જેઠીમધ એક ગુણકારી જડીબુટ્ટી છે, મોટાભાગે તેનો ઉપયોગ શરદી, ઉધરસ અથવા ખાંસીમાં આરામ મેળવવા માટે ઉપયોગ કરવામાં આવે છે. ગળાની ખરાચમાં તેનો ઉપયોગ અસરદાર છે. જેઠીમધનો ઉપયોગ ઘણી દવાઓ બનાવવા માટે પણ કરવામાં આવે છે.
જેઠીમધ એક ઝાડીદાર વનસ્પતિ છોડ છે. ખાસ કરીને તેની ડાળખીઓનો છાલ સહીત સુકવીને ઉપયોગ કરવામાં આવે છે. તેની ડાળખીઓમાં ઘણા ઔષધીય ગુણ હોય છે. જેનો સ્વાદ મીઠો હોય છે. તે દાંત, પેઢાઓ અને ગળા માટે ખુબ જ ફાયદાકારક છે. જેના કારણે આજના સમયે ટુથપેસ્ટમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.
જેઠીમધનું વાનસ્પતિક નામ Glycyrrhiza glabra linn છે. જેને હિન્દીમાં મુલેઠી તરીકે ઓળખવામાં આવે છે. જયારે સંસ્કૃતમાં યષ્ટિમધુ અને અંગ્રેજીમાં Liquorice root કહે છે. અહિયાં આપણે જેઠીમધના ફાયદાઓ અને બીમારીના ઈલાજ તરીકે અહિયાં રજૂ કરી રહ્યા છીએ.
માથાનો દુઃખાવો: માથાના દુખાવાથી પરેશાન વ્યક્તિ માટે જેઠીમધ ખુબ જ ઉપયોગી છે. જેઠીમધનું ચૂર્ણ અથવા જેઠીમધનો પાવડરના એક ભાગમાં તેના ચોથાભાગનું કલીહારી ચૂર્ણ અને થોડુક સરસવનું તેલ ભેળવીને સુંઘવાથી માથાનો દુખાવો મટે છે.
વાળ વધારવા માટે: જેઠીમધનો ઉપયોગ વાળમાં યોગ્ય પોષણ આપવા અને તેને વધારવા માટે કરવામાં આવે છે. જેઠીમધના કવાથથી વાળને ધોવાથી વાળ ઝડપથી વધે છે. આ રીતે જેઠમધ અને તલનું તેલને ભેસના દુધમાં પકાવીને માથા પર લેપ કરવાથી વાળ ખરવાના બંધ થાય છે.
માઈગ્રેનનો દુખાવો: માઈગ્રેનના દુખાવાથી પરેશાન રહેનાર લોકો માટે જેઠીમધ ખુબ જ ફાયદાકારક છે. જેઠીમધનું ચૂર્ણ અથવા જેઠીમધના પાવડરમાં મધ ભેળવીને નેજલ ડ્રોપની જેમ નાકમાં નાખવાથી માઈગ્રેનના દુખાવાથી રાહત મળે છે.
સફેદ થતા વાળને રોકવા માટે: વાળ સફેદ થવા એક સામાન્ય સમસ્યા છે અને આજના સમયે મોટાભાગના લોકોના વાળ ઉમર થતા પહેલાજ સફેદ થવા લાગે છે. જેથી લોકો ખુબ જ પરેશાન રહે છે. જેમાં જેઠીમધના ઉપયોગથી વાળ ખરવાની અને સફેદ થવાની સમસ્યા રોકી શકાય છે. તેના માટે 50 ગ્રામ જેઠીમધનો કલ્ક, 750 મિલી આમળાનો રસ અને 750 મિલી તલના તેલમાં ભેળવીને પાક બનાવી. નિયમિત રૂપથી આ તેલ પાકના 1 થી 2 ટીપા નાકમાં નાકમાં નાખવાથી ઉમર પહેલા વાળ સફેદ થતા નથી અને વાળ ખરતા પણ અટકે છે.
