Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home ફિટનેસ

સ્વાસ્થ્ય માટે કાળા ચોખા છે શ્રેષ્ઠ, કાળા ચોખા ના ફાયદા જાણીને તમે પણ ચોકી જશો

Deshi Osadiya by Deshi Osadiya
March 22, 2022
0
કાળા ચોખાના ફાયદા

કાળા ચોખાના ફાયદા

0
SHARES
Share on FacebookShare on Twitter

આપણે નિયમિત રીતે ભોજનમાં ચોખાનો ઉપયોગ રોજબરોજ કરીએ છીએ. જે આપણા શરીરમાં કોઈને કોઈ ફાયદો કરતા હશે, પરંતુ અમે આ લેખમાં આવા એક કાળા કલરના બ્લેક ચોખા એટલે કે કાળા રાઈસ વિશે જણાવી રહ્યા છીએ. આ ચોખા શરીરમાં કરે છે ખુબ જ મોટા પ્રમાણમાં ફાયદો. આ ચોખાના સેવનથી શરીરમાં રહેલા ભયંકર રોગ અને કાયમી રોગો પણ છુમંતર થઈ જાય છે.

RELATED POSTS

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

ઘણા લોકો ચોખાને લીધે વજન વધવાની સમસ્યાથી ડરતા હોય છે, જયારે ઘણા લોકોને સુગર વધવાનો પણ ચોખાના સેવનથી રહે છે, પરંતુ આ ચંદોલીના આ બ્લેક ચોખા સંપૂર્ણ શુગર ફ્રી છે. જેના લીધે આ ચોખાના સેવનથી આરોગ્ય પણ બગડતું નથી. આ ચોખા આપણા ભારતના ઉત્તરપ્રદેશ રાજ્યમાં જ 14 જિલ્લામાં થાય છે. આ ચોખાની સૌપ્રથમ ખેતી ચીનમાં થઈ હતી અને આ પછી ભારતના આસામ અને મણીપુર શરુ થઈ હતી.

Join Group

કાળા ચોખા

કાળા ચોખામાં વિટામીન બી, વિટામીન ઈ સિવાય કેલ્શીયામ્મ મેગ્નેશિયમ, આયર્ન તથા જીંક વગેરે તત્વ હોય છે. જે માનવ શરીરમાં જઈને એન્ટીઓક્સીડેંટ કરવાનું કાર્ય કરે છે, જેના લીધે લીધે સ્વાસ્થ્ય માટે ખુબ જ ઉપયોગી છે.

આ ચોખાનો અનેક રીતે અને સામાન્ય ચોખાની માફક ખીર, ખીચડી, ભાત વગેરે બનાવીને ઉપયોગ કરી શકાય છે. જયારે સલાડ બનાવીને પણ આ કાળા ચોખાનો ઉપયોગ કરી શકાય છે. આ સલાડ બનાવવા માટે કાળા લાવવા.

કાળા ચોખાનું ભાત બનાવવાની રીત: સૌ પ્રથમ તળી શકાય તેવા કોઈ વાસણમાં પાણી ગરમ કરો. પછી તેમાં કાળા ચોખા, આદુના નાના ટુકડા નાખીને સારી રીતે ઉકાળી લો. જ્યાં સુધી ઉકાળો કે બધા જ આ કાળા ચોખા પાકી બફાઈ જાય.

એક વાર બફાઈ ગયા પછી થોડીવાર સુધી તી ઠંડા પડવા માટે છોડી દો. એક કપમાં લીંબુ, આદુ અને સિરકાને સારી રીતે ભેળવી દો. આ બધાંનું મિશ્રણ કરવામાં મિક્સરનો ઉપયોગ કરો. આ પછી એક કટોરીમાં ચોખા, કેરી, તુલસી અને લાલ મરચાને એક સાથે રાખો. અ પછી સિરકા વાળા મિશ્રણને ચોખાની ઉપર નાખો. આ રીતે ખાવા માટે બ્લેક ચોખા તૈયાર થઈ ગયા જેનું તમે સેવન કરી શકો છો.

આ બ્લેક રાઈસ હાઈ બ્લડપ્રેશર, હાઈ કોલેસ્ટ્રોલ, અર્થરાઈટીસ એલેરજીની સાથે કેન્સર જેવા રોગોમાં લડવામાં મદદરૂપ થાય છે. આ બ્લેક ચોખામાં ઝીંક અને આયર્નનું પ્રમાણ વધુ હોય છે, જે માનવ શરીર માટે ખુબ જ જરૂરી છે.

ન્યુટ્રીશન વોલ્યુમથી આ ચોખા ભરપૂર છે. આ ચોખામાં એન્ટી ઓક્સીડેન્ટ, પ્રોટીન, જીન્સ, ફાઈબર અને આયર્ન મોટા પ્રમાણમાં હોય છે. આ ચોખા ડાયાબીટીસ જેવી બીમારીઓમાં ખુબ જ ઉપયોગી છે. આ ચોખા ઔષધીય ગુણ ધરાવતા હોવાથી તેનો કલર કાળો હોય છે.

