સરગવો એક એવી વનસ્પતિ છે, ભારતના બધા જ પ્રદેશોમાં મળી રહે છે અને બધા જ વિસ્તારોમાં ઉગે છે. સરગવાના છોડને પણ અન્ય સામાન્ય વૃક્ષોની જેમ માવજત કરવાની જરૂર પડતી નથી. લોકો સરગવાની શીંગનું શાક અને કઢી બનાવે છે. જેનાથી શરીરમાં ખુબ જ ફાયદો મળે જ છે.
પરંતુ આયુર્વેદમાં સરગવાના બધા જ અંગો ઉપયોગી છે, જેમાં જેના ફળ, ફૂલ, પાંદડા, મૂળ, ગુંદર, છાલ વગેરેનો ઉપયોગ કરીને અનેક રોગોને મટાડી શકાય છે તેમેજ શરીરના પોષકતતત્વોની ઉણપ પૂરી કરી શકાય છે. સરગવો શરીરના દરેક અંગોના રોગોમાં ઉપયોગી એવું ઉત્તમ વૃક્ષ છે.
સરગવાનો પાવડર બનાવવાની રીત: સરગવાની શિંગ તોડી તેને સાફ કરી તેને સુકવી દેવામાં આવે છે. આ શીંગોને સુકવીને તેને નાના નાના કટકા કરીને તેને દળીને તેનો પાવડર બનાવી શકાય છે. આ પાવડર વજન ઘટાડે છે, વાળ અને ચામડી માટે શ્રેષ્ઠ છે, શરીરમાંથી ટોક્સીન બહાર કાઢે છે, પાચનશક્તિ સુધારે છે, ઊંઘ ન આવવાની બીમારી થાય છે, કામોતેજના વધે છે, હાડકા મજબુત કરે છે અને કેન્સરનું જોખમ ઘટાડે છે.
સરગવાની ચા બનવાની રીત: સરગવાના તાજા પાનને સરગવા પરથી તોડી યોગ્ય રીતે પાણીથી ધોઈ લીધા બાદ તેને છાયડે સુકવી લો. આ પાંદડાને યોગ્ય રીતે સુકાઈ ગયા બાદ વાટી લો. આ સિવાય તેને મિક્સરમાં નાખીને કે કન્ટેનરમાં સ્ટોર કરીને રાખી લો. સરગવાની ચા બનાવવા માટે એક ચમચી પાવડર પાણીમાં ઉકાળવું અને પછી તેને પી જવું. આ રીતે ચાને પી શકાય છે.
સરગવાની ભાજી બનાવવાની રીત: સરગવાની ભાજી બનાવવા માટે સરગવાના ઝાડ પરથી તાજા કોમળ પાંદડાને તોડી લો. આ પાંદડા તોડી લીધા બાદ તેને સ્વચ્છ પાણીથી ધોઈ લો. કારણ કે સરગવાના ઝાડ મોટું હોવાથી પાંદડા પર ધૂળ અને કરોળિયાના જાળા તેમજ જીવાત લાગેલી હોય છે. પાંદડાને ધોયા બાદ તેમાંથી પાણી નીતારી લો.
સરગવાની ભાજી બનાવવા માટે સૌપ્રથમ એક તપેલી લો. આ તપેલીમાં તેલ નાખો, તેમજ તેમાં, આદુ કકડાવી લો. બાદમાં તેમાં ઝીરું, ધાણાજીરું, હળદર, મીઠું અને મરચું તમને અનુકૂળ હોય તેટલા પ્રમાણમાં નાખો. આ રીત એક વઘાર તૈયાર થઇ જશે. તેમાં તમે સરગવાના પાંદડા નાખીને ગરમ થવા દો તેમજ હલાવતા રહો. આ રીતે સરગવાના પાંદડા કોમળ ભાજી જેવા થાય છે તેમાં તમે લસણ નાખીને તેને સ્વાદિષ્ટ બનાવી શકો છો. આ રીતે સરગવાના પાંદડાને યોગ્ય રીતે ગરમ થવા દીધા બાદ તેની ભાજી તૈયાર થાય છે.
સરગવાનો પાવડર બનાવવાની રીત: સરગવાની શિંગ તોડી તેને સાફ કરી તેને સુકવી દેવામાં આવે છે. આ શીંગોને સુકવીને તેને નાના નાના કટકા કરીને તેને દળીને તેનો પાવડર બનાવી શકાય છે. આ પાવડર વજન ઘટાડે છે, વાળ અને ચામડી માટે શ્રેષ્ઠ છે, શરીરમાંથી ટોક્સીન બહાર કાઢે છે, પાચનશક્તિ સુધારે છે, ઊંઘ ન આવવાની બીમારી થાય છે, કામોતેજના વધે છે, હાડકા મજબુત કરે છે અને કેન્સરનું જોખમ ઘટાડે છે.
સરગવાના પાનનો પાવડર બનાવવાની રીત: સરગવાના પાનને સરગવા પરથી તોડીને તેને સારા પાણીથી ધોઈ લો. સારા પાણીથી ધોયા બાદ તેને તડકામાં સુકવીને બરાબર કડક થાય ત્યારે તેને ભેગા કરી ઘંટીમાં નાખીને તેને દળી નાખવા. દળતા જે પાવડર તૈયાર થાય છે તે પાવડરને કોઈ કાચના વાસણમાં ભરીને સાચવી રાખી જરૂરિયાત મુજબ ભોજનમાં, પાણી સાથે કે દૂધ સાથે ભેળવીને પીવાથી ખુબજ લાભ થાય છે. આ રીતે સરગવાના ફૂલ અને છાલનો પાવડર પણ બનાવી શકાય છે.
