Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home ઔષધી

તાવ, શરદી, કફ, દમ, હ્રદય રોગ, પથરી જેવા 50થી વધુ રોગોનો 100% ઉપચાર છે આ મહાઔષધી

Deshi Osadiya by Deshi Osadiya
February 25, 2022
0
બહેડા ના ફાયદા

બહેડા ના ફાયદા

0
SHARES
Share on FacebookShare on Twitter

બહેડા ભારત દેશમાં સર્વત્ર જોવા મળતી વનસ્પતિ છે. ખાસ કરીને તે નીચલા પર્વતીય પ્રદેશોમાં વધારે જોવા મળે છે. ફેબ્રુઆરી- માર્ચ બાદ આ વૃક્ષને નવી કુંપળો ફૂટે છે અને નવા પાંદડા આવે છે. અ સાથે મે મહિના સુશી ફૂલ ખીલે છે થતા આગળની જાન્યુઆરી- ફેબ્રુઆરીમાં ફળ પાકે છે.

RELATED POSTS

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

બહેડાનું વૃક્ષ 60-80 ફૂટ ઊંચું, પ્રકાંડ થડ સીધું, અંડાકાર, ફેલાયેલી શાખાના અડધા ભાગમાં સમુહમાં હોય છે. ફૂલ સફેદ અથવા પીળા રંગના ૩ થી 6 ઈંચ લાંબા મંજરીઓમાં હોય છે. ઉપરના ફુલ નર અને નીચેના ફળ નર અને માદા એમ બંને પ્રકારના ઉભયલિંગી હોય છે. ફળ અડધા ઇંચના વ્યાસના ધૂળિયા રંગના, રોમ વાળા, ગોળાકાર, પાછળની ડીટી તરફ સકોચન પામેલા હોય છે. ફળ સુકાવા પર ધારદાર અથવા હલકા પંચકોણીય માલુમ હોય છે. તે એક બીજ હોય છે.

Join Group

બહેડા ઔષધી

બહેડાનું વાનસ્પતિક નામ Terminalia belirica (Gaerth) Roxb. છે તેમજ તેનું લેટીન નામ Belleric myrobalan છે. બહેડાને ઈંગ્લીશમાં Siamese terminalia, Bastard myrobalan છે. જેને સંસ્કૃતમાં ભૂતવાસા, વિભીતક, અક્ષ, કલિ દ્રુમ જેવા નામોથી ઓળખવામાં આવે છે. અને અહિયાં બહેડાના ફાયદાઓ વિશે જણાવી રહ્યા છીએ. જે આયુર્વેદિક ઔષધી તરીકે ઘણાબધાં રોગના ઈલાજ તરીકે ઉપયોગી છે.

શરદી, ઉધરસ અને કફ: બહેડાનીની છાલ રાત્રે સુતા સમયે મોઢામાં રાખીને સૂચી લેવાથી ગળામાં ફસાયેલો કફ નીકળી જાય છે જેના લીધે શરદી દુર થાય છે.
બહેડાનું ચૂર્ણ 3 થી 6 ગ્રામની માત્રામાં સવારે અને સાંજે ગોળ સાથે ખાવાથી ખાંસીના રોગમાં ખુબ જ લાભ મળે છે. બહેડાની અંદરનો ગર્ભ કે છાલને શેકીને મોઢામાં રાખવાથી ખાંસી દુર થાય છે.

250 ગ્રામ બહેડાની છાલ, 15 ગ્રામ નવસારને શેકીને અને 10 ગ્રામ સોના ગેરુને વાટીને રાખી લો. આ મિશ્રણમાં મધ ભેળવીને સવારે અને સાંજે ખાવાથી શરદી મટે છે. બહેડાની છાલનો ટુકડો મોઢામાં રાખવાથી શરદી મટે છે.

વાળની બીમારી: બહેડા ફળના ગર્ભનું તેલ વાળ માટે અન્યંત પોષ્ટિક છે. તેનાથી વાળ સ્વસ્થ રહે છે. 2 ચમચી બહેડાના ફળના ચૂર્ણને લઈને એક કપ પાણીમાં રાતભર પલાળીને રાખી દેવાથી અને સવારે વાળના મૂળ પર લગાવવાથી અને 1 કલાક પછી વાળને ધોવાથી વાળ ખરવાના બંધ થાય છે.

