Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home ઔષધી

હ્રદયના દરેક રોગ માટે મહાન ઔષધિ છે આ અર્જુનની છાલ

Deshi Osadiya by Deshi Osadiya
March 22, 2022
0
હ્રદયના દરેક રોગ માટે મહાન ઔષધિ છે આ અર્જુનની છાલ

હ્રદયના દરેક રોગ માટે મહાન ઔષધિ છે આ અર્જુનની છાલ

0
SHARES
Share on FacebookShare on Twitter

આપણે જાણીએ છીએ કે ઘણા લોકોને હ્રદય સંબંધી બીમારી હોય તો તેમાં અર્જુનની છાલનો પ્રયોગ કરવામાં આવે છે. આ સિવાય અર્જુનના વૃક્ષના ઘણા બધા ફાયદાઓ છે. આ વૃક્ષ શરીર માટે અનેક રીતે ઉપયોગી છે.

RELATED POSTS

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

અર્જુનની છાલનો ઔષધિના રૂપમાં પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. તે કષેલા રસના લીધે તે કફ અને પિત્તનું શમન કરે છે. પરંતુ તે વાતને વધારે છે. જે લોકોના શરીરમાં કફ અને પિત્ત દોષને વિકૃત થવાથી કે વધવાથી હ્રદયથી સંબંધીત વિકાર હોય તો એ બધાએ અર્જુનની છાલનો ઉપયોગ કરવો જોઈએ.

Join Group

અર્જુન હ્રદયની માંસ પેશીઓને બળ આપે છે. જેનાથી લોહીની પરિભ્રમણ ક્ષમતા સુધરે છે. જે લોકોને બીપીની તકલીફ હોય, જે લોકોનું કોલેસ્ટ્રોલ વધેલું હોય. હ્રદય રોગને કારણે જે લોકોને શરીર પર સોજો આવેલો હોય, જે લોકોને ડર ખુબ જ જલ્દી લાગે છે અને ડર લાગવાથી જે લોકોના હ્રદયના ધબકારા વધી જાય છે આ બધા માટે અર્જુનનું સેવન ફાયદાકારક છે.

અર્જુનની છાલ લોહીની શુદ્ધિ કરે છે. જેના લીધે ચામડી સંબંધિત બીમારીમાં ફાયદો કરે છે. જે ઘણા રીતે તે લોહી નીકળી રહ્યું હોય તો તે લોહીને રોકવાનું કાર્ય કરે છે. જે લોકોને ઘા લાગ્યો હોય અને તેમાંથી લોહી નીકળી રહ્યું હોય જેને રોકવામાં તે મદદ કરે છે.

જે લોકોને હરસ મસા હોય તેમાં પણ અર્જુન ફાયદો કરે છે. હરસ મસામાં લોહી નીકળતું હોય તેમાં પણ અર્જુનની છાલ ફાયદો કરે છે. કોઈ લોકોને વધારે પ્રમાણમાં ઝાડા થઈ રહ્યા હોય અને તેમાંથી લોહી નીકળી રહ્યું હોય તે લોકોને પણ અર્જુનની છાલનું સેવન કરી શકે છે.

અર્જુનની છાલ છાયડે સુકાવીને, તેને ખાંડીને લે વાટીને ચૂર્ણ બનાવી લેવું. આ ચૂર્ણને કોઈ કપડામાં ગાળીને રાખવું, દરરોજ 3 ગ્રામ ચૂર્ણનેગ ગાયના ઘી અને મિશ્રી સાથે ભેળવીને ખાવાથી હ્રદયની દુર્બળતા મટે છે.

