Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home ઔષધી

જૂનામાં જૂની પથરીને ટૂંક સમયમાં જ ઓગાળી દેશે આ ઔષધીના પાન

Deshi Osadiya by Deshi Osadiya
February 25, 2022
0
જૂનામાં જૂની પથરીને ટૂંક સમયમાં જ ઓગાળી દેશે પથ્થર ચટ્ટા ઔષધીના પાન

જૂનામાં જૂની પથરીને ટૂંક સમયમાં જ ઓગાળી દેશે પથ્થર ચટ્ટા ઔષધીના પાન

0
SHARES
Share on FacebookShare on Twitter

આજના સમયે ખાવામાં ભેળસેળ, દુષિત પાણી કે ક્ષારવાળું પાણી પીવાથી કે ઉપયોગમાં લેવાથી પથરીની બીમારી થતી હોય છે. વારંવાર ક્ષાર વાળું કે કાંપવાળું પાણી પીવાથી મોટાભાગના લોકોને પથરી થતી હોય છે. આ સિવાય પાણી ઓછું પીવાથી પણ પથરી થતી હોય છે. આ પથરીના લીધે ઘણા લોકોને પેટમાં અસહ્ય દુખાવો થતો હોય છે. જેના લીધે બરાબર રીતે વ્યક્તિ ઉંઘી પણ ના શકે તેટલો દુખાવો થાય છે.

RELATED POSTS

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

આ પથરીની બીમારીમાં મોટાભાગના લોકો ઓપરેશન કરાવતા હોય છે, અને ડોક્ટરને બતાવતા પણ તેઓ ઓપરેશનની સલાહ આપતા હોય છે, પરંતુ અમે આજે એક એવી ઔષધી વિશે બતાવીશું કે જે તમને પથરીનો ઓપરેશન વગર કિડનીમાંથી નિકાલ કરી શકશે. આ પથરીને તે ઓગાળીને મૂત્ર વાટે શરીરમાંથી બહાર કાઢી નાખશે. જેથી તમે પથરીના મોંઘા ઘાટ ઓપરેશનથી પણ બચી શકશો અને તેના ખર્ચાથી પણ. તો ચાલો જાણીએ તે ઔષધી વિશે.

Join Group

પથ્થર ચટ્ટા

પથરીનો નિકાલ કરતી આ ઔષધીનું નામ છે પથ્થર ચટ્ટા કે પાષાણભેદ કે પથ્થર ફાડ તરીકે ઓળખવામાં આવે છે, જયારે ગુજરાતીમાં તેને પાનફૂટી તરીકે ઓળખવામાં આવે છે. આ છોડ આજુબાજુમાં ઘણા લોકોના ઘરે તેમજ નજીકની નર્સરીમાં કે બાગ બગીચાઓમાં આ છોડ મળી રહે છે. આ છોડના પાંદડા જમીન પર લગાવતા અને તેને પાણી મટતા તેની ખાંચો હોય તે બધી જ જગ્યાથી નવો છોડ ફૂટે છે. જેથી તેને પાનફૂટી કહેવામાં આવે છે. જેનું વિજ્ઞાનિક નામ Kalanchoe Pinnata છે.

પથરીના ઈલાજ માટે પથ્થર ચટ્ટા:

પથરીના ઈલાજ તરીકે આ છોડને લાવી અને તેને એક વાસણમાં રાખીને મૂકી દો. આ પાંદડાને સવારે ખાલી પેટ ચાવી જવા. તેમજ સાથે જમ્યા પહેલા એક કલાકે પણ ચાવી જવા. આ ઉપાયમાં તમે બે જેટલા પાંદડાનો ઉપયોગ દરરોજ કરવાથી પથરી ઓગળીને મૂત્ર વાટે બહાર નીકળી જશે.

આ પાંદડા સ્વાદમાં હળવા ખાટા હોય છે. આ પાંદડાનું સેવન ચાલુ હોય તે સમયગાળામાં દિવસમાં ૩ થી 5 લીટર જેટલું પાણી પીવું. અને જયારે તમને પેશાબ લાગે તેવા સમયે પેશાબ કરતા રહો. આ પાંદડામાં તમે લીંબુનો રસ નાખીને અને તેનો રસ કાઢીને પણ તમે સેવન કરી શકો છો.

આ છોડનો પથરીના ઈલાજમાં ખુબ જ ઉપયોગ થાય છે. પથરીના ઈલાજ માટે તેને વિવિધ રીતે ઉપયોગ કરીને પથરીમાંથી છુટકારો મેળવી શકાય છે. પાનફૂટીના બે પાંદડા લઈને તેને એક ગ્લાસ જેટલા પાણીમાં નાખીને તેને ઉકાળો. ઉકળતી વખતે જયારે માત્ર ચોથા ભાગનું પાણી વધે ત્યારે તેને ઠંડું થવા દો. પી શકાય તેવું ગરમ રહે ત્યારે તેનું સેવન કરવાથી પથરી મટે છે.

પથરી

આ સિવાય પાનફૂટીના પાંદડાને પથરીના ઈલાજ તરીકે પાંદડાને લઈને તેને બરાબર વાટી લેવું. બરાબર વાટીને કે છુંદીને તેની ચટણી બનાવો. આ ચટણીને પીવાથી પથરી ઓગળીને બહાર નીકળી જાય છે. જેમાં સ્વાદ માટે મધ ભેળવીને સેવન કરી શકાય છે. જેથી થોડા જ દિવસમાં પથરી કીડનીમાંથી ઓગળે છે અને પેશાબ સાથે બહાર નીકળે છે.

અન્ય રોગના ઈલાજ માટે પથ્થર ચટ્ટા:

પાનફૂટી કે પથ્થર ચટ્ટા પથરી ઉપરાંત બીજા ઘણાબધા રોગો માટે ઉપયોગી છે.

પેટના દર્દમાં ફાયદો: જો તમારા પેટમાં દર્દ થઇ રહ્યું હોય તો  તમે પાનફૂટીના પાંદડાનો રસ કાઢો અને તેમાં થોડુક આદુનો રસ કાઢીને કે ચૂર્ણ ભેળવી લો આ પછી તેનું સેવન કરવાથી પેટનો દુખાવો મટે છે. પેટના દુખાવાની સમસ્યામાં પણ આ પાન ફૂટી ઉપયોગી થાય છે.

આંખની સમસ્યા: આંખોથી જોડાયેલા રોગોના ઈલાજ માટે પાનફૂટી ઉપયોગી છે.  આંખની સમસ્યાના ઈલાજ માટે પાનફૂટીના પાંદડાને વાટીને આંખો પર લગાવવાથી ચારે બાજુ લગાવવાથી આંખોમાં બળતરા, પાણી વહેવાની સમસ્યા વગેરે મટે છે.

કાનનો દુખાવો: જો તમને કાનના દુખાવાની સમસ્યા હોય તો તેમાં પણ પાનફૂટી ઉપયોગી છે. કાનના દર્દના ઈલાજ માટે પાનફૂટીના પાંદડાને વાટીને તેના રસના 1 થી 2 ટીપા કાનમાં નાખવાથી કાનનો દુખાવો મટે છે. આ રીતે ઈલાજથી કાનમાંથી રસી નીકળવી સમસ્યા મટે છે.

ઉધરસની સમસ્યા: ખાંસીની સમસ્યા દુર કરવા કે ઉધરસની સમસ્યાના ઈલાજ માટે પાનફૂટી ઉપયોગી છે. ઉધરસના ઈલાજ તરીકે પાનફૂટીના મૂળ કાઢીને તેને ચૂકવીને તેનું ચૂર્ણ બનાવી લેવું. આ ચૂર્ણને ઉધરસ થાય ત્યારે 1 થી 2 ગ્રામની માત્રામાં મધ સાથે સેવન કરવું. આ ઈલાજ કરવાથી ઉધરસ, કફ સાથે ફેફસાને લગતી સમસ્યાઓ પણ ઠીક થાય છે.

મોઢાની ચાંદી: મોઢાની ચાંદીના ઈલાજમાં પાનફૂટી લઈને તેના પાંદડા અને મૂળ લઈને તેને મોઢામાં ચાવવાથી મોઢામાં પડેલી ચાંદીઓ મટે છે. મોઢાની ચાંદી માટે પાનફૂટીના પાંદડામાં રહેલા રૂઝ વાળનારા ગુણો અને ચામડીને ઠીક કરવામાં ઉપયોગી થાય છે.

પેટ ના રોગો:  ઘણા લોકોને પેટ અને પાચન તંત્રને લગતી બીમારીઓ અવારનવાર થયા કરે છે. આ બીમારીના ઈલાજ તરીકે પાનફૂટીના પાંદડા અને મૂળનું સેવન કરવાથી શરીરમાં પાચનતંત્ર ઠીક રહે છે. અને પાચનને લગતી બીમારીઓ થતી નથી. પાનફૂટીના લીધે ઝાડા, કબજીયાત જેવી સમસ્યાઓ મટે છે.

કબજિયાત અને મરડો: 1 થી 2 ગ્રામ પાનફૂટીના મૂળ લઈને તેને પાણીમાં ઉકાળી લો અને પાણી સુકાઈ જાય ત્યારે આ મિશ્રણનો ઉપયોગ કરો. આ ઈલાજ કરવાથી કબજીયાત મટે છે. આ રીતે ઈલાજ કરતા તેના તાજા મૂળને વાટીને તાજા પાણી સાથે સેવન કરવાથી મરડો મટે છે.

ઘાવ ઠીક કરે: પાનફૂટીના પ્રકાંડનો રસ કાઢીને ઘાવ પર લગાવવાથી ઘાવ જલ્દી ઠીક થાય  છે. આ સિવાય પાન ફૂટીના મૂળનો પેસ્ટ બનાવીને ઘાવ પર લગાવાથી ઘાવ જલ્દી ઠીક થાય છે. શરીરમાં કોઈ અંગ ગરમ પાણીથી કે આગ દ્વારા દાઝી ગયું હોય તો તેના ઈલાજ તરીકે પાનફૂટીનો પેસ્ટ લગાવવાથી બળતરા મટે છે.

યોનીસ્ત્રાવ: લ્યુકોરિયા કે યોની સ્ત્રાવની સમસ્યા ગંભીર છે. આ સમસ્યામાં યોનિમાંથી સફેદ રંગનો તરલ પદાર્થ નીકળે છે. જેને શ્વેત પ્રદર પણ કહેવામાં આવે છે. આ સમસ્યાના ઈલાજ માટે પાનફૂટીના પાંદડાનો ઉકાળો બનાવીને 20 મિલીની માત્રાના ઉકાળામાં મધ ભેળવીને પીવાથી યોનીસ્ત્રાવ બંધ થાય છે.

મૂત્ર સંબંધી સમસ્યા: મૂત્ર સંબંધી સમસ્યાના ઈલાજ તરીકે પાન ફૂટી ઉપયોગી છે. આ સમસ્યામાં પેશાબ કરતા સમયે દર્દ, બળતરા અને પેશાબ રોકાઈ રોકાઈને આવવું વગેરે સમસ્યાઓ થાય છે. આ સમસ્યાના ઈલાજમાં પણ પાનફૂટીના પાંદડામાંથી રસ કાઢીને પીવાથી ફાયદો થાય છે.

માથાનો દુખાવો: માથામાં દર્દની કે દુખાવાની સમસ્યામાં પાનફૂટી ઉપયોગી છે. માથાના દુખાવામાં પાનફૂટીના પાંદડાને લઈને તેના પર સરસવનું તેલ લગાવો. આ પાંદડાને ગરમ કર્યા બાદ માથા પર લગાવી દેવાથી માથાનો દુખાવો મટે છે.

આધાશીશી

દાંતનો દુખાવો: દાંતના દુખાવામાં પાનફૂટીના પાંદડા ઉપયોગી છે. દાંતમાં દર્દ થવા પર પાનફૂટીના પાંદડાને દાંત પર ઘસી લેવા. આમ કરવાથી દાંતના દર્દ એકદમ ઠીક થાય છે. પાનફૂટીના પાંદડામાં એન્ટી વાયરસ અને એન્ટીબેક્ટેરીયલ ગુણ હોય છે. જેના લીધે દાંતનો દુખાવો મટે છે.

ગર્ભવતી મહિલાઓ માટે: પાનફૂટીના ફાયદાઓ ગર્ભવતી મહિલા માટે ખુબ જ છે. આ છોડનો ઉકાળો પીવાથી ગર્ભવતી મહિલાનું વજન વધતું અટકે છે. આ સિવાય જે સ્ત્રીઓ વજન વધારવા નથી માંગતી તેમને આ પાનફૂટીના પાંદડાને ઉકાળીને પીવાથી ખુબ જ રાહત મળે છે અને શરીર પણ વધતું નથી.

અનિંદ્રાની સમસ્યા: જે લોકોને ઊંઘ ન આવવાની સમસ્યા છે જેમના માટે પણ આ પાનફૂટીનો છોડ ઉપયોગી છે. આ સમસ્યાના ઈલાજ માટે રાત્રે સુતા પહેલા પાનફૂટીના પાંદડામાંથી બનાવેલા ઉકાળાનું સેવન કરવાથી મગજ શાંત રહે છે. તણાવ ઓછો થાય છે અને સારી ઊંઘ આવે છે.

ફોડલાનો ઈલાજ: ચામડીના રોગ  માટે પણ પાનફૂટી ઉપયોગી છે. શરીર પર ગુમડા થયા હોય ફોડલી નીકળી હોય કે અળાઈ નીકળી હોય તો, ગુમડાના ઈલાજ તરીકે કે અળાઈના ઈલાજ તરીકે પાનફૂટીના પાંદડાને ગરમ કરીને આ ગુમડા પર લગાવવાથી ગુમડા મટે છે.

તાવ: પાનફૂટીના એન્ટીપ્રીયેટીક ગુણોના કારણે તાવનો ઈલાજ કરવામાં મદદ કરે છે. તાવમાં શરીરનું તાપમાન 38 ડીગ્રીથી ઉપર જાય છે. આ સમસ્યા વખતે શરીર વાયરસ અને બકટેરિયાનો સામનો કરે છે. આ સમયે શરીરનું તાપમાન જેથી આ સમયે જો પાનફૂટીના પાંદડાનો રસ કાઢીને સેવન કરવાથી તાવ ઓછો કરી શકાય છે.

તાવ

અસ્થમા: પાન ફૂટીમાં અસ્થમા વિરોધી તત્વ અને ગુણ હોય છે. જેના લીધે અસ્થમા રોગને ઠીક કરવામાં અને તેમાં રાહત મેળવવા માટે પાનફૂટી ઉપયોગી છે.  આ માટે પાનફૂટીના નવા અંકુરીત થઇ શકે તેવા પાકા પાંદડામાંથી અરસ કાઢીને સેવન કરવાથી અસ્થમામાં રાહત મળે છે.

વાળની સમસ્યા: પાનફૂટીનો ઉપયોગ કરીને તેનો પેસ્ટ બનાવી માથા પર મેંદીની માફક લગાવવાથી વાળમાં ચમક આવે છે. આ ઉપાય નિયમિત કરતા રહેવાથી વાળ કાયમ કાળા રહે છે. પાનફૂટીના પાંદડાને ઉકાળીને તે પાણીથી ન્હાવાથી પણ વાળમાં ખોડો, ઊંદરી વગેરે સમસ્યા ઠીક થાય છે. આ ઈલાજ થોડા સમય સુધી કરવાથી સફેદ વાળ કાળા થવા લાગે છે.

આમ, પાનફૂટી એક ખુબ જ ઉપયોગી ઔષધી છે. આ ઔષધિનો ખાસ કરીને ઉપયોગ પથરીના ઈલાજ તરીકે થાય છે. જો તમે પથરીથી પરેશાન હો તો આ ઉપાય અચૂક કરી શકો છો તને તેનાથી ફાયદો મેળવી શકો છો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય છે, ઉપરોક્ત તમામ સમસ્યામાં ફાયદો મળે.

નોંધ: આયુર્વેદ અને આરોગ્યને લગતી સચોટ માહિતી મેળવવા માટે નીચે આપેલું  બ્લુ કલરનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી લેજો. જેથી દરરોજ તમને આરોગ્યને લગતી માહિતી મળતી રહે.

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

હિંગ
ઔષધી

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

August 26, 2022
કબજિયાત માટેનો દેશી ઈલાજ
ઘરેલું ઉપચાર

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

August 21, 2022
ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય
આરોગ્ય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

August 20, 2022
ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે
ઘરેલું ઉપચાર

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

August 19, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત
આરોગ્ય

લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત

July 27, 2022
Next Post
નાનકડા દેખાતા મેથીના દાણા શરીરને ગંભીર બીમારીથી બચાવે છે

નાનકડા દેખાતા મેથીના દાણા શરીરને ગંભીર બીમારીથી બચાવે છે

કોરોના કાળમાં આ આયુર્વેદિક ઉકાળાઓનું સેવન કરી ઈમ્યૂનિટી કરો બુસ્ટ

કોરોના કાળમાં આ આયુર્વેદિક ઉકાળાઓનું સેવન કરી ઈમ્યૂનિટી બુસ્ટર બનાવો ઘર બેઠા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

વજન ઉતારવા અંગે ખોટી માન્યતા

વજન ઉતારવાને લઈને આ છે સૌથી મોટી 6 અફવાઓ જેના વિષે જાણો

June 15, 2022
દૂધ સાથે કેળા

જો તમે પણ દૂધ સાથે કેળા ખાતા હોવ? તો પહેલા જ આ વાંચી લો, નહી તો થશે ગંભીર સમસ્યા

March 22, 2022
શિયાળામાં રોજ મૂળા ખાવાના આ જબરદસ્ત ફાયદા એકવાર જાણશો તો, રોજ ભૂલ્યા વિના ખાશો

શિયાળામાં રોજ મૂળા ખાવાના આ જબરદસ્ત ફાયદા એકવાર જાણશો તો, રોજ ભૂલ્યા વિના ખાશો

February 25, 2022

Popular Stories

  • ધાધર નો ઘરેલુ ઉપચાર

    ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • કમળા માટે 10 ઘરેલું રામબાણ ઉપચાર, ગમે તેવો કમળો થઇ જશે સારો

    0 shares
    Share 0 Tweet 0
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

    0 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In