Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

તૂટેલા હાડકા ને ખુબ જ ઝડપથી જોડવા માટે રામબાણ ઈલાજ છે આ એક ઔષધી

Deshi Osadiya by Deshi Osadiya
March 22, 2022
0
અસ્થીસંહાર

અસ્થીસંહાર

0
SHARES
Share on FacebookShare on Twitter

આ એક થોર જાતિમાં જોવા મળતો છોડ છે, જેનો ઉપયોગ ઘણી જગ્યાએ વાડમાં સુશોભન માટે પણ કરવામાં આવે છે. જે એક પ્રકારે વેલ જેવા હોય છે. જેના પર ગુંદા જેવા લીલા અને પછી લાલ ફળ આવે છે. આ છોડ લગભગ ભારતના બધા જ વિસ્તારોમાં જોવા મળે છે. જેને ગુજરાતીમાં ડીંડલીયો થોર કહેવામાં આવે છે તેમજ ગુજરાતના અમુક સ્થાનિક પ્રદેશમાં તેને ચૌધરી તેમજ હારસાંકળ પણ કહે છે. આ છોડ હાકડાને જોડવા માટે ખુબ જ ઉપયોગી હોવાથી તેને આપણા દેશમાં અસ્થિસંહાર અને હડજોડ તરીકે ઓળખવામાં આવે છે.

RELATED POSTS

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

આ અસ્થીસંહારના છોડમાં ખુબ જ પ્રમાણમાં ઔષધીય ગુણ મળી આવે છે જે ભાંગેલા હાડકાને મજબુત કરે છે અને તૂટેલા હાડકાની પ્રક્રિયાને વધારી દે છે જેનાથી ખુબ જ ઓછા દિવસમાં હાડકા જોડાઈ જાય છે. તેમાં ખુબ જ શ્રેષ્ઠ પોષકતત્વો હોય છે જે હાડકાઓને મજબૂત કરે છે. આપણા હાડકા સ્ટીલથી દશ ગણા મજબૂત હોય છે.

Join Group

જેના લીધે આપણા શરીરથી ઘણો વધારે ભાર આપણે ઉઠાવી શકીએ છીએ. પરંતુ જ્યારે આપણા શરીરમાં કેલ્શિયમ વગેરે તત્વોની ઉણપ થવા લાગે છે ત્યારે આપણા હાડકા કમજોર થઈ જાય છે અને નાની મોટી ઈજાથી પણ તૂટી જાય છે. આ માટે અસ્થીસંહારનો પ્રયોગ કરવામાં આવે છે કે જેથી આપણા હાડકા મજબુત બને.

આ છોડની અંદર પ્રોટીન, ચરબી, કાર્બોહાઈડ્રેટ, પેક્ટીન, મ્યુસીલેશ, કેલ્શિયમ, ઓક્ઝેલેટ, વિટામીન એ, વિટામીન સી, પોટેશિયમ, મેગ્નેશિયમ તથા ફોસ્ફેટ મળી આવે છે. અસ્થીસંહાર આયુર્વેદ અનુસાર તીખ્ત, કટુ, મધુર, ઉષ્ણ, લઘુ, ગુરુ, રૂક્ષ, કફ-વાત શામક, પાચક, બલકારક, દીપન તથા દસ્તાવર ગુણ ધરાવે છે. આ અસ્થીસંહાર બવાસીર, નેત્ર રોગ, શ્વાસ રોગ, કૃમિ, વૃદ્ધિ રોગ, ઘાવ, વાત રોગ, સુજન, હાડકાના રોગ વગેરેમાં ખુબ જ ઉપયોગી છે.

પાચન સંબંધી વિકારોને દૂર કરવા માટે અસ્થીસંહારના પાંદડાનો પ્રયોગ કરવામાં આવે છે. અસ્થીસંહારના પાંદડાનો રસ પાંચથી દશ મિલીની માત્રામાં લઈને મધમાં ભેળવીને પીવરાવવાથી પાચન ક્રિયા ઠીક થઈ જાય છે અને પેટ દર્દની સમસ્યા પણ દૂર થાય છે.