હાર્ટએટેક થયા બાદ 40 મિલીલીટર અર્જુનની છાલનો દૂધ સાથે બનેલો  ઉકાળો સવારે તથા રાત્રે બંને સમયે સેવન કરવાથી હ્રદયના વધારે ધબકારા, હ્રદયમાં પીડા, ઘબરાહટ વગેરે રોગ દૂર થઈ જાય છે. કપડામાં ગાળીને લીધેલા ચૂર્ણનો પ્રભાવ ઇન્જેક્શનથી પણ વધારે હોય છે. જીભ પર રાખીને સુચતા રહેવાથી રોગ ઓછો થવા લાગે છે. હ્રદયના વધારે ધબકારા ને નાડીની ગતી ખુબ જ કમજોર થઈ જાય ત્યારે રોગીને જીભ પર અર્જુનની છાલ રાખવાથી નાડીમાં તરત શક્તિ પ્રતીત થવા લાગે છે.

અર્જુનના વૃક્ષના પાવડરને ફાંકવાથી અને ઉપર દૂધ પીવાથી તૂટેલા હાડકા જોડાઈ જાય છે. આ ચૂર્ણને પાણી સાથે વાટીને લેપ કરવાથી દર્દમાં પણ આરામ મળે છે. શરીરના કોઈ અંગમાં પ્લાસ્ટર આવ્યું હોય તો અર્જુનની છાલનું ચૂર્ણ એક ચમચીની માત્રામાં દિવસમાં 3 વખત એક કપ દૂધ સાથે થોડા અઠવાડીયા સુધી સેવન કરવાથી હાડકા મજબુત થવા લાગે છે. તૂટેલા હાડકાના સ્થાન પર અર્જુનની છાલને ઘીમાં પીસીને લેપ કરવાથી અને પટ્ટી બાંધીને રાખવાથી હાડકા જલ્દી જોડાઈ જાય છે.

શરીરનું કોઈ અંગ દાઝી ગયું હોય અને તેના ઘાણ પર અર્જુનનું છાલનું ચૂર્ણ લગાવવાથી ઘાવ જલ્દી ભરાઈ જાય છે. અર્જુનની છાલનું 1 ચમચી ચૂર્ણ, 1 કપ દુધમાં ઉકાળીને પકાવવું, જે અડધી ચમચી રહી જાય ત્યારે થોડી માત્રામાં મિશ્રી ભેળવીને સેવન કરવું. અને દિવસમાં 3 વખત સેવન કરવાથી ખૂની પ્રદર મટી જાય છે.

અર્જુન અને જાંબુના સુકા પાંદડાનું ચૂર્ણ ઉબટનની જેમ લગાવીને થોડા સમય બાદ ન્હાવાથી વધારે પરસેવો આવવાના કારણે ઉત્પન્ન થયેલી દુર્ગંધ દૂર થાય છે. અર્જુનનું છાલનું ચૂર્ણ નારિયેળના તેલમાં ભેળવીને મોઢાની ચાંદી પર લગાવવાથી મોઢાની ચાંદી ઠીક થઇ જશે.

અર્જુનની છાલને ખાંડીને 2 કપ પાણી સાથે ઉકાળી લેવું. જયારે અડધો કપ પાણી વધે ત્યારે ગાળીને દર્દીને પીવરાવી દેવો. તેનો 2 થી 3 વખત પ્રયોગ કરવાથી પેશાબ ખુલીને આવે છે અને પેશાબમાં વધારે પ્રમાણમાં વીર્ય વહી જવાનું બંધ થાય છે.

અર્જુનની છાલ બળકારક છે તથા તે તેમાં રહેલા લવણ-ખનીજોને કારણે હ્રદયની માંસપેશીઓને સશક્ત બનાવે છે. દૂધ તથા ગોળ, ખાંડ, વગેરે સાથે અર્જુનની છાલનો પાવડર નિયમિત રીતે લેતા રહેવાથી હ્રદય રોગ, જીર્ણ જવર, રક્તપિત્ત વગેરે સમસ્યાઓ ઠીક થાય છે.

અર્જુનની છાલનું સેવન કરવાથી શ્વેત પ્રદર તથા પેશાબની જલન રોકવામાં પણ તે ફાયદાકારક છે. અર્જુનની છાલ છાતીમાં જલન, જૂની ખાંસી વગેરેને રોકવામાં પણ સક્ષમ છે. હાર્ટ ફેલ અને હ્રદયશૂળમાં અર્જુનની 3 થી 6 ગ્રામ છાલ દૂધમાં ઉકાળીને લેવાથી ફાયદો મળે છે.

