Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home આરોગ્ય

બાજરો ખાવાથી શરીરમાં જે થાય છે જે અત્યાર ના 90% લોકોને ખબર જ નથી

Deshi Osadiya by Deshi Osadiya
March 22, 2022
0
બાજરો ખાવાના ફાયદા

બાજરો ખાવાના ફાયદા

0
SHARES
Share on FacebookShare on Twitter

બાજરો એક એવું ધાન્ય છે જે ગુજરાતના ગામડાના લોકો વર્ષોથી ખાય છે. શિયાળો, ઉનાળો અને ચોમાચું એમ ત્રણેય ઋતુમાં તેનો પાક પાકે છે. પહેલાના વડીલો દરરોજ નિયમિત રીતે બાજરાના રોટલાનું જ સેવન કરતા હતા. જો કે આજના સમયમાં શહેરી વિસ્તારમાં તો બાજરાનું સેવન નહિવત પ્રમાણમાં થઈ ગયું છે. જ્યારે ગામડાના લોકો પણ ઘઉંની રોટલી તરફ વળ્યા છે. અમે આ લેખમાં બાજરો ખાવાથી થતા ફાયદાઓ વિશે જણાવીશું.

RELATED POSTS

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

બાજરો અન્ય ધાન્યોની સરખામણીએ સૌથી પૌષ્ટિક અને શક્તિશાળી ધાન્ય છે. જે ભારતમાં હરિયાળા, રાજસ્થાન અને ગુજરાતના કેટલાક વિસ્તારો પાકે છે અને ગામડાના લોકો રોટલા કરીને પુષ્કળ પ્રમાણમાં ખાય છે. બાજરામાં શરીરમાં જરૂરી એવા પોષક તત્વો બહુ જ સહેલાઈથી મળી આવે છે.

Join Group

બાજરો એ આપણા દેશનું પ્રાચીન ભોજન છે. જે શરીર માટે ખુબ જ ફાયદેમંદ છે. બાજરો સ્વાદમાં જેટલો સ્વાદિષ્ટ છે એટલો શરીર માટે બહુ જ ગુણકારી અને ફાયદો કરનારો છે. બાજરામાં ઘઉં કરતા વધારે પ્રમાણમાં ઉર્જા ધરાવે છે જેથી શરીરને વધારે શક્તિ મળે છે.

જે લોકો ખુબ જ પ્રમાણમાં શારીરિક પરિશ્રમ કરે છે અને ખેતરો ના કામ સાથે સંકળાયેલા છે તેવા લોકોને શક્તિ જાળવી રાખવા માટે બાજરાનું સેવન કરવું ખુબ જ હિતાવહ છે. બાજરાના રોટલા અને ગાયનું ઘી ખાવાથી શરીર માટે અનેક ગણું પોષણ પૂરું પાડે છે અને ખુબ ઉત્તમ ખોરાક છે. જેના લીધે શરીર મજબુત બને છે, અને શક્તિમાં પણ વધારો કરે છે.

બાજરો અગ્નિદીપક છે. જે લોકોને હોજરીનો અગ્નિ મંદ પડી ગયો છે એવા લોકો માટે બાજરો સહાયક છે. જે લોકોની પાચન શક્તિ નબળી પડી ગઈ છે એવા લોકો માટે બાજરો લાભદાયક છે. બાજરાથી ભૂખ પણ સારી લાગે છે અને પાચન પણ બરાબર થાય છે.

જે લોકો જાડાપણું ધરાવે છે, ખુબ જ વજન ધરાવે છે તેમના માટે બાજરો ખાવો હિતકર છે. બાજરો વજન ઘટાડવામાં ઉપયોગી છે. જે લોકો બાજરાનું સેવન કરે તો વજન ઘટે છે. બાજરાનું ધાન્ય, બાજરાના રોટલા અને તેની રાબ ખુબ ઉપયોગી થાય છે. બાજરો ખાવાથી પેટ ભરેલું લાગે છે જેના લીધે ભૂખ ઓછી લાગે છે. જેના લીધે વજન ઘટાડવામાં ઉપયોગી છે.

બાજરામાં પુષ્કળ પ્રમાણમાં કેલ્શિયમ હોય છે જેના લીધે આપણા હાડકા મજબુત રહે છે. જે બાળકો અને વૃદ્ધોમાં હાડકાની નબળાઈ હોય તેને મજબૂતાઈ આપે છે. માટે કેલ્શિયમની ઉણપ વાળા લોકોએ બાજરો ખોરાકમાં લેવો જોઈએ.