સરગવાનું સૂપ બનાવવાની રીત: સરગવાનું સૂપ બનાવવા આ પ્રમાણે સામગ્રી લેવી, જેમાં ૩ સરગવાની શિંગ, 1 નંગ ટમેટું, 1 ડુંગળી, 1 મરચું, 2 થી ૩ લસણની કળી, 2 ગ્લાસ પાણી, 2 થી ૩ લસણની કળી, 2 ગ્લાસ પાણી, 2 થી ૩ ચમચી તેલ, સ્વાદ વધારવા માટે 1 ચમચી મકાઈ લોટ, અડધી ચમચી ગરમ મસાલો, અડધું લીંબુ, 1 ચમચી મીઠું, અડધી ચમચી સંચળ, 1 ચમચી મરી પાવડર, અડધી ચમચી જીરું વગેરે સામગ્રી લઈને સૂપ બનાવી શકાય છે.
તેમાં પ્રથમ સરગવાની સિંગ લઇ જેને આપણે ધોઈ અને તેના નાના નાના કટકા કરી લેશું, ત્યાર બાદ ડુંગળી, ટમેટા, મરચુ અને લસણ જેને પણ છાલ કાઢી બધાં નાના નાના કટકા કરી લેવા. ત્યારબાદ કુકરમાં તેલ ગરમ મુકવું, તેલ ગરમ થયા બાદ તેમાં લસણ અને મરચું ઉમેરવું ત્યાર બાદ તેમાં ડુંગળી, ટમેટા અને લસણ ઉમેરી તેને સાંતળી લઈશું. આ બધી વસ્તુ સાંતળી લઈએ ત્યારબાદ તેમાં પાણી ઉમેરવું. જેટલી પણ લઈએ તેટલું પાણી ઉમેરી શકાય છે. ત્યારબાદ તેને ૩ સિટી વાગે ત્યાં સુધી ગરમ થવા દેવું. આ પછી સિંગ બફાઈને પોચી પડી જશે. જેથી તેનું સરસ જ્યુસ નીકળી જાય છે. ત્યારબાદ તેને ત્યારબાદ તેને મોટી ગરણી વડે ગાળી લેવું. અને ત્યારબાદ પાછું સિંગને એક બાઉલમાં કાઢી તેમાં પાણી ઉમેરી અને ગરણીથી ગાળી લેવું. એટલે કે તેમાંથી બધો કચરો નીકળી જશે.
ત્યારબાદ તેને બાઉલમાં કાઢી લેવું. ત્યારબાદ એક બાઉલમાં મકાઈના લોટ લઈને તેમાં પાણી ઉમેરી થોડીવાર રહેવા દીધા બાદ સરસ રીતે મિક્સ થઈ જશે. ત્યાર બાદ લીંબુ લઈંને ઉપરોકત માત્રામાં લીધેલા મસાલા પદાર્થો અને સીંગો લીધી હોય તેટલા પ્રમાણમાં ઉમેરી શકાય છે. જેમાં મીઠું, ગરમ મસાલો, મરી પાવડર અને સંચળ લેવા. હવે તેને એક બાઉલમાં કરી લેવું, ત્યારબાદ તેમાં થોડું જીરું મૂકી સાંતળી લઈને ત્યારબાદ સિંગનું જ્યુસ તેમાં ઉમેરી ધીમી આંચ પર ચડવા દેવુ. આ રીતે સરગવાનું સૂપ તૈયાર થાય છે તેમાં કોથમીર નાખી તમે પી શકો છો અને તેનો આયુર્વેદિક ફાયદો ઉઠાવી શકો છો.
સરગવાનું શાક બનાવવાની રીત: સરગવાની શિંગનું શાક બનાવવા માટે 2 સરગવાની શિંગ લેવું, 1 બટાટુ લેવું, 2 ચમચી ચણાનો લોટ લેવો, અડધી ચમચી હિંગ અને અડધો કપ છાશ, 1 ચમચી હળદર અને અડધી ચમચી લાલ મરચું, 1 ચમચી તેલ, 1 ચમચી રાઈ અને 1 ચમચી આદું મરચાનો પેસ્ટ તેમજ સ્વાદ પ્રમાણે મીઠું લઈને આ શાક બનાવી શકાય છે.
શાક બનાવવા માટે સરગવાની શિંગને ૩ ઇંચના ટુકડા કરી બટાકા સાથે કુકરમાં બાફી દો. એક કડાઈમાં તેલ ગરમ કરી એમાં રાઈ નાખો. રાઈ તતડે પછી તેમાં હિંગ નાખી ચણાનો લોટ નાખીને લોટ પકાવી લો. લોટ શેકાઈ જાય પછી તેમાં દહી અને છાશ તેમજ આદુના મરચાનો પેસ્ટ નાખી મિક્સ કરી દો. થોડું ઘટ્ટ થાય પછી તેમાં મીઠું, હળદર, મરચું અને અડધો કપ પાણી નાંખીને મિક્સ કરી 5 મિનીટ મધ્યમ ગેસ પર ઉકાળો. આ પછી બાફેલા બટાકાના ટુકડા કરો. બાફેલી સરગવાની શિંગમાંથી બી કાઢી, બટાકા અને શિંગને શાકમાં નાખી મિક્સ કરો. આવી રીતે બને છે સરગવાની શીંગનું શાક. જેનો તમે ખાવામાં ઉપયોગ કરી શકો છો.
