Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home આયુર્વેદ

એસીડીટી, ગેસ, પેટમાં અને છાતીમાં બળતરા માટે સૌથી અસરકાર ઘરેલુ ઉપાય જાણો વિસ્તારથી

Deshi Osadiya by Deshi Osadiya
February 25, 2022
0
એસીડીટી, ગેસ, પેટમાં અને છાતીમાં બળતરા માટે સૌથી અસરકાર ઘરેલુ ઉપાય

એસીડીટી, ગેસ, પેટમાં અને છાતીમાં બળતરા માટે સૌથી અસરકાર ઘરેલુ ઉપાય

0
SHARES
Share on FacebookShare on Twitter

એસીડીટીએ શરીરમાં બળતરા ઉત્પન્ન કરતો રોગ છે.  આ રોગમાં શરીરની હોજરીમાં પિત્તરસ વધી જવાથી પેટમાં, ગળામાં અને શરીરમાં બળતરા થાય છે. સાથે તીખા ઓડકાર આવે છે, આ સાથે ગેસ, બેચેની અને અપચો જેવી સમસ્યા પણ રહે છે. એસીડીટી જઠરમાં પીત્તરસની માત્રા વધી જવાથી થાય છે. ખોરાક બચાવવા માટે શરીરમાં અનેક પાચક રસો હોય છે જેમાં હાઈડ્રોક્લોરિક એસિડ પણ હોય છે. આ તમામ પાચકરસો શરીરમાં બળતરા નથી કરતા, જે પાછળ શરીરના અંદરના ભાગે અંગોની અંદરની બાજુની દીવાલમાં પાતળું શ્લેષનું સ્તર હોય છે. જેથી એસીડીક સ્ત્રાવો ત્વચાના સંપર્કમાં આવતું નથી. જયારે એસીડીટી આ પાતળું નાજુક જઠરનું આ સ્તર ઘસાઈ જવાથી કે વધુ પડતો એસીડનો સ્ત્રાવ બળતરા ઉત્પન્ન કરવાને લીધે થાય છે.

RELATED POSTS

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

ક્યારેક એસીડીટી છાતીમાં બળતરા પેદા કરે છે. જેનું કારણ શરીરમાં રહેલો પાયરોલીક વાલ્વ છે.  આ વાલ્વ જઠરમાં મિક્સ થતા ખોરાકને ફરીથી અન્નનળીમાં જતો રોકે છે. જ્યારે આ વાલ્વ અમુક સમસ્યાને લીધે નબળો પડી જાય છે ત્યારે આ ખોરાક અન્નનળીમાં પાછો આવે છે. જેમાં રહેલા એસિડ એસિડ યુક્ત ખોરાક ઉપર આવવાથી અન્નનળીની દીવાલમાં  બળતરા કરે છે જે એસીડીટી છે.

Join Group

એસીડીટી થવાના કારણો: વધારે પડતું તીખું તળેલું ખાવાથી, ખુબ મસાલા વાળું ખાવાથી, ખટાશ વાળી વસ્તું ખાવાથી, ખાતા દહીં અને છાશ અને લીલા અને તીખા મરચા ખાવાથી, જમીને તરત સૂઈ જવાથી, જમીને જમણા પડખે સુવાથી, જમ્યા બાદ કમર અને પેટ પર દબાણ કરતા કપડા પહેરવાથી, ભૂખ્યા પેટે દવા લેવાથી. તણાવ, ચિંતા અને ઉજાગરા કરવાથી અને ઉજાગરા કરવાથી આ સમસ્યા થાય છે.

એસીડીટીએ

એસીડીટીના લક્ષણો:  એસીડીટીનું મુખ્ય લક્ષણ પેટમાં ગેસ ઉત્પન્ન થવો છે. જે સિવાય પણ અન્ય લક્ષણો હોય છે. છાતીમાં બળતરા ભોજન કર્યાના થોડા સમય પછી એકધારી થાય છે. ખાટા ઓડકારો કેટલીક વાર ગળા સુધી આવે છે. વધારે પડતા ઓડકાર આવવા અને મોઢામાં સ્વાદ કડવો થાય છે. પેટન ફૂલી જાય છે. ઉલ્ટી થાય છે. ગળામાં ઘરઘરાહ્ટ થાય છે.શ્વાસ લેતા સમયે દુર્ગંધ આવે છે. માથામાં અને પેટમાં દર્દ થાય, બેચેની અને હિચકી આવે છે.

