Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

અસ્થમા કે દમ રોગમાં રાહત મેળવવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

Deshi Osadiya by Deshi Osadiya
February 25, 2022
0
અસ્થમા ના ઘરેલુ ઉપચાર

અસ્થમા ના ઘરેલુ ઉપચાર

0
SHARES
Share on FacebookShare on Twitter

અસ્થમા કે દમ શ્વસનતંત્રની બીમારી છે. જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ થાય છે, કેમ કે શ્વસન તંત્ર માર્ગમાં સોજો આવવાને કારણે તે સંકોચાય જાય છે, એટલા માટે નાના નાના શ્વાસ લેવા પડે છે, છાતીમાં ખેચાણ જેવો અનુભવ થાય છે, શ્વાસ ફૂલવા લાગે છે અને વારંવાર ખાંસી આવે છે, આ બીમારી કોઇપણ ઉમરના લોકોને થઇ શકે છે. અસ્થમાથી શ્વાસ નળીમાં સોજો આવી જાય છે તે અંદરથી  શ્વાસ લેતા, કાઢતા અંદર સીટીઓ વાગતી હોય તેવો અવાજ આવે છે. અસ્થમા બીમારીના બે ભાગમાં વહેંચવામાં આવે છે. જેમાં એક નિશ્વિત અને બીજું અનિશ્વિત. જેમાં નિશ્વિત પ્રકારનો અસ્થમા એલેર્જીના કારણે થાય છે જયારે અનિશ્વિત પ્રકારનો અસ્થમા, આનુવંશીક અને ઋતુના પ્રભાવના કારણે થાય છે. જેને નાબુદ કરી શકાતો નથી પરંતુ સારવાર દ્વારા નિયંત્રણમાં લાવી શકાય છે.

RELATED POSTS

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

અસ્થમા થવાનું કારણ: ઘરમાં ધૂળવાળું વાતાવરણ, ઘરમાં પાળેલા જાનવર, બહારની હવાનું પ્રદુષણ, પુષ્પોની રજ, ફૂગ, સ્પોર્સ, વંદો જેવા જીવાણુઓની રજ,દવાઓ અને રસીઓથી, કસરતનો અભાવ દવા શાક ભાજી છાતીમાં ચેપ વાહન ના ધુમાડા , સુગંધીત સાધનો, શરદી, ફ્લુ, ધુમ્રપાન, હોર્મોન્સમાં ફેરફાર, વધારે દવાઓનું સેવન, શિયાળાની ઠંડી, કફ, ચિંતા કે ડર, જંક ફૂડ, વધારે મીઠાનું સેવન, આનુવંશિકતા અને એલેર્જી વગેરે કારણે અસ્થમા થાય  છે,

Join Group

અસ્થમાના રોગના લક્ષણો: રાત્રે અને સવારે વધુ ખાંસી આવે, છાતીમાં સસણી જેવો અવાજ આવે, ધૂળ કે ધુમાડો કે તીવ્ર વાસ કે રુવાંટીવાળા પ્રાણી કે પક્ષીઓના સંપર્કમાં આવવાથી તરત ખાંસી આવે,  અસ્થમા થતા શ્વાસ લેવામાં તકલીફ પડે, અચાનક જ આ રોગ લાગે, સુકી ઉધરસ આવે, છાતી પર ભાર લાગે, ખાંસી, છીંક કે શરદી જેવી એલેર્જી લાગે, છાતી જકડાય, શ્વાસ ઝડપથી લેતી વખતે પરસેવો આવે, બેચેની થાય, માથું ભારે લાગે,  શ્વાસ લેતી વખતે થાક લાગે, ઉલ્ટી થાય વગેરે અસ્થમાના લક્ષણો છે.

આદું: ઘરોમાં અસ્થમા માટે સામાન્ય રીતે આદુનો ઉપયોગ કરવામાં આવે છે,  એક ચમચી આદુનો રસ એક  કપ પાણીમાં ભેળવીને દરરોજ સાંજે પીવાથી અસ્થામમાં રાહત રહે છે. દવાઓથી થયેલા અસ્થમામાં માંસપેશીની શિથિલતા દુર કરે છે. આદુનો રસ દમના રોજના દર્દીને કપ દુર કરવામાં ફાયદો આપે છે.