આંખોના રોગમાં: આંખોમાં બળતરા અથવા આંખો સાથે જોડાયેલા રોગો થાય ત્યારે જેઠીમધનો ઉપયોગ કરવાથી ફાયદો થાય છે. એટલા માટે જેઠીમધના ઉકાળાથી આંખો ધોવાથી બળતરા મટે છે અને આંખોનો રોગ મટે છે. જેઠીમધનું ચૂર્ણ અથવા જેઠીમધ પાવડર માત્રામાં વરીયાળીનું ચૂર્ણ ભેળવીને તે ચૂર્ણનું સેવન કરવાથી આંખોની બળતરા ઓછી થાય છે અને આંખોની રોશની વધે છે.
આંખો આવવી: જેઠીમધના ઔષધીય ગુણ આંખો આવવા પર તેનો દુખાવો, બળતરા જેવા લક્ષણોથી આરામ મેળવવામાં ખુબ જ મદદ મળે છે. જેઠીમધને પાણીમાં વાટીને તેમાં રૂનું પોતું પલાળીને આખો પર બાંધવાથી આંખોની લાલિમા ઓછી થાય છે.
ગળું બેસી જવું: ક્યારેક ક્યારેક ગળામાં સંક્રમણથી ગળું બેસી જાય છે તો એવી સ્થિતિમાં અવાજ ભારે થઇ જાય છે અથવા અવાજ પણ બેસી જાય છે. આ સમયે જેઠીમધને મોઢામાં નાખીને ચુસતા રહેવાથી ગળું બેસવાની સમસ્યાથી આરામ મળે છે. જેઠીમધ સુચવાથી ગળાના ઘણા રોગોમાં જલ્દી ફાયદો મળે છે.
ખાંસી કે સુકી ખાંસી અથવા ઉધરસ: જેઠીમધ મોઢામાં રાખીને ઘણા સમય સુધી સુચતા રહેવાથી ખાંસીથી આરામ મળે છે. જો તમને સુકી ઉધરસ છે તો 1 ચમચી જેઠીમધને મધ સાથે ભેળવીદિવસમાં 2 થી ૩ વખત ચાટીને ખાવાથી તેમજ જેઠીમધનો ઉકાળો બનાવીને 20 થી 25 મિલી માત્રામાં સવારે અને સાંજે સેવન કરવાથી જેઠીમધનો બધો જ ફાયદો મળે છે.
હ્રદય સાથે જોડાયેલી બીમારી: 3 થી 5 ગ્રામ જેઠીમધ અને તેટલી જ માત્રામાં બાલકાડુ ચૂર્ણ ભેળવીને, આ મિશ્રણને 15 થી 20 ગ્રામની માત્રામાં પાણી સાથે દરરોજ લેવાથી હ્રદય સાથે જોડાયેલી બીમારીઓથી રાહત મળે છે. પિત્ત વિકારના કારણે થનારી હ્રદયની બીમારી ગંભારી, જેઠીમધ, સાકર, અને કોઠું ભેળવીને તેનું ચૂર્ણ બનાવી તે ચૂર્ણથી ઉલ્ટી કરાવાથી હ્રદયની બીમારીઓનું જોખમ ઘટે કે.
અલ્સરની સમસ્યા: પેટના અલ્સર એ એક ગંભીર સમસ્યા છે અને તેનો ઈલાજ કરવો જરૂરી છે. જેથીમધનો ઘરેલું ઉપચાર તરીકે ઉપયોગ કરવાથી પેટના અલ્સરને ઠીક કરી શકાય છે. તેના માટે એક ચમચી જેઠીમધનું ચૂર્ણ અથવા જેહીમધનો પાવડરને એક કપ દુધમાં દિવસમાં ૩ વખત સેવન કરવાથી પેટના અલ્સરની બીમારી ઠીક થાય છે.