ઠંડુ દૂધ: એસીડીટી થાય ત્યારે ઠંડા દુધમાં સાકર મેળવીને ખાવાથી ફાયદો થાય છે.

અજમા અને જીરું: એક ચમચી અજમા અને અજમા બંનેને ખાંડીને પાણીમાં ગરમ કરીને ઉકાળો. આ ઉકાળો ઠંડો પડ્યા બાદ તેમાં ખાંડ નાખીને પીવાથી એસીડીટી દુર થાય છે.

વરીયાળી: ભોજન કર્યા બાદ વરીયાળી ખાવાથી એસિડીટીથી રાહત મળે છે આ ઉપરાંત સંતરાના રસમાં થોડુક શકેલું જીરું અને સિંધાલુણ નાખીને પીવાથી એસીડીટીમાં ફાયદો થાય છે.

વરીયાળી

દાલચીની: દાલચીની એક પ્રાકૃતિક એન્ટી એસિડના રૂપમાં કામ કરે છે જેનાથી ખોરાક પાચન શક્તિ વધારીને વધારે પડતા એસિડ બનતા રોકી શકે છે.

સુદર્શન ચૂર્ણ: સુદર્શન ચૂર્ણ અડધી ચમચીમાં જેઠીમધ થતા શતાવરી ચૂર્ણની અડધી ચમચી અને ખાવાનો સોડાનો 2 ચમચી ઉમેરી ઠંડા પાણીમાં રોજ પીવાથી એસીડીટી મટે છે.

ગોળ: ભોજન પછી અથવા દિવસમાં ક્યારેય પણ ગોળનું સેવન કરવાથી, પાચન ક્રિયા સુધરે છે અને પાચન તંત્ર ક્ષારીય બને છે અને એસીડીકતા ઘટે છે જેથી એસીડીટીમાં રાહત રહે છે.

ગોળ

કેળા: એસીડીટીમાં કેળા ખાવાથી આરામ મળે છે, આ ઉપરાંત નારિયેળ પાણી પીવાથી એસીડીટીની સમસ્યામાં રાહત રહે છે. જો તમે ગુલકંદનું સેવન કરવાથી વધુ પ્રમાણમાં થયેલી એસીડીટીમાં લાભ કરે છે.

મોળા મમરા: રાત્રે સુતી વખતે 2 મુઠ્ઠી મોળા મમરા ખાવાથી એસીડીટી દુર થાય છે, પરંતુ મમરા ખાધા બાદ પાણી પીવું જોઈએ નહી, જરૂર જણાય તો મમરા સાથે સાકર ખાવી જોઈએ.

તુલસી: પાણીમાં 5 થી 7 તુલસીના પાંદડા ગરમ કરીને ઉકાળો બનાવો. આ પાણી ઠંડુ પડ્યા બાદ તેમાં ખાંડ ભેળવીને પીવાથી એસીડીટી દુર થાય છે.

તુલસી

ભાત અને ગાયનું દૂધ: જે લોકોને વધુ એસીડીટી રહેતી હોય તેવા લોકોએ ભોજનમાં ગાયના દૂધ અને ભાત અથવા ચોખાના પૌંઆની ખીરમાં ઇલાયસી નાખીને ખાવાથી, એસીડીટી ઓછી થાય છે, અને સાથે હળવું ભોજન લેવાથી એસીડીટી મટે છે.

આમળા: વરીયાળી, આમળા અને ગુલાબના ફળોના ચૂર્ણ બનાવીને સવારમાં અને સાંજના સમયે અડધી અડધી ચમચી લેવાથી એસીડીટીમાં આરામ મળે છે. આ ઉપરાંત જાયફળ અને સુંઠ મેળવીને તેનું ચૂર્ણ બનાવીને દરરોજ એક એક ચપટી લેવાથી કાયમ માટે એસીડીટી દુર થાય છે.