આ કાળા ચોખામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે મનુષ્યના શરીર માટે ખુબ જ જરૂરી છે. તે શરીરને ફ્રી રેડીકલથી બચાવીને ઘણી બધી બીમારીઓના જોખમને ઘટાડે છે. આપણા શરીરમાં આ ફ્રી રેડીકલના કારણે ઘણા પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યા થઈ શકે છે, જેમાં ગઠીયા વાની સમસ્યા, હ્રદય રોગ, અલ્ઝાઈમર રોગ વગેરે સમસ્યાઓ સામેલ છે. એવામાં આ ચોખાનું સેવન કરવાથી એન્ટીઓક્સીડેંટ મળે છે, જે ઉપરોક્ત રોગોને ઠીક કરે છે અને સાથે યાદશક્તિ અને રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં ખુબ જ ઉપયોગી થાય છે.

કાળા ચોખા કેન્સર જેવી ઘાતક બીમારીઓમાં પણ ઉપયોગી છે, આ ચોખા ઘણી હદ સુધી આ કેન્સરની બીમારીમાં ફાયદો કરી શકે છે. આ કાળા ચોખામાં આવેલા એન્ટી ઓક્સીડેન્ટ ગુણ ફ્રી રેડિકલના પ્રભાવને ઓછો કરવામાં અને શરીરને ઓક્સીડેટીવ ક્ષતિથી બચાવ કરીને કેન્સરના જોખમને ઓછું કરવામાં મદદગાર થાય છે. આ ચોખામાં એન્ટી કેન્સર ગુણ પણ પણ હોય છે. જેના કારણે જે કેન્સરના ખતરાને ઓછો કરી શકાય છે.

કાળા ચોખા એન્ટી ઇન્ફલેમેટરી ગુણ ધરાવે છે, જેના લીધે જે સોજાની સમસ્યાને મટાડી શકાય છે. કાળા ચોખાની છાલમાં એન્ટી ઇન્ફલેમેટરી ગુણ રહેલા છે. આ માટે નિયમિત રીતે સેવન કરવાથી શરીરમાં સોજાને મટાડવામાં ઉપયોગી થાય છે.

કાળા ચોખામાં વજનને ઘટાડવાના ગુણ હોય છે. કાળા ચોખા શરીરમાં અનેક રીતે ફાયદો કરી શકે છે. કાળા ચોખા શરીરમાં મેટાબોલિઝમને સુધારે છે. જેના લીધે ચરબીના થર રહેલા હોય છે તે થર પોષકતત્વોમાં ફેરવાય જાય છે અને શરીરમાં લાભ કરે છે.

કાળા ચોખાનું સેવન હ્રદયને સ્વસ્થ રાખવામાં ઉપયોગી છે. તે ધમનીઓમાં પ્લાંક જામવાને રોકી શકે છે. પ્લાંક એક પ્રકારનો ચીકણો પદાર્થ હોય છે. આ પદાર્થ હ્રદય ધમનીઓમાં જામી જવાથી હ્રદય રોગ, હાર્ટએટેક અને સ્ટ્રોકનું જોખમ થઇ શકે છે. એવામાં કાળા ચોખાના સેવનથી આ પ્લાંકને જામતો રોકી શકાય છે અને સારા કોલેસ્ટ્રોલનુ સ્તર પણ વધી શકે છે અને હ્રદય રોગના જોખમને ઓછુ કરી શકાય છે.

લીવરમાં ડીટોક્સિફાઈ કરવામાં પણ આ કાળા રંગના ચોખા ઉપયોગી છે. આ ચોખા શરીરમાં રહેલી તમામ અશુદ્ધિઓને દૂર કરે છે. શરીરમાં અસંખ્ય અશુદ્ધીઓ હોય છે, જે આ ચોખાના સેવનથી દૂર થાય છે. કાળા ચોખામાં રહેલા ગુણ લીવરની સફાઈ કરે છે અને લીવરમાં રહેલા ઝેરી તત્વોને દૂર કરે છે, જે લીવરને સ્વસ્થ બનાવે છે.

મગજના સ્વાસ્થ્યમાં પણ આ બ્લેક રાઈસ ઉપયોગી થઈ શકે છે. કાળા ચોખામાં એંથોસાયનિન નામનું એક એન્ટીઓકસીડેંટ પ્રભાવ ધરાવતું ફ્લેવેનોઈડ હોય છે. જે મગજના રોગોમાં ખુબ ઉપયોગી છે. જે મગજના સ્વાસ્થ્ય માટે પણ ઉપયોગી છે. જે તણાવ અને અલ્ઝાઈમર ના રોગના જોખમને પણ ઘટાડી શકે છે.

ડાયાબીટીસ માટે તો આ ચોખા રામબાણ ઈલાજ છે. આ ચોખામાં એન્થો સાયનીન નામનું તત્વ લોહીમાં ગ્લુકોઝને ઓછું કરી શકે છે. એન્થોસાયનીન, ઈન્સુલીનની કાર્ય ક્ષમતા વધારે છે. આ ચોખાના સેવનથી શરીરમાં ઈન્સુલીન બને છે, જે સુગરનું પાચન અટકાવીને લોહીમાં વધારે પ્રમાણમાં ભળી જતા ગ્લુકોઝને અટકાવે છે. જેના લીધે ડાયાબીટીસમાંથી રછુટકારો આપવાનું કાર્ય આ કાળા ચોખા કરે છે.