સરગવાનું સેવન કરવાની રીત: સરગવાનું સેવન દરેક પ્રકારે કરી શકાય છે. જ્યારે સિઝનમાં તેમાં સિંગ આવે છે ત્યારે તેનું શાક બનાવીને કે દાળમાં નાખીને ખાઈ શકાય છે. આ સિવાય તેની શીંગોની સીઝન ન હોય ત્યારે પણ તેના પાંદડાનો પાવડર બનાવીને ખાઈ શકાય છે. તેના તાજા પાંદડાની ચા બનાવીને પીઓ. આ સિવાય તેની છાલની રાખ બનાવીને પીવો. જો તેની છાલનો ઉપયોગ કરી રહ્યો છો તો તમે આ ઝાડને હજુ ઉગાડો. કેમ કે તેની છાલ કાઢવાથી ઝાડ વધવાનું બંધ કરી દેશે. જ્યારે પણ છાલ કાઢો ત્યારે તેની પાસે પડેલી માટીને તે જગ્યા ઉપર લેપ કરી દો.
માથાનો દુઃખાવો: સરગવાની મગજના સ્વાસ્થ્ય માટે સરગવો લાજવાબ ઔષધી છે, સરગવો ડીપ્રેશન, બેચેની, થાક, ભૂલવાની બીમારી વગેરે ઠીક થાય છે. સરગવામાં સોજો અને દર્દ દુર કરનારા ગુણ હોય છે જેના કારણે તે દર્દથી રાહત અપાવવામાં મદદ કરે છે. સરગવાના પાંદડાનો પેસ્ટ બનાવીને માથા પર લગાવવાથી કે એના પાંદડાને ગરમ કરીને માથા પર લેપ કરવાથી તેમજ સુંઘવાથી માથાનો દુખાવો મટે છે.
લોહીના દબાણને ઘટાડવા: સરગવાના પાંદડાનો રસ કાઢીને ઉકાળો બનાવી દેવાથી લાભ મળે છે. સાથે તેનો ઉકાળો પીવાથી ગભરાટ, ચક્કર આવવા, ઉલ્ટીમાં રાહત મળે છે. સરગવામાં લોહીના પ્રેસરને ઘટાડનારા ગુણ આવેલા હોય છે. સરગવાનું નિયમિત સેવન બ્લડપ્રેસરને કંટ્રોલ કરે છે. તેમાં રહેલા વિટામીન સી, બેડ કોલેસ્ટરોલને નિયંત્રિત કરે છે અને આનું નિયમિત સેવન હાર્ટ એટેક અને હાર્ટ ફેલ જેવી સ્થિતિમાંથી દુર રાખે છે.
શુક્રાણુ વધારવા અને શારીરિક શક્તિ વધારવા: સરગવાનું નિયમિત રીતે સેવન કરવાથી શુક્રાણુઓની સંખ્યા વધે છે અને શુક્રાણુ સાથે તેની ગતિશીલતા પણ વધે છે. સરગવામાં જિંકની માત્રા મળી આવે છે જે મજબુત લિંગ નિર્માણ માટે ફાયદાકારક છે. સરગવો શુક્રાણુઓની સંખ્યા અને ગુણવતા સુધારે છે સાથે તે વીર્યને ઘટ્ટ કરે છે. મહિલાઓએ સેવન કરવાથી માસિક સંબંધી સમસ્યા દુર થાય છે.સાથે ગર્ભાશયની સમસ્યા પણ દુર કરે છે.
યૌન શક્તિ વધારે: ભારતમાં પ્રાચીન સમયથીસરગવાનો ઉપયોગ યૌન શક્તિ વધારવા માટે થાય છે. આ રીતે સરગવાના વિવિધ ભાગોને ઉપયોગ કરીને બનાવેલ ચૂર્ણનો ઉપયોગ કરવામાં આવે તો સરગવાનો શરીરમાં પ્રજનન શક્તિ વધારી શકાય છે. શરીરના વિવિધ ભાગોમાં લોહીનું પરીસંચરણ કરીને તે યૌન શક્તિ મજબુત કરે છે.
ગર્ભવતી મહીલાઓ માટે: ગર્ભવતી મહિલાઓ માટે સરગવાનું સૂપ ખુબ જ ઉપયોગી છે. સરગવાનું સૂપ પીવાથી મહિલાઓ ગર્ભવસ્થા બાદ આવનારી તકલીફોમાં રાહત મળે છે. ડીલીવરી બાદ ઘણી સ્ત્રીઓને દુખાવો થતો હોય છે. ધાવણ ઓછુ આવવું અને રક્તપ્રદર જેવી સમસ્યાઓ થાય છે. તેમાં સરગવાનું સૂપ પીવાથી ફાયદો કરે છે. ગર્ભાવસ્થા દરમિયાન થનારી પેટનો દુખાવો અને એનીમિયા જેવી લોહીની તકલીફો પણ સરગવાનું સૂપ પીવાથી મટે છે.
પ્રસુતિ સમસ્યા: દૂધ પિવરાવનારી માતાઓ માટે સરગવો ખુબ જ ઉપયોગી ઔષધી છે. સરગવાના પાંદડા ઘીમ ગરમ કરીને પ્રસુતા સ્ત્રીઓને આપવા માટેની પ્રથા છે. તેનાથી દુધની ઉણપ જણાતી નથી. સાથે તેના લીધે જન્મ બાદની બાળકની કમજોરીઓ દુર થાય છે. બાળકના સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ છે. તેમાં લોહ તત્વ, મેગ્નેશિયમ, ફોસ્ફરસની માત્રા પણ ઉચ્ચ પ્રમાણમાં મળી આવે છે. જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
રોગ પ્રતિકારક શક્તિ: જાતજાતના બેટકેરિયલ અને વાઈરલ ઈન્ફેકશન સામે એ રક્ષણ પણ આપે છે. જેને કારણે ડેન્ગ્યું, મલેરિયા, ચિકનગુનિયા કે સ્વાઈન ફ્લુ જેવા રોગોથી બચી શકાય છે. સરગવામાં રહેલા પોષક તત્વો વ્યક્તિનો રેઝિસ્ટન્સ પાવર વધારે છે, જેથી તેની જેથી તેની રોગ પ્રતિકારક શક્તિ પ્રબળ બને છે અને રોગો સામે લડી શકવા તે વધુ સક્ષમ બને છે.