બાજરામાં ફાઈબર રહેલું હોય છે એટલા માટે પાચન ક્રિયાને સરળ બનાવવા માટે પણ ઉપયોગી છે. ડાયાબિટીસના દર્દીઓ માટે પણ બાજરો ઉપયોગી છે. જે લોકોને ડાયાબીટીસ હોય તેવા લોકોને ઘઉં અને ચોખાની વાનગીઓ ખાવી નુકશાન કારક છે. એવા લોકો માટે બાજરો જરૂરી છે. બાજરો ડાયાબીટીસમાં શુગરને કન્ટ્રોલમાં કરે છે.

બાજરો મગજને શાંત રાખનારો છે. બાજરો ડીપ્રેશન, માનસિક તણાવ, ઊંઘ ન આવતી હોય, એ તમામ સમસ્યાઓ દૂર કરે છે. ગામડામાં મોટે ભાગે બાજરાનો રોટલો અને ગાયનું દૂધ અથવા તો ભેંશનું દૂધ સાંજે ભોજનમાં સેવન કરે છે અને ડાબા પડખે સુવાથી સારી ઊંઘ આવે છે અને માણસનું મગજ પણ શાંત રહે છે.

ઘણા લોકોને માથામાં દુખાવાની સમસ્યા થતી હોય છે. આમાં તણાવ અને થાકના કારણે માથામાં દુખાવો થતો હોય તેને બાજરાની પોટલી બનાવીને શેકઆપવાથી માથામાં થનારા દુખાવામાં આરામ મળે છે.

ખાવા પીવામાં અસંતુલનના કારણે જો પેટમાં ગરબડની સમસ્યા થતી હોય તો આ બાજરાનો ઉપયોગ કરવાથી જલ્દી આરામ મળે છે. બાજરો શેકીને તેની પોટલી બનાવીને પેટ પર શેક કરવાથી પેટના દર્દમાં જલ્દી આરામ મળે છે. જે લોકોને પેટ સંબંધી સમસ્યાઓ રહેતી હોય તો બાજરાનું સેવન કરવાથી તે ધીરે ધીરે ઠીક થાય છે.

જો ઘણા લોકોને ઝાડા રોકાઈ નહી રહ્યા હોય તો બાજરાનું સેવન કરવાથી ઝાડા અને અજીર્ણ કે અપચાથી જલ્દી રાહત મળે છે. લગભગ 200 ગ્રામ દહીંમાં 35 ગ્રામ સાકર ભેળવીને બાજરામાં ઘી ચોપડી રોટલી સાથે ખાવાથી દરરોજ સવારે એક મહિના સુધી સેવન કરવાથી વાઈના ઇલાજમાં લાભ મળે છે.

5 ગ્રામ બાજરાના ચૂર્ણમાં 18 ગ્રામ જુનો ગોળ તથા 2 ગ્રામ આકાશવલ્લીનો પેસ્ટ ભેળવીને 3 ગોળી બનાવીને દરરોજ 1 ગોળીનું સેવન કરવાથી તથા બીલીના પાંદડાથી કે કોઈ વસ્તુ સાથે લપેટીને બાંધવાથી સ્નાયુક રોગમાં લાભ થાય છે.

બાજરામાં એન્ટી ઓક્સીડેન્ટ, સેલેનીયમ, વિટામીન સી, વિટામીન ઈ મળી આવે છે જે ચામડીને સ્વાસ્થ્યપ્રદ બનાવવામાં મદદ કરે છે. એન્ટીઓક્સીડેંટ ચામડીને ફ્રી રેડિકલ્સથું બચાવે છે. ફ્રી રેડીકલ ચામડીને ખરાબ કરી શકે છે. વિટામીન સી ચામડીને સૂર્યના હાનીકારક કિરણોથી બચાવી રાખવામાં મદદ કરે છે.

બાજરાના દાણામાં બરાબર હિંગ, ગોળ કે કેળામાં ભેળવીને ખાવાથી ઓડકાર આવવાનું બંધ થઈ જાય છે. બાજરાના લોટમાં વાટેલી સુંઠ તથા પીસેલો સિંધવ ભેળવીને માલીશ કરવાથી પરસેવો આવવાનો બંધ થઈ જાય છે.

બાજરો પાચન તંત્ર ઠીક રાખવામાં મદદ કરે છે, એવામાં ગેસ, કબજિયાત, ઉલ્ટી, ઝાડાની સમસ્યાથી પરેશાન રહેતા હોય તેઓએ નિયમિત રીતે બાજરાની રોટલીનું સેવન કરવું જરૂરી છે. બાજરો પેટ દર્દનું રામબાણ ઔષધ છે, આ માટે પેટ દર્દ થવા પર બાજરાની પોટલી બનાવીને તેને ગરમ કરીને શેક કરવો. એનાથી પેટ દર્દ થોડા જ સમસ્યામાં નાશ પામે છે.