આંખોના રોગ: બહેડા અને સાકરને બરાબર માત્રામાં મિશ્રણ કરીને સેવન કરવાથી આંખોની રોશની વધે છે. તલનું તેલ, બહેડાનું તેલ, ભાંગરાનો રસ તથા વિજયસારનો ઉકાળો લઈને તેને લોખંડના વાસણમાં તેલમાં પકાવીને દરરોજ સેવન કરવાથી આંખોની રોશની વધે છે. બહેડાની છાલને મધ સાથે ભેળવીને લેપ કરવાથી આંખનો દુખાવો નાશ પામે છે. બહેડાના ગર્ભનું ચૂર્ણ મધ દાથે ભેળવીને કાજળની જેમ લગાવવાથી આંખનો દુખાવો અને સોજો મટે છે. બહેડાના બીજના મજજાણા ચૂર્ણને મધ સહે ભેળવીને તેનો પેસ્ટ બનાવીને દરરોજ સવારે કાજળની જેમ લગાવવાથી આંખના રોગ નાશ પામે છે.

દમ: બહેડા અને હરડેની છાલને બરાબર માત્રામાં લઈને ચૂર્ણ બનાવીને તેને 4 ગ્રામની માત્રામાં સેવન કરવાથી દમ અને ખાંસીની સમસ્યામાં ફાયદો થાય છે. બહેડાના બીજ સાથેના ફળના ૩ થી 6 ગ્રામ છાલોને મોઢામાં રાખીને સુચવાથી ખાંસી અને દમના રોગમાં લાભ થાય છે. બહેડાના ફળની છાલના ચૂર્ણમાં (10 ગ્રામ)માં અધિક માત્રામાં મધ ભેળવીને ચાટવાથી દમની ગંભીર બીમારી તથા હેડકીમાં ખુબ લાભ થાય છે.

ગળાનો રોગ: બહેડા, આમળા, કાળા મરી તથા ગળોને સરખા ભાગનું ચૂર્ણ બનાવીને એક થી બે ગ્રામ લઈને મધ સાથે દિવસમાં ત્રણ વખત ચાટવાથી ગળાનો અવાજ બેસી ગયો હોય તો ખુલે છે. બહેડા, લીંડી પીપર, સિંધવ મીઠું તેના ચૂર્ણને કાંજી સાથે સાથે ભેળવીને સેવન કરવાથી અવાજ ખુલે છે.

કીડનીની પથરી: બહેડાના ફળના મજ્જામાં 3-4 ગ્રામ ચૂર્ણમાં મધ ભેળવીને લેવાથી અને તેને સવારે અને સાંજે ચાટવાથી કીડનીની પથરીમાં લાભ થાય છે.

ખાંસી: બહેડાની છાલોને સુચવાથી ખાંસીમાં લાભ થાય છે. બકરીના દુધમાં અરડૂસી, કાળું મીઠું અને બહેડા નાખીને પકાવીને  ખાવાથી દરેક પ્રકારની ખાંસી મટે છે. બહેડાના 10 ગ્રામ ચૂર્ણમાં મધ ભેળવીને તેને સવારે અને સાંજે ભોજન પછી ચાટવાથી સુકી ખાંસી તથા જુનો દમ રોગ મટે છે. બહેડાના ફળમાં ઘી ચોપડીને તેના ઉપર તેમાં લોટનો લેપ કરીને પકાવીને ચામડીના તાપમાન બરાબર ઠંડા થાય ત્યારે તેના ઉપરથી લોટ કાઢીને બહેડાની છાલોને સુચો. જેનાથી ખાંસી અને શરદી, દમ અને ગળું બેસવાથી સમસ્યામાં લાભ મળે છે.

હ્રદય રોગ: બહેડાના ફળના ચૂર્ણ તથા અશ્વગંધાના ચૂર્ણને સરખી માત્રામાં લઈને ભેળવીને તેને 5 ગ્રામની માત્રામાં લઈને ગોળ ભેળવીને ગરમ પાણી સાથે સેવન કરવાથી હ્રદય રોગમાં લાભ થાય છે. બહેડાના વૃક્ષની છાલનું ચૂર્ણ 2 ચપટી દરરોજ દરરોજ ઘી અથવા ગાયના દૂધ સહે સેવન કરવાથી હ્રદયના ધબકારા ઠીક થાય છે.

કબજિયાત: કબજીયાતના ઈલાજ માટે બહેડા ખુબ જ ઉપયોગી છે. જે કબજિયાતને પાચન તંત્ર ઠીક કરીને મટાડે છે. કબજિયાત મટાડવા કબજિયાતના ઈલાજ તરીકે બહેડા અડધા પાકેલા ફળને વાટી લેવા. વાટી લીધા બાદ તેને દરરોજ એક એક ચમચીની માત્રામાં થોડા પાણી સાથે લેવાથી કબજીયાત મટે છે તેમજ પેટ સાફ થાય છે.