અસ્થીસંહારની ડાળીનો પ્રયોગ વધારે કરવામાં આવે છે. કોઈ કારણસર ફ્રેકચર થઈ જાય અને હાડકા તૂટી જાય છે તેવા સમયે અસ્થીસંહારનો પ્રયોગ કરવો ખુબ જ લાભકારી છે. જો અસ્થીસંહાર ન મળી શકે તો તેનાથી બનતી કેપ્સુલ અને દવાઓ આયુર્વેદિક સ્ટોર પર મળી રહે છે તેમજ ઓનલાઈન પણ મળે છે, જેમાં પતંજલિ, હિમાલયા, ધનવંતરી કંપનીની તૈયાર દવાઓ ઉપલબ્ધ છે.

અસ્થીસંહાર દેશી ઓસડીયા વાળાની દુકાનેથી પણ મળી રહે છે તેને સુકાવીને વાટીને તેનું ચૂર્ણ બનાવીને પ્રયોગ કરી શકો છો. તેની સુકાયેલી ડાળીઓ ઓનલાઇન પણ મળે છે. જેને તમે મંગાવી શકો છો. તેને ઘરે પીસીને કે ખાંડીને પાવડર બનાવી શકાય છે. 2 થી 3 ગ્રામની માત્રામાં આ પાવડરનું દુધની સાથે સવારે અને સાંજે સેવન કરવાથી તૂટેલા હાડકા ખુબ જ ઝડપથી જોડાવા લાગે છે. આ સૌથી આસાન અને સરળ ઉપયોગ છે.

અસ્થીસંહારના પાંદડા અને ડાળીઓને બારીક વાટીને લેપ તૈયાર કરીને આ લેપને લગાવવાથી પણ તૂટેલા હાડકાનું દર્દ, સોજો ધીરે ધીરે નાબુદ થાય છે. અસ્થીસંહારનો કાચો ઉપયોગ નહિ કરવો કારણ કે તે મોઢાને તતડાવી મુકે છે અને મોઢું આવી જાય છે. એટલા માટે અસ્થીસંહારનું ઘીમાં તળીને સેવન કરવામાં આવે છે. ઓછામાં ઓછા 15 દિવસ સુધી નિયમિત રીતે અસ્થિસંહારનું સેવન કરતા રહેવાથી હાડકાના બધા જ પ્રકારના રોગ ઠીક થઈ જાય છે. જેમાં સાંધાનો દુખાવો, ઘૂંટણનો દુઃખાવો, કમરનો દુઃખાવો, પીઠનો દુઃખાવો વગેરે મટે છે તથા તે વાત, વાયુ એટલે કે વાની સમસ્યાઓને દૂર કરે છે.

જે લોકોને હંમેશા કમરની ઉપરના ભાગે મણકા અને રીઢના હાડકામાં દર્દ રહ્યા કરે છે તેઓએ અસ્થિસંહારના પાંદડાને વાટીને તેમાં થોડીક હળદર ભેળવીને ગરમ કરીને તેનો રિઢના હાડકા પર લેપ કરી દેવાથી રીઢના હાડકાની સમસ્યા ઠીક થાય છે. એટલે કે શરીરના પાછળના મણકાનો દુખાવો ઠીક થાય છે. આ લેપ કર્યા બાદ ઉપર થોડો થોડો શેક પણ કરવો જોઈએ કે જેથી વધારે લાભ મળે છે. આ પ્રયોગ સતત થોડા જ દિવસો કરવાથી આ દર્દ સાવ નાબુદ થઈ જાય છે.

ચાલવા ફરવાથી અને ખોટી જગ્યાએ પગ રાખવાથી પગમાં મચકોડ ઘણા લોકોને આવી જાય છે. જેમાં ખુબ જ દર્દ થાય છે. આ મોચ- મચકોડને ઠીક કરવા માટે, મચકોડના દર્દને ઠીક કરવા માટે તેમજ સોજાને ઉતારવા માટે અસ્થિસંહારનો પ્રયોગ ખુબ જ લાભકારી છે. અસ્થિસંહારની ડાળીઓને વાટીને લુગદી બનાવી લેવી અને તેમાં તલનું તેલ નાંખીને પકાવવું. પકાવ્યા બાદ તેને ગાળીને રાખી લેવું. આ તેલને કોઈ કાચની બોટલમાં ભરી લેવું અને આ તેલ જરૂર પડે ત્યારે આ તેલની માલીશ કરવાથી મચકોડનો દુઃખાવો, સોજો વગેરે ઠીક થઈ જાય છે. આ તેલને સામાન્ય દર્દ પર પણ લગાવી શકાય છે જેનાથી લાભ થાય છે.

