Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

શરીર પરના અણગમતા મસ્સા અને તલને દુર કરશે આ તેલનું એક ટીપું

Deshi Osadiya by Deshi Osadiya
March 22, 2022
0
મસ્સા અને તલને દુર કરશે

મસ્સા અને તલને દુર કરશે

0
SHARES
Share on FacebookShare on Twitter

ઘણા વ્યક્તિઓને ચામડીની વિવિધ પ્રકારની તકલીફો થતી હોય છે. જેમાં ખીલ, કાળા, ડાઘ અને ધાધર, ખરજવું વગેરે જેવી સમસ્યાઓ વારંવાર થતી હોય છે. પરંતુ જેમાં મસ કે મહ જેવી ચામડીની સમસ્યા થાય તો તે ખુબ જ હેરાન કરે છે. જો કે તેના લીધે ચામડીના કોઈ પણ પ્રકારની શરીર પર અસર થતી નથી, પરંતુ તેમાં શરીરમાં વિવિધ ભાગ પર આ ફોડલાઓ જેવા દાણાઓ નીકળી જાય છે. જેમાં માત્ર માટી માંસ સાથે ઢીમચાંઓ ઉપચી આવે છે અને કાયમ રહે છે. આ મહ શરીર પર નીકળે છે તે સામાન્ય બાબત છે પરંતુ જે મોઢામાં ભાગે નીકળે તો ચહેરાની રોનક બદલી નાખે છે.

RELATED POSTS

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

આ મહ લાલ પડતા તેમજ લીલાશ પડતા કાળા રંગના પણ હોય છે. ક્યારેક તેની ગોળ ગોટીઓ સ્વરૂપે પણ થાય છે. જેને દુર કરવા ખુબ જ અઘરું કાર્ય છે. જેમાં શરીર પર તલ નીકળે છે તેવી જ રીતે મહ પણ નીકળે છે. અમે આ મહને દુર કરવાના અસરકારક ઈલાજ અહિયાં બતાવીએ છીએ જેના લીધે તમે મહને દુર કરી શકશો તેમજ તેને નીકળતા અટકાવી શકશો.

Join Group

લસણનો પેસ્ટ: શરીર પર મહ નીકળે ચતો તેને દુર કરવા લસણના પેસ્ટનો ઉપયોગ કરી શકાય છે. લસણને સ્વાસ્થ્યની સાથે સુંદરતા માટે પણ બેસ્ટ માનવામાં આવે છે. આ માટે એક લસણનો ગઠીયો લઈને તેની કળીઓ ફોલીને તેનો પેસ્ટ તૈયાર કરો. તેને રૂની મદદથી તલ પર લગાવીને આખી રાત માટે છોડી દો,  સવારે તેને સારી રીતે પાણીથી ધોઈ લેવું. આ ઈલાજથી મહ નીકળતા બંધ થઈ જશે.

કેળાની છાલ: કેળાની છાલ દ્વારા મસાને મટાડી શકાય છે. આ માટે એક કેળાની છાલ લો અને તેને અંદરનો ભાગ મહ ઉપર રાખીને ઉપરથી ચોખ્ખા કપડાથી બાંધી દો. વધુમાં જણાવીએ તો આખી રાત તેને એમ જ રહેવા દો. તેનાથી મહ ઝડપથી સાફ થઈ જશે. ઘરેલું ઉપચાર કરી કે આ ઈલાજ ઉપાય અજમાવવાથી ખુબ જ ફાયદો થાય છે.

પાઈનેપલ: પાઈનેપલ ખાટુ હોવાને લીધે એસીડીક હોય છે. તેમાં વિટામીન સી હોય છે તેમજ તેના લીધે તે રોગ પ્રતિકારક શક્તિ માટે પણ ખુબ જ ઉપયોગી છે. આ ફળ તેના સ્વાદને લીધે ઘણા લોકોને પસંદ હોય છે. તેનો ઉપયોગ ખાવાની સાથે મહને મટાડવા માટે પણ થઇ શકે છે. ચહેરા પર જો મહ નીકળે તો તેના ઈલાજ તરીકે દિવસમાં 2 થી ૩ વખત દરરોજ પાઈનેપલનું જ્યુસ ચહેરા પર લગાવો. આ લગાવ્યા બાદ તેને ચહેરા પર લગાવી રાખવાથી મહ નીકળતા અટકી જશે.

સફરજનનો સરકો: સફરજનનો સરકો એટલે કે એપલ સાઈડર વિનેગારને રૂમાં ડુબાડીને મહ પર દિવસભર લગાવતા રહો. તે ધીમે ધીમે મહ હળવા રંગના થઈને સુકાઈને જાતે જ નીકળી જાય છે. મહ હટાવવા માટે તમારે આ ઉપાય દરરોજ કરવો પડશે, જેનું પરિણામ ચોક્કસથી મળશે.