ગઠીયો વા હોય તેના માટે પણ બાજરો ઉપયોગી છે. બાજરાની તાસીર ગરમ હોય છે. એવામાં તમે સાંધાના દર્દ, ઘૂંટણના દર્દ, પીઠમાં દર્દ વેગેરે ગઠીયો વાની સમસ્યા હોય છે, આ માટે નિયમિત રીતે બાજરાથી બનેલા પૌષ્ટિક આહારનું સેવન કરવું જોઈએ.

બાજરો કેન્સરથી ગુણોથી ભરપુર હોય છે. તે કેંસર કોશિકાઓને શરીરમાં ફેલાવાથી રોકી શકે છે. તેના સેવનથી ભયાવહ બીમારીઓથી બચી શકાય છે. કેન્સરના દર્દીઓને બાજરાનું સેવન લાભદાયક છે. બાજરામાં આયર્ન હોય છે, જેના લીધે શરીરમાં આયર્ન કે લોહ તત્વની ઉણપ સર્જાતી નથી. બાજરો શરીરમાં હિમોગ્લોબીનનું નિર્માણ ઝડપથી કરે છે અને શરીરમાં પ્લેટલેટ્સને સામાન્ય રાખે છે. માટે બાજરાનું સેવન કરવાથી લોહીની ઉણપ સર્જાતી નથી અને લોહી બને છે.

આમ, બાજરો આપણા શરીર માટે ખુબ જ ઉપયોગી છે માટે નિયમિત સેવન કરવું જોઈએ. આ બાજરાનું સેવન કરવાથી ઉપરોક્ત તમામ સમસ્યાઓમાં ખુબ જ ઉપયોગી છે. તે શરીરમાં શક્તિ અને ઉર્જા આપવા સાથે અનેક સમસ્યાઓને ઠીક કરવામાં મદદરૂપ થાય છે. અમે આશા રાખીએ કે આ બાજરા વિશેની માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમે બાજરાનું સેવન અને ઉપયોગ કરીને સ્વસ્થ રહી શકો.

આ આયુર્વેદિક ઉપચાર અને માહિતી સારી લાગી હોય તો નીચે આપેલા બ્લુ કલરના લાઈક બટન પર ક્લિક કરો જેથી તમને માહિતી ઝડપથી મળતી રહે. 

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

હિંગ
ઔષધી

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

August 26, 2022
કબજિયાત માટેનો દેશી ઈલાજ
ઘરેલું ઉપચાર

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

August 21, 2022
ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય
આરોગ્ય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

August 20, 2022
ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે
ઘરેલું ઉપચાર

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

August 19, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત
આરોગ્ય

લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત

July 27, 2022
Next Post
તૂટેલા હાડકા નો ઘરેલું ઉપચાર

ગમે તેવા તૂટેલા હાડકા ને ખુબ જ ઝડપથી જોડવા મદદ કરશે આ ઔષધી

છાતી અને ગળામાં જામેલા હઠીલા કફ ને જાદુઈ રીતે દૂર કરશે

છાતી અને ગળામાં જામેલા હઠીલા કફ ને જાદુઈ રીતે દૂર કરશે આ દેશી ઉપચાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

15 ઔષધી છોડ

દવાખાને હજારો રૂપિયા બચાવવા હોય તો આ 15 માંથી 7 ઔષધી ઘરે જ વાવી દો

March 22, 2022
આયુર્વેદ બ્લેક ફંગસ મ્યુકોરમાઈકોસિસ સામે 100 ટકા સફળ

આયુર્વેદ બ્લેક ફંગસ મ્યુકોરમાઈકોસિસ સામે 100 ટકા સફળ

March 22, 2022
બાળક પથારી ભીની કરવાનું

જો બાળક પથારી ભીની કરવાનું છોડતું ના હોય તો આ રહ્યો તેનો રસ્તો

March 22, 2022

Popular Stories

  • ધાધર નો ઘરેલુ ઉપચાર

    ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • કમળા માટે 10 ઘરેલું રામબાણ ઉપચાર, ગમે તેવો કમળો થઇ જશે સારો

    0 shares
    Share 0 Tweet 0
  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
  • વગર દવાએ પેશાબમાં થતી તીવ્ર બળતરા અને ઉનવા માટે 100% અસરકારક ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In