નવજાત બાળક માટે: સરગવાની સીંગોમાં કેલ્શિયમ હોય છે, જે બાળકો માટે ખુબ જ ફાયદાકારક છે, જેનાથી હાડકા અને દાંત બંને મજબુત થાય છે. જેને ગર્ભવતી મહિલાઓને ભોજનમાં આપવાથી તેના જન્મનાર બાળકમાં કેલ્શિયમની માત્રા ભરપુર મળે છે. જેનાથી જન્મનાર બાળક તંદુરસ્ત રહે છે. સાથે તેમાં લોહ તત્વ, મેગ્નેશિયમ, ફોસ્ફરસની માત્રા પણ ઉચ્ચ પ્રમાણમાં મળી આવે છે. જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
કીડની સમસ્યા: સરગવાના 5 ગ્રામ ગુંદર દરરોજ 7 દિવસ સુધી દહી સાથે સેવન કરવાથી પેશાબની સમસ્યામાં મટે છે. સરગવાના મૂળના છાલનો 20 ગમિલી ઉકાળાને દિવસમાં 3 વખત પીવડાવવાથી કીડનીની પથરી કટકા કટકા થઈને નીકળી જાય છે. આ પ્રયોગથી એપીલેપ્સીમાં પણ લાભ થાય છે.
પથરી: સરગવાના પાંદડાનો 1 ચમચી રસ લો, તેમાં 1 ચમચી મધ અને નારિયેળ પાણી ઉમેરીને પી શકાય છે. આ પ્રમાણે ઉપયોગ કરવાથી પાચન તંત્ર સાથે જોડાયેલ સમસ્યાનું નિવારણ લાવી શકાય છે. આ ઉપરાંત તેનું શાક ખાવાથી કબજિયાત જેવા રોગોમાં આરામ મળે છે. આ સાથે તેનું શાક કીડની તેમજ મૂત્રાશયમાં જામેલી પથરી ઓગળીને કાઢવામાં મદદ કરે છે.
કાનના રોગ: 20 મિલી સરગવાના મૂળના રસમાં 1 ચમચી મધ અને 50 મિલી તેલ ભેળવીને તેને ગરમ કરી ચાલીને કાનમાં 2-2 ટીપા નાખવાથી કાનનો દુખાવો મટે છે. સરગવાના ગુંદરને તલના તેલમાં ગરમ કરીને ગાળી લો. તેના 2-2 ટીપા ટપકાવવાથી કાનનો દુખાવો મટે છે. સરગવાની છાલ અને રાઈને વાટીને લેપ તૈયાર કરો. આ કાનના મૂળમાં માં સોજાની પરેશાની આ ઈલાજથી ઠીક થાય છે.
પેટના રોગ: પેટનો ગેસ અથવા પેટનો દુખાવાની સ્થિતિમાં સરગવાના મૂળની 100 ગ્રામ છાલમાં 5 ગ્રામ હિંગ અને 20 ગ્રામ સુંઠ ભેળવીને તેને પાણી સાથે વાટીને 1-1 ગ્રામની ગોળીઓ બનાવી લઈને આ ગોળીઓ દિવસમાં 2 થી ૩ વખત ખાવાથી પેટનો દુખાવો મટે છે. સરગવાના પાંદડાને પાણી સાથે વાટીને ગરમ ગરમ કરીને તેનો પેટ પર લેપ કરવાથી પેટનો દુખાવો મટે છે. સરગવાના શીંગની શાકભાજી બનાવીને ખાવાથી પેટના આંતરડાના કીડા નાશ પામે છે. સરગવાના 50 ગ્રામ મૂળને 200 મિલી પાણીમાં ભેળવીને તેની ચટણી બનાવી થોડી થોડી માત્રામાં પીવડાવવાથી જળોદર (પેટ ફૂલી જવાનો રોગ) મટે છે.
પાચન તંત્ર: સરગવાની ચા બધી જ સમસ્યા પેટની બધી જ સમસ્યાને દુર કરે છે. ફાઈબરના કારણે તે કબજિયાતને દુર કરવામાં પણ ફાયદાકારક થાય છે. જે બાળકોને પેટમાં કૃમિ પડે છે તેઓને સરગવાની ચા બનાવીને પાવાથી આ સમસ્યામાં ફાયદો થાય છે. તે ઝાડા તેમજ ઉલ્ટીમાં પણ ફાયદો કરે છે.
કોલેસ્ટ્રોલ: આ રીતે સરગવાનો ઉપયોગ કરવાથી પણ અનેક રોગોનો ઈલાજ થાય છે. જેમાં કોલેસ્ટ્રોલ લેવલ કન્ટ્રોલમાં રહે છે. શરીરમાં એલડીએલ કોલેસ્ટ્રોલ લેવલ સરગવાની ચા પીવાથી કે ભાજી ખાવાથી નિયંત્રિત થાય છે. જેના લીધે કોલેસ્ટ્રોલના વધારે કે ઓછા પ્રમાણને લીધે થતા નુકશાનથી બચી શકાય છે.