બટાકા: બટાકાના રસમાં લીંબુનો રસ મિક્સ કરીને મહ પર લગાવી દો. દિવસમાં બે થી ત્રણ વખત આ ઉપાય કરો. આ ઉપાયથી મહ સુકાઈ જશે અને એક દિવસમાં ઉખડી જશે. તમે ઈચ્છો તો આ રસને આખી રાત માટે લગાવી શકો છો.

ખાવાનો સોડો: બેંકિંગ સોડા અને બેકિંગ પાવડરને કેસ્ટર  ઓઈલમાં મિક્સ કરી લો. હવે આ લેપને વારંવાર મહ પર લગાવવા. આ ઉપાય થોડા દિવસ સુધી કરવાથી મહ આપોઆપ મટી જાય છે તેમજ નવા નીકળતા મહ પણ નીકળતા મટી જશે.

ડુંગળી: એક ડુંગળી લઈને તેનો રસને મહ ઉપર લગાવી દો. આ રસમાં એન્ટી બાયોટીક તેમજ એન્ટી ઓક્સીડેન્ટ ગુણ હોય છે. આ માટે ડુંગળી ઘણા રોગોમાં ઉપયોગી છે. આ ઈલાજ તરીકે મહને મટાડવા માટે ખુબ જ અસરકારક છે.

અગરબતી: મહને મટાડવા માટે અગરબતી દ્વારા ઈલાજ કરી શકાય છે. અગરબતી લઈને તે અગરબતીને સળગાવી દો. આ અગરબતીની રાખને મસા ઉપર સ્પર્શ કરીને તેને હટાવી દો. આવું 8 થી 10 વખત કરો. આ ઉપાય કરવાથી મહ સુકાઈને નીકળી જશે.

નાગરવેલનું પાન: પાનની દુકાનેથી નાગરવેલનું એક પાન અને થોડો ખાવામાં લેવામાં આવતો ચૂનો લાવીને તેના દ્વારા તેને પાનના નાક ઉપર લગાવીને તેને મહ પર લગાવી દો. આ ચૂનો જ્યાં સુધી સુકાઈ નહી ત્યાં સુધી મહ વાળી જગ્યા પર જ રહેવા દો. જયારે ચૂનો સુકાઈ ગયા બાદ જ તેને હળવા હુંફાળા પાણીથી તેને ધોઈ લો. આમ કરવાથી ચહેરા પરના કે શરીરના કોઇપણ ભાગ પર આ ઈલાજ કરવાથી મહ મટી જશે.

વડ અને પપૈયું: વડના પાંદડાને તોડતા તે જગ્યા પરથી થેર એટલે કે દૂધ નીકળે છે. વડના પાંદડાનો રસ કાઢીને આ મહ ઉપર લગાવવાથી મહ સુકાઈને ખરી પડશે. આ ઉપાય જેમાં જ પપૈયા પર જે દૂધ રહેલું હોય છે જે મહ પર લગાવવાથી પણ મહ મટે છે. ઉપાય માત્ર દિવસો સુધી કરવાથી મહ આપોઆપ મટી જશે.

કોથમીર: જો તમે આ મહની સમસ્યામાંથી રાહત મેળવવા માટે કોથમીરનો પણ ઉપયોગ કરી શકો છો. આ ઈલાજ તરીકે કોથમીરના પાંદડાને વાટીને પેસ્ટ બનાવી દો. આ પેસ્ટને મહ વાળી જગ્યા પર લગાવો. આ ઉપાય સતત કરતો રહેવાથી મહ મટી જશે. કોથમીરમાં આંખ અને ચામડીના ઈલાજ થઈ શકે તેવા ખનીજો હોય છે.

એલોવીરા: ચામડીની દરેક સમસ્યાનો ઈલાજ એલોવીરા માનવામાં આવે છે. ચામડીના દરેક પ્રકારના ક્રીમ અને દવાઓમાં પણ એલોવીરાનો ઉપયોગ થાય છે. માટેમહના ઘરેલું ઉપચારમાં પણ એલોવીરા ઉપયોગી છે.  એલોવીરમાં રહેલા ગુણ મહની સમસ્યાને ઠીક કરવા માટે ઉપયોગી છે. આ માટે મહવાળી જગ્યા પર એલોવીરાના પાંદડાનો ગર્ભ કાઢીને ૩ થી 4 લગાવી રાખો. આ ઈલાજ તરીકે તે ખુબ જ ઉપયોગી છે.

