Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

જો બાળક પથારી ભીની કરવાનું છોડતું ના હોય તો આ રહ્યો તેનો રસ્તો

Deshi Osadiya by Deshi Osadiya
March 22, 2022
0
બાળક પથારી ભીની કરવાનું

બાળક પથારી ભીની કરવાનું

0
SHARES
Share on FacebookShare on Twitter

દરેક માતાઓને આ સમસ્યાઓ પરેશાન કરતી હોય છે. બાળક નાનું હોય ત્યારે પથારીમાં પેશાબ કરી કરે છે, જેના લીધે વારંવાર પથારી ધોવી પડતી હોય છે. પથારીમાં રાત્રે વાસ આવે છે, જેનાથી ખાસ કરીને માતાપિતા પરેશાન રહે છે. આ સમસ્યા નાના બાળકોમાં જોવા મળે તે સહજ છે, પરંતું ઘણી વખત બાળક મોટું થાય થાય ત્યાંરે પણ આ આદત છોડતું નથી.

RELATED POSTS

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

આ માટે ઘણા લોકો અવનવા ઉપાયો શોધતા હોય છે. ઘણી વખત દવાખાનામાં પણ બતાવતા હોય છે. જો કે આ આયુર્વેદ પ્રમાણે બતાવેલા ઉપાયોથી કરવાથી પણ ઠીક થઈ જાય છે. આ સમસ્યાને બેડ વેટીંગ કહેવામાં આવે છે. આ સમસ્યા ઘણી વખત બાળકને અને માતાપિતાને સામાજિક અને કૌટુબિંક રીતે શરમ જનક સ્થિતિમાં મૂકી શકે છે.

Join Group

આ સમસ્યા લગભગ 15 થી 20 ટકા બાળકોમાં જોવા મળે છે. આ સમસ્યાના ઈલાજ માટે પહેલા આપણે એ જાની લેવું જોઈએ કે આ સમસ્યા શા કારણે થાય છે. બાળકોમાં કોઈ કારણ જોવા મળતું હોય છે જેના લીધા બાળક રાત્રે અજાણતા જ પથારીમાં પેશાબ કરી જાય છે. પેશાબની કોથળી, તેને સપોર્ટ કરનારા સ્નાયુઓ, જે ચેતાતંતુઓમાં કોઈ જ્ગ્યાએ શીથીલતા આવવાથી આ સમસ્યા થઇ શકે છે.

જયારે જન્મથી દોઢ વર્ષ સુધીના બાળકને આ સમસ્યા સામાન્ય રીતે હોય છે. જે એક સામાન્ય સમસ્યા છે. આ સમયે બાળકનું મગજ બરાબર વિકસિત નથી હોતું કે આ બધી ક્રિયાઓને કન્ટ્રોલ કરી શકે. પરંતુ જયારે ઘણી વખત આ દોઢ વર્ષ બાદ પણ 10 કે 12 વર્ષ સુધીનાં બાળકોમાં પણ આ સમસ્યા જોવા  મળતી હોય છે. જે એક ચિંતા જનક સ્થિતિ છે.

જયારે આ સમસ્યા મોટી ઉમરમાં જોવા મળે તો એ એક પ્રકારે શરમ જનક સમસ્યા છે સાથે માનસિક રીતે પણ પરેશાન કરી મુકે તેવી સમસ્યા છે. આ સમસ્યાને લીધે બાળક તણાવ કે ડીપ્રેશનમાં પણ જઈ શકે છે. આ સમસ્યા થવાના કારણોમાં પેશાબની કોથળીની આજુબાજુના સ્નાયુઓ આ બધી ક્રિયાઓનું નિયમન કરતા હોય છે. જેના લીધે આપણને જયારે ઈચ્છા થાય તે વખતે જ કુદરતી આવેગોને છોડીએ છીએ, પરંતુ ક્યારેક કોઈ સમસ્યાને લીધે આવા સ્નાયુઓ પરનો કાબુ જતો રહે તો આ આવેગો ઉપર કાબુ રહી શકતો નથી. આ રીતે રાત્રે પેશાબ પણ પથારીમાં જ થઇ જતો હોય છે.