કાળા ચોખામાં ફાઈબર નામનું પોષક તવ આવેલુ હોય છે જેના લીધે તે પાચન તંત્રને સુધારે છે. જે ખોરાકના કણોનું સારી રીતે પાચન કરી શકે છે. ફાઈબરને લીધે તે શરીરના પાચનને સુધારવામાં ઉપયોગી થાય છે. ખોરાક પચી જાય છે. માટે જો પાચન ક્રિયા બગડી હોય તો આ કાળા ચોખાનું સેવન કરી લેવું.

બ્લડપ્રેસરની સમસ્યાને ઠીક કરવા માટે કાળા ચોખા ખુબ ઉપયોગી છે. કાળા ચોખામાં આવેલા ડાયેટરી ફાઈબર હાઈબ્લડ પ્રેશરના જોખમને ઓછુ કરે છે. આ રીતે જો વધારે બ્લડપ્રેસર રહેતું હોય, તો નિયમિત રીતે કાળા ચોખાનું સેવન કરવું.

અસ્થમા જેવી શ્વાસની બીમારીના ઇલાજમાં પણ આ કાળા ચોખાને લઈ શકાય છે. સોજાને કારણે થતી ઘણી બધી બીમારીઓમાં કાળા ચોખામાં રહેલા ઈન્ફેલમેટરી ગુણ અસ્થમાની બીમારીના જોખમને ઓછુ કરવામાં સહાયક થાય છે. કાળા ચોખામાં ફ્લેવોનોઇડ આવેલા હોય છે, જે અસ્થમા માટે પ્રભાવકરી માનવામાં આવે છે.

આંખમાં ઘણા લોકોને તકલીફ થતી હોય છે. આ ચોખાના સેવનથી આંખોમાં પડતી તીવ્ર રોશનીને કારણે રેટીનાના ક્ષતિને રોકવામાં મદદ કરી શકે છે. ઘણા લોકોને આંખમાં વારંવાર તકલીફ રહે છે. જયારે કાળા ચોખામાં વધારાના હાનીકારક તત્વોની રોશનીને રોકવાના ગુણ હોય છે. જેના લીધે તે શરીરમાં અનેક ફાયદાઓ કરે છે.

આ આયુર્વેદિક ઉપચાર અને માહિતી સારી લાગી હોય તો નીચે આપેલા બ્લુ કલરના લાઈક બટન પર ક્લિક કરો જેથી તમને માહિતી ઝડપથી મળતી રહે. 

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

હિંગ
ઔષધી

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

August 26, 2022
ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય
આરોગ્ય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

August 20, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત
આરોગ્ય

લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત

July 27, 2022
અષ્ટાંગ આયુર્વેદ દ્વારા ચોમાસાની ઋતુમાં રોગો થી બચવા માટે સ્પેશ્યલ આયુર્વેદ ઉકાળો
ઘરેલું ઉપચાર

અષ્ટાંગ આયુર્વેદ દ્વારા ચોમાસાની ઋતુમાં રોગો થી બચવા માટે સ્પેશ્યલ આયુર્વેદ ઉકાળો

July 24, 2022
ચોમાસાની ઋતુમાં આ 6 વસ્તુઓનું ભૂલથી પણ સેવન કરવું નહિ
આરોગ્ય

ચોમાસાની ઋતુમાં આ 6 વસ્તુઓનું ભૂલથી પણ સેવન કરવું નહિ

July 6, 2022
Next Post
વીંછીનું ઝેર ઉતારવાની રીત

જાણી લો વીંછીનું ઝેર ઉતારવાની રીત, કોઈક દિવસ ચોક્કસ કામ લાગશે

ઊધઈને કાયમી દૂર કરવાનો ઉપાય

ઘર માંથી ઊધઈને કાયમી દૂર કરવાનો 100% અસરકારક ઉપાય

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

કેલ્શિયમ ધરાવતી વસ્તુ

100 મિલીગ્રામથી વધુ કેલ્શિયમ ધરાવતી વસ્તુનું સેવન કરો

June 15, 2022
આ રીતે ઘરે જ કંટોલા વાવી શકાય છે

આ રીતે ઘરે જ કંટોલા વાવી શકાય છે દોઢ મહિનામાં આવવા લાગશે કંટોલા

March 22, 2022
આ 5 વસ્તુ ફરીથી ગરમ કરીને ક્યારેય ન ખાવી જોઈએ

આ 5 વસ્તુ ફરીથી ગરમ કરીને ક્યારેય ન ખાવી જોઈએ

March 22, 2022

Popular Stories

  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
  • ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

    0 shares
    Share 0 Tweet 0
  • વગર દવાએ પેશાબમાં થતી તીવ્ર બળતરા અને ઉનવા માટે 100% અસરકારક ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In