અસ્થમા: અસ્થમા એક શ્વાસની બીમારી છે. આ બીમારીમાં દર્દીને કાયમી કફ રહે છે. તેમજ દર્દી વારંવાર ખાંસી અને ઉધરસની સમસ્યાથી પીડાય છે. આ સમસ્યાના ઈલાજ માટે સરગવાની ચા બનાવીને પીવાથી આ સમસ્યામાં રાહત મળે છે. સરગવાની ચા ફેફસાને સાફ અને ઠીક રાખે છે. તે શ્વસન પ્રણાલીને ઠીક કરે છે. માટે શ્વાસની મોટાભાગની સમસ્યાનો ઈલાજ આ સરગવાની ચાથી થાય છે.
બ્લડપ્રેસર ઘટાડે: બ્લડ પ્રેસર વધવાની સમસ્યા આજના સમયમાં ઘણા લોકોને હોય છે. વધારે શરીર તેમજ મેદસ્વિતાને લીધે ઘણા લોકોને બ્લડપ્રેસર વધે છે. બ્લડપ્રેસર વધવાને લીધે લોકોમાં હાર્ટએટેક આવવાનું જોખમ વધે છે. જેના લીધે આ સમસ્યામાં જોખમને ઘટાડવા સરગવાની ચા પીતા રહેવાથી બ્લડપ્રેસર કાબુમાં રહે છે.
શરીર શુદ્ધ કરે: શરીરમાં આવેલા ઝેરીલા તત્વો સરગવાની ચા પીવાથી ફાયદો રહે છે. સરગવાની ચા પીતા રહેવાથી શરીરના બધા જ કોષો સુધી શુદ્ધ લોહી પહોંચે છે. આ શુદ્ધ લોહી અંગોમાં પહોચાડવાનું અને લોહીને શુદ્ધ કરવાનું કાર્ય સરગવાની ચા કરે છે. આમ શરીરમાં ચામડીના રોગોને રોકવાનું કાર્ય પણ સરગવાની ચા કરે છે.
ગાંઠીયો વા: સરગવાના ગુંદરનો લેપ કરવાથી ગાઠીયો વા મટે છે. સરગવાના પાંદડાને તેલ સાથે વાટીને તેને ગરમ કરીને લેપ કરવાથી ઘૂંટણનો જુનો વા અને દુખાવો મટે છે. સરગવાના તાજા મૂળ, સરસવ અને આદુને સરખી માત્રામાં લઈને તેને વાટીને 1-1 ગ્રામની ગોળીઓ બનાવીને તેઆથી 2-2 ગોળીઓ સવારે અને સાંજે સેવન કરવાથી ગાઠીયો વા મટે છે. સરગવાના બીજના તેલની માલીશ કરવાથી સાંધાનો દુખાવો મટે છે . સરગવાના પાંદડાને તેલ સાથે વાટીને લેપ કરવાથી અને તડકામાં બેસવાથી ઈજા અને મોચની પીડા ઠીક થાય છે.
વજન ઘટાડવા માટે: પાતળું થવા માટે સરગવાનું ખુબ જ મહત્વ છે. શરીરમાં જમા થયેલી વધારાની ચરબીને દુર કરવા માટે સરગવો સર્વોત્તમ ઔષધી ગણી શકાય છે. તેમાં ફોસ્ફરસનું પ્રમાણ હોય છે. જે શરીરની વધારાની કેલરી ઓછી કરે છે. તેમજ ચરબી ઘટાડી પાતળા બનાવવામાં મદદ કરે છે. સરગવાના પાંદડાના રસનું સેવન કરવાથી વજન ધીમે ધીમે ઓછી થવા લાગે છે. અને આપણે સરગવાની જેમ પાતળા થઇ શકીએ છીએ. સરગવાના સૂપમાં રહેલું ફોસ્ફરસનું પ્રમાણ શરીરમાંથી વધારાની ચરબીને દુર કરવામાં ઉપયોગી છે. નિયમિત રીતે સરગવાનું સૂપ પીવાથી શરીરની ચરબી ઓગળીને બહાર નીકળી જાય છે. અને સાથે વજનમાં પણ ઘટાડો થાય છે. મેદસ્વિતા ધરાવતા લોકો માટે સરગવાનું સૂપ અતિ ઉપયોગી છે. સરગવાનો સૂપ પીવાથી પણ વજનમાં ઘટાડો થઈ શકે છે.
કેન્સર: સરગવાના આવેલા ઔષધીય ગુણ કેન્સર જેવી બીમારીના જોખમને ઓછુ કરવામાં મદદ કરી શકે છે. ખાસ કરીને સરગવાનીછાલમાં અને સરગવાના પાંદડામાં એન્ટી કેન્સર અને એન્ટી ટ્યુમર ગુણ હોય છે. આ સિવાય સરગવાના પાંદડા પોલીફેનોલ અને પોલીફ્લોનોઈડસથી સમૃદ્ધ હોય છે, જે એન્ટી ઓક્સીડેન્ટ અને એન્ટી કેન્સર તત્વ છે, જે ઘાતક બીમારીને જોખમને ઘટાડે છે.
ડાયાબીટીસ: સરગવાને ડાયાબીટીસમાં ખુબ જ ફાયદાકારક માવામાં આવે છે. સરગવાના ફળ, છાલ અને પાંદડામાં એન્ટી ડાયબેટીક ગુણ મળી આવે છે. સરગવાના સેવનથી ડાયાબીટીસ કન્ટ્રોલમાં કરી શકાય છે.