ક્યારેક બાળકોને સતત ભય, ડર રહેતો હોય તો પણ આ સમસ્યા થઇ શકે છે. જેમાં શાળામાંથી પ્રેસર, કોઈએ દિવસે બાળકને ડરાવ્યું હોય, બાળકને ધમકાવ્યું હોય, વધારે પ્રમાણમાં માર મારવામાં આવ્યો હોય અથવા ડરામણી વાતો કરવામાં આવી હોય કે પછી ડરામણી જગ્યાએ ફરવા ગયા હોય, ડર લાગે તેવી ઘટના બની હોય તેની અસર બાળક ઉપર પડે છે અને રાત્રે પથારીમાં પેશાબ કરી જાય છે.

ઘણી વખત પેટમાં કૃમિ પ્રમાણ વધી જાય, પેટમાં પરજીવીઓ વધી જાય તો પણ આ સમસ્યામાં તે બાળકને અસર કરે છે. કૃમિના કારણે ઘણા બાળકોમાં આ સમસ્યા જોવા મળતી હોય છે. આ સમસ્યામાં બાળક દાંત કચકચાવતું હોય છે. ઘણી મળદ્વારના ભાગમાં ખંજવાળ આવતી હોય છે.

ટાઈપ-1 ડાયાબીટીસસની સમસ્યા જે લોકોમાં હોય તેવા લોકોમાં આ સમસ્યા જોવા મળી શકે છે. આ ડાયાબીટીસમાં વ્યક્તિના શરીરમાં ઇન્સુલીન બનતું હોતું નથી. ઘણી વખત નાના બાળકોમાં ટાઈપ-1 ડાયાબીટીસની સમસ્યામાં પણ આ સમસ્યા જોવા મળે છે.

આ સિવાય UTI ઇન્ફેકશન હોય ઘણી વખત બાળકોમાં જોવા મળતું હોય છે. જેમાં પેશાબના માર્ગની અંદર સોજા આવી જાય છે અને સંક્રમણ થાય તેવા વખત પણ આ સમસ્યા જોવા મળે છે. કબજિયાત, સ્ટ્રેચ, માનસિક તણાવ આ બધા કારણોના લીધે આ સમસ્યા થતી જોવા મળે છે.

આ સમસ્યા બાળકોમાં બે પ્રકારે જોવા મળે છે. જેમાં આ સમસ્યા બાળકોમાં થાય તો તેને સરળતાથી મટાડી છે. આ જેમાં પ્રથમ પ્રકારમાં આ સમસ્યા થાય તો થોડા ઉપાયો કરવાથી તે સમસ્યા મટી જાય છે. જયારે બીજા પ્રકારમાં આ સમસ્યા મટી ગયા બાદ પણ ક્યારેક આ સમસ્યા ફરી વખત થઇ શકે છે. આ પ્રકારની સમસ્યા મોટા બાળકોમાં વધારે જોવા મળતી હોય છે.

આ સિવાય બાળકો વધારે પડતું મીઠા વાળું ખાતા હોય, ચોકલેટ, કાર્બોનેટીક ડ્રીન્કસ, ચા, કોફી જેવા કેફીન વાળા પદાર્થ, ફ્રુટ જ્યુસ, વધારે પડતું તીખું ભોજન લેવું વગેરેમાં આ સમસ્યા જોવા મળે છે. આં સિવાય અત્યારે જે પેકેજમાં જે નાસ્તા જેવા ખોરાક મળે છે તેના લીધે પણ આ પથારીમાં પેશાબ કરવાની સમસ્યા થતી હોય છે.