આમળા

ગળો: એસીડીટી ઘટાડવા માટે ગળો ખુબ જ ફાયદાકારક છે. પાંચ થી સાત ગળોના વેલાના ટુકડા લઈને પાણીમાં ઉકાળીને ગરમ કરો અને આ ગરમ પાણીને પીવાથી એસીડીટી દુર થાય છે.

છાશ: એસીડીટીથી છુટકારો મેળવવા છાસ પીવી જોઈએ. છાસમાં લેક્ટીક એસિડ હોય છે જે એસીડીટીમાં રાહત આપવામાં મદદ કરે છે. છાશમાં કાળી મરી અને ધાણા ભેળવીને પીવાથી એસીડીટી જલ્દીથી દુર થાય છે.  એટલે છાશનો ઉપયોગ એસીડીટીની દવા તરીકે કરવો જોઈએ.

લવિંગ: લવિંગ અનેક રોગના સામનો કરવાના ગુણ ધરાવે છે. પરંતુ લવિંગ એસીડીટીમાં રાહત આપે છે. જયારે પણ પેટમાં એસીડીટીની સમસ્યા ઉત્પન્ન થાય ત્યારે લવિંગ ચાવી જવાથી ફાયદો થાય છે. લવિંગને ખોરાકમાં પાણીમાં અલગ અલગ પ્રકારે લઇ શકાય છે જે ગેસ અને એસીડીટી સામે રાહત આપે છે.

લવિંગ

આદું: શરદી અને ઉધરસ અને તાવ જેવી સમસ્યાઓમાં આદુ ફાયદાકારક છે. આ સમયે ખુબ જ ફાયદો આપે છે. પાણીમાં ઉકાળીને જે ખોરાકમાં કે છાસમાં અથવા ચામાં નાખીને પીવાથી કે ખાવાથી રાહત આપે છે. એસીડીટીના સમયે પાણીમાં આદુ ઉકાળીને જે પાણી પીવાથી, અને તેના ટુકડા કાળા મરીમાં નાખીને ચુસવાથી એસીડીટીમાં રાહત થાય છે.

આદું

ઈલાયચી: ઈલાયચી ખાવાથી એસીડીટીમાં રાહત આપે છે. જયારે પણ એસીડીટીની સમસ્યા આવે ત્યારે કોઇપણ એલચીના એક અથવા બે બીજ મોઢામાં રાખીને સગળવાથી એસીડીટીમાં રાહત રહે છે.

ફુદીનો: ફુદીનો એક પ્રકારે શાકભાજી છે જે જડીબુટ્ટી તરીકે ઓળખાય છે, મોટાભાગે ફૂદીનામાંથી ચટણી બનાવવામાં આવે છે.  આ ફુદીનાના પાંદડા વાટીને ભારે ખોરાક ખાવાથી પેટમાં બળતરા કે પેટના એસીડીટી વખતે કાળા મીઠા સાથે મેળવીને તેમાં લીંબુ નાખીને પીવાથી એસીડીટી શાંત થાય છે, જેના પાંદડા ચાવીને ખાવાથી પણ રાહત રહે છે.

ફુદીના

મુલેઠી:  મુલેઠી એક ઔષધીય જડીબુટ્ટી છે, જેનું સેવન ગરમ પાણી સાથે કરવાથી એસીડીટીમાં રાહત રહે છે, તેનું સેવન ઉકાળાના સ્વરૂપમાં અથવા તો પાવડરના રૂપમાં પણ કરી શકો છો.