ફોડલા-ગુમડા: સરગવાના મૂળની છાલ અને વત્સનાભને વાટીને તેનો લેપ ફોડલા પર લગાવવાથી ફોડલા ફૂટી જાય છે અને પરું નીકળી જાય છે. સરગવાના પાંદડાનો રસ અને સર્જરસને વાટીને આખા શરીરમાં લેપ કરવાથી ફોડલા અને ફોડલીઓ દુર થાય છે. સરગવાના પાંદડા અને તલને સમાન માત્રામાં ભેળવીને તેને વાટીને થોડાક ઘી ભેળવીને લેપ કરવાથી ઘાવ જલ્દી ભરાઈ જાય છે.
હાર્ટ માટે: સરગવાના પાંદડામાં ઉચ્ચ માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ મળી આવે છે. જે શરીરમાં ઇન્ફ્લેમેશનના કારણે થનારી સમસ્યામાં રાહત અપાવે છે. તેમજ હ્રદયને સ્વસ્થ બનાવી રાખવામાં મદદ કરે છે. સરગવાના પાંદડાના સેવનથી હ્રદય સ્વસ્થ રહે છે.
યૌન શક્તિ: સરગવાનું સૂપ પીવાથી કુમારિકા શક્તિ વધે છે, જેથી વૈવાહિક સંબંધ સારો રહે. એન્ટી બેક્ટેરીયલ પ્રોપર્ટી તેના કારણે ચેપને અટકાવે છે. અને તેના વિટામીન સી રોગપ્રતિકારક શક્તિને મજબુત કરે છે.આ સૂપ પીવાથી પાચનતંત્ર મજબુત થાય છે. કારણ કે મજબુત ફાઈબર તેમાં કબજિયાતને દૂર કરે છે. અસ્થમા અને ઠંડા ઉધરસ પણ સરગવામાં ફાયદાકારક છે. આ સૂપ લોહીને સાફ કરે છે અને ચહેરો તેજસ્વી બનાવે છે. તે લોહીમાં સુગરનું નિયંત્રણ કરે છે જેથી ડાયાબીટીસમાં પણ ફાયદો રહે છે.
ખીલ: સરગવાનું ચૂર્ણ લોહીની સફાઈ કરવામાં પણ મદદ કરી શકે છે. લોહી સાફ થવાથી ચહેરા પર નીખાર આવે છે. ચહેરા પર ડાઘ ધબ્બા, ખીલમાં રાહત થશે. જે ચહેરા પરના તમામ ડાઘને દુર કરે છે. તે ચહેરાની સુંદરતા માટે પેસ્ટ, સૂપ કે ચૂર્ણનો ઉપયોગ કરી શકાય છે. આ માટે નિયમિત રીતે સેવન કરવાથી ફાયદો રહે છે.
ટાઈફોડ: સરગવાની ચાલને પાણીમાં ઘસીને તેના 1 થી 2 ટીપા નાકમાં નાખવાથી તથા સેવન કરવાથી મગજનો તાવ અથવા ટાઈફોડ ઉતરે છે. સરગવાના 20 ગ્રામ તાજા મુળિયાને 100 મિલી પાણીમાં ઉકાળી તેને ગાળીને પીવડાવવાથી ટાઈફોડ નાબુદ થાય છે.
વૃદ્ધાવસ્થાના લક્ષણો ઓછા કરે: સરગવો વધતી જતી ઉમરના લોકો માટે પણ ખુબ જ ઉપયોગી છે. સરગવાનો નિયમિત ઉપયોગ કરતા રહેવાથી ચહેરા પરની કરચલીઓ ઓછી કરે છે. સાથે ચહેરા પર વૃદ્ધત્વના નિશાનોને ઓછા કરે છે. જેનાથી વ્યક્તિ યુવાન દેખાય છે. આમ સરગવો વૃધ્ધ લોકો માટે પણ ખુબ જ ઉપયોગી છે.
ભૂખ મટાડે: ઘણા લોકોને વારંવાર ભૂખ લાગવાની બીમારી હોય છે. જે આ બીમારીથી વ્યક્તિનું શરીર વળી શકે છે. તેમજ તેના લીધે બ્લડપ્રેસર, ડાયાબીટીસ અને હાર્ટએટેકની સંભાવનાઓ રહે છે. આ સમસ્યાના ઈલાજમાં સરગવો ખુબ જ ઉપયોગી થાય છે. આ ઈલાજ તરીકે સરગવાના પાંદડાનો રસ 10 થી 15 મિલી માત્રામાં લઈને શુદ્ધ મધમાં ભેળવી દરરોજ સવારે અને સાંજે લેવાથી ભૂખ લાગવાનો રોગ ઠીક થાય છે.
લકવો: સરગવાના મૂળની છાલ, જાયફળની કુંપળોની રસ અને સંતરાની છાલનો રસ વગેરે લઈંને તેનો 10 થી 15 ટીપા દરરોજ ઉપયોગ કરવાથી લકવાની બીમારીમાં લાભ થાય છે. લકવાના લક્ષણો અને શરીરને અંગોને જાગૃત કરવા માટે આ રસ ખુબ જ ઉપયોગી છે.
લોહીનો રક્તરોગ: સરગવાના પાંદડા ખાવાથી લોહીના દરેક પ્રકારના રોગમાં ફાયદો થાય છે. તે રસ બાળકોને થતા ઝાડા રોકે છે. સાથે પેટના થતા કૃમીઓનો નાશ પણ આ સરગવાના પાંદડાનો રસ કરે છે. સરગવાના પાંદડાનો રસ ઉલટીઓ થતી રોકે છે.