આદું

સરસવનું તેલ: સરસવનું તેલ અસ્થમાના રોગના દર્દીને ખુબજ રાહત આપે છે. દરરોજ નાકના માર્ગમાં સરસવના તેલની માલીશ કરવાથી નાક  સાફ થાય છે. શ્વસન તંત્રમાં આવતો સોજો અને વચ્ચે આવનાર કચરાને સરસવનું તેલ દુર કરે છે. આના લીધે શ્વાસ લેવામાં સરળતા રહે છે.

અંજીર: કફ દુર નીકાળવો અને શ્વાસ લેવાની તકલીફને દુર કરીને અસ્થમાના રોગને નિયંત્રિત ઈ શકાય છે. અંજીર ખુબ સ્વાસ્થ્યપ્રદ હોય છે. અંજીરનો ઉપયોગ કરવા માટે ત્રણ સુકા અંજીરને પલાળીને રાખો.  બીજા દિવસે સવારે ખાલી પેટે તેને પાણી સાથે પી લેવા.  આમ અસ્થમાના રોગમાં અંજીરની અસર લાંબા સમય સુધી રહે છે.

દાડમ: આદુનો રસ, દાડમનો રસ અને મધને સમાન માત્રામાં ભેળવીનેને લેવી અસ્થમાના દર્દીને ફાયદાકારક છે. દરરોજ આ મિશ્રણની એક ચમચીનું સેવન દિવસમાં ત્રણ વખત કરવું જોઈએ. તેનાથી શ્વાસ લેવાના માર્ગમાંથી ચીકાસ અને  રજકણો દુર થાય છે. સાથે શ્વસન માર્ગનો સોજો પણ દુર થાય છે. આમ દાડમ અન્ય રોગને અને શ્વાસની તકલીફ માટે ખુબ જ ઉપયોગી છે.

દાડમ

લસણ: જો અસ્થમા પ્રારંભિક અવસ્થામાં હોય તો લસણ અ દર્દી માટે ખુબ જ ઉપયોગી છે. તે ફેફસાના કફને સાફ કરી નાખે છે અને શ્વસન માર્ગને સાફ રાખે છે અને સાથે શરીરમાં બેકટેરિયાને પણ નાશ કરે છે અને શરીરમાં સ્ફૂર્તિ આપે છે. એક કફના દુધમાં ચોથા ભાગનું લસણ નાખીને  ઉકાળીને ખાવું ખુબ જ ફાયદાકારક છે. રાત્રે સુતા પહેલા લસણનો રસ પીવાથી ફાયદો થાય છે. દરરોજ ભોજનમાં લસણ લેવાથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા સર્જાય છે. 30 મિલી દુધમાં લસણની પાંચ કળીઓ કળીઓ ઉકાળીને દરરોજ સેવન કરવાથી અસ્થમામાં ફાયદો થાય છે.

મેથી: મેથી ફેફસાની સફાઈ કરે છે. એક કપ પાણીમાં એક ચમચી મેથીના બીજ ઉકાળવાથી ખુબ જ ફાયદો થાય છે. તેમાં એક ચમચી આદુનો રસ અને એક ચમચી મધ મિક્સ કરીને ખાઈ શકાય છે. તે દ્રાવણ દિવસમાં બે વખત પીવાથી ફાયદો થાય છે.

કોફી: કોફીગરમ ગુણ ધરાવે છે, જેથી શ્વસન માર્ગને સાફ કરે છે, જેથી શ્વાસ લેવામાં સહાય કરે છે. કોફીના લીધે નાકના અબંને ટેરવા સાફ રહે છે. શરીરનો કફ અને ચીકાશ દુર થાય છે.  કોફીમાં બ્રોકોડાયલેટર ગુણ હોય છે જેથી અસ્થમાના રોગીને માટે માટે ખુબ જ ઉપયોગી છે.

કપૂર: અસ્થમા રોગના નિયંત્રણ માટે કપૂર ખુબ જ ઉપયોગી છે. કપૂર અને સરસવનું તેલ ગરમ કરીને છાતીમાં તેમજ પીઠ ઉપર ચોપડવાથી અસ્થમાનો રોગ કાબુમાં રહે છે,શ્વસન માર્ગમાં નસકોરાના ભાગે સરસવનું તેલ લગાડવાથી રાહત રહે છે.

નીલગીરીનું તેલ: નીલગીરીનું તેલ અસ્થમા માટે એક ઉત્તમ ઔષધી છે. નારીયેળીના રહેલા ઘટક તત્વો ફેફસા અને શ્વસનનળીમાં રહેલા તેમજ શ્વસન તંત્રના માર્ગમાં રહેલા કફ અને કચરાને દુર કરે છે. તેલના ટીપા કપાસના રૂ ના પૂમડા  નાખી તેને સુંઘો અને સુતા સમયે માથા પર રાખવાથી અસ્થમા રોગમાં રાહત મળે છે.

