Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home ઔષધી

આ રીતે ઘરે જ કંટોલા વાવી શકાય છે દોઢ મહિનામાં આવવા લાગશે કંટોલા

Deshi Osadiya by Deshi Osadiya
March 22, 2022
0
આ રીતે ઘરે જ કંટોલા વાવી શકાય છે

આ રીતે ઘરે જ કંટોલા વાવી શકાય છે

0
SHARES
Share on FacebookShare on Twitter

આપણે ત્યાં ચોમાંચામાં ગામડાઓમાં કે ઝાડી ઝાંખરામાં તેમજ ખેતરના શેઢા કે વિવિધ જગ્યાએ કંટોલાનાં વેળા જોવા મળે છે. ગામડાઓમાં ખાસ કરીને ચોમાંચાની ઋતુમાં લોકો કંટોલાનું શાક બનાવીને ખાતા હોય છે. આ કંટોલાના શાકભાજી અનેક રીતે ઔષધીય ગુણ ધરાવે છે એટલે લોકો કંટોલા ખાવાથી અનેક ફાયદાઓ શરીરમાં થાય છે.

RELATED POSTS

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

કંટોલાનું સેવન કરવાથી અને તેના આયુર્વેદિક ઉપયોગો કરવાથી માથાનો દુખાવો, વાળ ખરવા, કાનમાં દુખાવો થવો, ખાંસી થવી તેમજ શ્વાસ સંબંધી સમસ્યાઓ થવી, પેટમાં ઇન્ફેકશન, હરસમસા, કમળો, બરોળ વધવી, મૂત્ર પથરી, ડાયાબીટીસ, ધાધર, ખંજવાળ, વાઈ આવવી, લકવો થવો,  તાવ આવી જવો, શરીરમાં સોજો, બેહોશી, આંખોના અને કેન્સર, બ્લડ પ્રેસર, ગર્ભાવસ્થા, ચામડીના રોગો, ખાંસી અને ઉધરસ, પાચન સંબંધી વિકાર વગેરે જેવા અનેક રોગોમાં આ કંટોલા ખુબ જ ફાયદો કરે છે.

Join Group

જેનું મહત્વ જોતા જ આજે અનેક દેશોમાં કંટોલાની ખેતી થવા લાગી છે. જેમાં ભારતના અમુક રાજ્યોમાં પણ કંટોલાની ખેતી થાય છે. જેમાં ગુજરાતના અમુક જીલ્લાઓમાં પણ આ ખેતી થાય છે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પોરબંદર જીલ્લાની આજુબાજુના વિસ્તારમાં કંટોલાની ખેતી થાય છે.

કંટોલાની ખેતી

આવી રીતે કંટોલાની ખેતી થતી હોવાથી તેને ઉગાડવા ખુબ જ સરળ છે. તેને ઘરે પણ ઉગાડી શકાય છે. કંટોલા ખાસ કરીને ગોરાડું, બેસર, મધ્યમ કાળી, સારા નિતારવાળી જમીનમાં સારી રીતે ઉગી શકે છે.

આ કંટોલા મોટા ભાગે બધી જ જગ્યાએ સરખા જંગલી પ્રજાતિમાં હોય છે. જેની કોઈ સુધારેલી જાતો નથી. જે કંટોલા પાકીને પીળા થઇ જાય પછી તેમાંથી જે બીજ નીકળે છે, તેના સુકાવીને તેને વાવીને ઉગાડી શકાય છે.

આ સિવાય કંટોલા ઉગાડવા માટે કંટોલાના જે કંદ હોય તેને કંટોલાનો વેલો હોય ત્યાંથી લાવીને તેને ખાડો કરીને વાવી શકાય છે. આ કંટોલાને વાવતા અને પાણી મળતા જ કંટોલાનું કંદમાંથી વેલા નીકળે છે. આ વેલા ઔષધીય હોવાથી તેમા કોઈ વધારાની જીવાત કે રોગ લાગતો નથી.