શક્તિ વર્ધક: સરગવાના ફૂલનું સૂપ બનાવીને પીવાથી તે શરીરમાં શક્તિ લાવવાનું કાર્ય કરે છે. સરગવાના ફૂલમાં લસણ તેમજ કોથમીર અને લીંબુ નાખીને તેનું સૂપ બનાવીને પીવાથી શરીરમાં તાકાત આવે છે. ખાલી સરગવાના પાંદડાને સુકવીને તેનું ચૂર્ણ બનાવીને તેનું સેવન કરવાથી પણ શરીરમાં ઉર્જા સાથે પુષ્કળ પ્રમાણમાં તાકાત આવે છે.
આંખના રોગ: જે લોકોને આંખોની તકલીફ છે જેઓએ સરગવાનું સેવન વધારે પ્રમાણમાં કરવું જોઈએ. સરગવાનું સેવન કરવાથી આંખોની રોશની વધે છે. આ માટે તેના ફળ, પાંદડા અને ફૂલનો પ્રયોગ કરવાથી આંખની તકલીફો દુર થાય છે.
લીવર સમસ્યા: સરગવાનું ચૂર્ણ જે લીવરના કોઇપણ પ્રકારના નુકશાનથી સુરક્ષિત રાખે છે. સરગવાના પાંદડા, ફૂલ સનર શીંગો ખાવામાં ઉપયોગમાં લેવાથી લીવરની ઘાતક બીમારીઓથી બચી શકાય છે. જો લીવર ખરાબ થઈ ગયું હોય તો સરગવાના ચૂર્ણ તેને સુધારે છે. જે લીવરના સોજાને ઓછો કરે છે. જેનાથી લીવર સારું કાર્ય કરવા લાગે છે.
એનીમિયા: સરગવાની છાલ થવા તેના પાંદડાના સેવન દ્વારા એનીમિયા એટલે કે લાલ રક્ત કોશિકાઓની ઉણપથી બચાવવા માટે ખુબ જ ઉપયોગી છે. સરગવાના પાંદડાનો એથનોલીક એક્સટ્રેકસમાં એનીમિયા વિરોધી ગુણ હોય છે એટલા માટે તેના સેવનથી હિમોગ્લીબીનના સ્તરમાં સુધારો આવે છે. જેથી સરગવાથી લાલ રક્ત કોશિકાઓના ઉત્પાદનમાં મદદ મળે છે.
મગજ માટે: સરગવો મગજને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે. વધતી ઉમરની અસર મગજ પર થાય છે અને મગજ સંબંધી બીમારી જેવી કે અલ્ઝાઈમર-ભૂલી જવાની બીમારી, પાર્કીસન્સ- મધ્યસ્થ નર્વસ સિસ્ટમની સમસ્યા એવી ઘણી બધી બીમારીઓ થઇ શકે છે. આ સમસ્યાથી બચવા માટે સરગવો ખુબ જ ફાયદાકારક છે. અલ્ઝાઈમરમાં દર્દીને ભૂલી જવાની બીમારી થાય છે તેની યાદદાસ્ત તેજ તથા સુધારવા માટે પણ તે સહાયક થાય છે.
શ્વાસના રોગ: સરગવો અને આદુંના રસને બરાબર માત્રામાં ભેળવીને. તેને 10 થી 15 મિલી માત્રામાં દરરોજ સવારે અને સાંજે સેવન કરવાથી શ્વાસના રોગમાં લાભ થાય છે અને શ્વાસના રોગ મટે છે. સરગવામાં વિટામીન સીનું પ્રમાણ પણ હોય છે, જેનાથી ઈમ્યુનીટી વધે છે. જ્યારે વિટામીન કેટલાક રોગો સામે રક્ષણ આપે છે, જેના લીધે શરદી અને ઉધરસમાં પણ રાહત મળે છે. શરદીના લીધે નાક બંધ થઈ ગયું હોય તો સરગવાના પાનનો ઉકાળો કરી તેની વરાળ લેવાથી નાક અને કાન ખુલા થઇ જાય છે.
કોઢ: કોઢના રોગ પર સરગવો અને કેરીની ગોઠલીનું તેલ લગાવવાથી લાભ થાય છે. સરગવાની છાલનો પેસ્ટને ગરમ કરીને લેપ કરવાથી ગ્રંથીઓમાં લાભ થાય છે, જેથી કોઢ મટે છે. સરગવાનો પાકો રસ 5 થી 10 મિલી મધમાં ભેળવીને સેવન કરવાથી લકવો, માસિક સમસ્યા વગેરે મટે છે. સરગવાના મુળની છાલનો ઉકાળો સિંધવ અને હિંગ સાથે લેવાથી ગુમડું, સોજો અને પથરી મટે છે. ગુમડા ઉપર છાલનો લેપ કરવાથી વેરાઈ જાય છે અને ફૂટી જાય છે.
હાડકાની મજબૂતાઈ: સરગવાના સુપથી બાળકોના હાડકા અને દાંત મજબુત બને છે. પ્રેગ્નેટ સ્ત્રીઓને, મેનોપોઝ દરમ્યાન કે એ પછી હાડકા નબળા પડવાની ઓસ્ટીયોપોરોસિસની બીમારીમાં સરગવાની સિંગનો સૂપ કેલ્શિયમની ઉણપને પણ પૂરી કરી શકે છે અને વાયુહર ગુણના કારણે દુખાવાને પણ નાબુદ કરી શકે છે.
કુતરાના કરડવા પર: સરગવાના પાંદડા, લસણ, હળદર, મીઠું તથા કાળા તીખા બરાબર માત્રામાં એક સાથે વાટીને કુતરાના કરડવાના સ્થાન પર લગાવવાથી સોજો મટે છે, સાથે તાવ આવ્યો હોય તો તાવ પણ મટે છે. આ પેસ્ટનો 10 થી 15 ગ્રામની માત્રામાં સવારે અને સાંજે સેવન કરવાથી લાભ થાય છે.