પેટના દુખાવાથી રાહત: અયોગ્ય અને અસંતુલિત ખોરાક અથવા ખાધેલી ચીજો બરાબર નહી પચવાથી પેટના દુખાવો અને સોજો થવા લાગે છે. તેનાથી આરામ મેળવવા માટે એક ચમચી જેઠીમધના ચૂર્ણ અથવા જેઠીમધના પાવડરમાં મધ ભેળવીને દિવસમાં ત્રણ વખત સેવન કરવાથી પેટ અને આંતરડાના સોજામાં રાહત મળે છે.
પેટ ફૂલવાની સમસ્યા: પેટ ફૂલી જવું આજના સમયની એક આમ સમસ્યા છે. ખાધેલું ભોજન ઠીકથી નહિ પચવાના કારણે અથવા શારીરિક વ્યાયામ નહી કરવાથી પેટ ફૂલી જવાની સમસ્યા થાય છે. તેનાથી આરામ મેળવવા માટે 2 થી 5 ગ્રામ જેઠીમધનું ચૂર્ણ અથવા જેઠીમધ પાવડરને પાણી અને સાકર સાથે ભેળવીને ખાવાથી આરામ મળે છે.
ઉલ્ટીમાં લોહી નીકળવું: જો ઉલ્ટી કરતા સમયે લોહી નીકળતું હોય તો જેઠીમધનું સેવન કરવાથી અથવા જેઠીમધ અને રક્ત ચંદન ચૂર્ણ બંનેને 1 થી 2 ગ્રામની માત્રામાં દૂધ સાથે વાટીને તેમાં 50 મિલી દૂધ ભેળવીને થોડી થોડી માત્રામાં પીવાથી ઉલ્ટીમાં લોહી આવવાનું બંધ થઇ જાય છે.
લોહીની કમીમા: શરીરમાં લોહીની ઉણપ સર્જાવા પર જેઠીમધનું સેવન કરવું ખુબ જ ફાયદાકારક છે. તેના માટે એક ચમચી જેઠીમધ ચૂર્ણ અથવા જેઠીમધ પાવડરને મધ સાથે ભેળવીને ખાવાથી અથવા 10 થી 20 મિલી જેઠીમધના પાવડરને મધ સાથે ભેળવીને પીવાથી લોહીમાં વધારો થાય છે.
સ્તનમાં દૂધ વધારવા માટે: પ્રસવ બાદ બાળકો માટે માનું દૂધ વધારે ફાયદાકારક છે. ઘણી સ્ત્રીઓમાં દૂધ ઓછું બને છે. એવી મહિલાઓએ જેથીમધનું સેવન કરવું જોઈએ. જેઠીમધ સ્તનમાં દૂધ વધારવામાં મદદ કરે છે. આ માટે 2 ચમચી જેઠીમધનું ચૂર્ણ અને ૩ ચમચી શતાવરીનું ચૂર્ણ દુધમાં પકાવીને જયારે ઉકળતું દૂધ અડધું થઇ જાય ત્યારે તેને આંચથી ઉતારી લો. તેમાંથી અડધું સવારે અને બાકી અડધો કપ સવારે એક કપ દુધમાં ભેળવીને પીવાથી અને આ સિવાય 100 મિલી દુધમાં 2 થી 4 ગ્રામ જેઠીમધ અને 5 થી 10 ગ્રામ સાકર ભેળવીને માનું દરરોજ સવારે અને સાંજે પીવાથી સ્તનમાં દૂધ વધારે બને છે.
માસિક સમસ્યામાં વધારે રક્તસ્ત્રાવમાં અટકાવે: માસિક ધર્મ દરમિયાનના દિવસોમાં વધારે લોહી નીકળી રહ્યું હોય તો એવા સમયે જેઠીમધનું સેવન કરવાથી તેને અટકાવી શકાય છે. તેના માટે 1 થી 2 ગ્રામ જેઠીમધ ચૂર્ણમાં 5 થી 10 ગ્રામ સાકર ભેળવીને ચોખાના ધોવરાવણમાં નાખીને પીવાથી માસિક દરમિયાન વધારે પડતો રક્તસ્ત્રાવ બંધ થાય છે.