અર્જુનની વાટેલી છાલ 2 ચમચી, 1 ગ્લાસ દૂધ, 2 પાણી ભેળવીને ઉકાળવુ કે જેમાંથી બધું જ પાણી બળી જાય  ત્યારે તેમાં બે ચમચી ખાંડ ભેળવીને ગાળી લઈને દરરોજ એકવાર હ્રદયના રોગીને પીવરાવવું.  તેનાથી હ્રદય સંબંધીત રોગમાં લાભ થાય છે. શરીર તાકાતવાન બને છે.

અડધી ચમચી અર્જુનની છાલ, થોડીક શેકલો હિંગ અને સ્વાદ અનુસાર મીઠું ભેળવીને સવારે અને સાંજે ગરમ પાણી સાથે ફાંકી જવાથી પેટમાં દુખાવો, પથરીનું દર્દ અને પેટની બળતરામાં લાભ થાય છે. કમળાના રોગમાં અર્જુનની છાલનું ચૂર્ણ થોડાક ઘીમાં ભેળવીને લેવાથી કમળો મટે છે.

અર્જુનની છાલના ચૂર્ણમાં મીઠું તલ લગાવીને ગરમ પાણીથી કોગળા કરવાથી મોઢાની ચાંદી મટે છે. અર્જુનના પાંદડા 3 થી 4 ટીપા રસ કાનમાં નાખવાથી કાનનો દુખાવો મટે છે. અર્જુનની છાલને પીસીને મધ ભેળવીને લેપ કરવાથી મોઢાની કરચલીઓ મટે છે.

અર્જુનની છાલના ચૂર્ણમાં અરડુસીના પાંદડાનો રસને 7 વખત ઉકાળીને બે ત્રણ ગ્રામની માત્રામાં મધ, મિશ્રી કે ગાયના ઘી સાથે ચાટવું. તેનાથી ટીબીમી ખાંસી જેમાં કફમાં લોહી આવે છે તે ઠીક થઈ જાય છે.

મરડાના રોગમાં અર્જુનની છાલનું ચૂર્ણ 5 ગ્રામ ગાયના 250 મિલીલીટર દુધમાં નાખીને તેમાં લગભગ અડધો પગ પાણી નાખીને હળવી આંચ પર પકાવી લો. જયારે માત્ર થોડું દૂધ રહી જાય ત્યારે તેને ઉતારીને તેમાં 10 ગ્રામ ખડી સાકર ભેળવીને દરરોજ પીવાથી મરડો મટી જાય છે.

જયારે લોહીના પિત્ત ભળી જવાની સમસ્યા થાય ત્યારે અર્જુનની એ ચમચી છાલને રાત્રિભર પાણીમાં પલાળીને રાખો, સવારે તેને મસળીને કે ઉકાળીને તેનો ઉકાળો પીવાથી લોહીમાં પિત્ત ભળી જવાની સમસ્યા રક્તપિત્તમાં લાભ થાય છે.

રક્તપિત્ત કે લોહીની ઉલ્ટીમાં અર્જુનની છાલનું બારીક ચૂર્ણની 10 ગ્રામ માત્રાને દૂધમાં પકાવીને ખાવાથી આરામ મળે છે. તેનાથી લોહીની વાહિનીઓમાં લોહી જામવા લાવે છે અને બહાર નીકળી શકતું નથી. અર્જુનની છાલનો 40 મિલી ઉકાળો પીવાથી તાવ મટી જાય છે.

લોહીના દોષમાં અને કોઢના રોગમાં અર્જુનની છાલનું 1 ચમચી જેટલું ચૂર્ણ પાણી સાથે સેવન કરવાતી અને તેની છાલને પાણીમાં ઘસીને ચામડી પર લેપ કરવાથી કોઢના રોગમાં લાભ થાય છે. અર્જુનની છાલને પાણીમાં ઉકાળીને ગરમ પાણીમાં ભેળવીને નહાવાથી ખુબ જ લાભ થાય છે.

