ઉકાળી લઈને ગાળી લેવું અને તેને પીવાથી કબજીયાત મટે છે. 2 અંજીરને રાત્રે પાણીમાં પલાળીને સવારે ચાવીને પાણી પીવાથી પેટ સાફ થઈ જાય છે. ભોજ કરતી સમયે અંજીર સાથે મધનો પ્રયોગ કરવાથી કબજીયાત મટે છે.

મેથીના પાંદડાની શાકભાજી ખાવાથી કબજિયાત દુર થાય છે. એ ચમચી દાણા મેથીને ભોજન કર્યા બાદ ફાકી જવાથી પેટ સાફ થઈ જાય છે. સૂતા સમયે એક ચમચી મેથી દાણાને પાણી સાથે પીવાથી કબજીયાત દુર થાય છે. મેથીની ભાજી ખાવાથી કબજીયાત મટી જાય છે.

ટમેટા સવારે અને સાંજે ખાવાથી કબજીયાત મટે છે. ટમેટા ખાવાથી કબજીયાત મટે છે અને આમાશય અને આંતરડામાં જમા મળ, પદાર્થ કાઢવામાં અને અંગોને કાર્ય કરવામાં મદદ કરે છે, ટમેટાના રસમાં થોડું સિંધવ મીઠું ભેળવીને દરરોજ ખાવાથી ગેસની સમસ્યા પણ મટે છે.

રીંગણ અને પાલકનું સૂપ પીવાથી કબજીયાત મટે છે અને પાચન શક્તિ વધે છે. કેરી ખાધા બાદ દૂધ પીવાથી સંડાશ મળ ખુલીને આવે છે અને પેટ સાફ થઈ જાય છે. ગળોનું ચૂર્ણ કે મિશ્રણ એક ચમચી સૂતા સમયે  સેવન કરવાથી કબજીયાતનો રોગ મટે છે.

ચોખા અને મગની દાળની ખીચડી ખાવાથી કબજીયાતમાં આરામ મળે છે. ચોખા અને મગની ખીચડી ખાવાથી કબજિયાત દુર થઈ જાય છે. 20 ગ્રામ મગની દાળ અબે 10 ગ્રામ ચોખાની ખીચડી બનાવો. આ પછી તેમાં મીઠું ભેળવીને અને ઘી નાખીને ખાવાથી કબજિયાત દુર થઈને ઝાડા સાફ આવે છે.

પીપળાના 5 થી 10 ફળ દરરોજ ખાવાથી કબજીયાત રોગ મટે છે. પીપળાના પાંદડા અને કોમળ કુંપળોનો 40 મિલીલીટર ઉકાળો પીવાથી પેટ સાફ થઈ જાય છે. પીપળા ફળ અને નવી કુંપળો ખાવાથી પેટનો મળ રોકાવાનું દુર થઈ જાય છે.

અંકોલના મૂળનું ચૂર્ણ ખાવાથી પેટના કબજીયાતમાં આરામ મળે છે. દારૂડીના મૂળની છાલ 10 ગ્રામ, કાળા મરી 5 પીસ લઈને પાણીમાં પીસી લેવાથી પેટનું દર્દ મટી જાય છે. 1 ગ્રામથી 3 સુધી દારૂડીનું તેલને પાણીમાં નાખીને પીવાથી પેટ સાફ થઈ જાય છે. દારુડીના બીજોથી પ્રાપ્ત તેલના 30 ટીપાને દુધમાં ભેળવીને સવારે અને સાંજે સેવન કરવાથી કબજિયાત દુર થઈ જાય છે.

જેઠીમધ 5 ગ્રામ લઈંને તેને ગરમાગરમ દુધ સાથે સુતા પહેલા પીવાથી સવારે મળ ખુલીને આવે છે. જેઠીમધનો પાવડર 125 ગ્રામ, સુંઠનો પાવડર 3 ચમચીમ પીસેલા ગુલાબના સુકા ફૂલ 2 ચમચી, 1 ગ્લાસ પાણીમાં ઉકાળીને ઠંડા કરીને ગાળીને સૂતા સમયે દરરોજ પીવાથી પેટમાં જમા થયેલો કબજીયાત અને આમ જે ચીકણો પદાર્થ હોય છે તે નીકળી જાય છે.