ઘી અને અંજીર: ચોથા ભાગનો ગ્લાસ ભરી જેમાં 1 ચમચી ઘી અને અડધી ચમચી મીઠું ભેળવીને સેવન કરો. ઘી આંતરડામાં દીવાલોમાં ચીકાશ આપે છે. અને ml ત્યાગ કરવામાં સરળ બનાવે છે. આ દ્રાવણમાં બ્યુટીરેટ એસીડમાં એન્ટી ઇન્ફલેમેન્ટરી પ્રભાવ હોય છે અને અને મીઠું એક સ્વચ્છ આતરડું માં તકલીફ કરનાર બેકટેરિયાને મારી નાખે છે. આ સિવાય તેમાં ભરપુર માત્રામાં ફાયબરથી મોજુદ ફૂડ જેમકે  પલાળેલા અંજીર, બીલી ફળ , ત્રિફળા વગેરે ખાવાથી એસીડીટી દુર થાય છે.

ઘી અને અંજીર

જોઈએ કેટલાક બીજા ઘરેલું ઉપચાર અનાનસના ટુકડા પર સાકાર અને મરી ભભરાવીને ખાવાથી એસીડીટી દુર થાય છે, ગાજરનો રસ પીવાથી એસીડીટી મટે છે, કોળાના રસમાં સાકર ભેળવીને પીવાથી એસીડીટી મટે છે, દ્રાક્ષ અને બાળ હરડે સરખે ભાગે લઇ, એટલી જ સાકાર મેળવી, તેની રૂપિયાભાર જેવડી ગોળીઓ બનાવી લેવાથી એસીડીટી મટે છે.

કોથમરી: છાતી કે પેટમાં બળતરા થાય ત્યારે કોથમીરનો રસ 5 થી 6 ચમચી અથવા ધાણાજીરું પાવડર 1 ચમચી અથવા સાકર મેળવી વારંવાર પીવાથી તુરંત એસીડીટી મટે છે. આ સમયે શેરડીનો તાજો રસ પીવાથી પણ એસીડીટીમાં રાહત થાય છે.

કોથમરી

જેઠીમધ: રોજ ત્રિફળા, ક્દુચુર્ણ, જેઠીમધ અને ધાણાનું ચૂર્ણ બનાવી તેમાં સરખા ભાગે સાકર નાખી, સવાર સાંજ એક એક ચમચી લાંબો સમય લેવાથી એસીડીટી મટે છે.

🙏 Request: મિત્રો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વધુમાં વધુ શેર કરવા વિનંતી.

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

હિંગ
ઔષધી

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

August 26, 2022
કબજિયાત માટેનો દેશી ઈલાજ
ઘરેલું ઉપચાર

વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય

August 21, 2022
ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય
આરોગ્ય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

August 20, 2022
ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે
ઘરેલું ઉપચાર

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

August 19, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત
આરોગ્ય

લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત

July 27, 2022
Next Post
શરદી, કફ અને વાયુ

શિયાળામાં શરદી, કફ અને વાયુ જેવા 10થી વધુ રોગોના ઈલાજ માટે આ એક આયુર્વેદિક ઉપચાર છે ઉપયોગી

આંજણી ના દેશી ઉપાય

આ ઘરેલું ઉપચાર થી માત્ર 2 દિવસમાં દૂર થશે આંખની આંજણીની સમસ્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ચોમાસામાં સ્વસ્થ રહેવાના ફાયદા

ચોમાસામાં થતા વાઈરલ રોગ માટે ઓલ ઇન વન ઈલાજ છે આ એક આયુર્વેદિક ઉપચાર

March 22, 2022
આ 7 વસ્તુઓ ફરી ગરમ કરીને ક્યારેય ખાવી નહીં

ભૂલથી પણ આ 7 વસ્તુઓ ફરી ગરમ કરીને ક્યારેય ખાવી નહીં

June 15, 2022
મીઠાના પાણીથી સ્નાન કરવાથી થશે અદભુત ફાયદા

મીઠાના પાણીથી સ્નાન કરવાથી થાય છે અદભુત ફાયદાઓ

June 15, 2022

Popular Stories

  • ધાધર નો ઘરેલુ ઉપચાર

    ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • કમળા માટે 10 ઘરેલું રામબાણ ઉપચાર, ગમે તેવો કમળો થઇ જશે સારો

    0 shares
    Share 0 Tweet 0
  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
  • વગર દવાએ પેશાબમાં થતી તીવ્ર બળતરા અને ઉનવા માટે 100% અસરકારક ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In