કંટોલાના કંદ

કંટોલાને ઘરે ઉગાડવા માટે કોઈ વધારાની જગ્યા પડી હોય ત્યાં થોડી સારી પોષકતત્વો વાળી ધૂળ નાખવી. આ ધૂળ યોગ્ય કરીને તેના પર આ પાકેલા કંટોલાના બીજને યોગ્ય એક એક ફૂટના અંતરે વાવી દેવા.આ વીજ વાવી દીધા બાદ બાદ તેના દરરરોજ નિયમિત પાણી પાવું. માત્ર એક અઠવાડિયા જેટલા સમયમાં આ બીજ ઉગી જશે. તેમાંથી ધીરે ધીરે વેલાં બનવા લાગશે. આ વેલાને વાડ કે ફેન્સીંગ કરીને તેના પર વેલાને ઉપર ચડવા દેવો. આં વેળા પર માત્ર એક મહીના જેટલા સમયમાં જ ફૂલ અને ફળ આવશે. જેનું તમે શાક બનાવીને ઉપયોગ લઇ શકશો.

કંટોલાનું કંદ લાવીને તેને ખાડો કરીને તમે વાવી દેશો તો પણ તેમાંથી પણ 20 દિવસ જેટલા સમયમાં ફૂલ ફળ આવવાનું શરૂ થઇ જાય છે. આ કંદ લાંબા સમય સુધી ચોમાચામાં તેની ખાસ ઋતુ હોવાથી ફળ આપતા રહે છે. આ કંટોલામાં વધારે ફળ ઉત્પાદન લેવા માટે તેનો નર જાતિનો એક છોડ પણ વાવી દેવો જોઈએ.

આ વેલો એક વાર ઉગી ગયા બાદ તે માત્ર ચોમાંચાના પાણીના આધારે પણ વર્ષો સુધી જીવિત રહી શકે છે. ચોમાંચાની ઋતુ પૂરું થતા તેના વેલા સૂકાઈ જાય છે અને પછી માત્ર જમીનમાં તેનું કંદ બીજા વર્ષના ચોમાચા સુધી જીવિત રહે છે. જેને ચોમાચાની પાણી લાગતા જ તે ઉગી નીકળશે. માટે આ કંટોલાના વેલાની માવજત કરવાની પણ ખાસ કોઈ જરૂરીયાત નથી.

આ કંટોલાને પાણી આપીને અન્ય ઋતુમાં પણ જીવિત રાખીને પાક લઈ શકાય છે. તો તમારે આ છોડમાંથી આખા વર્ષ દરમિયાન ઔષધી ફાયદાઓ મેળવવા હોય તો તેને યોગ્ય ખાતર અને પાણી આપીને ઉછેરી શકો છો. આ માટે તેમાં કુદરતી છાણીયું ખાતર આપી શકાય છે.

આ કંટોલાનું આયુર્વેદના ઘણું બાધુ મહત્વ છે, જેનું આયુર્વેદમાં પણ ખુબ જ મોટા પ્રમાણમાં વર્ણન જોવા મળે છે. માટે દરેક લોકો કંટોલાનું સેવન કરવા માટે કંટોલા શોધવાનો પ્રયાસ કરતા હોય છે. ગામડાના લોકોને વાડીઓમાં કે જંગલમાંથી મળી રહે છે. જયારે શહેરના લોકોને પણ બજારમાં થોડા ઘણા પ્રમાણમાં મળી રહેતા હોય છે.

જો કે તેને જંગલમાં કે વાડ કે ઝાડી- ઝાખરામાં મળતા રહેતા હોવાથી જેને લાવવા માટે થોડી મહેનત કરવી પડે છે. ઘણા સમયે બીજા લોકોની વાડીઓં શોધવા જવાથી તે વાડીના માલિકો સાથે ઝઘડો પણ થઇ જતો હોય છે. જયારે જે જંગલ વિસ્તારમાં થાય છે જેના પરિણામેં થોડાં પ્રમાણમાં શરીરમાં કાંટા વાગવાની કે ઈજા થવાનો ભય પણ રહેતો હોય છે તેમજ જંગલમાં ઝાડી ઝાખરામાંથી ઝેરી જીવજંતુ કરવાનો ભય પણ રહે છે.