લીમડાના સુકા ફળને રાત્રે ગરમ પાણી સાથે ખાવાથી સૌચ ખુલીને આવે છે. લીમડાના ફૂલોને સુકાવીને વાટીને રાખી લેવા. આ ચૂર્ણને દરરોજ એક ચપટી રાત્રે ગરમ પાણી સાથે લેવાથી કબજિયાતમાં લાભ થાય છે. લીમડાના 20 પાંદડાને વાટીને તેને 1 ગ્લાસ પાણીમાં ભેળવી દેવા. સવારે સવારે તેનાથી એક કોગળો કરીને આ બધું પાણી પી જવાથી કબજીયાત રહેતી નથી.

છાશમાં વાટેલા અજમા પીવાથી કબજિયાત દુર થાય છે. છાશમાં અજમા અને મીઠું ભેળવીને પીવાથી કબજિયાત દુર થઈ જાય છે. કાચું પપૈયું ખાવાથી કબજિયાત મટે છે. સવારેના સમયે પપૈયાનું દૂધ પીવાથી કબજીયાત દુર થાય છે. ભોજન બાદ પપૈયું ખાવાથી કબજીયાતની ફરિયાદ દુર થઈ જાય છે. 1 કાચી ડુંગળી દરરોજ ખાવાથી કબજીયાત મટે છે.

5 થી 6 ખારેક દુધમાં ઉકાળીને ખાવાથી રોકાયેલો મળ બહાર નીકળે છે. જેનાથી કબજીયાત મટે છે. કાજુ અને સુકી દ્રાક્ષ સવારે ખાલી પેટ ખાવાથી પેટમાંથી 14 થી 18 વર્ષ સુધીના બાળકોને કબજિયાત થતી નથી. કોબીનો રસ કબજીયાત માટે ખુબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે.

આમ, આ રીતે કબજિયાત જેવા રોગોને મટાડી શકાય છે, આંતરડાને સાફ કરી શકાય છે. આ ઉપરોકત ઉપચાર કરવાથી આંતરડા કાચ જેવા સાફ થઈ જાય છે. આંતરડા શુદ્ધ રહેવાથી બીજી બીમારીઓ દુર રહે છે. કોઈ રોગ થતો નથી. જેનાથી આપણે સ્વસ્થ રહી શકીએ છીએ. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

હિંગ
ઔષધી

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

August 26, 2022
કબજિયાત માટેનો દેશી ઈલાજ
ઘરેલું ઉપચાર

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

August 21, 2022
ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય
આરોગ્ય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

August 20, 2022
ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે
ઘરેલું ઉપચાર

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

August 19, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત
આરોગ્ય

લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત

July 27, 2022
Next Post
પાયોરિયા નો ઈલાજ

પાયોરિયા, દુર્ગંધ, દાંતોની સડન, પેઢામાં સોજો માટેનો 100% ઈલાજ આ એક ચપટી પાવડર

એસિડિટી માટેના આયુર્વેદ ઉપચાર

ગમે તેવી એસીડીટીને કાયમી દુર કરવા નો 100% અસરકારક ઈલાજ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ ઘરેલું ઉપચાર ગળું અને બેસી ગયેલા અવાજ માટે છે 100% અસરકારક

આ ઘરેલું ઉપચાર ગળું અને બેસી ગયેલા અવાજ માટે છે 100% અસરકારક

February 25, 2022
લોહીની ઉણપને દુર કરવાના ઉપાય

ઝડપથી લોહીની ઉણપને દુર કરશે આ એક આયુર્વેદિક ઉપાય

March 22, 2022
દૂધ અને દહીં સાથે ભૂલથી પણ ન ખાઓ આ વસ્તુ, નહીતર બનશો ગંભીર બીમારીનો ભોગ

દૂધ અને દહીં સાથે ભૂલથી પણ ન ખાઓ આ વસ્તુ, નહીતર બનશો ગંભીર બીમારીનો ભોગ

February 25, 2022

Popular Stories

  • ધાધર નો ઘરેલુ ઉપચાર

    ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • કમળા માટે 10 ઘરેલું રામબાણ ઉપચાર, ગમે તેવો કમળો થઇ જશે સારો

    0 shares
    Share 0 Tweet 0
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

    0 shares
    Share 0 Tweet 0
  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In