સેક્સ ક્ષમતા વધારે છે: જેઠીમધ માં કામોતેજ્ક ગુણ હોય છે. જેનાથી જે લોકોને સેક્સની ઈચ્છામાં ઉણપ આવે છે જેને જેઠીમધનું સેવન કરવું જોઈએ. તેના માટે 2 થી 4 ગ્રામ જેઠીમધના ચૂર્ણમાં ઘી અને મધ ભેળવીને દૂધ સાથે પીવાથી કામીત્તેજના અને સેક્સ ક્ષમતામાં વધારો થાય છે. જો કોઈ વ્યક્તિ કમજોરી અનુભવી રહ્યો હોય તો 1 ચમચી જેઠીમધ ચૂર્ણમાં અડધી ચમચી મધ અને 1 ચમચી ઘી ભેળવીને 1 કપ દૂધ સાથે પીવાથી સવારે અને સાંજે દરરોજ 5 થી 6 અઠવાડિયા સુધી સેવન કરવાથી શરીરમાં બળ વધે છે.
આ સિવાય જેઠીમધ અને આમળાના પાણીમાં ભેળવીને અથવા તેનો ઉકાળાથી ન્હાવાથી અથવા આંખો ધોવાથી પિત્ત ઓછું થાય છે અને આંખોના સફેદ ડાઘ અને ધબ્બામાં જેઠીમધથી લાભ મળે છે. જેથીમધ અને દ્રાક્ષથી પકાવેલા દુધને કાનમાં નાખવાથી પિત્તથી થનારા કાનના રોગમાં લાભ થાય છે, જેઠીમધના ઔષધીય ગુણ કાનના રોગમાં ખુબ ક ફાયદેમંદ થાય છે. 3-3 ગ્રામ જેઠીમધ અને શુંઠીમાં 6 નાની ઈલાયચી તથા 25 ગ્રામ સાકરનો ભુક્કો ભેળવીને તેનો ઉકાળો બનાવી. તે ઉકાળાના 1 થી 2 ટીપા નાકમાં નાખવાથી નાકના રોગ મટે છે.
મોઢાની ચાંદી થઇ હોય તો જેઠીમધના થોડા ટુકડા લઈને તેમાં મધ ભેળવીને ચૂસવાથી મોઢામાં પડેલી ચાંદી મટે છે. જો તમને હેડકી આવી રહી હોય તો અને બંધ થઇ રહી ના હોય તો જેઠીમધ લઈને થોડા સમય સુધી મોઢામાં રાખીને સુચો. જેઠીમધ સૂચવાથી થોડી જ વારમાં હેડકી આવવાની બંધ થઇ જાય છે. જેઠીમધનો ઉકાળો બનાવીને 10- 15 મિલી માત્રામાં પીવાથી શ્વાસ સાથે જોડાયેલા રોગો ઠીક થાય છે. જો તમારા શરીરમાંથી અસહ્ય દુર્ગંધ કે વાસ આવે છે તો જેઠીમધની મદદથી આ દુર્ગંધને દુર કરી શકો છો. જેમાં જેઠીમધને વાટીને શરીરમાં લગાવવાથી શરીરમાં પરસેવાથી આવતી દુર્ગંધ દુર થાય છે.
આમ, આ રોગ તેમજ ઘાવ અને અલ્સરમાં રાહત, મૂત્ર સંબંધી સમસ્યાઓ, મૂત્રના બળતરામાં ફાયદો, પેટનો દુખાવો વગેરેમાં પણ ફાયદો કરે છે. જેથી જેઠીમધ એક ઔષધી છે અને તે અનેક રોગ અને બીમારીમાંથી રાહત આપે છે અને તેમાંથી છુટકારો અપાવે છે. જેઠીમધ વિશેની માહિતી દ્વારા ઉપરોક્ત તમને જે કોઈ સમસ્યા હોય તો તેના ઇલાજમાં તમે ઉપયોગ કરી શકો છો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને ઘણીબધી સમસ્યામાંથી તમને રાહત મળે અને તમે સ્વસ્થ અને તંદુરસ્ત રહી શકો.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો.