Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home ઔષધી

અનેક રોગો માટે ઉપયોગી છે આ ઔષધીનું જ્યુસ, ખાસ કરીને ઉનાળામાં છે ખુબ અસરકારક

Deshi Osadiya by Deshi Osadiya
February 25, 2022
0
કોકમના ફાયદા

કોકમના ફાયદા

1
SHARES
Share on FacebookShare on Twitter

કોકમ વિટામીન અને ખનીજ પદાર્થોથી ભરપૂર એક ફળ છે. આ ફળનું સેવન શરીરમાં ઘણા મહત્વપૂર્ણ પોષક તત્વોની ઉણપને પૂરી કરવામાં મદદ કરે છે.

RELATED POSTS

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

દોસ્તો, ઉપર જમણી બાજુના ખૂણામાં Follow બટન આપેલું છે તે દબાવી દો એટલે સૌથી પહેલા તમને દેશી ઓસડીયા અને આયુર્વેદની માહિતી તમારા ફોનમાં મળી રહેશે.

Join Group

જો તમે તમારા શરીરનું સ્વાસ્થ્ય જાળવી રાખવા માંગો છો તો કોકમનું  સેવન કરો. કોકમમાં વિટામીન સી અને વિટામીન ઈ ભરપુર માત્રામાં હોય છે.

કોકમ એવા ફળોમાંથી છે કે મૈંગાસ્ટીન પ્રજાતિનના છોડ સાથે જોડાયેલા છે. આ કોકમનું ફળ ભારતમાં સામાન્ય ફળની માફક જ મળી આવે છે. ખાસ તરીકે તેનો શાક અને દાળમાં ઉપયોગ થાય છે. અ સિવાય કોકમનો દુનિયાભરમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ પાકેલા ફળની ઉનાળાની ઋતુમાં સરબત બનાવવામાં ઉપયોગ થાય છે.

કોકમનું વાનસ્પતિક નામ ગાર્સિનીયા ઈન્ડીકા Garcinia indica છે,  જેને સંસ્કૃતમાં વૃક્ષામ્લ અને અમ્લવૃક્ષક કહેવામાં આવે છે. જેને હિન્દીમાં કોકમ તેમજ વિન્ષાવિલ કહેવામાં આવે છે. જેને અંગ્રેજીમાં Brindonia Tallow Tree, Mangosteen Oil Tree, Wild Mangosteen, Kokum butter tree કહેવામાં આવે છે. આ કોકમ ખુબ જ આયુર્વેદિક ફાયદાઓ ધરાવે છે, માટે તેના આયુર્વેદિક ફાયદાઓ ખુબ જ છે.

કોકમનો આયુર્વેદમાં ઉપયોગ(Benifits Of Garcinia indica):

કોકમ પ્રાચીનકાળથી વપરાતું આવે છે. ઘણા રોગોમાં કોકમનો ઉપયોગ થાય છે, ખાસ કરીને ઉનાળામાં કોકમના શરબતનું વધારે મહત્વ છે. અહી તમને કોકમનો આયુર્વેદમાં કઈ કઈ બીમારી માટે ઉપયોગ થાય છે એ જણાવીશું.

શરીર અને વજન ઘટાડે: કોકમ વજન ઓછું કરવાની ખુબ જ લાભકારી ઔષધિ છે. લગભગ 400 ગ્રામ કોકમના ફળને લીટર પાણીમાં નાખીને તેમાંથી ચોથા ભાગનું વધે ત્યાં સુધી ઉકાળો. આ પછી તેને ગાળી લો અને ઠંડા સ્થાન પર રાખી દો. દરરોજ સવારે આ રસને ખાલી પેટ 100 મિલીની માત્રામાં સેવન કરો. આ ઉપાય કરવાથી એક મહિનામાં વજન ઘટી જશે.

ઝાડા: કોકમ, દાડમના દાણા, હિંગ, વિડનમક, પંચમૂળ, બીલી, જીરું, ધાણા, લીંડી પીપર વગેરે દ્રવ્યો સાથે વિધિ પૂર્વક ચૂર્ણ બનાવી લો. તેનું સેવન કરવાથી ભૂખ વધે છે, તે પાચક, તાકત વધારનારું અને રોચક છે. 750 ગ્રામ કોકમના ફળમાં લગભગ 300 ગ્રામ મિશ્રી તથા 35 ગ્રામ જીરું ભેળવીને  ચૂર્ણ બનાવી લો. તેનું સેવન કરવાથી કબજિયાત મટે છે અને ભોજનની રૂચી ઉત્પન્ન થાય છે.

ઝાડા

મરડો: કોકમના તાજા ફળને 5 થી 10 ગ્રામ ગર્ભને ખાવાથી લોહી નીકળતો મરડો મટે છે.  કોકમના  બીજના 5 મિલી કોકમ તેલને 200 મિલી દુધમાં ભેળવીને પીવાથી મરડો અને લોહી વાળો મરડો મટે છે. સુકા ફળના 2 થી ૩ ગ્રામ ચૂર્ણમાં ઘી તથા જ=કોકમ તેલ ભેળવીને ગરમ કરીને સેવન કરો. તેનાથી દર્દ અને ગેસયુક્ત મરડામાં લાભ થાય છે.

શરાબ પીવાથી થતી બીમારી: શરાબ પીનારા લોકો ઘણા લોકો ઘણા પ્રકારના રોગથી પરેશાન હોય છે, એવા લોકોને વધારે તરસ, અનિંદ્રા, ભુખની ઉણપ વગેરે સમસ્યા થવા લાગે છે. એવામાં જંગલી બોર, દાડમ, કોકમ, ચાંગેરી તથા ચુકાને મિશ્રિત રસને મોઢાની અંદર લેપના રૂપમાં લગાવવો. તેને લીધે શરાબ પીવાથી લાગતી તરસ મટે છે.

લીવર સ્વાસ્થ્ય: કોકમ લીવરને સ્વસ્થ બનાવી રાખવામાં મદદ કરે છે, કારણ કે કોકમમાં એન્ટીકેન્સર ગુણ મળી આવે છે. આયુર્વેદ અનુસાર તે તે પાચક અગ્નિને વધારવામાં કાર્ય કરે છે. આ રીતે તે લીવરને સ્વસ્થ બનાવીને લીવરના રોગોને દુર રાખે છે.

લુ લાગવી: ગરમીની ઋતુમાં પીણાના રૂપમાં કોકમથી બનેલું પીણું, કોકમનું સરબત બનાવીને પીવાથી તડકો લાગતો નથી. સાથે તે સૂર્યના પારજાંબલી કિરણોથી પણ બચાવે છે. કોકમનું સરબત ખાંડ, ઠંડું પાણી, થોડું ભૂરું જીરું તેમજ ભૂરા જીરાથી અને કાળા મીઠાથી બને છે.

મગજની શક્તિ: કોકમનું સેવન ન્યુરોનલ વિકાસની ક્રિયાની મદદ કરે છે.. તેનાથી મગજ પર સકારાત્મક અસર પડે છે. સાથે તે ફ્રી રેડિકલ્સને નિષ્ક્રિય કરીને મગજના નુકશાનને થતું રોકે છે. આ રીતે તે મગજ માટે પણ ઉપયોગી છે. કોકમનું ફળ મેમરીની શક્તિ વધારે છે. સાથે તે સ્ટ્રેસને પણ દુર કરે છે.

એન્ટી ફંગલ અને એન્ટી ઓક્સીડેન્ટના રૂપમાં પણ કોકમના ફળનું સેવન કરી શકાય છે. કોકમના ફળનું સેવન કરી શકાય છે. કોકમમાં આ બંને ગુણ મળી આવે છે. કોક્મમાં રહેલા એન્ટી ફંગલ ગુણથી અલ્સરના પ્રભાવને ઘટાડી શકાય છે. કોકમ ફળને એન્ટીઓક્સીડેન્ટના રૂપમાં ઉપયોગ કરી શકાય છે. કોકમમાં એવા તત્વો મળી આવે છે જે ફ્રી રેડિકલ્સથી બચાવે છે.

ટ્યુમર: ટ્યુમરથી બચવા માટે કોકમના ફળનું સેવન ખુબ જ ઉપયોગી છે, કોકમમાં એન્ટી ટ્યુમર ગુણ હોય છે, જે ટ્યુમરના જોખમને ઘટાડે છે. તે ચામડી પર થનારા ટ્યુમરને મટાડે છે. આમ કોકમ ટ્યુમર મટાડવા માટે પણ ઉપયોગી છે.

એસીડીટી: કોકમમાં પાકા ફળોનું સરબત સવારે અને સાંજે પીવાથી એસીડીટી મટે છે. કોકમને વાટીને ખાંડ ભેળવેલા પાણીમાં ઘોળીને પીવાથી પેટની એસીડીટી મટે છે. તે તરસ અને અનિંદ્રાને પણ દુર કરે છે. એસીડીટી મટાડવા માટેનો કોકમ સરળ ઉપાય છે.

એસીડીટી અને પેટના રોગમાં ઉપયોગી બીજોરું

લોહીવાળા ઝાડા: કોકમના ફળથી બનાવવામાં આવેલી ચટણી કે દૂધ દહીંમાં ભેળવીને સેવન કરવું. તેનાથી લોહીવાળા ઝાડામાં થતો લોહીનો સ્ત્રાવ મટે છે. કોકમના બીજનું તેલ લગાવવાથી હોંઠ, હાથ તથા પગની ચામડી ફાટવાની સમસ્યા મટે છે. શીળસ જો એલર્જીના કારણે  નીકળ્યા હોય તો કોકમની છાલ કે ફળના રસથી માલીશ કરવાથી શીળસ મટી જાય છે.

ટીબી રોગ: કોકમ વગેરે દ્રવ્યોથી બનેલા શીંધવાદિ ચૂર્ણનું 1 થી ૩ ગ્રામની માત્રામાં સેવન કરવું. તેનાથી લાંબી બીમારીના કારણે થયેલી કમજોરી દુર થાય છે. તેને ખુબ જ રુચિવર્ધક હોય છે. સાથે તે શક્તિ પણ વધારે છે.

ફાટેલા હોઠો પર કોકમ લગાવાથી ખુબ જ ફાળો થાય છે. કોકમ હોઠોની રુક્ષતાને દુર કરીને હોઠોને ફાટવાનીથી રોકે છે. કારણ કે કોકમમાં સ્નિગ્ધ ગુણ હોય છે. જે હોઠોને કોમળ બનાવે છે. તણાવ: કોકમના ફળનું સેવન તણાવને દુર કરવામાં ઉપયોગી છે. પાચન માટે કોકમનો પ્રયોગ ખુબ જ ઉપયોગી છે. જેમાં આવેલા દીપનીય ગુણ પાચનને શ્રેષ્ઠ બનાવે છે.

કેન્સરના લક્ષણોને ઓછા કરવામાં ઉપયોગી છે. કારણ કે તેમાં એન્ટી કેન્સર ગુણ હોય છે. જે કેન્સરને ફેલાવાથી રોકે છે. કોકમ એક લીવર ટોનિકના રૂપમાં કાર્ય કરે છે, માટે તે લીવરનું સ્વાસ્થ્ય બનાવી રાખે છે. તે પાચન અગ્નિ વધારીને પાચન કરે છે.

કોકમનું સરબત બનાવવાની જરૂરી સામગ્રી:

કોકમનું સરબત બનાવવા માટે સૌપ્રથમ જરૂરી સામગ્રી તરીકે 150 ગ્રામ કોકમ, 2 કપ ગરમ પાણી, 2 કપ સાકર, 1 ચમચી શેકેલું જીરુંનો પાવડર, જરૂરિયાત મુજબ કાળું મીઠું તેમજ મીઠું, અડધા કરતા ઓછી ચમચી કાળા મરીનો પાવડર તેમજ 1 ચમચી સામાન્ય પાણી વસ્તુઓ હાજર રાખવી. આ સિવાય 7 તુલસીના પાંદડા, 5 ફુદીનાના પાંદડા, 2 ચમચી તકમરિયા તેમજ જરૂર મુજબ લીંબુ લેવું.

કોકમનું સરબત બનાવવાની રીત(Kokum Sherbet Recipe):

આ કોકમના સરબત બનાવવા માટે પહેલા કોકમને 2 કપ ગરમ પાણીમાં પલાળવા માટે ૩ થી 4 કલાક સુધી મૂકી દો. તેમજ આ સાથે જ તકમરિયાને 2 ચમચી જેટલાએક ગ્લાસ પાણીમાં પલાળવા મૂકી દો. આ પછી પ્રેસર કુકરમાં 2 સિટી વાગે ત્યાં સુધી કોકમને પકાવી લો. પકાવી લીધા બાદ એક મિક્સરમાં નાખીને પેસ્ટ બનાવી લેવો. આ પેસ્ટને એક કડાઈમાં ધીમી આંચ પર પકાવવો. સાથે તેમાં 2 કપ સાકર અને તેમજ 1 ચમચી પાણી નાખીને સરખી રીતે મિક્સ કરી લેવું તેમજ ઘટ્ટ બને ત્યાં સુધી પકાવવું. આ પછી તેમાં 1 ચમચી શેકેલું જીરું પાવડર નાખવો. તેમજ સ્વાદ મુજબ મીઠું તેમજ કાળું મીઠું નાખવું. તેમજ તેમાં અડધાથી ઓછી ચમચી કાળા મરીનો પાવડર નાખીને તેને સરખી રીતે ભેળવી દેવો. તેમજ ગેસ બંધ કરી લેવો.

કોકમનું સરબત બનાવવાની રીત

ઠંડા પડ્યા બાદ તેને યોગ્ય રીતે ગાળી લેવું ને એ બોટલમાં ભરીને ફ્રીજમાં રાખી દેવું. આ મિશ્રણને ત્યારે જરૂર પડે ત્યારે સરબત બનાવીને પી શકાય છે. સરબત બનાવવા માટે આ સીરપ 2 મહિના જેટલા સમય સુધી રાખી શકાય છે.  આ સરબત માટે એક ગ્લાસમાં બરફના 2 થી 4 ટુકડા લેવા. તે ટુકડાને એક વાસણમાં નાખીને તેમાં આ સીરપ 2 થી ૩ ચમચી જેટલું નાખવું. જરૂર મુજબ લીબું,પલાળેલા ફૂલેલા તકમરિયા નાખીને તેમજ ફુદીના તેમજ તુલસીના પાંદડા નાખીને તેને બરાબર મિક્સ કરવાથી સરબત તૈયાર થાય છે. આ સરબત આયુર્વેદિક છે અને તે પીવાથી અનેક ફાયદાઓ મળે છે.

આમ, કોકમ એક ખુબજ ઉપયોગી ઔષધી છે. કોકમનો ઉપયોગ આપણે ભોજનમાં કરીએ છીએ અને ઘણા લાંબા સમયથી ઉપયોગમાં લેવામાં આવતી હોવાથી તે કોઇપણ આડઅસર કરતી નથીઆશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપોગી થાય.

નોંધ: આયુર્વેદ અને આરોગ્યને લગતી સચોટ માહિતી મેળવવા માટે નીચે આપેલું બ્લુ કલરનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી લેજો. જેથી દરરોજ તમને આરોગ્યને લગતી માહિતી મળતી રહે.

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

હિંગ
ઔષધી

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

August 26, 2022
કબજિયાત માટેનો દેશી ઈલાજ
ઘરેલું ઉપચાર

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

August 21, 2022
ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય
આરોગ્ય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

August 20, 2022
ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે
ઘરેલું ઉપચાર

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

August 19, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત
આરોગ્ય

લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત

July 27, 2022
Next Post
આધાશીશી કે માઈગ્રેન ઉપચાર

આધાશીશી કે માઈગ્રેનના અસહ્ય માથાના દુઃખાવા નો સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

બહેડા ના ફાયદા

30 થી વધુ રોગોનો ઈલાજ છુપાયેલો આ એક ઔષધીમાં, જાણો ઉપયોગ કરવાની સાચી રીત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

મીઠું ખાધા વિના ઉપવાસ કરો છો તો આ 6 પ્રકારનાં જોખમ ધ્યાનમાં રાખો

મીઠું ખાધા વિના ઉપવાસ કરો છો તો આ 6 પ્રકારનાં જોખમ ધ્યાનમાં રાખો

March 22, 2022
આંજણી ના દેશી ઉપાય

આ ઘરેલું ઉપચાર થી માત્ર 2 દિવસમાં દૂર થશે આંખની આંજણીની સમસ્યા

February 25, 2022
તાવ તરત ઉતરી જશે

દવાખાને જતા પહેલા આ ઉપાય કરજો તાવ તરત ઉતરી જશે

March 22, 2022

Popular Stories

  • ધાધર નો ઘરેલુ ઉપચાર

    ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • કમળા માટે 10 ઘરેલું રામબાણ ઉપચાર, ગમે તેવો કમળો થઇ જશે સારો

    0 shares
    Share 0 Tweet 0
  • દરેક રોગોનો રામબાણ ઈલાજ છે આ રસાયણ ચૂર્ણ, જાણો ઘરે રસાયણ ચૂર્ણ બનાવાની રીત

    0 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In