અર્જુનની છાલનું એક ચૂર્ણને ગોળ સાથે ફંકી લેવાથી જુનો તાવ મટી જાય છે. અર્જુનની છાલને ખાંડીને ચૂર્ણ બનાવી લેવું. રાત્રે દૂધ અને ચોખાની ખીર બનાવી લેવી. સવારે 4 વાગ્યે આ ખીરમાં 10 ગ્રામ અર્જુનની છાલનું ચૂર્ણ ભેળવીને ખાવું જોઈએ, જેનાથી શ્વાસના તમામ પ્રકારના રોગ મટે છે.

આમ, આયુર્વેદિક ઉપચારમાં અર્જુનની છાલનું મહત્વ અનન્ય છે. જેનો ઉપયોગ કરવાથી ઉપરોક્ત રોગ સિવાય ઘણા બધા રોગો પણ ઠીક થાય છે. આ છાલ આયુર્વેદિક ગુણોથી ભરપુર હોવાથી અન્ય કોઈ આડઅસર પણ થતી નથી. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

આ આયુર્વેદિક ઉપચાર અને માહિતી સારી લાગી હોય તો નીચે આપેલા બ્લુ કલરના લાઈક બટન પર ક્લિક કરો જેથી તમને માહિતી ઝડપથી મળતી રહે. 

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

હિંગ
ઔષધી

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

August 26, 2022
કબજિયાત માટેનો દેશી ઈલાજ
ઘરેલું ઉપચાર

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

August 21, 2022
ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે
ઘરેલું ઉપચાર

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

August 19, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
અષ્ટાંગ આયુર્વેદ દ્વારા ચોમાસાની ઋતુમાં રોગો થી બચવા માટે સ્પેશ્યલ આયુર્વેદ ઉકાળો
ઘરેલું ઉપચાર

અષ્ટાંગ આયુર્વેદ દ્વારા ચોમાસાની ઋતુમાં રોગો થી બચવા માટે સ્પેશ્યલ આયુર્વેદ ઉકાળો

July 24, 2022
મમરા ખાવાના ફાયદા
ઘરેલું ઉપચાર

વજન ઓછું કરવાથી લઇ ને રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરવા માટે ઉપયોગી છે મમરા

June 27, 2022
Next Post
સરગવો એક ઉત્તમ ઔષધી

સરગવાના પાવડરને કહેવાય છે ધરતી પરની સંજીવની

જૂનામાં જુનો દમ કે શ્વાસ રોગ

આ એક પાન જૂનામાં જુનો દમ કે શ્વાસ રોગ માત્ર 3 જ દિવસમાં સારો થઇ જશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

મફતમાં મળતા આ ફળથી હિમોગ્લોબીન, ડાયાબીટીસ, લોહીની ઉણપ, કેન્સર જેવા રોગો રહેશે દુર

મફતમાં મળતા આ ફળથી હિમોગ્લોબીન, ડાયાબીટીસ, લોહીની ઉણપ, કેન્સર જેવા રોગો રહેશે દુર

February 25, 2022
બાળક પથારી ભીની કરવાનું

જો બાળક પથારી ભીની કરવાનું છોડતું ના હોય તો આ રહ્યો તેનો રસ્તો

March 22, 2022
અંકોલ ઔષધી વિષે માહિતી

70 થી વધુ રોગોના ઈલાજ માટે રામબાણ ઈલાજ છે આ ફળ, જાણો આ અમુલ્ય ઔષધીના ફાયદા

February 25, 2022

Popular Stories

  • ધાધર નો ઘરેલુ ઉપચાર

    ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો બીજોરું ના ફાયદા અને બીજોરા નો ઉપયોગ કરવાની સાચી રીત

    0 shares
    Share 0 Tweet 0
  • સૌથી અસરકારક શીળસ નો ઘરગથ્થુ ઉપચાર અપનાવો 100% અસરકારક

    0 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In