ઘી: ઘી અને ચૂનો સમાન માત્રામાં મિક્સ કરી દો. તેને બરાબર મિક્સ કર્યા બાદ મહવાળા સ્થાન પર દિવસમાં ત્રણથી ચાર વખત લગાવો. આ ઉપાય માત્ર થોડા દિવસ સુધી કરવાથી મહ થોડા જ દિવસમાં જડમૂળમાંથી નાબુદ થઈ જશે.

અળસી: અળસીના બીજ મહને મટાડવા માટે ખુબ જ ઉપયોગી છે. અળસીનું સેવન ચામડીના રોગ માટે પણ ખુબ જ ઉપયોગી છે. પરંતુ મહના ઈલાજ તરીકે અળસીનું જે તેલ નીકળે છે જેને મધ સાથે ભેળવીને મહ પર લગાવી દો. આ ઉપાય કરવાથી 4 થી 5 દિવસમાં મહ દુર થવા લાગશે. તેમજ ધીરે ધીરે તે જગ્યા પર નવી ચામડી પણ આવશે.

ગીર ગાયની પૂંછનો વાળ: જો તમને શરીરના કોઇપણ ભાગમાં મહ કે મસ થયો હોય અને તે મહ શરીરમાંથી ગોટી કે ગોળીની માફક લટકી રહ્યો હોય, આ મહ તમને વારંવાર સ્નાન કરતા કે કોઈ કારણસર તમને નડતો હોય છે, જેમકે ચહેરા પર હોય તો ચહેરા પર બીજા લોકોની નજરમાં ખરાબ લાગે છે. જયારે આવા ગોળીવાળા મહને દેશી ગીર ગયાના પૂંછનો વાળ લઈને તે જગ્યા પર મહની ડોક પર તણાવીને બાંધી દો. જેના દ્વારા મહ કપાઈને તૂટી પડશે. ગીર ગાયનો આ વાળ મહને દુર કરી શકે છે.

આમ, અમે બતાવેલા ઉપરોક્ત તમામ ઉપચારો આયુર્વેદની રીતે મહને મટાડવા માટે ઉપયોગી થાય છે. આ ઈલાજ માટે આયુર્વેદ ઉપર આધારિત હોવાથી મહને કાયમ માટે પણ નાબુદ કરવાની ક્ષમતા ધરાવે છે. આશા રાખીએ કે તમારા માટે આ માહિતી ખુબ જ ઉપયોગી થાય અને તમે મહની સમસ્યામાંથી રહત મેળવી શકો.

મિત્રો આ માહિતી સારી અને ઉપયોગી લાગી હોય તો દરેક લોકો શેર કરવા વિનંતી.

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

હિંગ
ઔષધી

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

August 26, 2022
કબજિયાત માટેનો દેશી ઈલાજ
ઘરેલું ઉપચાર

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

August 21, 2022
ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય
આરોગ્ય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

August 20, 2022
ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે
ઘરેલું ઉપચાર

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

August 19, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત
આરોગ્ય

લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત

July 27, 2022
Next Post
જાયફળ

50 વધારે બીમારીનો ઈલાજ છે જાયફળ, જાણો ઉપયોગ કરવાની રીત

દૂધ સાથે કેળા

જો તમે પણ દૂધ સાથે કેળા ખાતા હોવ? તો પહેલા જ આ વાંચી લો, નહી તો થશે ગંભીર સમસ્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

કંટોલાના ફાયદા

માત્ર ચોમાસામાં થતું શાકભાજી 30 થી વધુ રોગો માટે છે ગુણકારી

March 22, 2022
કાળી દ્રાક્ષ ખાવાના ફાયદા

સાંજે 5 થી 7 દાણા સ્વચ્છ પાણીમાં પલાળી સવારે નરણા કોઠે ખાઈ જજો

March 22, 2022
વીંછી, સાપ કે ગરોળી કરડે ત્યારે તરત જ કરો આ કામ ઝેરની અસર ઓછી થઇ જશે અહી ક્લિક કરી જાણો

વીંછી, સાપ કે ગરોળી કરડે ત્યારે તરત જ કરો આ કામ ઝેરની અસર ઓછી થઇ જશે અહી ક્લિક કરી જાણો

February 25, 2022

Popular Stories

  • ધાધર નો ઘરેલુ ઉપચાર

    ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • કમળા માટે 10 ઘરેલું રામબાણ ઉપચાર, ગમે તેવો કમળો થઇ જશે સારો

    0 shares
    Share 0 Tweet 0
  • દરેક રોગોનો રામબાણ ઈલાજ છે આ રસાયણ ચૂર્ણ, જાણો ઘરે રસાયણ ચૂર્ણ બનાવાની રીત

    0 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In