નીલગીરીનું તેલ

તુલસી: તુળસી અસ્થમાના નિયંત્રણ માટે ખુબ જ લાભદાયક છે. તુલસીના પાંદડા સારી રીતે સાફ કરીને તેમાં કાળા તીખા સાથે છૂંદો બનાવીને ખાવાથી અસ્થમા નિયંત્રણમાં રહે છે. આ સિવાય તુલસીને પાણી સાથે વાટીને તેમાં મધ ભેળવીને ચાટવાથી અસ્થમામાં રાહત રહે છે.

કેળા: પાકા કેળાને છાલ સાથે શેકીને ત્યારપછી તેની છાલ દુર કરી કેળાના અંદરના ભાગને કાઢીને તેમાં છૂંદીને તેમાં કાળા તીખા નાખીને અસ્થમાના રોગીને આપવાથી અસ્થમાનો રોગ કંટ્રોલમાં  રહે છે. અને જેથી અસ્થમાના રોગીને રાહત મળે છે.

અજમા: ગરમ પાણીમાં અજમાની વરાળ લેવાથી અસ્થમામાં રાહત મળે છે. આ ખુબ ઉપયોગી ઉપચાર છે. આ ઉકાળામાં 4 થી 5 લવિંગ અને 125 મિલી પાણીમાં 5 મિનીટ સુધી ગરમ ગરમ કર્યા બાદ ગાળીને તેમાં એક ચમચી મધ ભેળવીને પીવાથી અસ્થમાના રોગીને ખુબ જ ફાયદો થાય છે. દરરોજ બે થી ત્રણ ઉકાળો બનાવીને દર્દીને આપવાથી નિશ્વિત રૂપે અસ્થમાના દર્દીને લાભ થાય છે.

અજમા

કારેલા: અસ્થમાના કાયમી ઈલાજ માટે કારેલાનો પ્રયોગ ખુબ જ ફાયદાકારક છે. કરેલાનો એક ચમચી છૂંદો અને તેમાં મધ તેમજ તુલસીના પાંદડા સાથે ભેળવીને ખાવાથી અસ્થમા રોગમાં ખુબ જ ફાયદો કરે છે. અસ્થમાને મૂળમાંથી કાઢવા માટે કારેલા શ્રેષ્ઠ છે.

ડુંગળી: અસ્થમામાં કાચી ડુંગળીનું સેવન લાભદાયક છે. ડુંગળીમાં આવેલું સલ્ફર ફેફસાની બળતરા અને અન્ય સમસ્યાને ઓછી કરે છે, જેથી ડુંગળી અસ્થમાનો સફળ ઉપચાર છે.

સરગવો: આયુર્વેદ અનુસાર સરગવામાં કફ ઓછો કરવાના ગુણ હોય છે અને આ ગુણના લીધે અસ્થમાંમાં તેનું સેવન કરવું લાભકારી છે. તમે અસ્થમાના રોગી છો તો પોતાના ડાયટમાં સરગવાની શાકભાજી તરીકે ઉપયોગ કરી શકો છો. સરગવો સાંધાના દુખાવા માટે પણ ખુબ જ ફાયદાકારક છે.

ઈલાયચી: મોટી ઈલાયચી માં કફને મટાડવાના ગુણ ધરાવનાર છે. એટલે કે તે શરીરમાં કફનો ઘટાડો કરે છે. જેથી અસ્થમાના લક્ષણોમાં ઘટાડો કરે છે. જેથી અસ્થમાના રોગીના આયુર્વેદિક નિષ્ણાતો અસ્થમાના રોગી માટે મોટી ઈલાયચીનું સેવન કરવાની સલાહ આપે છે.

હરડે: હરડે ઉર્જાદાયક છે અને તે સ્વાસ્થ્ય સમસ્યાઓ જેવી કે અસ્થમા, ખાંસી, તીખો અવાજ અને પેટ ફૂલી જવું અને ગળામાં ખારાશ વગેરેમાં ઉપયોગી છે. જેથી આ તમામ સમસ્યાઓ અસ્થમામાં તકલીફ કરે છે. જેથી હરડે અસ્થમાના રોગમાં હરડે રાહત આપી શકે છે.