પરંતુ આવા બધી સમસ્યાઓ હોવા છતાં તેનું આયુર્વેદિક ગુણ અને મહત્વ અદ્ભુત અને ચમત્કારિક હોવાથી તેનું સેવન અવશ્ય કરવું જોઈએ. જેનાં ફાયદાઓ મેળવવા જોઈએ. અમે આ આર્ટીકલમાં આટલા ઔષધીય વનસ્પતિ કંટોલાને ઘરે જ કેવી રીતે ઉગાડી શકાય તે જણાવી રહ્યા છીએ. જેથી તમારે ઘરે જ કંટોલા ઉછેરીને તેમાંથી ફળ મેળવીને તેનું શાક બનાવીને કે ઔષધિય દવા તરીકે ઉપયોગ કરી શકો છો.

કંટોલાને ઘણી જગ્યાએ કંકોડા કહેવામાં આવે છે. જે ચોમાચામાં વરસાદ થતા જ ઉગી નીકળે છે. જેના છોડ વેલા સ્વરૂપે હોય છે. જેમાં પીળા રંગના ફૂલો આવે છે અને ખાસ કરીને સાંજના સમયે આ ફૂલો ખીલતા હોય છે.

આયુર્વેદ પ્રમાણે કંટોલા કડવા, શીતળ, પચવામાં હલકા, અરુચીનાશક, વિષનો નાશ કરનાર, જઠરાગ્ની પ્રદીપ્ત કરનાર, મળને સરકાવનારા બતાવવામાં આવ્યા છે. આ બધા જ ગુણોથી કંટોલા ભરપૂર હોવાથી અનેક રોગોમાં ઉપયોગી છે.

આમ, કંટોલાને ઘરે ઉગાડવા સાવ સહેલા છે. જેની કોઈ માવજત કરવાની જરૂર રહેતી નથી. આ છોડ આયુર્વેદ ગુણ ધરાવતા હોવાને કારણે તમે આ રીતે અમેં બતાવ્યા એ પ્રમાણે કંટોલાનું ઘરે વાવીને ઉછેર કરી શકો છો. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

હિંગ
ઔષધી

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

August 26, 2022
કબજિયાત માટેનો દેશી ઈલાજ
ઘરેલું ઉપચાર

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

August 21, 2022
ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય
આરોગ્ય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

August 20, 2022
ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે
ઘરેલું ઉપચાર

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

August 19, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત
આરોગ્ય

લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત

July 27, 2022
Next Post
જૂનામાં જૂની કબજિયાતનો ઉપચાર

સાંજે સુતી વખતે માત્ર અડધી ચમચી આ દેશી ઓસડીયુ પાણીમાં નાખીને પીવો

મીઠો લીમડા ના ફાયદા

રોજ આ પાંચ પાન ખાઈ લ્યો એટલે આ 10 રોગો દુર થઇ જશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ખાલી 7 દિવસમાં ડાયાબિટીસ ને 100% કંટ્રોલ કરશે આ એક વસ્તુ

7 દિવસમાં ડાયાબિટીસ કંટ્રોલ કરવી હોય તો આજ થી જ આ એક વસ્તુનું સેવન શરુ કરી દેજો

June 15, 2022
તમારું વજન વધવા ન દેવું હોય તો ભૂલથી પણ આ 8 વસ્તુઓ ન ખાતા

તમારું વજન વધવા ન દેવું હોય તો ભૂલથી પણ આ 8 વસ્તુઓ ન ખાતા

June 15, 2022
નપુંસકતા દૂર કરવાના ઉપાય

નપુંસકતા થી કઈ રીતે બચી શકાય અને નપુંસકતા દૂર કરવાના અસરકારક ઘરેલું ઉપાય

February 25, 2022

Popular Stories

  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
  • ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

    0 shares
    Share 0 Tweet 0
  • વગર દવાએ પેશાબમાં થતી તીવ્ર બળતરા અને ઉનવા માટે 100% અસરકારક ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In