Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

ઓપરેશન વગર પથરી દૂર કરવાનો એકમાત્ર ઈલાજ છે આ ઉપાય

Deshi Osadiya by Deshi Osadiya
March 22, 2022
0
ઓપરેશન વગર પથરી દૂર કરવાનો એકમાત્ર ઈલાજ છે આ ઉપાય

ઓપરેશન વગર પથરી દૂર કરવાનો એકમાત્ર ઈલાજ છે આ ઉપાય

0
SHARES
Share on FacebookShare on Twitter

પથરીએ અસહ્ય પીડાદાયક સમસ્યા છે. પથરીની પીડાને શબ્દોમાં વર્ણન કરવું અશક્ય છે. પથરી એક ક્રિસ્ટલ સ્ફટિકનો બનેલો નક્કર સમૂહ છે. જેને આપણે મુખ્યત્વે ક્ષાર કહીએ છીએ. ક્રિસ્ટલ મુખ્યત્વે ચાર પ્રકારના હોય છે. આમાં કેલ્શિયમ ઓક્ઝીલેટ સૌથી મુખ્ય છે.

RELATED POSTS

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

પથરી માટે ઘણા બધા જવાબદાર કારણો હોય છે, જેમાં પહેલું અને મહત્વનું કારણ પાણી છે. પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં ન લેવાના લીધે જ મોટા ભાગના કિસ્સાઓમાં પથરી બનતી હોય છે. કારણ કે પાણી ઓછું પીવાય છે જેના લીધે પેશાબ ઘટ્ટ થાય છે અને જેમાં રહેલા ક્ષાર ધોવાઈને બહાર નીકળવાની જગ્યાએ કીડનીમાં અને કિડનીમાંથી બહાર નીકળતી પેશાબની નળીઓમાં જમાં થવા લાગે છે. ઘણા બધા ક્રિસ્ટલ ભેગા થઈને પથરીનું સ્વરૂપ લઈ લે છે.

Join Group

પથરી થવાનું બીજું કારણ છે વધુ પડતું ક્ષાર વાળું પાણી. એવું માનવામાં આવે છે કે જે પાણીમાં ક્ષારનું પ્રમાણ વધુ પડતું હોય તે પાણીના લીધે પણ પથરી થઇ શકે છે. મેદસ્વી પણ પથરીની સમસ્યામાં જવાબદાર ગણવામાં આવે છે. જે લોકોનું વજન વધારે હોય કે પેટની આજુબાજુ ચરબીનું પ્રમાણ ખુબ જ વધુ હોય તેવા લોકોને પથરી બનવાનું જોખમ ઘણું વધી જાય છે.

આ પથરીના ઈલાજ માટે કળથીનો પ્રયોગ ખુબ જ ઉપયોગી છે. કળથીનો ઉપયોગ કરીને પથરીને મટાડી શકાય છે. આપણે ત્યાં ત્રણ પ્રકારની કળથી મળે છે. જેમાં કાળી કળથી, સફેદ કળથી અને લાલ કળથી એમ ત્રણ પ્રકારની કળથી હોય છે. આ ત્રણેય કળથીમાં પથરીના ઇલાજમાં કાળી કળથી ખુબ જ ઉપયોગી છે.

પથરીના ઈલાજ માટે 50 ગ્રામ કાળી કળથી લેવી. રાત્રે સૂતી વખતે 50 ગ્રામ કાળી કળથી 800 મિલી પાણીની અંદર પલાળી દેવી. સવારે ઉઠીએ ત્યારે આ કળથીને બરાબર મસળી નાખવી. મસળી લીધા બાદ કળથીને કપડાથી ગાળી લેવી. આ પછી આ પાણીને પી લેવું. આમ આ પ્રયોગ બે મહિના સુધી કરવો. આ પ્રયોગથી ચોક્કસ પથરી મટી જાય છે. આ પ્રયોગ કરતા થોડો સમય જાય છે પરંતુ પથરી 100 ટકા મટી જાય છે.

કાળી કળથી

જે લોકોને ગેસ્ટ્રીક બાયપાસ સર્જરી એટલે કે વજન ઘટાડવા માટેનું ઓપરેશન કરાવેલું હોય, તેવા લોકોને પણ પથરીની સમસ્યાનું જોખમ ઘણું વધી જાય છે. જે લોકોના પરિવારમાં ઘણા લોકોને પથરી થઇ હોય તેવા લોકો જો કાળજી ન લે તો તેમને પણ પથરી થઈ શકે છે. અમુક પ્રકારના ખોરાકથી પણ પથરીની સમસ્યા પેદા થઈ શકે છે.

જે લોકોને પથરી થઈ હોય તેઓને અસહ્ય દુખાવો થાય છે. પથરીનો દુખાવો પેટના નીચેના ભાગમા અથવા કમરના નીચેના ભાગમાં, ડાબી અથવા જમણી અથવા બંને બાજુ થઈ શકે છે. મોટા ભાગે પથરી જ્યારે તેની જગ્યાએથી ખચતી હોય ત્યારે અ દુખાવો ખુબ જ વધારે પ્રમાણમાં જોવા મળે છે. અમુક દર્દીને તો દુખાવો એટલો બધો અસહ્ય હોય છે કે દર્દી એક જગ્યાએ બેસી પણ નથી શકતો. અમુક દર્દીઓને ક્યારેક પથરીની એટલી બધી પીડા થાય છે કે જેના લીધે તેઓ જમીન પર આળોટતા હોય છે.