હરડે

અરડૂસી: અરડૂસીના પાંદડાને વાટીને સુંઘવાથી નાકની તેમજ શ્વસન માર્ગની નળીઓને સાફ કરે છે. સાથે તે નળીઓને પહોળી પણ કરે છે. અરડુચી નિસ્સારક અને એન્ટીસ્પૈસમોડીક વાળા ગુણ હોય છે. તે શ્વાસનળીઓને પહોળી કરવામાં અને અસ્થમામાં અસ્થમા અને ખાંસી વગેરેમાં રાહત આપે છે.

મુલેઠી: મુલેઠી એક ખુબ જ અસરદાર જડીબુટ્ટી છે. જે ગળાની ઘણીબધી બીમારીઓને દુર કરવામાં સહાયક છે. મુલેઠી શ્વાસ નળીઓની નળીઓને આરામ આપવામાં અને અસ્થમાની બીમારીમાં રાહત આપે છે. અડધી ચમચી આદુ અને એક ચમચી મુલેઠી મેળવીને ચા બનાવીને પીવાથી અસ્થમાના લક્ષણોમાં ઘટાડો થાય છે. મુલેઠી શ્વાસનળીને વ્યવસ્થિત ચલાવે છે. શ્વાસ છોડવાની તકલીફ તકલીફ દુર કરે છે. મુલેઠી શરીરની અંદરની એલેર્જીથી બચાવે છે.

આમ, આ ઔષધીઓનો ઉપયોગ કરીને અસ્થમા રોગમાં રાહત મેળવી શકાય છે, આ તમામ જડીબુટ્ટીઓમાંથી તમને જે ઔષધિઓ અનુકુળ આવે તેને ઉપયોગમાં લઈને અહિયાં અમે બતાવેલા ઉપચારો પ્રમાણે ઈલાજ કરવાથી તમને જરૂરથી અસ્થમામાં રાહત મળશે, આ માહિતી અમે અસ્થમાના રોગીઓ માટે અને તેમની આ સમસ્યાના ઈલાજ માટે રજુ કરી છે આશા રાખીએ કે આ માહિતી અસ્થમાના દર્દીઓને ખુબ જ ઉપયોગી થાય.

🙏 દોસ્તો તમે આયુર્વેદિક ટીપ્સ અને માહિતી મેળવવા માંગતા હોવ તો નીચે આપેલા બ્લુ કલરના લાઈક બટન ઉપર ક્લિક કરો.

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

હિંગ
ઔષધી

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

August 26, 2022
કબજિયાત માટેનો દેશી ઈલાજ
ઘરેલું ઉપચાર

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

August 21, 2022
ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય
આરોગ્ય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

August 20, 2022
ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે
ઘરેલું ઉપચાર

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

August 19, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત
આરોગ્ય

લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત

July 27, 2022
Next Post
નપુંસકતા દૂર કરવાના ઉપાય

નપુંસકતા થી કઈ રીતે બચી શકાય અને નપુંસકતા દૂર કરવાના અસરકારક ઘરેલું ઉપાય

દૂધ અને દહીં સાથે ભૂલથી પણ ન ખાઓ આ વસ્તુ, નહીતર બનશો ગંભીર બીમારીનો ભોગ

દૂધ અને દહીં સાથે ભૂલથી પણ ન ખાઓ આ વસ્તુ, નહીતર બનશો ગંભીર બીમારીનો ભોગ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

મીઠા લીમડાના પાન

સવારે નરણાં કોઠે ૧૦ થી ૧૫ પાન ભૂખ્યા પેટે ચાવી જાવ જુવો અદભુત ફાયદા

March 22, 2022
મમરા ખાવાના ફાયદા

વજન ઓછું કરવાથી લઇ ને રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરવા માટે ઉપયોગી છે મમરા

June 27, 2022
આ રીતે ઘરે જ કંટોલા વાવી શકાય છે

આ રીતે ઘરે જ કંટોલા વાવી શકાય છે દોઢ મહિનામાં આવવા લાગશે કંટોલા

March 22, 2022

Popular Stories

  • ધાધર નો ઘરેલુ ઉપચાર

    ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
  • હરસ, સંતાન પ્રાપ્તિ, માસિક સમસ્યા, અલ્સર જેવા અનેક રોગોનો અચૂક ઉપાય છે નિરંજન ફળ

    0 shares
    Share 0 Tweet 0
  • વગર દવાએ પેશાબમાં થતી તીવ્ર બળતરા અને ઉનવા માટે 100% અસરકારક ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In