આ સમસ્યાના ઈલાજ માટે તમારે આમળાનો પાવડર લેવો. આ પાવડરના બાળકની ઉમરના પ્રમાણમાં મરી નાખવા. આ બંનેને મિક્સ કરી પાણીમાં નાખીને તેનો ઉકાળો બનાવવો. આ માટે તમે એક ગ્લાસ પાણીમાં આ પાવડર નાખી તેમાંથી અડધું પાણી બળી જાય પછી તેને નીચે ઉતારી ઠંડું પડવા દેવું. આ પછી તેને ગાળી લઈને પછી તેને બાળકને પીવરાવી દેવું.

આ ઉકાળો પીવરાવવાથી બાળકને પથારીમાં પેશાબ કરવાની આદત છૂટી જાય છે. અ સિવાય તજનો નાનો ટુકડો બાળકને મોઢામાં સુચવા માટે આપવો. જો બાળકને તજ ન ભાવે તો તજનો પાવડર બાળકના ભોજનમાં નાખીને ખવરાવી દેવો. તજ પણ ખુબ જ ઉપયોગી છે તેમજ આમળાના પાવડર અને મરીના પાવડરનો ઉકાળો પણ બાળક માટે ઉપયોગી છે અને આ આદત છોડાવી શકે છે.

આ સહીત રાત્રે બાળકને સુવરાવતી વખતે પેશાબ કરવાની ટેવ પાડો. આ રીતે થોડા દિવસો સુધી બાળકની આવી રીતે કાળજી રાખવાથી અને આ મિશ્રણ પીવરાવવાથી બાળકની પેશાબ કરવાની આદત છૂટી જાય છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય તમે આ ઉપાય કરીને તમારા બાળકની રાત્રે પથારીમાં પેશાબ કરવાની સમસ્યા છોડાવી શકો.

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

હિંગ
ઔષધી

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

August 26, 2022
કબજિયાત માટેનો દેશી ઈલાજ
ઘરેલું ઉપચાર

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

August 21, 2022
ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય
આરોગ્ય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

August 20, 2022
ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે
ઘરેલું ઉપચાર

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

August 19, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત
આરોગ્ય

લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત

July 27, 2022
Next Post
આયુર્વેદિક ધંધામાં લગાવો માત્ર 50 હજાર રૂપિયા

આ આયુર્વેદિક ધંધામાં લગાવો માત્ર 50 હજાર રૂપિયા, 10 વર્ષ સુધી થશે ઉત્તમ કમાણી

અજમાનું પાણી

જાણો સવારે ભૂખ્યા પેટે અજમાનું પાણી પીવાથી અસંખ્ય બીમારીઓ થાય છે નાબુદ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ઊધઈને કાયમી દૂર કરવાનો ઉપાય

ઘર માંથી ઊધઈને કાયમી દૂર કરવાનો 100% અસરકારક ઉપાય

March 22, 2022
કોરોના કાળમાં આ આયુર્વેદિક ઉકાળાઓનું સેવન કરી ઈમ્યૂનિટી કરો બુસ્ટ

કોરોના કાળમાં આ આયુર્વેદિક ઉકાળાઓનું સેવન કરી ઈમ્યૂનિટી બુસ્ટર બનાવો ઘર બેઠા

February 25, 2022
સરગવો એક ઉત્તમ ઔષધી

સરગવાના પાવડરને કહેવાય છે ધરતી પરની સંજીવની

March 22, 2022

Popular Stories

  • ધાધર નો ઘરેલુ ઉપચાર

    ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • કમળા માટે 10 ઘરેલું રામબાણ ઉપચાર, ગમે તેવો કમળો થઇ જશે સારો

    0 shares
    Share 0 Tweet 0
  • દરેક રોગોનો રામબાણ ઈલાજ છે આ રસાયણ ચૂર્ણ, જાણો ઘરે રસાયણ ચૂર્ણ બનાવાની રીત

    0 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In