અસ્થિસંહાર ચામડીના રોગોમાં પણ ખુબ જ લાભકારી છે. તેના મૂળને સપાટ પથ્થર પર વાટીને દાદ, દાદર, ધાધર, ખાંજ, ખુજલી, ખસ, ખરજવું અને ઘાવ પર લગાવવાથી ઘાવ જલ્દી ભરાવા લાગે છે અને ચામડીના રોગ ઠીક થઈ જાય છે.

જ્યારે શરીરનું કોઈ અંગ સોલાય જાય કે ઘસાય જાય તેમજ ઈજા થાય કે કોઈ ભાગ કપાય તો ત્યાંથી લોહી નીકળવા લાગે છે. આ જગ્યા પર હડજોડને વાટીને કે પીસીને લગાવવાથી લોહી નીકળવાનું રોકાઈ જાય છે અને કપાયેલ ભાગ જોડાવા લાગે છે.

જે લોકો વાના રોગોથી પરેશાન છે તેઓ અડદની દાળ, તલનું તેલ તથા અસ્થિસંહારનો પાવડર આ બધાને લોટમાં ભેળવીને રોટલી બનાવીને ખાવાથી વાના રોગમાં નિશ્વિંત આરામ મળી જાય છે.

આમ, આ અસ્થિસંહાર, હડજોડ વાસ્તવમાં હાડકા સંબંધીત સમસ્યાઓમાં રામબાણ ઔષધી છે. આ છોડથી ઈલાજ કરવાથી ખુબ જ ઝડપથી હાડકા જોડાય કે અને હાડકાના રોગો અને દુખાવાઓ તેમજ સોજા મટાડે છે. અસ્થિ સંહાર આયુર્વેદમાં આ છોડનું મહત્વ ખુબ જ રહેલુ છે. અમે આશા રાખીએ કે આ અસ્થી સંહાર માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમને થયેલી હાડકાની તમામ પ્રકારની સમસ્યાઓને મટાડે.

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

હિંગ
ઔષધી

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

August 26, 2022
કબજિયાત માટેનો દેશી ઈલાજ
ઘરેલું ઉપચાર

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

August 21, 2022
ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય
આરોગ્ય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

August 20, 2022
ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે
ઘરેલું ઉપચાર

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

August 19, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત
આરોગ્ય

લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત

July 27, 2022
Next Post
નાભીમાં તેલના બે ટીપા નાખવાના અદભુત પ્રયોગ

સાંજે સુતી વખતે માત્ર બે ટીપા નાભિમાં નાંખવાના ફાયદા જાણી તમે ચકિત થઇ જશો

લીલા વટાણાના ફાયદા

સામાન્ય લાગતા લીલા વટાણા આટલી બિમારીઓમાં કરશે દવાનું કામ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ઔષધીનો મહા રાજા હરડે

દરરોજ સવારે નરણા કોઠે ખાલી બે ચપટી લેવાથી નાડમાં પણ રોગ નહિ રહે

June 15, 2022
દાંતનો દુઃખાવો કાયમ માટે દૂર કરશે

દવા વગર દાંતનો દુઃખાવો અને દાંતોની સડન ને કાયમ માટે દૂર કરશે

March 22, 2022
ઓપરેશન વગર હરસ-મસા કે પાઈલ્સને કાયમી દુર કરવાનો સરળ ઉપચાર

ઓપરેશન વગર હરસ-મસા કે પાઈલ્સને કાયમી દુર કરવાનો સરળ ઉપચાર

March 22, 2022

Popular Stories

  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
  • ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

    0 shares
    Share 0 Tweet 0
  • વગર દવાએ પેશાબમાં થતી તીવ્ર બળતરા અને ઉનવા માટે 100% અસરકારક ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In