સોજો: હાથ-પગ-કમરનો દુખાવો, રાંઝણ, નબળાં હાડકાં, દાંતનો દુખાવો જેવી કોઈ પણ શૂળની તકલીફમાં બાફેલી શિંગનું સૂપ ખાવાથી ફાયદો થાય કે. આ શિંગના બી ઉષ્ણ હોવાથી દમમાં પણ ફાયદો કરે છે. સરગવાનું સૂપ ગર્ભવતી સ્ત્રીઓ માટે ખુબ જ ઉપયોગી છે. તેના સેવનથી ડીલીવરીની સમસ્યાઓથી રાહત મળે છે અને ડીલીવરી પછી પણ માતાની તકલીફ ઓછી કરે છે. સરગવાની શિંગમાં અનેક વિટામીન હોય છે તેનો સૌન્દર્યવર્ધકના રૂપમાં ઉપયોગ કરવામાં આવે છે અને આખો માટે પણ લાભદાયી છે.
શ્વાસ રોગ: સરગવાના પાનનો સૂપ ક્ષય, અસ્થમા અને બ્રોન્કાઈટીસ વગેરે રોગોમાં પણ દવાનું કામ કરે છે. અસ્થમાની ફરિયાદ હોય તો સરગવાનું સૂપ પીવાથી ફાયદો થાય છે. શરદી અને ઉધરસ તથા કફથી છુટકારો મેળવવા માટે સરગવાનું સૂપ ખુબ જ ફાયદાકારક છે. તે સિવાય તેમાં આયરન, મેગ્નેશિયમ અને સીલીયમ છે. તેથી મહિલાઓ અને બાળકો માટે તે ફાયદાકારક છે. જેમાં ઝિંકનું પ્રમાણ પણ હોય છે જે પુરુષોની નબળાઈને દૂર કરવામાં અચૂક દવાનું કામ કરે છે.
જળોદર રોગ: પેટના પાણી ભરાવાનો રોગ જળોદરમાં પણ સરગવો ઉપયોગી છે. સરગવાના 4 થી 8 લીટર નવા વૃક્ષની છાલના ઉકાળામાં સિંધવ મીઠું અને હિંગ ભેળવીને પીવાથી પેટમાં પાણી ભરાયેલ હોય તે બહાર નીકળે છે. સરગવાના વૃક્ષની છાલ અને ગૌમૂત્ર સાથે વાટીને લેપ કરવાથી પણ જલોદર મટે છે.
આ સહીત સરગવામાં સરગવાની છાલને પાણીમાં ઘસીને 10 ગ્રામની માત્રામાં સેવન કરવાથી સોજો ઓછો થાય છે. સરગવાની છાલનો લેપ કરવાથી ન્યુમોનિયા, પાંસળીઓનો દુખાવો, પેટનો દુખાવો વગેરે સમસ્યા મટે છે. સરગવાની શાકભાજી તરીકે ભોજનમાં ખાવાથી લીવરની સમસ્યા, બરોળનો રોગ, રક્તવાહિની નસોની સમસ્યા, સ્નાયુની કમજોરી, કોઈ જકડાઈ જવું, ફોડલા અને કોઢ વગેરે તકલીફો થતી નથી. સરગવાના મૂળને વાટીને ગરમ કરીને લેપ કરવાથી ફાઈલેરીયા (હાથીપગો) મટે છે.
સરગવાના મુળની છાલને પાણીમાં ઘસીને તેનો લેપ કરવાથી ધાધર મટી જાય છે. સરગવાના મૂળને મસળીને સરસવના તેલમાં પકાવીને લગાવવાથી ખંજવાળ મટે છે. સરગવાના મૂળનો ઉકાળો બનાવીને કોગળા કરવાથી અવાજ બેસી જવાની સમસ્યા દુર થાય છે અને અવાજ ઉઘડે છે. સરગવાના ગુંદરને પાણીમાં ઘોળીને મોઢામાં નાખીને ગડગડીયા કરવાથી દાંતોની બીમારી દુર થાય છે. સરગવાના 8 થી 10 ફૂલોને 250 મિલી દુધમાં ઉકાળીને તેને સવારે અને સાંજે પીવાથી શારીરિક કમજોરી દુર થાય છે અને પૌરુષ શક્તિ વધે છે.
કોઢના રોગ પર સરગવો અને કેરીની ગોઠલીનું તેલ લગાવવાથી લાભ થાય છે. સરગવાની છાલનો પેસ્ટને ગરમ કરીને લેપ કરવાથી ગ્રંથીઓમાં લાભ થાય છે, જેથી કોઢ મટે છે. સરગવાનો પાકો રસ 5 થી 10 મિલી મધમાં ભેળવીને સેવન કરવાથી લકવો, માસિક સમસ્યા વગેરે મટે છે. સરગવાના મુળની છાલનો ઉકાળો સિંધવ અને હિંગ સાથે લેવાથી ગુમડું, સોજો અને પથરી મટે છે. ગુમડા ઉપર છાલનો લેપ કરવાથી વેરાઈ જાય છે અને ફૂટી જાય છે.
આમ, સરગવો એ પૃથ્વી પરનું ગુણકારી વૃક્ષ છે. જેનાથી અનેક રોગોનો ઈલાજ થઈ શકે છે. આ એક ઔષધીય વૃક્ષ હોવાથી શરીરમાં કોઈ વધારાની આડ અસર કરતું નથી અને ઘણા બધા રોગને ઠીક કરે છે. અમે આશા રાખીએ આ સરગવા વિશેની માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને અનેક રોગો ઠીક થાય.