ઝાડા: બહેડાના ફળના ૩-6 ગ્રામ ચૂર્ણને ખાધા બાદ સેવન કરવાથી પાચનશક્તિ ઠીક થાય છે. બહેડાના વૃક્ષની 2-5 ગ્રામ છાલ અને 1-2 નંગ લવિંગને વાટીને 1 ચમચી મધમાં ભેળવીને દિવસમાં ૩ થી 4 વખત ચાટવાથી ઝાડામાં લાભ થાય છે. બહેડાના 2 થી ૩ તળેલા ફળનું સેવન કરવાથી ઝાડાની ગંભીર બીમારી ઠીક થાય છે. બહેડાના ફળને બાલીએ રાખને એકઠી કરીને તેમાં ચોથા ભાગની માત્રામાં કાળું મીઠું ભેળવીને 1 ચમચી દિવસમાં 2 થી ૩ વખત લેવાથી ઝાડાની સમસ્યામાં રાહત થાય છે.

પેશાબમાં બળતરા: બહેડાના ફળના મજ્જાના 3 થી 4 ગ્રામ ચૂર્ણમાં મધ ભેળવીને તેને સવારે અને સાંજે ચાટવાથી પેશાબમાં થતી બળતરા મટે છે.

નપુંસકતા: ૩ ગ્રામ બહેડાનું ચૂર્ણમાં 6 ગ્રામ ગોળ ભેળવીને, દરરોજ સવારે અને સાંજે સેવન કરવાથી નપુસંકતા મટે છે. અને કામોત્તેજના વધે છે. દરરોજ બહેડાની છાલનુ સેવન કરવાથી કામ શક્તિ વધે છે. બહેડાની મજ્જા વાંઝીકરણ છે એટલે તેના બીજનું પ્રતિદિન સેવન કરવાથી નપુંસકતા રોગ દુર થાય છે અને ઉત્તેજના વધે છે.

ચામડીના રોગ: બહેડાના ફળનો ગર્ભનું તેલ ખંજવાળ, ખરજવું, ખસ અને ધાધર પર ચોપડવાથી મટાડે તથા બળતરા અને જલન ઓછુ કરે  છે. તેની માલીસ કરવાથી ખંજવાળ અને બળતરા મટે છે. બહેડાનું તેલ સફેદ દાગ મટાડે છે. બહેડાના તેલ કાનમાં નાખવાથી દુર્ગંધિત રસી બહાર  નીકળતી હોય તો બંધ થાય છે. બહેડાના તેલનો ઉપયોગ કરવાથી ખોડો અને માથાના વાળ સફેદ થવાની તેમજ ઊંદરીની સમસ્યા મટે છે.

તાવ: બહેડા અને જ્વાસાના 40 થી 60 મિલી ઉકાળામાં 1 ચમચી ઘી ભેળવીને તેને દિવસમાં ત્રણ પીવાથી પિત્ત અને કફ વિકારથી થયેલો તાવ મટે છે. બહેડાના મજ્જા ને વાટીને શરીર પર લેપ કરવાથી પિત્તથી થયેલા તાવમાં થતી બળતરા ઓછી થાય છે.બહેડાના 40 થી 60 ગ્રામ ઉકાળાનું સવારે અને સાંજે પીવાથી પિત્ત, કફ વગેરેમાં ફાયદો થાય છે.

સોજો મટાડે: બહેડાના બીજને વાટીને લેપ કરવાથી દરેક પ્રકારના સોજા, બળતરા અને દુખાવો નાશ પામે છે. બહેડાના ગર્ભનો લેપ કરવાથી પિત્તના કારણે આવેલો સોજો ઠીક થાય છે. સોજો મટાડવા માટે બહેડાનો લેપ કરવાથી તથા તેલ સાથે વાટીને સુકો ગરમ લેપ કરવાથી સોજો મટે છે. સાંધાના વાનો દુખાવો પણ બહેડાથી મટે છે.

પાચન શક્તિ: બહેડામાં ગરમ ગુણ હોય છે જેના કારણે અગ્નિને તીવ્ર કરીને પાચન શક્તિ વધારવામાં મદદ કરે છે. પાચનશક્તિમાં બહેડામાં ફળના ૩ થી 6 ગ્રામ ચૂર્ણને ભોજન પછી ફાંકી લેવાથી પાચનશક્તિ તીવ્ર બને છે. અને મંદઅગ્નિ મટે છે. આમાશયને તાકાત મળે છે.