પથરીમાં કુદરતી રીતે લાલ અથવા કાળા કલરનો પેશાબ થવો. ઉલટી, ઉબકા અને ઠંડી લાગવી, વારંવાર પેશાબની ઈચ્છા થવી અને વારંવાર સંડાશ પણ લાગે છે. અમુક વખત પથરીને લીધે તાવ પણ આવી જાય છે.

અમુક પથરી જો મોટી હોય અને જો પેશાબની નળીને બ્લોક કરી દે તો કિડનીમાં દબાણ વધી જાય છે અને તેના લીધે કિડનીમાં દબાણ વધી જાય છે. આના લીધે ઘણી વખત કીડનીને પણ નુકશાન થઈ શકે છે.

પથરીના દર્દીને થોડી કાળજી પણ રાખવી જોઈએ. તેમાં પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું. પાણી દરેક પ્રકારના હાનીકારક દ્રવ્યોને પેશાબ દ્વારા બહાર કાઢવામાં ખુબ જ રીતે મદદ કર છે. માટે પાણી અને બીજા જ્યુસ જેવા કે લીંબુ સરબત, મોસંબી અને નારંગીના ફ્રેશ ઘરે બનાવેલા જ્યુસ વધારે પ્રમાણમાં પીવા જોઈએ. આ બાબતમાં જેટલા પ્રમાણમાં પાણી પીવામાં એટલા પ્રમાણમાં પેશાબ પણ કરવો જોઈએ.

ખોરાકમાં પણ થોડી કાળજી રાખવી. ખોરાકમાં કેલ્શિયમનું પ્રમાણ વધારે લેવું. કેલ્શિયમથી ભરપુર ખોરાક જેવા કે દૂધ, દહીં, માખણ, ઘી, છાશ, લીલા શાકભાજી આ બધી જ વસ્તુઓ વધારે પ્રમાણમાં લેવી જોઈએ. પથરીના દર્દીએ માછલી, ઈંડા જેવી માંસાહારી વસ્તુઓ બંધ કરી દેવી જોઈએ. આ બધી જ વસ્તુઓના સેવનથી કિડનીમાં પથરી બનવાનું શરુ થઈ જાય છે. પથરીના દર્દીને તૈયાર બનાવેલા સોફ્ટ ડ્રીંક ઓછા લેવા જોઈએ. ખાંડ અને મીઠું પણ ઓછુ કરી દેવું જોઈએ. આ સિવાય પથરીના દર્દીને પાલક અને અન્ય ભાજીઓનું પ્રમાણ પણ ઓછુ કરવું જોઈએ. બીટ અને શક્કરીયા પણ ઓછા કરી દેવા જોઈએ.

દર્દ માટે ઘરગથ્થું ઉપાય તરીકે તુલસીના રસ અને મધને મિક્સ કરીને સેવન કરવું જોઈએ. આ ઉપા દુખાવો ઓછો કરે છે અને પથરીની સાઈઝ ઘટાડવા માટે પણ ઉપયોગી છે. દાડમનું જ્યુસ પણ પથરીના દર્દીને ખુબ જ મદદ કરી શકે છે.

આમ, પથરીના ઈલાજ માટે આ ઉપરોક્ત ઉપાય ખુબ જ ઉપયોગી છે અને પથરીને ચોક્કસ મટાડી શકે છે. આ ઉપચાર કરવાની કોઈ જ આડઅસર નથી અને શરીરના સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ ઉપયોગી છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમને પથરીની સમસ્યામાંથી છુટકારો મળે.

આ આયુર્વેદિક ઉપચાર અને માહિતી સારી લાગી હોય તો નીચે આપેલા બ્લુ કલરના લાઈક બટન પર ક્લિક કરો જેથી તમને માહિતી ઝડપથી મળતી રહે. 

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

હિંગ
ઔષધી

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

August 26, 2022
કબજિયાત માટેનો દેશી ઈલાજ
ઘરેલું ઉપચાર

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

August 21, 2022
ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય
આરોગ્ય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

August 20, 2022
ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે
ઘરેલું ઉપચાર

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

August 19, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત
આરોગ્ય

લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત

July 27, 2022
Next Post
તાંબાના વાસણમાં પાણી પીવાથી થાય છે અદભુત ફાયદા

જાણો તાંબાના વાસણમાં પાણી પીવાથી આપણા શરીરમાં થાય છે અદભુત ફાયદા

નિર્દોષાનંદજી માનવ સેવા ટ્રસ્ટ હોસ્પિટલ

એક એવી હોસ્પિટલ કે જ્યાં દવા, ઓપરેશન, જમવાનું અને સંભાળ છે સંપૂર્ણ મફત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

અજમો ખાવાના ગેર ફાયદાઓ

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

June 15, 2022
બદલાતી સીઝનમાં છાતી અને ગળામાં કફ જમા થવો, શરદી અને ખાંસી ઉપાય

બદલાતી સીઝનમાં છાતી અને ગળામાં કફ જમા થવો, શરદી અને ખાંસી ઉપાય

June 15, 2022
સંચળ ખાવાના અમુલ્ય ફાયદા

સવારે ઊઠીને ગરમ પાણી સાથે માત્ર એક ચપટીનુ સેવન કરો, પેટના રોગો કાયમ રહેશે દુર

February 25, 2022

Popular Stories

  • ધાધર નો ઘરેલુ ઉપચાર

    ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • કમળા માટે 10 ઘરેલું રામબાણ ઉપચાર, ગમે તેવો કમળો થઇ જશે સારો

    0 shares
    Share 0 Tweet 0
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

    0 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In