શ્વાસ રોગ: શ્વાસની સમસ્યા વધારે કફ દોષના વધવાને કારણે હોય છે. જેનાથી શ્વસન નળીમાં કફ એકઠો થાય છે. જ્યારે બહેડામાં કફ શામક ગુણ હોય છે સાથે તે ગરમ સ્વભાવના હોવાથી કફને ઓગાળીને આરામ આપવામાં મદદ કરે છે.

વધારે લાળ પડવાની સમસ્યા: 1.5 ગ્રામ બહેડાની સરખી માત્રામાં સાકર ભેળવીને થોડા દિવસો સુધી ખાવાથી વધારે લાળ પડવાની બંધ થાય છે.

આમ, બહેડા ખુબ જ ઉપયોગી ઔષધી છે. તે અનેક રોગોને મટાડે છે. તેમજ શરીર સંબંધિત સમસ્યાનો ઈલાજ કરે છે. બહેડા સંપૂર્ણ આયુર્વેદિક ઔષધી છે અને કોઇપણ તકલીફને આડઅસર વગર નાબુદ કરે છે. જેથી ઘણી દવાઓમાં બહેડાનો ઉપયોગ કરવામાં આવે છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી થાય અને તેનો ઉપયોગ કરીને તમે તંદુરસ્ત રહી શકો.

આ આયુર્વેદિક ઉપચાર અને માહિતી સારી લાગી હોય તો નીચે આપેલા બ્લુ કલરના લાઈક બટન પર ક્લિક કરો જેથી તમને માહિતી ઝડપથી મળતી રહે. 

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

હિંગ
ઔષધી

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

August 26, 2022
કબજિયાત માટેનો દેશી ઈલાજ
ઘરેલું ઉપચાર

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

August 21, 2022
ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે
ઘરેલું ઉપચાર

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

August 19, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
અષ્ટાંગ આયુર્વેદ દ્વારા ચોમાસાની ઋતુમાં રોગો થી બચવા માટે સ્પેશ્યલ આયુર્વેદ ઉકાળો
ઘરેલું ઉપચાર

અષ્ટાંગ આયુર્વેદ દ્વારા ચોમાસાની ઋતુમાં રોગો થી બચવા માટે સ્પેશ્યલ આયુર્વેદ ઉકાળો

July 24, 2022
મમરા ખાવાના ફાયદા
ઘરેલું ઉપચાર

વજન ઓછું કરવાથી લઇ ને રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરવા માટે ઉપયોગી છે મમરા

June 27, 2022
Next Post
શરદી કફ ની દવા

દવા લીધા વગર ગળા અને છાતીમાં જામેલા કફને બહાર કાઢવાનો 100% અસરકારક ઈલાજ

બે ટીપાં લિંબુના ચમત્કારિક પ્રયોગ

માત્ર બે ટીપાં લિંબુના ચમત્કારિક પ્રયોગ દ્વારા ફેફસામાં જામી ગયેલા કફને કાઢી નાખો બહાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

અરણી નો આયુર્વેદમાં ઉપયોગ

જેના મુળ, થડ, પત્તા અને ફુલ 50 થી વધુ હઠીલા રોગોના ઉપચાર માટે છે ખુબ જ ઉપયોગી

February 25, 2022
શીળસ નો ઘરગથ્થુ ઉપચાર

સૌથી અસરકારક શીળસ નો ઘરગથ્થુ ઉપચાર અપનાવો 100% અસરકારક

March 22, 2022
મફતમાં મળતા આ ફળથી હિમોગ્લોબીન, ડાયાબીટીસ, લોહીની ઉણપ, કેન્સર જેવા રોગો રહેશે દુર

મફતમાં મળતા આ ફળથી હિમોગ્લોબીન, ડાયાબીટીસ, લોહીની ઉણપ, કેન્સર જેવા રોગો રહેશે દુર

February 25, 2022

Popular Stories

  • ધાધર નો ઘરેલુ ઉપચાર

    ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • કમળા માટે 10 ઘરેલું રામબાણ ઉપચાર, ગમે તેવો કમળો થઇ જશે સારો

    0 shares
    Share 0 Tweet 0
  • દરેક રોગોનો રામબાણ ઈલાજ છે આ રસાયણ ચૂર્ણ, જાણો ઘરે રસાયણ ચૂર્ણ બનાવાની રીત

    0 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In